ભાજપનું ભવિષ્ય તો કોંગ્રેસનું વર્તમાન પણ જોખમમાં। કોંગ્રેસના ‘અર્જુન‘ની ભાજપમાં એન્ટ્રી, અંબરીશ ડેર અને અર્જુન મોઢવાડિયા થયા ભાજપના..


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-03-05 13:05:10

ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશોત્સવ ચાલી રહ્યો છે. એક બાદ એક નેતાઓ પોતાની પાર્ટીને અલવિદા કહી ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પોરબંદરના પૂર્વ ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા અને રાજુલાના પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેર આજે વિધિવત્ત રીતે ભાજપના થઈ ગયા છે. સી.આર.પાટીલની હાજરીમાં બંને નેતાઓએ કેસરિયો ધારણ કર્યો છે. ગઈકાલ સવારે અંબરીશ ડેરે રાજીનામું આપ્યું અને ગઈકાલ સાંજે પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપ્યું. આજે ગાંધીનગર કમલમ ખાતે વેલકમ પાર્ટી યોજાઈ હતી જેમાં બંને પૂર્વ ધારાસભ્યોએ કેસરિયો ધારણ કર્યો છે. પૂર્વ ધારાસભ્યોની સાથે અનેક કાર્યકર્તાઓ પણ ભારતીય જનતા પાર્ટીનો ભાગ બની ગયા છે.  

ભાજપમાં જોડાયા બાદ અર્જુન મોઢવાડિયાએ આપી પ્રતિક્રિયા

મહત્વનું છે કે જ્યારે નેતા પક્ષપલટો નથી કરતા તે વખતે ભાજપની નીતિ ખરાબ લાગે છે. પરંતુ જ્યારે ભાજપનો ખેસ પહેરે છે કે તરત જ તેમના બોલ બદલાઈ જાય છે. ઘણી વખત એવો પ્રશ્ન પણ થાય કે ભાજપમાં ખેસમાં એવો તો કેવો જાદુ છે કે બધુ સારૂં જ સારૂં લાગે છે! ભાજપમાં જોડાયા બાદ અર્જુન મોઢવાડિયાએ પ્રતિક્રિયા આપી છે. ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા બાદ અર્જુન મોઢવાડિયાએ પ્રથમ પ્રતિક્રિયા આપી છે. પ્રતિક્રિયા આપતા તેમણે કહ્યું કે  ‘હું કોંગ્રેસ સાથે 40 વર્ષથી જોડાયેલો હતો અન કપરા સમયમાં પણ તેમનો સાથ આપ્યો. તેમણે કહ્યું કે સામાજીક બદલાવ માટે કામ કરીશું. કોંગ્રેસમાં બદલાવ હવે શક્ય નથી. પોરબંદર માટે મારે સારું કામ કરવું છે તેથી હું ભાજપમાં જોડાયો છું. કોઇ લાલચ માટે નહીં પરંતુ બદલાવ નજર સામે આવે છે. ભગવાન રામ જ્યારે રામ સેતું બાંધતા હતા ત્યારે જે રીતે ખિસકોલીએ આવીને મદદ કરી હતી. તેવી જ રીતે હું પણ જોડાયો છુ.’  



ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે. દિગ્ગજ નેતાઓ સભાઓ ગજવી રહ્યા છે. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના અમારા ચૂંટેલા અમને નડે છે..

વલસાડમાં ભાજપે ધવલ પટેલને ઉમેદવાર બનાવ્યા છે જ્યારે અનંત પટેલ ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર છે. મતદાતાઓનો મિજાજ જાણવા જમાવટ ઈલેક્શન યાત્રા ધરમપુર પહોંચી હતી..

ગુજરાતની સુરત લોકસભા સીટ પર કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ઉમેદવારી ફોર્મ રદ્દ થયું. તે બાદ સુરતમાં ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર થયા. ત્યારે મધ્યપ્રદેશના ઈન્દોરમાં કોંગ્રેસના ઉમેદવાર અક્ષય કાંતિએ પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યું છે.. તેઓ ભાજપમાં જોડાવાના છે તેવી માહિતી સામે આવી છે..

જમાવટની ઈલેક્શન યાત્રા દ્વારકા પહોંચી હતી જે જામનગર લોકસભા સીટ અંતર્ગત આવે છે. દ્વારકાના મતદાતાઓ કયા મુદ્દાઓને જોઈને વોટ આપે છે, પીએમ તરીકે કોણ છે તેમની પસંદ તે જાણવાની કોશિશ જમાવટની ટીમે કરી હતી.