વિરોધના વંટોળ વચ્ચે BJP Rajkot Loksabha બેઠક પર બદલી શકે છે ઉમેદવાર, પરષોત્તમ રૂપાલાની બદલીમાં આમને પાર્ટી બનાવી શકે છે ઉમેદવાર


  • Published By :
  • Published Date : 2024-04-01 11:39:18

ભારતીય જનતા પાર્ટી દ્વારા જ્યારથી ગુજરાત લોકસભા બેઠક માટે ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે ત્યારથી ડખા શરૂ થઈ ગયા છે. અનેક બેઠકો પર વિરોધના વંટોળ જોવા મળી રહ્યા છે... બે બેઠકો પર તો ભાજપ દ્વારા ઉમેદવારને બદલવામાં આવ્યા છે ત્યારે વધુ એક બેઠક પર ઉમેદવારને બદલવામાં આવશે તેવી ચર્ચા ચાલી રહી છે... એવી ચર્ચાઓએ જોર પકડ્યું છે કે રાજકોટ લોકસભા બેઠક પર ભાજપ પરષોત્તમ રૂપાલાને બદલીને મોહન કુંડારીયાને ટિકીટ આપી શકે છે... મહત્વનું છે કે ક્ષત્રિય સમાજ માટે પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનને કારણે તેમનો વિરોધ થઈ રહ્યો છે. આ વિરોધને કારણે પરષોત્તમ રૂપાલાની બદલીમાં નવા ઉમેદવારને ટિકીટ આપવામાં આવી શકે છે તેવા એંધાણ દેખાઈ રહ્યા છે....     


બે બેઠકો પર ભાજપે બદલ્યા ઉમેદવાર 

એક સમય જે વાતો કોંગ્રેસ માટે કહેવામાં આવતી હતી તે વાતો હવે ભાજપ માટે કહેવામાં આવી રહી છે. ભાજપમાં એક સાંધે ત્યાં તેર તૂટે જેવી પરિસ્થિતિ છે. પ્રતિદિન કાર્યકર્તાઓના વિરોધનો સામનો ભારતીય જનતા પાર્ટીને કરવો પડી રહ્યો છે. અનેક બેઠકો એવી છે જ્યાં જાહેર કરવામાં આવેલા ઉમેદવારનો વિરોધ કાર્યકર્તાઓ કરી રહ્યા છે. સાબરકાંઠામાં તેમજ વડોદરા બેઠક પર ભાજપે ઉમેદવાર બદલ્યા ત્યારે રાજકોટ બેઠક પર પણ ઉમેદવારને બદલવાની નોબત ભાજપને આવી ગઈ છે. રાજકોટ બેઠકના ઉમેદવાર પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનને કારણે વિરોધ શરૂ થઈ ગયો છે. અનેક જગ્યાઓ પર ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. વિવાદ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. ડેમેજ કંટ્રોલ કરવાનો ભાજપ દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો પરંતુ તે સફળ નથી થયું.



રાજકોટ બેઠક પરથી ઉતારવામાં આવી શકે છે મોહન કુંડારિયાને!

ત્યારે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે પરષોત્તમ રૂપાલાને દિલ્હીથી ભાજપનું તેડું આવ્યું છે. રૂપાલા દિલ્હીમાં ભાજપના અગ્રણીઓ સાથે બેઠકમાં ઉપસ્થિત રહેશે. ક્ષત્રિય સમાજ પર કરેલી ટીપ્પણીને લઈ પરશોતમ રૂપાલમાં વિવાદોમાં ઘેરાયા છે. તેમજ સમાજની બે વાર માફી માંગી છે છતા સમાજ ઉમેદવાર બદલવાની માંગ સાથે અડગ છે. જો કે પરષોત્તમ રૂપાલાની દિલ્હી મુલાકાત બાદ રૂપાલાની ઉમેદવારી રદ કરી ત્યાં ફરી મોહન કુંડરિયાને ઉતારવામાં આવે તે સાંભવના છે. જ્યારે મોહનભાઈની પ્રતિક્રિયા લેવા માટે એમને ફોન કર્યો પરંતુ એમણે ફોન નથી ઉપાડ્યો.  કોઈ ઑફિસલ જાહેરાત થાય ત્યારે જ કોકડું સોલ્વ થઈ શકે છે. 


કટાક્ષ કરતા મોહન કુંડારિયાએ કહ્યું હતું.. 

મોહન કંડારિયાની બદલીમાં પરષોત્તમ રૂપાલાને ટિકીટ આપવામાં આવી ત્યારે સાંસદ મોહન કુંડારિયાનું એક નિવેદન ખુબ જ ચર્ચામાં આવ્યું હતું કેમ તેમણે કટાક્ષ કરતાં કહ્યું હતું કે નાનું બાળક રમકડાં માટે રડતું હોય તો મોટા બાળક પાસેથી લઈને આપી દે છે. એટલે પરષોત્તમ રૂપાલાનું નામ લીધા વગર આ વાત કહેવામાં આવી હતી 


જોવું રહ્યું કે હાઈકમાન્ડ શું નિર્ણય લે છે? 

વર્ષ 2019ના પરિણામ પર હવે એક નજર કરીએ તો ભાજપના સાંસદ મોહન કુંડારીયા આ બેઠક પરથી 3 લાખ 68 હજાર 407 મતની લીડ સાથે વિજય થયા હતા.રાજકોટ લોકસભા બેઠક પર પાટીદારોના આશીર્વાદ ખૂબ મહત્વપૂર્ણ રોલ ભજવી જાય છે એટલે ત્યાં ઉમેદવાર પણ એ સમીકરણો જોઈને મૂકવામાં આવે છે હવે ભાજપની દિલ્હી દરબાર શું નિર્ણય લે છે તે જોવાનું રહ્યું....    



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે