અન્ય એક નેતાએ સરકારના કામ પર સવાલ ઉઠાવ્યો, "આદિવાસી બાળકોની સ્થિતી દયનીય"


  • Published By :
  • Published Date : 2023-02-15 17:59:23

રાજ્યમાં ભાજપની સરકાર છે જો કે ભાજપના જ નેતાઓ સરકારની કામગીરીને લઈ સવાલો કરી રહ્યા છે. ગઈ કાલે ભાજપના અમરેલીના નેતા ડો. ભરત કાનાબારે રેતી ચોરીનો ભાંડો ફોડતી ટ્વીટ કરી હતી. આજે અન્ય એક અગ્રણી ભાજપ નેતાએ રાજ્ય સરકારના કામને લઈ અસંતોષ વ્યક્ત કર્યો છે. ભાજપના સાંસદ મનસુખ વસાવા મનસુખ વસાવાએ આદિવાસી વિસ્તારોમાં આદિવાસી બાળકોની દયનીય સ્થિતીને લઈ પ્રશ્નો ઉઠાવ્યા છે.Image


મનસુખ વસાવાએ આક્રોશ વ્યક્ત કર્યો


ભાજપ સાંસદ મનસુખ વસાવા નર્મદા અને ભરૂચ જિલ્લામાં શૈક્ષણિક પ્રવૃતિ અંગે આક્રોશ વ્યક્ત કર્યો છે. ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના મોરિયાણા ગામની માધ્યમિક શાળામાં સ્લેબનો પોપડો તુટી પડતાં 8 થી વધુ વિદ્યાર્થિનીઓ ઘાયલ થઈ હતી. મનસુખ વસાવાએ ભરૂચ જિલ્લા આદિવાસી સેવા સંઘ કેળવણી મંડળનો ઉધડો લીધો હતો અને આક્રોશ સાથે જણાવ્યું હતું કે આદિવાસી બાળકો દયનીય હાલતમાં છે.


વસાવાએ વિદ્યાર્થિનીઓની મુલાકાત લીધી


ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના મોરિયાણા ગામની માધ્યમિક શાળામાં સ્લેબનો પોપડો તુટી પડતાં 8 થી વધુ વિદ્યાર્થીનીઓ ઘાયલ થઈ હતી.ભાજપ સાંસદ મનસુખ વસાવા, ઝઘડિયાના ધારાસભ્ય રિતેશ વસાવાએ ઘટનાસ્થળની અને ઇજાગ્રસ્ત વિદ્યાર્થિનીઓની મુલાકાત લીધી હતી. આ દરમિયાન મનસુખ વસાવાએ ધારાસભ્ય અને સ્થાનિક નેતા પર સવાલો કર્યા છે.


સાંસદ મનસુખ વસાવાએ શું કહ્યું?


ભાજપ સાંસદ મનસુખ વસાવાએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આદિવાસી બાળકો દયનીય હાલતમાં છે. ભરૂચ જિલ્લા આદિવાસી સેવા સંઘ કેળવણી મંડળ હોય કે ગુજરાતની કોઈ પણ ગ્રાન્ટેડ શાળાઓ, છાત્રાલયો કે હાઇસ્કુલ હોય જો એમા અપુરતી સુવિધા હોય અથવા બિલ્ડિંગ જર્જરિત હોય તો સરકારે એ સંસ્થા પોતાની હસ્તક લઈ લેવી જોઈએ.જર્જરિત શાળા, છાત્રાલયો અને સ્કૂલો સારી બને એ જરૂરી છે. શહેરી વિસ્તારની સ્કૂલો અદ્યતન સુવિધા વાળી છે જ્યારે આદિવાસી વિસ્તારની સ્કૂલો, છાત્રાલયો અપુરતી સુવિધા વાળી છે જે ચિંતાનો વિષય છે. ગુજરાતમાં જર્જરિત શાળાઓ કે છાત્રાલયોમાં સારી સુવિધા ઉપલબ્ધ કરાવવાની જવાબદારી સ્થાનિક ધારાસભ્ય, આગેવાનો અને સંચાલકોની છે. ગુજરાત સરકાર સંસ્થાઓને ખુબ ગ્રાન્ટ આપે છે, એટલે સંચાલકોની ફરજ છે કે વિદ્યાર્થીઓને સારી સુવિધા આપે સારુ ભણતર પણ આપે એ તેમની જવાબદારી છે. ગુજરાત સરકાર ટીમ બનાવી સ્કવોડ દ્વારા વિઝિટ કરાવે અને જે છાત્રાલયો, હોસ્ટેલો અને સ્કૂલ બિલ્ડિંગોમાં ક્ષતિ જણાય તો એ સંસ્થાની માન્યતા સરકાર રદ કરે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.