સૌરભ પટેલ સામે બોટાદમાં ચિંતન શીબીર મળી, કહ્યું "સૌરભભાઈ દેખાતા જ નથી"


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-21 16:16:29

ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે જ્યારે 182 બેઠક જીતવાનો હુંકાર કર્યો છે ત્યારે સૌરાષ્ટ્રના રાજકારણમાં ધમાસાણ ચાલી રહી છે. સૌરાષ્ટ્રના નેતાઓને સામસામે એટલા વાંધા છે કે આંગળીના વેઢા ઓછા પડી જશે. બોટાદમાં કોળી ચિંતન શીબીર મળી હતી જેમાં બોટાદ વિધાનસભા મામલે ચર્ચા કરવામાં આવી હતી.  


સૌરભ પટેલની ચિંતામાં વધારો 

કોળી સમાજની ચિંતન શીબીર બેઠકમાં બોટાદ વિધાનસભા માટે સ્થાનિક ધારાસભ્યની માગણી કરવામાં આવી હતી. ભાજપના સ્થાનિક આગેવાન છનાભાઈ ખેરાડિયાએ બેઠકમાં પોતાની વાત સામે રાખી હતી કે બોટાદને સ્થાનિક ધારાસભ્ય મળે જેથી લોકો તેમની તકલીફો ધારાસભ્યને જણાવી શકે. સૌરભભાઈ તો અમારા ક્ષેત્રમાં રહેતા નથી તેમને પકડવા માટે અમારે ફાંફા મારવા પડે છે. અમેં અમારી તકલીફો કોને કહીએ. 


છનાભાઈ એક સમયે સૌરભ પટેલના ખાસ હતા 

ભાજપના પ્રદેશ આગેવાન છનાભાઈ ખેરાડિયા એટલે એક સમયના સૌરભ પટેલના ખાસ માણસ. સૌરભ પટેલ સાથે ખભેથી ખભો મેળાવીને કામગીરી કરતા હતા. હાલ છનાભાઈએ બેઠકમાં વિરોધ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે સૌરભ પટેલનો સ્થાનિકોમાં ખૂબ વિરોધ છે. પટેલ સમાજ, કોળી સમાજ સહિત તમામ સમાજમાં સૌરભભાઈનો વિરોધ છે. 


છેલ્લા દસ વર્ષથી સૌરભભાઈએ કાંય કામ નથી કર્યું: સ્થાનિક

છનાભાઈ ખરાડિયાએ ભાજપ સામે રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે અમારા ધારાસભ્ય સૌરભભાઈ પટેલે ધારાસભ્ય પદે કોઈ કામ નથી કર્યું. બેઠકમાં ઉપસ્થિત સ્થાનિક લોકોએ સ્થાનિક આગેવાનની માગ કરી સૌરભ પટેલ સામે રોષ વ્યક્ત કર્યો હતો. સ્થાનિકોએ જણાવ્યું હતું કે અમારો ધારાસભ્ય હશે તો અમારી વચ્ચે રહેશે. અમારા પ્રશ્નો તેના પ્રશ્નો હશે અને તે અમને સાંભળશે પણ ખરા. આટલા વર્ષોથી સૌરભભાઈ છે પણ એ અમને મળતા જ નથી. બહાર જ હોય છે. 




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.