ભાજપનું નવું સ્લોગન 'આ ગુજરાત મેં બનાવ્યું છે'


  • Published By :
  • Published Date : 2022-11-07 16:05:06

ગુજરાતમાં ચૂંટણીના બણગા ફૂંકાઈ રહ્યા છે અને તારીખો પણ નક્કી થઇ ગઈ છે જેમાં ભાજપ જોરોશોરોથી પોતાનો પ્રચાર પ્રસાર કરી રહી છે અને મતદારોને રીઝવવાનો પ્રયાસ કરી રહી છે વિધાનસભા 2022નાનો જંગ જીતવા ભાજપ અલગ અલગ કેમપેન ચલાવી રહી છે જેમાં ભાજપ દ્વારા હવે એક નવું સૂત્ર બહાર પાડવામાં આવ્યું છે કે "આ ગુજરાત અમે બનાવ્યું છે" 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વલસાડના કપરાડામાં સભાને સંબોધી હતી. જેમાં તેમણે ચૂંટણી લક્ષી નવો નારો આપ્યો હતો. તેમણે સંબોધન દરમિયાન ‘આ ગુજરાત મેં બનાવ્યું છે...’ એવો નારો આપ્યો. 25 મિનિટના સંબોધન દરમિયાન તેમણે વારંવાર આ વાક્યનો પ્રયોગ કર્યો હતો. જેને કારણે સભામાં ઉત્સાહ પ્રેરાયો હતો. 


કેમ્પેઈન શરૂ કરાયું…

અગાઉ ભાજપે તેની ચૂંટણી સભામાં ભરોસાની ભાજપ સરકાર તેવું સ્લોગન આપ્યું હતું જ્યારે સોશિયલ મીડિયા માટે જીતશે કમળ, જીતશે ગુજરાત તેવું સ્લોગન આપ્યું છે અને હેશટેગ પર સોશિયલ મીડિયામાં એક બાદ એક ટવીટ થઇ રહ્યા છે ત્યારે હવે આ ગુજરાત મેં બનાવ્યું છે તે સ્લોગન સાથે જ ભાજપે રાજ્યભરમાં દરેક ક્ષેત્રના અગ્રણીઓને ભાજપ સાથે જોડવાની તૈયારી કરી છે.આ ગુજરાત મેં બનાવ્યું છે અને આ સ્લોગનને મોદીનો માસ્ટર સ્ટ્રોક ગણવામાં આવે છે



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.