ભાજપના કયા 2 ક્રાઈટેરિયાથી નેતાઓને પડશે ટિકિટ માટે મુશ્કેલી ?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-11-08 19:13:22


દેશ અત્યારે આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છે ત્યારે ભાજપ આઝાદીના સમયે જન્મેલા એટલે 75 વર્ષની ઉમરે પહોંચેલા નેતાઓને હવે સક્રિય રાજકારણથી આઝાદ કરી રહ્યા છે. 75 વર્ષની વય ધરાવતા ઉમેદવારોને ભાજપ ટિકિટ નહીં આપે હાલ 11 જેટલા ધારાસભ્યોને ટિકિટ મળશે કે કેમ એ પ્રશ્નાર્થ છે. 


અત્યારે તો ભાજપમાંથી એક બેઠક પર ટિકિટ મેળવ્યા હજારો દાવેદારોએ દાવેદારી નોંધાઈ છે ત્યારે ભાજપે બે ખાસ ક્રાઇટેરિયા નક્કી કર્યા હતા જેમાં એક છે નેતાના પુત્રો, પુત્રી કે અન્ય કોઈપણ સગાને ટિકિટ અપાશે નહીં. તેમજ 75 વર્ષની વી ધરાવતા ઉમેદવારને પણ ટિકિટ નહીં અપાય ભાજપના આ નિર્ણયના કારણે અનેક નેતાઓ એવા છે જેના પદ પર સીધી અસર થઈ શકે છે . ભાજપથી ચૂંટાઈ આવેલા 5 ધારાસભ્યો એવા છે જેમની ઉમર 75 વર્ષ કે તેથી વધુ છે.  આવા ધારસભ્યોને ટિકિટ મળી શકે તેમ નથી. અને બીજા નિયમ પ્રમાણે તેઓ પોતાના પુત્ર અને પરિવાર માટે પણ ટિકિટ માંગી શકે નહીં. 


BJPના આ MLAની ઉંમર 75થી વધુ..



BJPના આ MLA 71થી 74 સુધીની ઉંમરના છે…






કયા નેતાઓને ફટકો પડશે ?


ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા ઘણા વર્તમાન ધારાસભ્યો એવા છે જેમની ઉંમર 75થી વધુ છે અથવા તો આસપાસ છે. તેવામાં જોવા જઈએ તો ભાજપની નવી ફોર્મ્યુલાથી આમને ટિકિટ મળવાના એંધાણ નહિવત જણાઈ રહ્યા છે. કારણ કે ભાજપ દ્વારા ટિકિટ વહેંચણીમાં કોઈ બાંધછોડ નહીં કરાય એવું લાગી રહ્યું છે.




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.