"પતિ જીવતો છે ને, તો માથે બિંદી લગાવો" મહિલા દુકાનદાર પર ભડક્યા કર્ણાટકના BJP સાંસદ, VIDEO વાયરલ


  • Published By :
  • Published Date : 2023-03-09 14:46:03

કર્ણાટકના કોલાર જિલ્લાના ભાજપા સાંસદ એસ મુનિસ્વામીએ મહિલા દિવસ પર એક એક મહિલા પર ટિપ્પણી કરીને વિવાદ સર્જ્યો છે. મુનિસ્વામી એક કાર્યક્રમ દરમિયાન મહિલા દુકાનદારના માથા પર બિંદી ન જોતા વિફર્યા હતા અને તેને પતિ જીવતો હોય તો માથા પર બિંદી લગાવવાનું કહ્યું હતું. તેમના આ નિવેદનની અનેક લોકોએ નિંદા કરી છે. એસ મુનિસ્વામીનો આ વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયો છે. 


મહિલા દિને પ્રદર્શનનું કર્યું ઉદઘાટન


કોલારના બિજેપી સાંસદ એસ મુનિસ્વામી મહિલા દિવસના પ્રસંગે આયોજીત એક પ્રદર્શન અને વેચાણ મેળામાં સામેલ થયા હતા. સાંસદશ્રીના હસ્તે જ તેનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું, તેઓ એક સ્ટોલ પર ઉભા રહ્યા, આ સ્ટોલ પર કપડા વેચાણ માટે રાખવામાં આવ્યા હતા અને ત્યાં જ તેમણે એક મહિલાને માથા પર બિંદી ન લગાવતા બાબતે વિફર્યા હતા. 


શું કહ્યું સાંસદે?


બિજેપીના લોકસભાના સાંસદે મહિલાને કહ્યું "પહેલા બિંદી લગાવો, તમારો પતિ જીવતો છે, છે ને? તમારામાં કોમન સેન્સ નથી." આ સમગ્ર ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ મુદ્દે કોંગ્રેસે ભાજપ પર શાબ્દિક પ્રહારો કર્યા છે. કોંગ્રેસે આ બાબતની નિંદા કરતા કહ્યું કે આવી ઘટનાઓ ભાજપની સંસ્કૃતિ દર્શાવે છે. 



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.