ભાજપનો નવો પ્રચાર તો "અપને મૂહ મિયાં મીઠુ" !!!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-11-09 16:35:15


ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે દરેક રાજકીય પક્ષ પ્રચારની નવી નવી રીત શોધી રહ્યા છે  ત્યારે ભાજપ પોતાની સત્તા અકબંધ રાખવા પ્રયાસ કરી રહ્યા છે 

ભાજપ મતદારોને આકર્ષવા માટે નવું ચૂંટણીલક્ષી અભિયાન શરુ કરવા જઇ રહ્યું છે. ભાજપ 'હું ખુશ છું'ના સૂત્ર સાથે અભિયાન શરૂ કરવા જઇ રહ્યું છે.


શું છે અભિયાન ?

'હું ખુશ છું'ના સૂત્ર સાથે ભાજપ અભિયાન શરૂ કરશે. ચૂંટણી માટે ભાજપ હેપ્પીનેસ અભિયાન ચલાવશે અને તેના દ્વારા ભાજપ સરકારની 20 વર્ષની સિદ્ધિઓની ટેગલાઈન સાથે અભિયાન ચલાવાશે. ગુજરાતમાં ભાજપ સરકારે કરેલા વિકાસની પ્રત્યેક વાતો સાથે 'હું ખુશ છું' ટેગલાઇન મુકવામાં આવશે.


સોશિયલ મીડિયા પર ભરપૂર પ્રચાર !!

ભાજપ ચૂંટણી પ્રચારમાં રોજ નવા પ્રયોગ કરી રહ્યું છે. હવે વિધાનસભા ચૂંટણીમાં યુવા મતદારોને આકર્ષવા માટે સોશિયલ મીડિયામાં પણ જોરદાર પ્રચાર કરી રહ્યું છે. અગાઉ ભાજપે લોકોના અભિપ્રાય જાણીને પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરવાનું એલાન પણ કર્યું છે અને તેના માટે અગ્રેસર ગુજરાત કેમ્પેઇન પણ શરુ કર્યું છે. આ અભિયાન અંતર્ગત વિવિધ માધ્યમો થકી લોકો પોતાના સૂચન આપી શકશે અને તે મુજબ ભાજપનો મેનિફીસ્ટો તૈયાર કરવામાં આવી રહ્યા છે.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.