ભાજપનો દાવો- સત્યેન્દ્ર જૈનની બોડી મસાજ કરનાર વ્યક્તિ પર છે દુષ્કર્મનો આરોપ!


  • Published By :
  • Published Date : 2022-11-22 11:46:43

તિહાડ જેલમાં સજા ભોગવનાર સત્યેન્દ્ર જૈનનો બોડી મસાજ કરાવતો વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયોમાં સીસીટીવી ફૂટેજ છે જેમાં એક વ્યક્તિ બોડી મસાજ કરતો દેખાય છે. આ વીડિયો સામે આવતા રાજકારણ ગરમાયું છે. ભાજપ દ્વારા આ વીડિયોને લઈ આમ આદમી પાર્ટી પર પ્રહાર કરવામાં આવી રહ્યા છે. આ કેસમાં નવો વળાંક આવ્યો છે જેમાં ભાજપ દ્વારા એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે જે વ્યક્તિ સત્યૈન્દ્ર જૈનનું મસાજ કરી રહ્યો હતો તે દુષ્કર્મ કેસનો આરોપી છે.

  

વીડિયોને લઈ ભાજપે કર્યો દાવો 

સત્યેન્દ્ર જૈન મની લોન્ડરિંગ કેસમાં તિહાડ જેલમાં સજા ભોગવી રહ્યા છે. ત્યારે સત્યેન્દ્ર જૈનનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં તેઓ બોડી મસાજ કરાવતા જોવા મળી રહ્યા છે. આ વીડિયોને લઈ આમ આદમી પાર્ટી પર ભાજપ દ્વારા પ્રહાર કરવામાં આવી રહ્યા છે. આ વીડિયોનો ખુલાસો આપતા મનીષ સિસોદીયાએ કહ્યું કે સત્યેન્દ્ર જૈન જેલમાં પડી ગયા હતા જેને કારણે તેમને ફિઝીયોથેરાપી આપવામાં આવી રહી છે. પરંતુ ફિઝીયોથેરાપી એસોસિયેશન દ્વારા આ વાતનો ઈન્કાર કરવામાં આવ્યો હતો. ત્યારે ભાજપે વધુ એક આરોપ લગાવ્યો છે. ભાજપના કહેવા પ્રમાણે જે વ્યક્તિ તેમનો મસાજ કરતો હતો તે બળાત્કાર કેસ અંતર્ગત જેલમાં સજા ભોગવી રહ્યો છે.    



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે