રાજ્યના તીર્થસ્થાનોમાં ભાજપના નેતાઓ કરશે સફાઈ! હર્ષ સંઘવીએ અમદાવાદના ભદ્રકાળી મંદિરની સફાઈ કરી લીધો અભિયાનમાં ભાગ


  • Published By :
  • Published Date : 2023-04-22 11:50:31

કહેવાય છે 'સ્વચ્છતા ત્યાં પ્રભુતા'. આ સૂત્રને ધ્યાનમાં રાખી સમગ્ર દેશમાં 'સ્વચ્છ ભારત અભિયાન' ચલાવવામાં આવી રહ્યું છે. ત્યારે રાજ્યમાં ધર્મસ્થાનો પર મહાસફાઈ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. અભિયાન અંતર્ગત મુખ્યમંત્રી, ભાજપ પ્રદેશ અધ્યક્ષ તેમજ ભાજપના ધારાસભ્યો અલગ અલગ તીર્થ ધામોની સફાઈ કરી રહ્યા છે. એક સાથે 24 દેવસ્થાનોમાં સફાઈ કરવામાં આવી રહી છે. ત્યારે હર્ષ સંઘવીએ અમદાવાદમાં આવેલા નગરદેવી એટલે ભદ્રકાલી મંદિર પરિસરમાં સાફસફાઈ કરી હતી. તે ઉપરાંત રાજકોટ ખાતેથી મુખ્યમંત્રીએ આ અભિયાનની શરૂઆત કરાવી હતી. મુખ્યમંત્રીએ બાલાજી હનુમાન મંદિરની સફાઈ કરી હતી. 

 

BJP starts cleanliness drive near religious places today આજે પ્રદેશ ભાજપ દ્વારા રાજ્યભરના મંદિરોમાં સ્વચ્છતા અભિયાન, સુરતથી સીઆર પાટીલે અભિયાન શરૂ કરાવ્યું

ભાજપના નેતાઓ દ્વારા કરવામાં આવી રહી છે તીર્થસ્થાનોની સફાઈ!

રાજ્યના વિવિધ તીર્થસ્થાનો પર મહાસફાઈ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે જેમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, ધારાસભ્ય સહિતના કાર્યકરો દ્વારા તીર્થસ્થાનોની સફાઈ કરવામાં આવી હતી.રાજ્યના મુખ્યમંત્રી રાજકોટના કરણસિંહજી બાલાજી મંદિરની સફાઈ કરવાના છે. ઋષિકેશ પટેલ મહેસાણા ઉમિયાધામ ખાતે, બચુખાબડ બનાસકાંઠામાં અંબાજી મંદિર ખાતે, મુકેશ પટેલ કામરેજ સુરતના ગાય પગલા મંદિરે, રમણ સોલંકી ખેડાના ડાકોર મંદિરમાં, જેઠાભાઈ ભરવાડ પાવાગઢ મંદિર ખાતે, જગદીશ વિશ્વકર્મા ગાંધીનગર અક્ષરધામ મંદિર ખાતે ધર્મસ્થાનો પર મહાસફાઈ અભિયાન અંતર્ગત ઉપસ્થિત રહી સફાઈ અભિયાનમાં ભાગ લેશે.      

   

હર્ષ સંઘવીએ આપ્યું નિવેદન!

ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ભદ્રકાલી મંદિરની સફાઈ કરી હતી. તેમની સાથે ભાજપના ધારાસભ્યો તેમજ કોર્પોરેટરો પણ જોડાયા હતા. આ પ્રસંગે હર્ષ સંઘવીએ કહ્યું હતું કે દેવસ્થાનોને ચોખ્ખા રાખવાની જવાબદારી સફાઈ કર્મચારીઓની જ નહીં પરંતુ આપણી પણ બને છે. 



થોડાક સમયથી , આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં છે. વિસાવદરની બેઠક પર જીત મળ્યા બાદ આમ આદમી પાર્ટીમાં ઉત્સાહનું વાતાવરણ છવાયું છે. સાથેજ પાર્ટીએ આગામી સમયમાં કોર્પોરેશન અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ અને ૨૦૨૭ની વિધાનસભાની ચૂંટણીઓ માટે તૈયારીઓ શરુ કરી દીધી છે . આ ઉપરાંત આમ આદમી પાર્ટીએ સદસ્યતા અભિયાનનો પ્રારંભ પણ કરી દીધો છે. પરંતુ આ તમામ કાર્યક્રમ વચ્ચે એક જણની ગેરહાજરી ખુબ જ સૂચક જણાતી હતી તે છે , ગારિયાધારના MLA સુધીર વાઘાણીની . કેમ તો , કાર્યક્રમ તો ઠીક , આમ આદમી પાર્ટીએ જે હોર્ડિંગ્સ તૈયાર કર્યા હતા , તેમાંથી પણ સુધીર વાઘાણીની બાદબાકી જોવા મળી હતી .

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી એકવાર ભારત - અમેરિકા ટ્રેડ ડીલને લઇને ટિપ્પણી કરી છે. ભારતનું પ્રતિનિધિમંડળ હાલમાં અમેરિકામાં છે . તેનો પ્રયાસ છે કે, જુલાઈની ૯ મી તારીખ પેહલા બેઉ દેશો વચ્ચે વ્યાપારી કરારો સંપન્ન થાય. ભારતનું પ્રતિનિધિમંડળ રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં અમેરિકા પહોંચ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જે આ ટિપ્પણી આવી તે પેહલા યુએસના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટએ કહ્યું છે કે , ભારત અને અમેરિકા એવા કરારોની નજીક પહોંચી ચુક્યા છે જ્યાં અમેરિકન ઉત્પાદનો પર ઓછો ટેરિફ લગાવવામાં આવશે .

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની નિમણુંક કરવામાં આવી છે. આ માટે , ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની કારોબારી સમિતિની 47મી વાર્ષિક સભા મળી હતી. ગુજરાતમાં GSFAએ ફૂટબોલના ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ માટે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ફૂટબોલમાં સારામાં સારું પ્રદર્શન કરનારા જિલ્લાઓ , ક્લબો , રેફરી , ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?