"પતિ જીવતો છે ને, તો માથે બિંદી લગાવો" મહિલા દુકાનદાર પર ભડક્યા કર્ણાટકના BJP સાંસદ, VIDEO વાયરલ


  • Published By :
  • Published Date : 2023-03-09 14:46:03

કર્ણાટકના કોલાર જિલ્લાના ભાજપા સાંસદ એસ મુનિસ્વામીએ મહિલા દિવસ પર એક એક મહિલા પર ટિપ્પણી કરીને વિવાદ સર્જ્યો છે. મુનિસ્વામી એક કાર્યક્રમ દરમિયાન મહિલા દુકાનદારના માથા પર બિંદી ન જોતા વિફર્યા હતા અને તેને પતિ જીવતો હોય તો માથા પર બિંદી લગાવવાનું કહ્યું હતું. તેમના આ નિવેદનની અનેક લોકોએ નિંદા કરી છે. એસ મુનિસ્વામીનો આ વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયો છે. 


મહિલા દિને પ્રદર્શનનું કર્યું ઉદઘાટન


કોલારના બિજેપી સાંસદ એસ મુનિસ્વામી મહિલા દિવસના પ્રસંગે આયોજીત એક પ્રદર્શન અને વેચાણ મેળામાં સામેલ થયા હતા. સાંસદશ્રીના હસ્તે જ તેનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું, તેઓ એક સ્ટોલ પર ઉભા રહ્યા, આ સ્ટોલ પર કપડા વેચાણ માટે રાખવામાં આવ્યા હતા અને ત્યાં જ તેમણે એક મહિલાને માથા પર બિંદી ન લગાવતા બાબતે વિફર્યા હતા. 


શું કહ્યું સાંસદે?


બિજેપીના લોકસભાના સાંસદે મહિલાને કહ્યું "પહેલા બિંદી લગાવો, તમારો પતિ જીવતો છે, છે ને? તમારામાં કોમન સેન્સ નથી." આ સમગ્ર ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ મુદ્દે કોંગ્રેસે ભાજપ પર શાબ્દિક પ્રહારો કર્યા છે. કોંગ્રેસે આ બાબતની નિંદા કરતા કહ્યું કે આવી ઘટનાઓ ભાજપની સંસ્કૃતિ દર્શાવે છે. 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.