ભાજપના કયા 2 ક્રાઈટેરિયાથી નેતાઓને પડશે ટિકિટ માટે મુશ્કેલી ?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-11-08 19:13:22


દેશ અત્યારે આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છે ત્યારે ભાજપ આઝાદીના સમયે જન્મેલા એટલે 75 વર્ષની ઉમરે પહોંચેલા નેતાઓને હવે સક્રિય રાજકારણથી આઝાદ કરી રહ્યા છે. 75 વર્ષની વય ધરાવતા ઉમેદવારોને ભાજપ ટિકિટ નહીં આપે હાલ 11 જેટલા ધારાસભ્યોને ટિકિટ મળશે કે કેમ એ પ્રશ્નાર્થ છે. 


અત્યારે તો ભાજપમાંથી એક બેઠક પર ટિકિટ મેળવ્યા હજારો દાવેદારોએ દાવેદારી નોંધાઈ છે ત્યારે ભાજપે બે ખાસ ક્રાઇટેરિયા નક્કી કર્યા હતા જેમાં એક છે નેતાના પુત્રો, પુત્રી કે અન્ય કોઈપણ સગાને ટિકિટ અપાશે નહીં. તેમજ 75 વર્ષની વી ધરાવતા ઉમેદવારને પણ ટિકિટ નહીં અપાય ભાજપના આ નિર્ણયના કારણે અનેક નેતાઓ એવા છે જેના પદ પર સીધી અસર થઈ શકે છે . ભાજપથી ચૂંટાઈ આવેલા 5 ધારાસભ્યો એવા છે જેમની ઉમર 75 વર્ષ કે તેથી વધુ છે.  આવા ધારસભ્યોને ટિકિટ મળી શકે તેમ નથી. અને બીજા નિયમ પ્રમાણે તેઓ પોતાના પુત્ર અને પરિવાર માટે પણ ટિકિટ માંગી શકે નહીં. 


BJPના આ MLAની ઉંમર 75થી વધુ..



BJPના આ MLA 71થી 74 સુધીની ઉંમરના છે…






કયા નેતાઓને ફટકો પડશે ?


ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા ઘણા વર્તમાન ધારાસભ્યો એવા છે જેમની ઉંમર 75થી વધુ છે અથવા તો આસપાસ છે. તેવામાં જોવા જઈએ તો ભાજપની નવી ફોર્મ્યુલાથી આમને ટિકિટ મળવાના એંધાણ નહિવત જણાઈ રહ્યા છે. કારણ કે ભાજપ દ્વારા ટિકિટ વહેંચણીમાં કોઈ બાંધછોડ નહીં કરાય એવું લાગી રહ્યું છે.




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.