ભાજપનો દાવો- સત્યેન્દ્ર જૈનની બોડી મસાજ કરનાર વ્યક્તિ પર છે દુષ્કર્મનો આરોપ!


  • Published By :
  • Published Date : 2022-11-22 11:46:43

તિહાડ જેલમાં સજા ભોગવનાર સત્યેન્દ્ર જૈનનો બોડી મસાજ કરાવતો વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયોમાં સીસીટીવી ફૂટેજ છે જેમાં એક વ્યક્તિ બોડી મસાજ કરતો દેખાય છે. આ વીડિયો સામે આવતા રાજકારણ ગરમાયું છે. ભાજપ દ્વારા આ વીડિયોને લઈ આમ આદમી પાર્ટી પર પ્રહાર કરવામાં આવી રહ્યા છે. આ કેસમાં નવો વળાંક આવ્યો છે જેમાં ભાજપ દ્વારા એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે જે વ્યક્તિ સત્યૈન્દ્ર જૈનનું મસાજ કરી રહ્યો હતો તે દુષ્કર્મ કેસનો આરોપી છે.

  

વીડિયોને લઈ ભાજપે કર્યો દાવો 

સત્યેન્દ્ર જૈન મની લોન્ડરિંગ કેસમાં તિહાડ જેલમાં સજા ભોગવી રહ્યા છે. ત્યારે સત્યેન્દ્ર જૈનનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં તેઓ બોડી મસાજ કરાવતા જોવા મળી રહ્યા છે. આ વીડિયોને લઈ આમ આદમી પાર્ટી પર ભાજપ દ્વારા પ્રહાર કરવામાં આવી રહ્યા છે. આ વીડિયોનો ખુલાસો આપતા મનીષ સિસોદીયાએ કહ્યું કે સત્યેન્દ્ર જૈન જેલમાં પડી ગયા હતા જેને કારણે તેમને ફિઝીયોથેરાપી આપવામાં આવી રહી છે. પરંતુ ફિઝીયોથેરાપી એસોસિયેશન દ્વારા આ વાતનો ઈન્કાર કરવામાં આવ્યો હતો. ત્યારે ભાજપે વધુ એક આરોપ લગાવ્યો છે. ભાજપના કહેવા પ્રમાણે જે વ્યક્તિ તેમનો મસાજ કરતો હતો તે બળાત્કાર કેસ અંતર્ગત જેલમાં સજા ભોગવી રહ્યો છે.    



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.