અન્ય એક નેતાએ સરકારના કામ પર સવાલ ઉઠાવ્યો, "આદિવાસી બાળકોની સ્થિતી દયનીય"


  • Published By :
  • Published Date : 2023-02-15 17:59:23

રાજ્યમાં ભાજપની સરકાર છે જો કે ભાજપના જ નેતાઓ સરકારની કામગીરીને લઈ સવાલો કરી રહ્યા છે. ગઈ કાલે ભાજપના અમરેલીના નેતા ડો. ભરત કાનાબારે રેતી ચોરીનો ભાંડો ફોડતી ટ્વીટ કરી હતી. આજે અન્ય એક અગ્રણી ભાજપ નેતાએ રાજ્ય સરકારના કામને લઈ અસંતોષ વ્યક્ત કર્યો છે. ભાજપના સાંસદ મનસુખ વસાવા મનસુખ વસાવાએ આદિવાસી વિસ્તારોમાં આદિવાસી બાળકોની દયનીય સ્થિતીને લઈ પ્રશ્નો ઉઠાવ્યા છે.Image


મનસુખ વસાવાએ આક્રોશ વ્યક્ત કર્યો


ભાજપ સાંસદ મનસુખ વસાવા નર્મદા અને ભરૂચ જિલ્લામાં શૈક્ષણિક પ્રવૃતિ અંગે આક્રોશ વ્યક્ત કર્યો છે. ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના મોરિયાણા ગામની માધ્યમિક શાળામાં સ્લેબનો પોપડો તુટી પડતાં 8 થી વધુ વિદ્યાર્થિનીઓ ઘાયલ થઈ હતી. મનસુખ વસાવાએ ભરૂચ જિલ્લા આદિવાસી સેવા સંઘ કેળવણી મંડળનો ઉધડો લીધો હતો અને આક્રોશ સાથે જણાવ્યું હતું કે આદિવાસી બાળકો દયનીય હાલતમાં છે.


વસાવાએ વિદ્યાર્થિનીઓની મુલાકાત લીધી


ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના મોરિયાણા ગામની માધ્યમિક શાળામાં સ્લેબનો પોપડો તુટી પડતાં 8 થી વધુ વિદ્યાર્થીનીઓ ઘાયલ થઈ હતી.ભાજપ સાંસદ મનસુખ વસાવા, ઝઘડિયાના ધારાસભ્ય રિતેશ વસાવાએ ઘટનાસ્થળની અને ઇજાગ્રસ્ત વિદ્યાર્થિનીઓની મુલાકાત લીધી હતી. આ દરમિયાન મનસુખ વસાવાએ ધારાસભ્ય અને સ્થાનિક નેતા પર સવાલો કર્યા છે.


સાંસદ મનસુખ વસાવાએ શું કહ્યું?


ભાજપ સાંસદ મનસુખ વસાવાએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આદિવાસી બાળકો દયનીય હાલતમાં છે. ભરૂચ જિલ્લા આદિવાસી સેવા સંઘ કેળવણી મંડળ હોય કે ગુજરાતની કોઈ પણ ગ્રાન્ટેડ શાળાઓ, છાત્રાલયો કે હાઇસ્કુલ હોય જો એમા અપુરતી સુવિધા હોય અથવા બિલ્ડિંગ જર્જરિત હોય તો સરકારે એ સંસ્થા પોતાની હસ્તક લઈ લેવી જોઈએ.જર્જરિત શાળા, છાત્રાલયો અને સ્કૂલો સારી બને એ જરૂરી છે. શહેરી વિસ્તારની સ્કૂલો અદ્યતન સુવિધા વાળી છે જ્યારે આદિવાસી વિસ્તારની સ્કૂલો, છાત્રાલયો અપુરતી સુવિધા વાળી છે જે ચિંતાનો વિષય છે. ગુજરાતમાં જર્જરિત શાળાઓ કે છાત્રાલયોમાં સારી સુવિધા ઉપલબ્ધ કરાવવાની જવાબદારી સ્થાનિક ધારાસભ્ય, આગેવાનો અને સંચાલકોની છે. ગુજરાત સરકાર સંસ્થાઓને ખુબ ગ્રાન્ટ આપે છે, એટલે સંચાલકોની ફરજ છે કે વિદ્યાર્થીઓને સારી સુવિધા આપે સારુ ભણતર પણ આપે એ તેમની જવાબદારી છે. ગુજરાત સરકાર ટીમ બનાવી સ્કવોડ દ્વારા વિઝિટ કરાવે અને જે છાત્રાલયો, હોસ્ટેલો અને સ્કૂલ બિલ્ડિંગોમાં ક્ષતિ જણાય તો એ સંસ્થાની માન્યતા સરકાર રદ કરે.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.