ભાજપનો દાવો- સત્યેન્દ્ર જૈનની બોડી મસાજ કરનાર વ્યક્તિ પર છે દુષ્કર્મનો આરોપ!


  • Published By :
  • Published Date : 2022-11-22 11:46:43

તિહાડ જેલમાં સજા ભોગવનાર સત્યેન્દ્ર જૈનનો બોડી મસાજ કરાવતો વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયોમાં સીસીટીવી ફૂટેજ છે જેમાં એક વ્યક્તિ બોડી મસાજ કરતો દેખાય છે. આ વીડિયો સામે આવતા રાજકારણ ગરમાયું છે. ભાજપ દ્વારા આ વીડિયોને લઈ આમ આદમી પાર્ટી પર પ્રહાર કરવામાં આવી રહ્યા છે. આ કેસમાં નવો વળાંક આવ્યો છે જેમાં ભાજપ દ્વારા એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે જે વ્યક્તિ સત્યૈન્દ્ર જૈનનું મસાજ કરી રહ્યો હતો તે દુષ્કર્મ કેસનો આરોપી છે.

  

વીડિયોને લઈ ભાજપે કર્યો દાવો 

સત્યેન્દ્ર જૈન મની લોન્ડરિંગ કેસમાં તિહાડ જેલમાં સજા ભોગવી રહ્યા છે. ત્યારે સત્યેન્દ્ર જૈનનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં તેઓ બોડી મસાજ કરાવતા જોવા મળી રહ્યા છે. આ વીડિયોને લઈ આમ આદમી પાર્ટી પર ભાજપ દ્વારા પ્રહાર કરવામાં આવી રહ્યા છે. આ વીડિયોનો ખુલાસો આપતા મનીષ સિસોદીયાએ કહ્યું કે સત્યેન્દ્ર જૈન જેલમાં પડી ગયા હતા જેને કારણે તેમને ફિઝીયોથેરાપી આપવામાં આવી રહી છે. પરંતુ ફિઝીયોથેરાપી એસોસિયેશન દ્વારા આ વાતનો ઈન્કાર કરવામાં આવ્યો હતો. ત્યારે ભાજપે વધુ એક આરોપ લગાવ્યો છે. ભાજપના કહેવા પ્રમાણે જે વ્યક્તિ તેમનો મસાજ કરતો હતો તે બળાત્કાર કેસ અંતર્ગત જેલમાં સજા ભોગવી રહ્યો છે.    



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.