"પતિ જીવતો છે ને, તો માથે બિંદી લગાવો" મહિલા દુકાનદાર પર ભડક્યા કર્ણાટકના BJP સાંસદ, VIDEO વાયરલ


  • Published By :
  • Published Date : 2023-03-09 14:46:03

કર્ણાટકના કોલાર જિલ્લાના ભાજપા સાંસદ એસ મુનિસ્વામીએ મહિલા દિવસ પર એક એક મહિલા પર ટિપ્પણી કરીને વિવાદ સર્જ્યો છે. મુનિસ્વામી એક કાર્યક્રમ દરમિયાન મહિલા દુકાનદારના માથા પર બિંદી ન જોતા વિફર્યા હતા અને તેને પતિ જીવતો હોય તો માથા પર બિંદી લગાવવાનું કહ્યું હતું. તેમના આ નિવેદનની અનેક લોકોએ નિંદા કરી છે. એસ મુનિસ્વામીનો આ વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયો છે. 


મહિલા દિને પ્રદર્શનનું કર્યું ઉદઘાટન


કોલારના બિજેપી સાંસદ એસ મુનિસ્વામી મહિલા દિવસના પ્રસંગે આયોજીત એક પ્રદર્શન અને વેચાણ મેળામાં સામેલ થયા હતા. સાંસદશ્રીના હસ્તે જ તેનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું, તેઓ એક સ્ટોલ પર ઉભા રહ્યા, આ સ્ટોલ પર કપડા વેચાણ માટે રાખવામાં આવ્યા હતા અને ત્યાં જ તેમણે એક મહિલાને માથા પર બિંદી ન લગાવતા બાબતે વિફર્યા હતા. 


શું કહ્યું સાંસદે?


બિજેપીના લોકસભાના સાંસદે મહિલાને કહ્યું "પહેલા બિંદી લગાવો, તમારો પતિ જીવતો છે, છે ને? તમારામાં કોમન સેન્સ નથી." આ સમગ્ર ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ મુદ્દે કોંગ્રેસે ભાજપ પર શાબ્દિક પ્રહારો કર્યા છે. કોંગ્રેસે આ બાબતની નિંદા કરતા કહ્યું કે આવી ઘટનાઓ ભાજપની સંસ્કૃતિ દર્શાવે છે. 



આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.