વિરોધના વંટોળ વચ્ચે BJP Rajkot Loksabha બેઠક પર બદલી શકે છે ઉમેદવાર, પરષોત્તમ રૂપાલાની બદલીમાં આમને પાર્ટી બનાવી શકે છે ઉમેદવાર


  • Published By :
  • Published Date : 2024-04-01 11:39:18

ભારતીય જનતા પાર્ટી દ્વારા જ્યારથી ગુજરાત લોકસભા બેઠક માટે ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે ત્યારથી ડખા શરૂ થઈ ગયા છે. અનેક બેઠકો પર વિરોધના વંટોળ જોવા મળી રહ્યા છે... બે બેઠકો પર તો ભાજપ દ્વારા ઉમેદવારને બદલવામાં આવ્યા છે ત્યારે વધુ એક બેઠક પર ઉમેદવારને બદલવામાં આવશે તેવી ચર્ચા ચાલી રહી છે... એવી ચર્ચાઓએ જોર પકડ્યું છે કે રાજકોટ લોકસભા બેઠક પર ભાજપ પરષોત્તમ રૂપાલાને બદલીને મોહન કુંડારીયાને ટિકીટ આપી શકે છે... મહત્વનું છે કે ક્ષત્રિય સમાજ માટે પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનને કારણે તેમનો વિરોધ થઈ રહ્યો છે. આ વિરોધને કારણે પરષોત્તમ રૂપાલાની બદલીમાં નવા ઉમેદવારને ટિકીટ આપવામાં આવી શકે છે તેવા એંધાણ દેખાઈ રહ્યા છે....     


બે બેઠકો પર ભાજપે બદલ્યા ઉમેદવાર 

એક સમય જે વાતો કોંગ્રેસ માટે કહેવામાં આવતી હતી તે વાતો હવે ભાજપ માટે કહેવામાં આવી રહી છે. ભાજપમાં એક સાંધે ત્યાં તેર તૂટે જેવી પરિસ્થિતિ છે. પ્રતિદિન કાર્યકર્તાઓના વિરોધનો સામનો ભારતીય જનતા પાર્ટીને કરવો પડી રહ્યો છે. અનેક બેઠકો એવી છે જ્યાં જાહેર કરવામાં આવેલા ઉમેદવારનો વિરોધ કાર્યકર્તાઓ કરી રહ્યા છે. સાબરકાંઠામાં તેમજ વડોદરા બેઠક પર ભાજપે ઉમેદવાર બદલ્યા ત્યારે રાજકોટ બેઠક પર પણ ઉમેદવારને બદલવાની નોબત ભાજપને આવી ગઈ છે. રાજકોટ બેઠકના ઉમેદવાર પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનને કારણે વિરોધ શરૂ થઈ ગયો છે. અનેક જગ્યાઓ પર ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. વિવાદ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. ડેમેજ કંટ્રોલ કરવાનો ભાજપ દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો પરંતુ તે સફળ નથી થયું.



રાજકોટ બેઠક પરથી ઉતારવામાં આવી શકે છે મોહન કુંડારિયાને!

ત્યારે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે પરષોત્તમ રૂપાલાને દિલ્હીથી ભાજપનું તેડું આવ્યું છે. રૂપાલા દિલ્હીમાં ભાજપના અગ્રણીઓ સાથે બેઠકમાં ઉપસ્થિત રહેશે. ક્ષત્રિય સમાજ પર કરેલી ટીપ્પણીને લઈ પરશોતમ રૂપાલમાં વિવાદોમાં ઘેરાયા છે. તેમજ સમાજની બે વાર માફી માંગી છે છતા સમાજ ઉમેદવાર બદલવાની માંગ સાથે અડગ છે. જો કે પરષોત્તમ રૂપાલાની દિલ્હી મુલાકાત બાદ રૂપાલાની ઉમેદવારી રદ કરી ત્યાં ફરી મોહન કુંડરિયાને ઉતારવામાં આવે તે સાંભવના છે. જ્યારે મોહનભાઈની પ્રતિક્રિયા લેવા માટે એમને ફોન કર્યો પરંતુ એમણે ફોન નથી ઉપાડ્યો.  કોઈ ઑફિસલ જાહેરાત થાય ત્યારે જ કોકડું સોલ્વ થઈ શકે છે. 


કટાક્ષ કરતા મોહન કુંડારિયાએ કહ્યું હતું.. 

મોહન કંડારિયાની બદલીમાં પરષોત્તમ રૂપાલાને ટિકીટ આપવામાં આવી ત્યારે સાંસદ મોહન કુંડારિયાનું એક નિવેદન ખુબ જ ચર્ચામાં આવ્યું હતું કેમ તેમણે કટાક્ષ કરતાં કહ્યું હતું કે નાનું બાળક રમકડાં માટે રડતું હોય તો મોટા બાળક પાસેથી લઈને આપી દે છે. એટલે પરષોત્તમ રૂપાલાનું નામ લીધા વગર આ વાત કહેવામાં આવી હતી 


જોવું રહ્યું કે હાઈકમાન્ડ શું નિર્ણય લે છે? 

વર્ષ 2019ના પરિણામ પર હવે એક નજર કરીએ તો ભાજપના સાંસદ મોહન કુંડારીયા આ બેઠક પરથી 3 લાખ 68 હજાર 407 મતની લીડ સાથે વિજય થયા હતા.રાજકોટ લોકસભા બેઠક પર પાટીદારોના આશીર્વાદ ખૂબ મહત્વપૂર્ણ રોલ ભજવી જાય છે એટલે ત્યાં ઉમેદવાર પણ એ સમીકરણો જોઈને મૂકવામાં આવે છે હવે ભાજપની દિલ્હી દરબાર શું નિર્ણય લે છે તે જોવાનું રહ્યું....    



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.