22 બેઠકોના લિસ્ટની આતુરતાથી રાહ જોવાઈ રહી છે, ભાજપ કોના પત્તા કાપશે તેને લઈ કુતૂહલ


  • Published By :
  • Published Date : 2022-11-10 22:01:26

ગુજરાત વિધાનસભાની તારીખો જાહેર થયા બાદ 182 સીટમાંથી 160 બેઠકો માટેની ભાજપે ઉમેદવારોની યાદી જાહેર કરી છે. જો કે હજુ પણ 22 વિધાન સભા બેઠકોની યાદી જાહેર કરવાની બાકી છે. ભાજપે હજુ 22 ઉમેદવારો જાહેર કર્યા નથી. હવે જોવાનું એ છે કે ભાજપની આ છેલ્લી યાદીમાં કેટલા અને કયા ધારાસભ્યોના પત્તા કપાય છે.


ભાજપ આ 22 બેઠકો પર જાહેર કરશે ઉમેદવારો


ભાજપની જે 22 સીટો માટે નવા ઉમેદવારો જાહેર કરવાના બાકી છે તેમાં, રાધનપુર, પાટણ, ખેરાલુ, ˆહિંમતનગર, ગાંધીનગર દ‡ક્ષિણ, ગાંધીનગર ઉત્તર, માણસા, કલોલ, વટવા, ધોરાજી, જામખંભાળિયા, કુતિયાણા, ભાવનગર પૂર્વ, પેટલાદ, મહેદાવાદ, ઝાલોદ, ગરબાડા, પાવી જેતપુર, સયાજીગંજ, માંજલપુર, ડેડિયાપાડા અને ચોર્યાસી વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે. 


ભાજપની છેલ્લી યાદીને લઈ સસ્પેન્સ યથાવત


ભાજપ તેના 22 ઉમેદવારોની છેલ્લી યાદી ક્યારે જાહેર કરશે તેની રાહ જોવાઈ રહી છે. જો કે હજુ પણ તેની આ યાદીમાં કોના પત્તા કપાશે તે અંગે અટકળો શરૂ થઈ ગઈ છે. આ યાદીમાં કોનો સમાવેશ થશે અને કયા વર્તમાન ધારાસભ્યોના પત્તા કપાશે તે અંગે સ્થાનિકો અને રાજકીય વર્તુળોમાં ચર્ચા ચાલી રહી છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.