રાજ્યના તીર્થસ્થાનોમાં ભાજપના નેતાઓ કરશે સફાઈ! હર્ષ સંઘવીએ અમદાવાદના ભદ્રકાળી મંદિરની સફાઈ કરી લીધો અભિયાનમાં ભાગ


  • Published By :
  • Published Date : 2023-04-22 11:50:31

કહેવાય છે 'સ્વચ્છતા ત્યાં પ્રભુતા'. આ સૂત્રને ધ્યાનમાં રાખી સમગ્ર દેશમાં 'સ્વચ્છ ભારત અભિયાન' ચલાવવામાં આવી રહ્યું છે. ત્યારે રાજ્યમાં ધર્મસ્થાનો પર મહાસફાઈ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. અભિયાન અંતર્ગત મુખ્યમંત્રી, ભાજપ પ્રદેશ અધ્યક્ષ તેમજ ભાજપના ધારાસભ્યો અલગ અલગ તીર્થ ધામોની સફાઈ કરી રહ્યા છે. એક સાથે 24 દેવસ્થાનોમાં સફાઈ કરવામાં આવી રહી છે. ત્યારે હર્ષ સંઘવીએ અમદાવાદમાં આવેલા નગરદેવી એટલે ભદ્રકાલી મંદિર પરિસરમાં સાફસફાઈ કરી હતી. તે ઉપરાંત રાજકોટ ખાતેથી મુખ્યમંત્રીએ આ અભિયાનની શરૂઆત કરાવી હતી. મુખ્યમંત્રીએ બાલાજી હનુમાન મંદિરની સફાઈ કરી હતી. 

 

BJP starts cleanliness drive near religious places today આજે પ્રદેશ ભાજપ દ્વારા રાજ્યભરના મંદિરોમાં સ્વચ્છતા અભિયાન, સુરતથી સીઆર પાટીલે અભિયાન શરૂ કરાવ્યું

ભાજપના નેતાઓ દ્વારા કરવામાં આવી રહી છે તીર્થસ્થાનોની સફાઈ!

રાજ્યના વિવિધ તીર્થસ્થાનો પર મહાસફાઈ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે જેમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, ધારાસભ્ય સહિતના કાર્યકરો દ્વારા તીર્થસ્થાનોની સફાઈ કરવામાં આવી હતી.રાજ્યના મુખ્યમંત્રી રાજકોટના કરણસિંહજી બાલાજી મંદિરની સફાઈ કરવાના છે. ઋષિકેશ પટેલ મહેસાણા ઉમિયાધામ ખાતે, બચુખાબડ બનાસકાંઠામાં અંબાજી મંદિર ખાતે, મુકેશ પટેલ કામરેજ સુરતના ગાય પગલા મંદિરે, રમણ સોલંકી ખેડાના ડાકોર મંદિરમાં, જેઠાભાઈ ભરવાડ પાવાગઢ મંદિર ખાતે, જગદીશ વિશ્વકર્મા ગાંધીનગર અક્ષરધામ મંદિર ખાતે ધર્મસ્થાનો પર મહાસફાઈ અભિયાન અંતર્ગત ઉપસ્થિત રહી સફાઈ અભિયાનમાં ભાગ લેશે.      

   

હર્ષ સંઘવીએ આપ્યું નિવેદન!

ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ભદ્રકાલી મંદિરની સફાઈ કરી હતી. તેમની સાથે ભાજપના ધારાસભ્યો તેમજ કોર્પોરેટરો પણ જોડાયા હતા. આ પ્રસંગે હર્ષ સંઘવીએ કહ્યું હતું કે દેવસ્થાનોને ચોખ્ખા રાખવાની જવાબદારી સફાઈ કર્મચારીઓની જ નહીં પરંતુ આપણી પણ બને છે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.