સૌરભ પટેલ સામે બોટાદમાં ચિંતન શીબીર મળી, કહ્યું "સૌરભભાઈ દેખાતા જ નથી"


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-21 16:16:29

ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે જ્યારે 182 બેઠક જીતવાનો હુંકાર કર્યો છે ત્યારે સૌરાષ્ટ્રના રાજકારણમાં ધમાસાણ ચાલી રહી છે. સૌરાષ્ટ્રના નેતાઓને સામસામે એટલા વાંધા છે કે આંગળીના વેઢા ઓછા પડી જશે. બોટાદમાં કોળી ચિંતન શીબીર મળી હતી જેમાં બોટાદ વિધાનસભા મામલે ચર્ચા કરવામાં આવી હતી.  


સૌરભ પટેલની ચિંતામાં વધારો 

કોળી સમાજની ચિંતન શીબીર બેઠકમાં બોટાદ વિધાનસભા માટે સ્થાનિક ધારાસભ્યની માગણી કરવામાં આવી હતી. ભાજપના સ્થાનિક આગેવાન છનાભાઈ ખેરાડિયાએ બેઠકમાં પોતાની વાત સામે રાખી હતી કે બોટાદને સ્થાનિક ધારાસભ્ય મળે જેથી લોકો તેમની તકલીફો ધારાસભ્યને જણાવી શકે. સૌરભભાઈ તો અમારા ક્ષેત્રમાં રહેતા નથી તેમને પકડવા માટે અમારે ફાંફા મારવા પડે છે. અમેં અમારી તકલીફો કોને કહીએ. 


છનાભાઈ એક સમયે સૌરભ પટેલના ખાસ હતા 

ભાજપના પ્રદેશ આગેવાન છનાભાઈ ખેરાડિયા એટલે એક સમયના સૌરભ પટેલના ખાસ માણસ. સૌરભ પટેલ સાથે ખભેથી ખભો મેળાવીને કામગીરી કરતા હતા. હાલ છનાભાઈએ બેઠકમાં વિરોધ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે સૌરભ પટેલનો સ્થાનિકોમાં ખૂબ વિરોધ છે. પટેલ સમાજ, કોળી સમાજ સહિત તમામ સમાજમાં સૌરભભાઈનો વિરોધ છે. 


છેલ્લા દસ વર્ષથી સૌરભભાઈએ કાંય કામ નથી કર્યું: સ્થાનિક

છનાભાઈ ખરાડિયાએ ભાજપ સામે રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે અમારા ધારાસભ્ય સૌરભભાઈ પટેલે ધારાસભ્ય પદે કોઈ કામ નથી કર્યું. બેઠકમાં ઉપસ્થિત સ્થાનિક લોકોએ સ્થાનિક આગેવાનની માગ કરી સૌરભ પટેલ સામે રોષ વ્યક્ત કર્યો હતો. સ્થાનિકોએ જણાવ્યું હતું કે અમારો ધારાસભ્ય હશે તો અમારી વચ્ચે રહેશે. અમારા પ્રશ્નો તેના પ્રશ્નો હશે અને તે અમને સાંભળશે પણ ખરા. આટલા વર્ષોથી સૌરભભાઈ છે પણ એ અમને મળતા જ નથી. બહાર જ હોય છે. 




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે