સૌરભ પટેલ સામે બોટાદમાં ચિંતન શીબીર મળી, કહ્યું "સૌરભભાઈ દેખાતા જ નથી"


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-21 16:16:29

ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે જ્યારે 182 બેઠક જીતવાનો હુંકાર કર્યો છે ત્યારે સૌરાષ્ટ્રના રાજકારણમાં ધમાસાણ ચાલી રહી છે. સૌરાષ્ટ્રના નેતાઓને સામસામે એટલા વાંધા છે કે આંગળીના વેઢા ઓછા પડી જશે. બોટાદમાં કોળી ચિંતન શીબીર મળી હતી જેમાં બોટાદ વિધાનસભા મામલે ચર્ચા કરવામાં આવી હતી.  


સૌરભ પટેલની ચિંતામાં વધારો 

કોળી સમાજની ચિંતન શીબીર બેઠકમાં બોટાદ વિધાનસભા માટે સ્થાનિક ધારાસભ્યની માગણી કરવામાં આવી હતી. ભાજપના સ્થાનિક આગેવાન છનાભાઈ ખેરાડિયાએ બેઠકમાં પોતાની વાત સામે રાખી હતી કે બોટાદને સ્થાનિક ધારાસભ્ય મળે જેથી લોકો તેમની તકલીફો ધારાસભ્યને જણાવી શકે. સૌરભભાઈ તો અમારા ક્ષેત્રમાં રહેતા નથી તેમને પકડવા માટે અમારે ફાંફા મારવા પડે છે. અમેં અમારી તકલીફો કોને કહીએ. 


છનાભાઈ એક સમયે સૌરભ પટેલના ખાસ હતા 

ભાજપના પ્રદેશ આગેવાન છનાભાઈ ખેરાડિયા એટલે એક સમયના સૌરભ પટેલના ખાસ માણસ. સૌરભ પટેલ સાથે ખભેથી ખભો મેળાવીને કામગીરી કરતા હતા. હાલ છનાભાઈએ બેઠકમાં વિરોધ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે સૌરભ પટેલનો સ્થાનિકોમાં ખૂબ વિરોધ છે. પટેલ સમાજ, કોળી સમાજ સહિત તમામ સમાજમાં સૌરભભાઈનો વિરોધ છે. 


છેલ્લા દસ વર્ષથી સૌરભભાઈએ કાંય કામ નથી કર્યું: સ્થાનિક

છનાભાઈ ખરાડિયાએ ભાજપ સામે રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે અમારા ધારાસભ્ય સૌરભભાઈ પટેલે ધારાસભ્ય પદે કોઈ કામ નથી કર્યું. બેઠકમાં ઉપસ્થિત સ્થાનિક લોકોએ સ્થાનિક આગેવાનની માગ કરી સૌરભ પટેલ સામે રોષ વ્યક્ત કર્યો હતો. સ્થાનિકોએ જણાવ્યું હતું કે અમારો ધારાસભ્ય હશે તો અમારી વચ્ચે રહેશે. અમારા પ્રશ્નો તેના પ્રશ્નો હશે અને તે અમને સાંભળશે પણ ખરા. આટલા વર્ષોથી સૌરભભાઈ છે પણ એ અમને મળતા જ નથી. બહાર જ હોય છે. 




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.