BJPનું Bharuch Loksabha માટે નવું સમીકરણ, Chaitar Vasava સામે બીજા Adivasi નેતા!


  • Published By :
  • Published Date : 2024-02-07 14:29:22

આ વર્ષે લોકસભા ચૂંટણી યોજાવાની છે. આ વર્ષે પણ ભાજપ સત્તામાં આવે તે માટે પ્રયત્નો કરવામાં આવશે. સામ દામ દંડ ભેદની રાજનીતિ અત્યારથી જ અપનાવામાં આવી રહી હોય તેવું લાગે છે. અનેક વખત નિવેદનો આપવામાં આવતા હોય છે કે પાંચ લાખની લીડ સાથે જીત હાંસલ કરવાની છે. જે લક્ષ્યાંક આપવામાં આવ્યો છે તેમાં કોઈ બાંધછોડ નહીં ચાલે. લક્ષ્યાંક સુધી પહોંચવા માટે ભાજપ એડી ચોટીનું જોર લગાવી રહી છે. આ બધા વચ્ચે એવા સમાચાર સામે આવ્યા છે કે ભાજપ આ વખતે ભરૂચ લોકસભા બેઠક પર નવા આદિવાસી ચહેરાને ઉતારવા જઈ રહ્યું છે. હર્ષદ વસાવાને ભરૂચ લોકસભા બેઠક પરથી ઉમેદવાર જાહેર કરાઈ શકે છે તેવું લાગી રહ્યું છે.     


આમ આદમી પાર્ટીએ ચૈતર વસાવાને ઉમેદવાર તરીકે કર્યા છે જાહેર 

લોકસભાની તૈયારીઓ ભાજપે અત્યારથી શરૂ કરી દીધી છે. કઈ બેઠકો પર ભાજપને વધારે મહેનત કરવી પડશે તે અંગેની વિચારણા ચાલી રહી છે. ભરૂચ લોકસભા બેઠક માટે ભાજપે વધારે મહેનત કરવી પડશે તેવું લાગી રહ્યું છે કારણ કે ચૈતર વસાવાને આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. આ બેઠક પર ભાજપને વાંધો ન પડે તે માટે સમીકરણો ગોઠવાઈ રહ્યા છે. આદિવાસી વોટનું ગણિત સમજી ભાજપ આગળ વધવાની રણનીતિ બનાવી રહી છે.    


હર્ષદ વસાવાને ભાજપ ઉતારશે ભરૂચ લોકસભા સીટ પરથી! 

આદિવાસી ગણિતને સમજી ભાજપ રણનીતિ બનાવી રહી છે જેને ધ્યાનમાં રાખી એક નવું ચોખટું ગોઠવવામાં આવી રહ્યું છે. એક નવા ચહેરાને ભાજપ ચૂંટણી માટે ઉતારશે તેવું હાલ લાગી રહ્યું છે. ગુજરાત આદિજાતિ મોરચાના અધ્યક્ષ હર્ષદ વસાવાને ફરી ભાજપમાં જોડી દીધા છે. વિધાનસભાની ચૂંટણીમાં તેમણે બળવો કરી અને વર્તમાન ધારાસભ્ય દર્શના દેશમુખ સામે તેમણે ઉમેદવારી નોંધાવી હતી અને જેને લઈ તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. પાર્ટીમાંથી તો સસ્પેન્ડ કરી દેવાયા હતા પરંતુ ફરીથી તેમને ભાજપમાં જોડી દેવાયા છે. નર્મદા જિલ્લાના નાદૂદ વિધાનસભા વિસ્તારથી 2000થી વધુ લોકો ભાજપમાં જોડાયા છે અને કોની સાથે તો હર્ષદભાઈ સાથે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના હાજરીમાં આ બધા જ લોકો ભાજપમાં જોડાયા છે. 


ભાજપમાં આગામી દિવસોમાં થઈ શકે છે આંતરિક ડખા

હવે આને આપણે શું કહી શકીએ કારણ કે એક તરફ ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્યોને ભાજપમાં લઈ રહી છે તો બીજી બાજુ જે સીટ એમને એવું લાગે છે કે અહીંયા ડખો થઈ શકે એ સીટ પર પણ પોતાનું ગણિત બેસાડી રહી છે. એટલે હવે ભરૂચમાં વર્ષોથી આપણે મનસુખ વસાવાને જોતા આવીએ છીએ તેમની જગ્યાએ હવે હર્ષદ વસાવા દેખાઈ શકે છે. ભરૂચમાં હવે નવા વસાવા વર્સીસ વસાવાની જંગ શરૂ થઈ શકે છે. ભાજપમાં જોડાયા બાદ હર્ષદ વસાવાએ અનકે દાવાઓ કર્યા હતા. 


વેલકમ પાર્ટીમાં ગેરહાજર દેખાયા હતા દર્શના દેશમુખ 

ભારતીય જનતા પાર્ટીએ નિર્ણય બધુ વિચારીને જ લીધો હશે. માની લઈએ પણ હર્ષદભાઈ જ્યારે ફરીથી ભાજપમાં જોડાયા છે ત્યારે ભાજપમાં આંતરિક ડખો થઈ શકે તેવી પૂરેપૂરી સંભાવનાઓ છે. કારણ કે હર્ષદભાઈ બળવો કરી અને જેની સામે મેદાને ઉતર્યા હતા એ દર્શના દેશમુખ જ્યારે આ વેલકમ પાર્ટી હતી ત્યારે ગેરહાજર દેખાયા હતા. એટલે લાગી રહ્યું છે કે હર્ષદભાઈ અને દર્શનાબેનનો 36નો આંકડો છે અને જો આવી રીતે  કોઈ ધારાસભ્ય અને નેતા વચ્ચે ડખા ચાલતા હોય તો પછી ભાજપના આંતરિક ડખા આગળ જતા બધાની સામે પણ આવી જતા હોય છે! 


ચૂંટણીના પરિણામો બતાવશે ભાજપનો આ પ્લાન સફળ થયો કે નહીં..!

ભાજપે સમીકરણો તો ગોઠવી દીધા છે ભરૂચમાં કોઈપણ તકલીફ ન પડે. આદિવાસી નેતાઓ અને આદિવાસી વોટની ગણતરી પણ કરી દીધી છે ત્યારે ચૈતર વસાવા સામે ભાજપનો આ પ્લાન પડકાર ઉભો કરે છે કે નહીં એ જોવાનું રહ્યું.  



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.