અન્ય એક નેતાએ સરકારના કામ પર સવાલ ઉઠાવ્યો, "આદિવાસી બાળકોની સ્થિતી દયનીય"


  • Published By :
  • Published Date : 2023-02-15 17:59:23

રાજ્યમાં ભાજપની સરકાર છે જો કે ભાજપના જ નેતાઓ સરકારની કામગીરીને લઈ સવાલો કરી રહ્યા છે. ગઈ કાલે ભાજપના અમરેલીના નેતા ડો. ભરત કાનાબારે રેતી ચોરીનો ભાંડો ફોડતી ટ્વીટ કરી હતી. આજે અન્ય એક અગ્રણી ભાજપ નેતાએ રાજ્ય સરકારના કામને લઈ અસંતોષ વ્યક્ત કર્યો છે. ભાજપના સાંસદ મનસુખ વસાવા મનસુખ વસાવાએ આદિવાસી વિસ્તારોમાં આદિવાસી બાળકોની દયનીય સ્થિતીને લઈ પ્રશ્નો ઉઠાવ્યા છે.Image


મનસુખ વસાવાએ આક્રોશ વ્યક્ત કર્યો


ભાજપ સાંસદ મનસુખ વસાવા નર્મદા અને ભરૂચ જિલ્લામાં શૈક્ષણિક પ્રવૃતિ અંગે આક્રોશ વ્યક્ત કર્યો છે. ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના મોરિયાણા ગામની માધ્યમિક શાળામાં સ્લેબનો પોપડો તુટી પડતાં 8 થી વધુ વિદ્યાર્થિનીઓ ઘાયલ થઈ હતી. મનસુખ વસાવાએ ભરૂચ જિલ્લા આદિવાસી સેવા સંઘ કેળવણી મંડળનો ઉધડો લીધો હતો અને આક્રોશ સાથે જણાવ્યું હતું કે આદિવાસી બાળકો દયનીય હાલતમાં છે.


વસાવાએ વિદ્યાર્થિનીઓની મુલાકાત લીધી


ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના મોરિયાણા ગામની માધ્યમિક શાળામાં સ્લેબનો પોપડો તુટી પડતાં 8 થી વધુ વિદ્યાર્થીનીઓ ઘાયલ થઈ હતી.ભાજપ સાંસદ મનસુખ વસાવા, ઝઘડિયાના ધારાસભ્ય રિતેશ વસાવાએ ઘટનાસ્થળની અને ઇજાગ્રસ્ત વિદ્યાર્થિનીઓની મુલાકાત લીધી હતી. આ દરમિયાન મનસુખ વસાવાએ ધારાસભ્ય અને સ્થાનિક નેતા પર સવાલો કર્યા છે.


સાંસદ મનસુખ વસાવાએ શું કહ્યું?


ભાજપ સાંસદ મનસુખ વસાવાએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આદિવાસી બાળકો દયનીય હાલતમાં છે. ભરૂચ જિલ્લા આદિવાસી સેવા સંઘ કેળવણી મંડળ હોય કે ગુજરાતની કોઈ પણ ગ્રાન્ટેડ શાળાઓ, છાત્રાલયો કે હાઇસ્કુલ હોય જો એમા અપુરતી સુવિધા હોય અથવા બિલ્ડિંગ જર્જરિત હોય તો સરકારે એ સંસ્થા પોતાની હસ્તક લઈ લેવી જોઈએ.જર્જરિત શાળા, છાત્રાલયો અને સ્કૂલો સારી બને એ જરૂરી છે. શહેરી વિસ્તારની સ્કૂલો અદ્યતન સુવિધા વાળી છે જ્યારે આદિવાસી વિસ્તારની સ્કૂલો, છાત્રાલયો અપુરતી સુવિધા વાળી છે જે ચિંતાનો વિષય છે. ગુજરાતમાં જર્જરિત શાળાઓ કે છાત્રાલયોમાં સારી સુવિધા ઉપલબ્ધ કરાવવાની જવાબદારી સ્થાનિક ધારાસભ્ય, આગેવાનો અને સંચાલકોની છે. ગુજરાત સરકાર સંસ્થાઓને ખુબ ગ્રાન્ટ આપે છે, એટલે સંચાલકોની ફરજ છે કે વિદ્યાર્થીઓને સારી સુવિધા આપે સારુ ભણતર પણ આપે એ તેમની જવાબદારી છે. ગુજરાત સરકાર ટીમ બનાવી સ્કવોડ દ્વારા વિઝિટ કરાવે અને જે છાત્રાલયો, હોસ્ટેલો અને સ્કૂલ બિલ્ડિંગોમાં ક્ષતિ જણાય તો એ સંસ્થાની માન્યતા સરકાર રદ કરે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.