ભાજપનું નવું સ્લોગન 'આ ગુજરાત મેં બનાવ્યું છે'


  • Published By :
  • Published Date : 2022-11-07 16:05:06

ગુજરાતમાં ચૂંટણીના બણગા ફૂંકાઈ રહ્યા છે અને તારીખો પણ નક્કી થઇ ગઈ છે જેમાં ભાજપ જોરોશોરોથી પોતાનો પ્રચાર પ્રસાર કરી રહી છે અને મતદારોને રીઝવવાનો પ્રયાસ કરી રહી છે વિધાનસભા 2022નાનો જંગ જીતવા ભાજપ અલગ અલગ કેમપેન ચલાવી રહી છે જેમાં ભાજપ દ્વારા હવે એક નવું સૂત્ર બહાર પાડવામાં આવ્યું છે કે "આ ગુજરાત અમે બનાવ્યું છે" 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વલસાડના કપરાડામાં સભાને સંબોધી હતી. જેમાં તેમણે ચૂંટણી લક્ષી નવો નારો આપ્યો હતો. તેમણે સંબોધન દરમિયાન ‘આ ગુજરાત મેં બનાવ્યું છે...’ એવો નારો આપ્યો. 25 મિનિટના સંબોધન દરમિયાન તેમણે વારંવાર આ વાક્યનો પ્રયોગ કર્યો હતો. જેને કારણે સભામાં ઉત્સાહ પ્રેરાયો હતો. 


કેમ્પેઈન શરૂ કરાયું…

અગાઉ ભાજપે તેની ચૂંટણી સભામાં ભરોસાની ભાજપ સરકાર તેવું સ્લોગન આપ્યું હતું જ્યારે સોશિયલ મીડિયા માટે જીતશે કમળ, જીતશે ગુજરાત તેવું સ્લોગન આપ્યું છે અને હેશટેગ પર સોશિયલ મીડિયામાં એક બાદ એક ટવીટ થઇ રહ્યા છે ત્યારે હવે આ ગુજરાત મેં બનાવ્યું છે તે સ્લોગન સાથે જ ભાજપે રાજ્યભરમાં દરેક ક્ષેત્રના અગ્રણીઓને ભાજપ સાથે જોડવાની તૈયારી કરી છે.આ ગુજરાત મેં બનાવ્યું છે અને આ સ્લોગનને મોદીનો માસ્ટર સ્ટ્રોક ગણવામાં આવે છે



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.