ભાજપનું ભવિષ્ય તો કોંગ્રેસનું વર્તમાન પણ જોખમમાં। કોંગ્રેસના ‘અર્જુન‘ની ભાજપમાં એન્ટ્રી, અંબરીશ ડેર અને અર્જુન મોઢવાડિયા થયા ભાજપના..


  • Published By :
  • Published Date : 2024-03-05 13:05:10

ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશોત્સવ ચાલી રહ્યો છે. એક બાદ એક નેતાઓ પોતાની પાર્ટીને અલવિદા કહી ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પોરબંદરના પૂર્વ ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા અને રાજુલાના પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેર આજે વિધિવત્ત રીતે ભાજપના થઈ ગયા છે. સી.આર.પાટીલની હાજરીમાં બંને નેતાઓએ કેસરિયો ધારણ કર્યો છે. ગઈકાલ સવારે અંબરીશ ડેરે રાજીનામું આપ્યું અને ગઈકાલ સાંજે પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપ્યું. આજે ગાંધીનગર કમલમ ખાતે વેલકમ પાર્ટી યોજાઈ હતી જેમાં બંને પૂર્વ ધારાસભ્યોએ કેસરિયો ધારણ કર્યો છે. પૂર્વ ધારાસભ્યોની સાથે અનેક કાર્યકર્તાઓ પણ ભારતીય જનતા પાર્ટીનો ભાગ બની ગયા છે.  

ભાજપમાં જોડાયા બાદ અર્જુન મોઢવાડિયાએ આપી પ્રતિક્રિયા

મહત્વનું છે કે જ્યારે નેતા પક્ષપલટો નથી કરતા તે વખતે ભાજપની નીતિ ખરાબ લાગે છે. પરંતુ જ્યારે ભાજપનો ખેસ પહેરે છે કે તરત જ તેમના બોલ બદલાઈ જાય છે. ઘણી વખત એવો પ્રશ્ન પણ થાય કે ભાજપમાં ખેસમાં એવો તો કેવો જાદુ છે કે બધુ સારૂં જ સારૂં લાગે છે! ભાજપમાં જોડાયા બાદ અર્જુન મોઢવાડિયાએ પ્રતિક્રિયા આપી છે. ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા બાદ અર્જુન મોઢવાડિયાએ પ્રથમ પ્રતિક્રિયા આપી છે. પ્રતિક્રિયા આપતા તેમણે કહ્યું કે  ‘હું કોંગ્રેસ સાથે 40 વર્ષથી જોડાયેલો હતો અન કપરા સમયમાં પણ તેમનો સાથ આપ્યો. તેમણે કહ્યું કે સામાજીક બદલાવ માટે કામ કરીશું. કોંગ્રેસમાં બદલાવ હવે શક્ય નથી. પોરબંદર માટે મારે સારું કામ કરવું છે તેથી હું ભાજપમાં જોડાયો છું. કોઇ લાલચ માટે નહીં પરંતુ બદલાવ નજર સામે આવે છે. ભગવાન રામ જ્યારે રામ સેતું બાંધતા હતા ત્યારે જે રીતે ખિસકોલીએ આવીને મદદ કરી હતી. તેવી જ રીતે હું પણ જોડાયો છુ.’  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.