હિમાચલ પ્રદેશની ચૂંટણી જીતવા ભાજપનો પ્રયાસ, જાણો હિમાચલની જનતાને ભાજપે શું આપ્યા છે વચન


  • Published By :
  • Published Date : 2022-11-06 13:45:09

ગુજરાતની સાથે સાથે હિમાચલ પ્રદેશમાં પણ વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. જેને ધ્યાનમાં રાખી ભાજપે હિમાચલ પ્રદેશ માટે મેનિફેસ્ટો જાહેર કરી દીધો છે. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષે સંકલ્પ પત્ર જાહેર કર્યું છે. જેમાં હિમાચલ પ્રદેશના લોકોને અનેક વચનો આપવામાં આવ્યા છે. શિમલા ખાતે હાજર રહી જે.પી.નડ્ડાએ ઘોષણા પત્ર જાહેર કર્યો હતો. સંકલ્પ પત્રમાં વચનો આપવામાં આવ્યા છે જેમાંથી સૌથી વધુ ફોક્સ યૂનિફોર્મ સિવિલ કોર્ડ પર કરવામાં આવ્યું હતું, વિદ્યાર્થીનીઓ, ખેડૂતો તેમજ મહિલાઓ માટે પણ વચનો આપવામાં આવ્યા છે.


જે.પી નડ્ડા સાથે અનેક નેતાઓ હતા હાજર 

હિમાચલ પ્રદેશ માટે ભાજપે ઘોષણા પત્ર બહાર પાડી દીધું છે. આ કાર્યક્રમમાં જે.પી.નડ્ડાની સાથે રાજ્યના મુખ્યમંત્રી જયરામ ઠાકુર, પ્રદેશ પાર્ટી અધ્યક્ષ સુરેશ કશ્યપ, કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર સહીત અનેક હોદ્દેદારો ઉપસ્થિત હતા. ઘોષણા પત્ર પ્રમાણે રાજ્યમાં ભાજપની સરકાર બનતા જ સરકાર યૂનિફોર્મ સિવિલ કોર્ડ લાગુ કરવા કમિટી રચવામાં આવશે. ઉપરાંત યુવાનોને 8 લાખથી વધુ નોકરીઓ આપવામાં આવશે. 

અનેક સુવિધાઓ આપવામાં આવશે

સંકલ્પ પત્ર પ્રમાણે દેવી અન્નપૂર્ણા યોજનાના માધ્યમથી ગરીબ મહિલાઓને વર્ષે 3 ગેસ સિલિન્ડર ફ્રી આપવામાં આવશે. મહિલાઓ માટે સ્ત્રી શક્તિ કાર્ડ આપવામાં આવશે જેમાં હિમ કેયર કાર્ડમાં કવર ન થતી બિમારીઓ કવર કરવામાં આવશે. ગરીબ પરિવારમાં રહેતી 30 વર્ષથી વધુ ઉમરની મહિલાને અટલ પેંશન યોજનામાં સામેલ કરવામાં આવશે. ઉપરાંત 12 જિલ્લામાં હોસ્ટેલની સુવિધા ઉભી કરવામાં આવશે. ધાર્મિક અને ફરવા લાયક સ્થળોને રસ્તા સાથે જોડવામાં આવશે.   



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.