વિરોધના વંટોળ વચ્ચે BJP Rajkot Loksabha બેઠક પર બદલી શકે છે ઉમેદવાર, પરષોત્તમ રૂપાલાની બદલીમાં આમને પાર્ટી બનાવી શકે છે ઉમેદવાર


  • Published By :
  • Published Date : 2024-04-01 11:39:18

ભારતીય જનતા પાર્ટી દ્વારા જ્યારથી ગુજરાત લોકસભા બેઠક માટે ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે ત્યારથી ડખા શરૂ થઈ ગયા છે. અનેક બેઠકો પર વિરોધના વંટોળ જોવા મળી રહ્યા છે... બે બેઠકો પર તો ભાજપ દ્વારા ઉમેદવારને બદલવામાં આવ્યા છે ત્યારે વધુ એક બેઠક પર ઉમેદવારને બદલવામાં આવશે તેવી ચર્ચા ચાલી રહી છે... એવી ચર્ચાઓએ જોર પકડ્યું છે કે રાજકોટ લોકસભા બેઠક પર ભાજપ પરષોત્તમ રૂપાલાને બદલીને મોહન કુંડારીયાને ટિકીટ આપી શકે છે... મહત્વનું છે કે ક્ષત્રિય સમાજ માટે પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનને કારણે તેમનો વિરોધ થઈ રહ્યો છે. આ વિરોધને કારણે પરષોત્તમ રૂપાલાની બદલીમાં નવા ઉમેદવારને ટિકીટ આપવામાં આવી શકે છે તેવા એંધાણ દેખાઈ રહ્યા છે....     


બે બેઠકો પર ભાજપે બદલ્યા ઉમેદવાર 

એક સમય જે વાતો કોંગ્રેસ માટે કહેવામાં આવતી હતી તે વાતો હવે ભાજપ માટે કહેવામાં આવી રહી છે. ભાજપમાં એક સાંધે ત્યાં તેર તૂટે જેવી પરિસ્થિતિ છે. પ્રતિદિન કાર્યકર્તાઓના વિરોધનો સામનો ભારતીય જનતા પાર્ટીને કરવો પડી રહ્યો છે. અનેક બેઠકો એવી છે જ્યાં જાહેર કરવામાં આવેલા ઉમેદવારનો વિરોધ કાર્યકર્તાઓ કરી રહ્યા છે. સાબરકાંઠામાં તેમજ વડોદરા બેઠક પર ભાજપે ઉમેદવાર બદલ્યા ત્યારે રાજકોટ બેઠક પર પણ ઉમેદવારને બદલવાની નોબત ભાજપને આવી ગઈ છે. રાજકોટ બેઠકના ઉમેદવાર પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનને કારણે વિરોધ શરૂ થઈ ગયો છે. અનેક જગ્યાઓ પર ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. વિવાદ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. ડેમેજ કંટ્રોલ કરવાનો ભાજપ દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો પરંતુ તે સફળ નથી થયું.



રાજકોટ બેઠક પરથી ઉતારવામાં આવી શકે છે મોહન કુંડારિયાને!

ત્યારે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે પરષોત્તમ રૂપાલાને દિલ્હીથી ભાજપનું તેડું આવ્યું છે. રૂપાલા દિલ્હીમાં ભાજપના અગ્રણીઓ સાથે બેઠકમાં ઉપસ્થિત રહેશે. ક્ષત્રિય સમાજ પર કરેલી ટીપ્પણીને લઈ પરશોતમ રૂપાલમાં વિવાદોમાં ઘેરાયા છે. તેમજ સમાજની બે વાર માફી માંગી છે છતા સમાજ ઉમેદવાર બદલવાની માંગ સાથે અડગ છે. જો કે પરષોત્તમ રૂપાલાની દિલ્હી મુલાકાત બાદ રૂપાલાની ઉમેદવારી રદ કરી ત્યાં ફરી મોહન કુંડરિયાને ઉતારવામાં આવે તે સાંભવના છે. જ્યારે મોહનભાઈની પ્રતિક્રિયા લેવા માટે એમને ફોન કર્યો પરંતુ એમણે ફોન નથી ઉપાડ્યો.  કોઈ ઑફિસલ જાહેરાત થાય ત્યારે જ કોકડું સોલ્વ થઈ શકે છે. 


કટાક્ષ કરતા મોહન કુંડારિયાએ કહ્યું હતું.. 

મોહન કંડારિયાની બદલીમાં પરષોત્તમ રૂપાલાને ટિકીટ આપવામાં આવી ત્યારે સાંસદ મોહન કુંડારિયાનું એક નિવેદન ખુબ જ ચર્ચામાં આવ્યું હતું કેમ તેમણે કટાક્ષ કરતાં કહ્યું હતું કે નાનું બાળક રમકડાં માટે રડતું હોય તો મોટા બાળક પાસેથી લઈને આપી દે છે. એટલે પરષોત્તમ રૂપાલાનું નામ લીધા વગર આ વાત કહેવામાં આવી હતી 


જોવું રહ્યું કે હાઈકમાન્ડ શું નિર્ણય લે છે? 

વર્ષ 2019ના પરિણામ પર હવે એક નજર કરીએ તો ભાજપના સાંસદ મોહન કુંડારીયા આ બેઠક પરથી 3 લાખ 68 હજાર 407 મતની લીડ સાથે વિજય થયા હતા.રાજકોટ લોકસભા બેઠક પર પાટીદારોના આશીર્વાદ ખૂબ મહત્વપૂર્ણ રોલ ભજવી જાય છે એટલે ત્યાં ઉમેદવાર પણ એ સમીકરણો જોઈને મૂકવામાં આવે છે હવે ભાજપની દિલ્હી દરબાર શું નિર્ણય લે છે તે જોવાનું રહ્યું....    



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે