ભાજપનો દાવો- સત્યેન્દ્ર જૈનની બોડી મસાજ કરનાર વ્યક્તિ પર છે દુષ્કર્મનો આરોપ!


  • Published By :
  • Published Date : 2022-11-22 11:46:43

તિહાડ જેલમાં સજા ભોગવનાર સત્યેન્દ્ર જૈનનો બોડી મસાજ કરાવતો વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયોમાં સીસીટીવી ફૂટેજ છે જેમાં એક વ્યક્તિ બોડી મસાજ કરતો દેખાય છે. આ વીડિયો સામે આવતા રાજકારણ ગરમાયું છે. ભાજપ દ્વારા આ વીડિયોને લઈ આમ આદમી પાર્ટી પર પ્રહાર કરવામાં આવી રહ્યા છે. આ કેસમાં નવો વળાંક આવ્યો છે જેમાં ભાજપ દ્વારા એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે જે વ્યક્તિ સત્યૈન્દ્ર જૈનનું મસાજ કરી રહ્યો હતો તે દુષ્કર્મ કેસનો આરોપી છે.

  

વીડિયોને લઈ ભાજપે કર્યો દાવો 

સત્યેન્દ્ર જૈન મની લોન્ડરિંગ કેસમાં તિહાડ જેલમાં સજા ભોગવી રહ્યા છે. ત્યારે સત્યેન્દ્ર જૈનનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં તેઓ બોડી મસાજ કરાવતા જોવા મળી રહ્યા છે. આ વીડિયોને લઈ આમ આદમી પાર્ટી પર ભાજપ દ્વારા પ્રહાર કરવામાં આવી રહ્યા છે. આ વીડિયોનો ખુલાસો આપતા મનીષ સિસોદીયાએ કહ્યું કે સત્યેન્દ્ર જૈન જેલમાં પડી ગયા હતા જેને કારણે તેમને ફિઝીયોથેરાપી આપવામાં આવી રહી છે. પરંતુ ફિઝીયોથેરાપી એસોસિયેશન દ્વારા આ વાતનો ઈન્કાર કરવામાં આવ્યો હતો. ત્યારે ભાજપે વધુ એક આરોપ લગાવ્યો છે. ભાજપના કહેવા પ્રમાણે જે વ્યક્તિ તેમનો મસાજ કરતો હતો તે બળાત્કાર કેસ અંતર્ગત જેલમાં સજા ભોગવી રહ્યો છે.    



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.