હિમાચલ પ્રદેશની ચૂંટણી જીતવા ભાજપનો પ્રયાસ, જાણો હિમાચલની જનતાને ભાજપે શું આપ્યા છે વચન


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2022-11-06 13:45:09

ગુજરાતની સાથે સાથે હિમાચલ પ્રદેશમાં પણ વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. જેને ધ્યાનમાં રાખી ભાજપે હિમાચલ પ્રદેશ માટે મેનિફેસ્ટો જાહેર કરી દીધો છે. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષે સંકલ્પ પત્ર જાહેર કર્યું છે. જેમાં હિમાચલ પ્રદેશના લોકોને અનેક વચનો આપવામાં આવ્યા છે. શિમલા ખાતે હાજર રહી જે.પી.નડ્ડાએ ઘોષણા પત્ર જાહેર કર્યો હતો. સંકલ્પ પત્રમાં વચનો આપવામાં આવ્યા છે જેમાંથી સૌથી વધુ ફોક્સ યૂનિફોર્મ સિવિલ કોર્ડ પર કરવામાં આવ્યું હતું, વિદ્યાર્થીનીઓ, ખેડૂતો તેમજ મહિલાઓ માટે પણ વચનો આપવામાં આવ્યા છે.


જે.પી નડ્ડા સાથે અનેક નેતાઓ હતા હાજર 

હિમાચલ પ્રદેશ માટે ભાજપે ઘોષણા પત્ર બહાર પાડી દીધું છે. આ કાર્યક્રમમાં જે.પી.નડ્ડાની સાથે રાજ્યના મુખ્યમંત્રી જયરામ ઠાકુર, પ્રદેશ પાર્ટી અધ્યક્ષ સુરેશ કશ્યપ, કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર સહીત અનેક હોદ્દેદારો ઉપસ્થિત હતા. ઘોષણા પત્ર પ્રમાણે રાજ્યમાં ભાજપની સરકાર બનતા જ સરકાર યૂનિફોર્મ સિવિલ કોર્ડ લાગુ કરવા કમિટી રચવામાં આવશે. ઉપરાંત યુવાનોને 8 લાખથી વધુ નોકરીઓ આપવામાં આવશે. 

અનેક સુવિધાઓ આપવામાં આવશે

સંકલ્પ પત્ર પ્રમાણે દેવી અન્નપૂર્ણા યોજનાના માધ્યમથી ગરીબ મહિલાઓને વર્ષે 3 ગેસ સિલિન્ડર ફ્રી આપવામાં આવશે. મહિલાઓ માટે સ્ત્રી શક્તિ કાર્ડ આપવામાં આવશે જેમાં હિમ કેયર કાર્ડમાં કવર ન થતી બિમારીઓ કવર કરવામાં આવશે. ગરીબ પરિવારમાં રહેતી 30 વર્ષથી વધુ ઉમરની મહિલાને અટલ પેંશન યોજનામાં સામેલ કરવામાં આવશે. ઉપરાંત 12 જિલ્લામાં હોસ્ટેલની સુવિધા ઉભી કરવામાં આવશે. ધાર્મિક અને ફરવા લાયક સ્થળોને રસ્તા સાથે જોડવામાં આવશે.   



ગુજરાતની પાંચ બેઠકો પર પેટા ચૂંટણી થવાની છે... ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું છે અને જેને કારણે ત્યાં પેટા ચૂંટણી થવાની છે. ત્યારે પોરબંદર લોકસભા બેઠકના મતદાતાઓ શું વિચારે છે તે જાણવા જમાવટની ઈલેક્શન યાત્રા પોરબંદર પહોંચી હતી.

દિશાહિન શ્રદ્ધા માણસોને ડૂબાડે છે... શ્રદ્ધા હોવી જોઈએ પરંતુ અનેક વખત માણસ શ્રદ્ધામાં વહી જાય છે. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના જેમાં દિશાહીન શ્રદ્ધાની વાત કરવામાં આવી છે.

પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલી રહેલા વિવાદને શાંત કરવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. હર્ષ સંઘવીએ અનેક જગ્યાઓ પર બેઠક કરી છે ભાજપના ક્ષત્રિય આગેવાનો સાથે. ત્યારે સુરતમાં સી.આર.પાટીલે દક્ષિણ ગુજરાતના ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક કરી છે.

જમાવટની ટીમે અમદાવાદ પશ્ચિમના ઉમેદવાર ભરત મકવાણા અને દિનેશ મકવાણાને તેમના વિઝન જાણવા માટે ફોન કર્યો હતો. ભાજપના ઉમેદવારે જવાબ ના આપ્યો જ્યારે ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવારે કહ્યું કે શિક્ષા. આરોગ્ય જેવી વસ્તુઓ પર તે ધ્યાન આપશે.