ભાજપનો નવો પ્રચાર તો "અપને મૂહ મિયાં મીઠુ" !!!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-11-09 16:35:15


ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે દરેક રાજકીય પક્ષ પ્રચારની નવી નવી રીત શોધી રહ્યા છે  ત્યારે ભાજપ પોતાની સત્તા અકબંધ રાખવા પ્રયાસ કરી રહ્યા છે 

ભાજપ મતદારોને આકર્ષવા માટે નવું ચૂંટણીલક્ષી અભિયાન શરુ કરવા જઇ રહ્યું છે. ભાજપ 'હું ખુશ છું'ના સૂત્ર સાથે અભિયાન શરૂ કરવા જઇ રહ્યું છે.


શું છે અભિયાન ?

'હું ખુશ છું'ના સૂત્ર સાથે ભાજપ અભિયાન શરૂ કરશે. ચૂંટણી માટે ભાજપ હેપ્પીનેસ અભિયાન ચલાવશે અને તેના દ્વારા ભાજપ સરકારની 20 વર્ષની સિદ્ધિઓની ટેગલાઈન સાથે અભિયાન ચલાવાશે. ગુજરાતમાં ભાજપ સરકારે કરેલા વિકાસની પ્રત્યેક વાતો સાથે 'હું ખુશ છું' ટેગલાઇન મુકવામાં આવશે.


સોશિયલ મીડિયા પર ભરપૂર પ્રચાર !!

ભાજપ ચૂંટણી પ્રચારમાં રોજ નવા પ્રયોગ કરી રહ્યું છે. હવે વિધાનસભા ચૂંટણીમાં યુવા મતદારોને આકર્ષવા માટે સોશિયલ મીડિયામાં પણ જોરદાર પ્રચાર કરી રહ્યું છે. અગાઉ ભાજપે લોકોના અભિપ્રાય જાણીને પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરવાનું એલાન પણ કર્યું છે અને તેના માટે અગ્રેસર ગુજરાત કેમ્પેઇન પણ શરુ કર્યું છે. આ અભિયાન અંતર્ગત વિવિધ માધ્યમો થકી લોકો પોતાના સૂચન આપી શકશે અને તે મુજબ ભાજપનો મેનિફીસ્ટો તૈયાર કરવામાં આવી રહ્યા છે.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.