વિરોધના વંટોળ વચ્ચે BJP Rajkot Loksabha બેઠક પર બદલી શકે છે ઉમેદવાર, પરષોત્તમ રૂપાલાની બદલીમાં આમને પાર્ટી બનાવી શકે છે ઉમેદવાર


  • Published By :
  • Published Date : 2024-04-01 11:39:18

ભારતીય જનતા પાર્ટી દ્વારા જ્યારથી ગુજરાત લોકસભા બેઠક માટે ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે ત્યારથી ડખા શરૂ થઈ ગયા છે. અનેક બેઠકો પર વિરોધના વંટોળ જોવા મળી રહ્યા છે... બે બેઠકો પર તો ભાજપ દ્વારા ઉમેદવારને બદલવામાં આવ્યા છે ત્યારે વધુ એક બેઠક પર ઉમેદવારને બદલવામાં આવશે તેવી ચર્ચા ચાલી રહી છે... એવી ચર્ચાઓએ જોર પકડ્યું છે કે રાજકોટ લોકસભા બેઠક પર ભાજપ પરષોત્તમ રૂપાલાને બદલીને મોહન કુંડારીયાને ટિકીટ આપી શકે છે... મહત્વનું છે કે ક્ષત્રિય સમાજ માટે પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનને કારણે તેમનો વિરોધ થઈ રહ્યો છે. આ વિરોધને કારણે પરષોત્તમ રૂપાલાની બદલીમાં નવા ઉમેદવારને ટિકીટ આપવામાં આવી શકે છે તેવા એંધાણ દેખાઈ રહ્યા છે....     


બે બેઠકો પર ભાજપે બદલ્યા ઉમેદવાર 

એક સમય જે વાતો કોંગ્રેસ માટે કહેવામાં આવતી હતી તે વાતો હવે ભાજપ માટે કહેવામાં આવી રહી છે. ભાજપમાં એક સાંધે ત્યાં તેર તૂટે જેવી પરિસ્થિતિ છે. પ્રતિદિન કાર્યકર્તાઓના વિરોધનો સામનો ભારતીય જનતા પાર્ટીને કરવો પડી રહ્યો છે. અનેક બેઠકો એવી છે જ્યાં જાહેર કરવામાં આવેલા ઉમેદવારનો વિરોધ કાર્યકર્તાઓ કરી રહ્યા છે. સાબરકાંઠામાં તેમજ વડોદરા બેઠક પર ભાજપે ઉમેદવાર બદલ્યા ત્યારે રાજકોટ બેઠક પર પણ ઉમેદવારને બદલવાની નોબત ભાજપને આવી ગઈ છે. રાજકોટ બેઠકના ઉમેદવાર પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનને કારણે વિરોધ શરૂ થઈ ગયો છે. અનેક જગ્યાઓ પર ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. વિવાદ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. ડેમેજ કંટ્રોલ કરવાનો ભાજપ દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો પરંતુ તે સફળ નથી થયું.



રાજકોટ બેઠક પરથી ઉતારવામાં આવી શકે છે મોહન કુંડારિયાને!

ત્યારે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે પરષોત્તમ રૂપાલાને દિલ્હીથી ભાજપનું તેડું આવ્યું છે. રૂપાલા દિલ્હીમાં ભાજપના અગ્રણીઓ સાથે બેઠકમાં ઉપસ્થિત રહેશે. ક્ષત્રિય સમાજ પર કરેલી ટીપ્પણીને લઈ પરશોતમ રૂપાલમાં વિવાદોમાં ઘેરાયા છે. તેમજ સમાજની બે વાર માફી માંગી છે છતા સમાજ ઉમેદવાર બદલવાની માંગ સાથે અડગ છે. જો કે પરષોત્તમ રૂપાલાની દિલ્હી મુલાકાત બાદ રૂપાલાની ઉમેદવારી રદ કરી ત્યાં ફરી મોહન કુંડરિયાને ઉતારવામાં આવે તે સાંભવના છે. જ્યારે મોહનભાઈની પ્રતિક્રિયા લેવા માટે એમને ફોન કર્યો પરંતુ એમણે ફોન નથી ઉપાડ્યો.  કોઈ ઑફિસલ જાહેરાત થાય ત્યારે જ કોકડું સોલ્વ થઈ શકે છે. 


કટાક્ષ કરતા મોહન કુંડારિયાએ કહ્યું હતું.. 

મોહન કંડારિયાની બદલીમાં પરષોત્તમ રૂપાલાને ટિકીટ આપવામાં આવી ત્યારે સાંસદ મોહન કુંડારિયાનું એક નિવેદન ખુબ જ ચર્ચામાં આવ્યું હતું કેમ તેમણે કટાક્ષ કરતાં કહ્યું હતું કે નાનું બાળક રમકડાં માટે રડતું હોય તો મોટા બાળક પાસેથી લઈને આપી દે છે. એટલે પરષોત્તમ રૂપાલાનું નામ લીધા વગર આ વાત કહેવામાં આવી હતી 


જોવું રહ્યું કે હાઈકમાન્ડ શું નિર્ણય લે છે? 

વર્ષ 2019ના પરિણામ પર હવે એક નજર કરીએ તો ભાજપના સાંસદ મોહન કુંડારીયા આ બેઠક પરથી 3 લાખ 68 હજાર 407 મતની લીડ સાથે વિજય થયા હતા.રાજકોટ લોકસભા બેઠક પર પાટીદારોના આશીર્વાદ ખૂબ મહત્વપૂર્ણ રોલ ભજવી જાય છે એટલે ત્યાં ઉમેદવાર પણ એ સમીકરણો જોઈને મૂકવામાં આવે છે હવે ભાજપની દિલ્હી દરબાર શું નિર્ણય લે છે તે જોવાનું રહ્યું....    



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"