22 બેઠકોના લિસ્ટની આતુરતાથી રાહ જોવાઈ રહી છે, ભાજપ કોના પત્તા કાપશે તેને લઈ કુતૂહલ


  • Published By :
  • Published Date : 2022-11-10 22:01:26

ગુજરાત વિધાનસભાની તારીખો જાહેર થયા બાદ 182 સીટમાંથી 160 બેઠકો માટેની ભાજપે ઉમેદવારોની યાદી જાહેર કરી છે. જો કે હજુ પણ 22 વિધાન સભા બેઠકોની યાદી જાહેર કરવાની બાકી છે. ભાજપે હજુ 22 ઉમેદવારો જાહેર કર્યા નથી. હવે જોવાનું એ છે કે ભાજપની આ છેલ્લી યાદીમાં કેટલા અને કયા ધારાસભ્યોના પત્તા કપાય છે.


ભાજપ આ 22 બેઠકો પર જાહેર કરશે ઉમેદવારો


ભાજપની જે 22 સીટો માટે નવા ઉમેદવારો જાહેર કરવાના બાકી છે તેમાં, રાધનપુર, પાટણ, ખેરાલુ, ˆહિંમતનગર, ગાંધીનગર દ‡ક્ષિણ, ગાંધીનગર ઉત્તર, માણસા, કલોલ, વટવા, ધોરાજી, જામખંભાળિયા, કુતિયાણા, ભાવનગર પૂર્વ, પેટલાદ, મહેદાવાદ, ઝાલોદ, ગરબાડા, પાવી જેતપુર, સયાજીગંજ, માંજલપુર, ડેડિયાપાડા અને ચોર્યાસી વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે. 


ભાજપની છેલ્લી યાદીને લઈ સસ્પેન્સ યથાવત


ભાજપ તેના 22 ઉમેદવારોની છેલ્લી યાદી ક્યારે જાહેર કરશે તેની રાહ જોવાઈ રહી છે. જો કે હજુ પણ તેની આ યાદીમાં કોના પત્તા કપાશે તે અંગે અટકળો શરૂ થઈ ગઈ છે. આ યાદીમાં કોનો સમાવેશ થશે અને કયા વર્તમાન ધારાસભ્યોના પત્તા કપાશે તે અંગે સ્થાનિકો અને રાજકીય વર્તુળોમાં ચર્ચા ચાલી રહી છે.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.