ભાજપનું ભવિષ્ય તો કોંગ્રેસનું વર્તમાન પણ જોખમમાં। કોંગ્રેસના ‘અર્જુન‘ની ભાજપમાં એન્ટ્રી, અંબરીશ ડેર અને અર્જુન મોઢવાડિયા થયા ભાજપના..


  • Published By :
  • Published Date : 2024-03-05 13:05:10

ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશોત્સવ ચાલી રહ્યો છે. એક બાદ એક નેતાઓ પોતાની પાર્ટીને અલવિદા કહી ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પોરબંદરના પૂર્વ ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા અને રાજુલાના પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેર આજે વિધિવત્ત રીતે ભાજપના થઈ ગયા છે. સી.આર.પાટીલની હાજરીમાં બંને નેતાઓએ કેસરિયો ધારણ કર્યો છે. ગઈકાલ સવારે અંબરીશ ડેરે રાજીનામું આપ્યું અને ગઈકાલ સાંજે પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપ્યું. આજે ગાંધીનગર કમલમ ખાતે વેલકમ પાર્ટી યોજાઈ હતી જેમાં બંને પૂર્વ ધારાસભ્યોએ કેસરિયો ધારણ કર્યો છે. પૂર્વ ધારાસભ્યોની સાથે અનેક કાર્યકર્તાઓ પણ ભારતીય જનતા પાર્ટીનો ભાગ બની ગયા છે.  

ભાજપમાં જોડાયા બાદ અર્જુન મોઢવાડિયાએ આપી પ્રતિક્રિયા

મહત્વનું છે કે જ્યારે નેતા પક્ષપલટો નથી કરતા તે વખતે ભાજપની નીતિ ખરાબ લાગે છે. પરંતુ જ્યારે ભાજપનો ખેસ પહેરે છે કે તરત જ તેમના બોલ બદલાઈ જાય છે. ઘણી વખત એવો પ્રશ્ન પણ થાય કે ભાજપમાં ખેસમાં એવો તો કેવો જાદુ છે કે બધુ સારૂં જ સારૂં લાગે છે! ભાજપમાં જોડાયા બાદ અર્જુન મોઢવાડિયાએ પ્રતિક્રિયા આપી છે. ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા બાદ અર્જુન મોઢવાડિયાએ પ્રથમ પ્રતિક્રિયા આપી છે. પ્રતિક્રિયા આપતા તેમણે કહ્યું કે  ‘હું કોંગ્રેસ સાથે 40 વર્ષથી જોડાયેલો હતો અન કપરા સમયમાં પણ તેમનો સાથ આપ્યો. તેમણે કહ્યું કે સામાજીક બદલાવ માટે કામ કરીશું. કોંગ્રેસમાં બદલાવ હવે શક્ય નથી. પોરબંદર માટે મારે સારું કામ કરવું છે તેથી હું ભાજપમાં જોડાયો છું. કોઇ લાલચ માટે નહીં પરંતુ બદલાવ નજર સામે આવે છે. ભગવાન રામ જ્યારે રામ સેતું બાંધતા હતા ત્યારે જે રીતે ખિસકોલીએ આવીને મદદ કરી હતી. તેવી જ રીતે હું પણ જોડાયો છુ.’  



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે