Loksabha 2024 માટે ભાજપનું પહેલું લીસ્ટ તૈયાર, જાણો ગુજરાતમાં કોના કપાઈ શકે છે પત્તા?


  • Published By :
  • Published Date : 2024-02-24 11:15:49

લોકસભા ચૂંટણીની તારીખો ગમે ત્યારે જાહેર થઈ શકે છે તે પહેલા આ અઠવાડિયાની અંદર ભારતીય જનતા પાર્ટી લોકસભાના ઉમેદવારોના નામની પહેલી યાદી જાહેર કરી શકે છે. પહેલું લિસ્ટ હશે જેની અંદર ઉત્તર પ્રદેશ, તેલંગાણા, પશ્ચિમ બંગાળ, કર્ણાટક અને તમિલનાડુના ઉમેદવારોના નામની જાહેરાત થઈ શકે છે. આ એવી બેઠકો છે જ્યાં ભારતીય જનતા પાર્ટીની જીત નથી થઈ. ગુજરાતના ઉમેદવારોના નામની વાત કરીએ તો માત્ર ત્રણથી ચાર ઉમેદવારો એવા છે જે રિપીટ થઈ શકે છે. બાકી અનેક ઉમેદવારો એવા છે જેમની ટિકિટ કપાઈ શકે છે.   

BJP Logo and symbol, meaning, history, PNG, brand

ગુજરાતની જનતા ઉમેદવારને જોઈને નહીં પરંતુ પાર્ટી જોઈને આપે છે વોટ 

જે યાદી ભારતીય જનતા પાર્ટી જાહેર કરવાની છે તે યાદીમાં ગુજરાતના ઉમેદવારોના નામની જાહેરાત નહીં હોય કારણ કે ગુજરાતની જનતાને ફરક નથી પડતો કે ઉમેદવાર કોણ છે? ગુજરાતની જનતા પાર્ટીને જોઈને વોટ આપે છે ના તો ઉમેદવારને જોઈને. જેને કારણે ભાજપને ગુજરાત માટે વધારે ટેન્શન નથી. પરંતુ દરેક રાજ્ય ગુજરાત નથી, દરેક રાજ્યની જનતા ગુજરાતની નથી. આજે વાત ગુજરાતના સાંસદોની કરીએ કે જેમના માટે ચર્ચા થઈ રહી છે કે તેમના પત્તા કપાઈ જશે. અહીંયા આપેલી જાણકારી સ્થાનિક પત્રકાર, મીડિયા જગતમાં ચાલી રહેલી ચર્ચાઓના આધાર પરથી કરવામાં આવી રહી છે.  

કચ્છના સાંસદ વિનોદ ચાવડાની ગાંધી સંકલ્પ યાત્રા

કચ્છની બેઠક પર નવા ચહેરાને મળી શકે છે તક   

શરૂઆત કચ્છની બેઠક પરથી કરીએ વિનોદ ચાવડાની બદલીમાં નવા ચહેરાને ભાજપ મોકો આપી શકે છે.આરએસએસ સાથે સંકળાયેલા ચહેરાઓ પણ અનેક એવા છે જે સાંસદ બનવા ઈચ્છુક છે. કચ્છનું ચિત્ર એટલું બધુ સ્પષ્ટ નથી. નિષ્ણાંતો માને છે કે ભારતીય જનતા પાર્ટી નવા ચહેરાને તક આપવામાં માને છે એટલે કાં તો કચ્છની બેઠક પરથી અથવા તો અમદાવાદ પશ્ચિમની બેઠક પરથી નવા ચહેરાને તક મળી શકે છે. કાં તો ડોક્ટર કિરીટ સોલંકીની અથવા તો વિનોદ ચાવડાનું પત્તુ કપાઈ શકે છે. 

Amit Shah on 2-Day Visit to J&K from October 4 Ahead of Polls - News18

Shri Bharatsinh Dabhi – BJP | BJP Gujarat | Bharatiya janata Party

Shardaben Anilbhai Patel, BJP MP from Mahesana - Our Neta

ગાંધીનગરના ઉમેદવાર ફાઈનલ!

બનાસકાંઠાના સાંસદ પરતભાઈ પટેલની રિપીટ થવાની સંભાવના નહીંવત દેખાઈ રહી છે. પાટણ બેઠકની વાત કરીએ તો ભરતસિંહ ડાભીનું પણ પત્તું કપાઈ શકે છે તેવી સંભાવનાઓ છે. મહેસાણાના સાંસદ શારદાબેન પટેલને પણ રિપીટ નહીં કરવામાં આવે તેવું લાગે છે. તે પોતે પણ ચૂંટણી લડવા માટે ઈચ્છા નથી ધરાવી રહ્યા તેવું લાગી રહ્યું છે એટલે ત્યાં પણ નવો ચહેરો આવી શકે છે. સાબરકાંઠામાં પણ નવો ચહેરો આવી શકે છે તેવી પૂરે પૂરી સંભાવનાઓ છે. ગુજરાતની એકમાત્ર બેઠક એવી છે જેના ઉમેદવાર નક્કી છે. એ બેઠક છે ગાંધીનગરની બેઠક જ્યાંથી અમિત શાહ સાંસદ છે.   

Porbandar Election Results 2019: BJP Rameshbhai Dhaduk has won by 2.29 lakh  votes and will be Porbandar MP

Paresh Rawal - Movies, Biography, News, Age & Photos | BookMyShow

Dr Kirit P Solanki

પોરબંદરની સીટને લઈ છે અસમંજસ 

અમદાવાદ પૂર્વમાં તો અનેક વખત ભાજપે નવા ચહેરાને ઉતાર્યા છે. પરેશ રાવલનો ચહેરો અમદાવાદ પૂર્વના લોકોએ બહુ બધી વાર જોયો હશે, બાયઈલેક્શન પછી હસમુખ પટેલનો ચહેરો પણ જોયો છે. ત્યારે ફરીથી આ સીટ પર નવો ચહેરો જોવા મળી શકે છે. અમદાવાદ પશ્ચિમમાં પણ નવો ચહેરો ભાજપ ઉતારી શકે છે. ગ્રાઉન્ડ પર સાંસદ રહે છે પણ છતાંય તેમના નામ પર કાતર ફેરવાઈ શકે છે. સુરેન્દ્રનગરમાં પણ નવો ચહેરો આવી શકે છે તો રાજકોટમાં પણ નવા ચહેરાને ચાન્સ આપવામાં આવી શકે છે. પોરબંદરમાં નવા ચહેરાને ચાન્સ અપાશે કે રમેશ ધધૂકને રિપીટ કરવામાં આવશે તેને લઈ અસમંજસ છે. કારણ કે રમેશ ધધૂક એક તો ઉદ્યોગપતિ છે ઉપરાંત ગ્રાઉન્ડના નેતા મનાય છે. જમીન પર જવા વાળા સાંસદ છે. 

Don't let guard down against Covid, warns Mansukh Mandaviya | Latest News  India - Hindustan Times

BJP MP, father booked for 'abetment to suicide'

આ બેઠક માટે મનસુખ માંડવિયાના નામની થઈ શકે છે જાહેરાત 

જામનગરમાં પૂનમબેન માડમનું નામ કપાય એવું મોટા ભાગે માનવામાં નથી આવી રહ્યું. રાજેશ ચૂડાસમાની બદલી પર જૂનાગઢની બેઠક માટે નવા નામની જાહેરાત થઈ શકે છે તેવી સંભાવનાઓ છે. અમરેલીમાં પણ નવા ચહેરાને તક આપવામાં આવી શકે છે તેવું લાગી રહ્યું છે. નારણ કાછડીયાને પણ રિપીટ નહીં કરવામાં આવે. ભારતી શિયાળની જગ્યા પર મનસુખ માંડવિયાને લોકસભા ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવી શકે છે. મિતેશ પટેલની જગ્યા પર આણંદમાં નવા ચહેરાને તક મળી શકે છે. દેવુસિંહ ચૌહાણ હાલ ખેડાના સાંસદ છે. ખેડામાં પણ નવા ચહેરાને ઉમેદવાર તરીકે ઉતારવામાં આવી શકે છે. એક તર્ક પણ એવો પણ છે કે તેમને રિપીટ કરવામાં આવી શકે છે. કારણ કે તે મંત્રી પણ રહી ચૂક્યા છે. ખેડાની સીટ અસમંજસમાં છે.

Present Vadodara MP Ranjanben Bhatt... - Vadodara - Baroda | Facebook

Ratansinh Rathod (@ratan_sinh_) / X

રંજનબેન ભટ્ટ આવ્યા હતા વિવાદમાં!

પંચમહાલમાં રતનસિંહ રાઠોડની રિપીટ થવાની સંભાવનાઓ પણ નથી. દાહોદના જશવંતસિંહની બદલીમાં નવા ચહેરાને રિપીટ કરવામાં આવી શકે છે. વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટને બે ટર્મ મળી ગઈ છે. રંજનબેનને ટિકીટ મળશે કે નહીં તે અસમંજસ છે. ભાજપ મીડિયામાં આવતા રિપોર્ટના આધાર પર નિર્ણય નથી લેતું. બીજેપીના પોતાનું કેલ્ક્યુલેશન પણ છે. 

Darshana Jardosh (@DarshanaJardosh) / X

Gujarat Elections Results: State BJP Chief Patil Shows Gratitude, Says  People Trusted PM Modi

આ બે સીટો પર ઉમેદવાર લગભગ ફાઈનલ!

છોટાઉદેપુરના ગીતાબેન રાવઠાને રિપીટ કરવાની સંભાવના દેખાઈ રહી છે. ભરૂચના સાંસદ મનસુખ વસાવાની રિપીટ થવાની સંભાવનાઓ પણ ઓછી છે કારણ કે છેલ્લા 7 ટર્મથી સાંસદ છે. બારડોલી બેઠક માટે પણ નવા ચહેરાની જાહેરાત કરવામાં આવી શકે છે. દર્શનાબેન જર્દોશને રિપીટ કરવામાં આવશે કે કેમ તે અસમંજસ છે. નવસારીથી સી.આર.પાટીલ ચૂંટણી લડશે તેવી સંભાવનાઓ હાલ પ્રબળ છે. કે.સી.પટેલની પણ રિપીટ થવાની સંભાવનાઓ ઓછી છે.         



ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.

સૌરાષ્ટ્રમાં મંત્રીમંડળના વિસ્તરણ પહેલા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા નવા જાતિગત સમીકરણોનું નિર્માણ થવાની સંભાવના દેખાઈ રહી છે.આજે રાજકોટમાં ચુંવાળિયા કોળી સમાજનું શક્તિપ્રદર્શન યોજાયું છે. આ સમીકરણો બનાવવા માટે કોંગ્રેસ ફરીથી સક્રિય થઇ છે. કોંગ્રેસ નેતા ભરત સિંહ સોલંકીએ થોડાક સમય અગાઉ D P મકવાણા જોડે બેઠક યોજી હતી. હવે આજે રાજકોટના મોરબી રોડ પર વેલનાથ બરામાં ચુંવાળિયા કોળી સમાજની બેઠક મળવા જઈ રહી છે.