હિમાચલ પ્રદેશની ચૂંટણી જીતવા ભાજપનો પ્રયાસ, જાણો હિમાચલની જનતાને ભાજપે શું આપ્યા છે વચન


  • Published By :
  • Published Date : 2022-11-06 13:45:09

ગુજરાતની સાથે સાથે હિમાચલ પ્રદેશમાં પણ વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. જેને ધ્યાનમાં રાખી ભાજપે હિમાચલ પ્રદેશ માટે મેનિફેસ્ટો જાહેર કરી દીધો છે. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષે સંકલ્પ પત્ર જાહેર કર્યું છે. જેમાં હિમાચલ પ્રદેશના લોકોને અનેક વચનો આપવામાં આવ્યા છે. શિમલા ખાતે હાજર રહી જે.પી.નડ્ડાએ ઘોષણા પત્ર જાહેર કર્યો હતો. સંકલ્પ પત્રમાં વચનો આપવામાં આવ્યા છે જેમાંથી સૌથી વધુ ફોક્સ યૂનિફોર્મ સિવિલ કોર્ડ પર કરવામાં આવ્યું હતું, વિદ્યાર્થીનીઓ, ખેડૂતો તેમજ મહિલાઓ માટે પણ વચનો આપવામાં આવ્યા છે.


જે.પી નડ્ડા સાથે અનેક નેતાઓ હતા હાજર 

હિમાચલ પ્રદેશ માટે ભાજપે ઘોષણા પત્ર બહાર પાડી દીધું છે. આ કાર્યક્રમમાં જે.પી.નડ્ડાની સાથે રાજ્યના મુખ્યમંત્રી જયરામ ઠાકુર, પ્રદેશ પાર્ટી અધ્યક્ષ સુરેશ કશ્યપ, કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર સહીત અનેક હોદ્દેદારો ઉપસ્થિત હતા. ઘોષણા પત્ર પ્રમાણે રાજ્યમાં ભાજપની સરકાર બનતા જ સરકાર યૂનિફોર્મ સિવિલ કોર્ડ લાગુ કરવા કમિટી રચવામાં આવશે. ઉપરાંત યુવાનોને 8 લાખથી વધુ નોકરીઓ આપવામાં આવશે. 

અનેક સુવિધાઓ આપવામાં આવશે

સંકલ્પ પત્ર પ્રમાણે દેવી અન્નપૂર્ણા યોજનાના માધ્યમથી ગરીબ મહિલાઓને વર્ષે 3 ગેસ સિલિન્ડર ફ્રી આપવામાં આવશે. મહિલાઓ માટે સ્ત્રી શક્તિ કાર્ડ આપવામાં આવશે જેમાં હિમ કેયર કાર્ડમાં કવર ન થતી બિમારીઓ કવર કરવામાં આવશે. ગરીબ પરિવારમાં રહેતી 30 વર્ષથી વધુ ઉમરની મહિલાને અટલ પેંશન યોજનામાં સામેલ કરવામાં આવશે. ઉપરાંત 12 જિલ્લામાં હોસ્ટેલની સુવિધા ઉભી કરવામાં આવશે. ધાર્મિક અને ફરવા લાયક સ્થળોને રસ્તા સાથે જોડવામાં આવશે.   



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી