હિમાચલ પ્રદેશની ચૂંટણી જીતવા ભાજપનો પ્રયાસ, જાણો હિમાચલની જનતાને ભાજપે શું આપ્યા છે વચન


  • Published By :
  • Published Date : 2022-11-06 13:45:09

ગુજરાતની સાથે સાથે હિમાચલ પ્રદેશમાં પણ વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. જેને ધ્યાનમાં રાખી ભાજપે હિમાચલ પ્રદેશ માટે મેનિફેસ્ટો જાહેર કરી દીધો છે. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષે સંકલ્પ પત્ર જાહેર કર્યું છે. જેમાં હિમાચલ પ્રદેશના લોકોને અનેક વચનો આપવામાં આવ્યા છે. શિમલા ખાતે હાજર રહી જે.પી.નડ્ડાએ ઘોષણા પત્ર જાહેર કર્યો હતો. સંકલ્પ પત્રમાં વચનો આપવામાં આવ્યા છે જેમાંથી સૌથી વધુ ફોક્સ યૂનિફોર્મ સિવિલ કોર્ડ પર કરવામાં આવ્યું હતું, વિદ્યાર્થીનીઓ, ખેડૂતો તેમજ મહિલાઓ માટે પણ વચનો આપવામાં આવ્યા છે.


જે.પી નડ્ડા સાથે અનેક નેતાઓ હતા હાજર 

હિમાચલ પ્રદેશ માટે ભાજપે ઘોષણા પત્ર બહાર પાડી દીધું છે. આ કાર્યક્રમમાં જે.પી.નડ્ડાની સાથે રાજ્યના મુખ્યમંત્રી જયરામ ઠાકુર, પ્રદેશ પાર્ટી અધ્યક્ષ સુરેશ કશ્યપ, કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર સહીત અનેક હોદ્દેદારો ઉપસ્થિત હતા. ઘોષણા પત્ર પ્રમાણે રાજ્યમાં ભાજપની સરકાર બનતા જ સરકાર યૂનિફોર્મ સિવિલ કોર્ડ લાગુ કરવા કમિટી રચવામાં આવશે. ઉપરાંત યુવાનોને 8 લાખથી વધુ નોકરીઓ આપવામાં આવશે. 

અનેક સુવિધાઓ આપવામાં આવશે

સંકલ્પ પત્ર પ્રમાણે દેવી અન્નપૂર્ણા યોજનાના માધ્યમથી ગરીબ મહિલાઓને વર્ષે 3 ગેસ સિલિન્ડર ફ્રી આપવામાં આવશે. મહિલાઓ માટે સ્ત્રી શક્તિ કાર્ડ આપવામાં આવશે જેમાં હિમ કેયર કાર્ડમાં કવર ન થતી બિમારીઓ કવર કરવામાં આવશે. ગરીબ પરિવારમાં રહેતી 30 વર્ષથી વધુ ઉમરની મહિલાને અટલ પેંશન યોજનામાં સામેલ કરવામાં આવશે. ઉપરાંત 12 જિલ્લામાં હોસ્ટેલની સુવિધા ઉભી કરવામાં આવશે. ધાર્મિક અને ફરવા લાયક સ્થળોને રસ્તા સાથે જોડવામાં આવશે.   



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.