જ્ઞાન સહાયક મુદ્દે ભાજપની જ વિદ્યાર્થી પાંખે સરકાર સામે બાંયો ચડાવી !


  • Published By :
  • Published Date : 2023-10-07 15:38:55

TET-TAT પાસ ઉમેદવારોના સમર્થનમાં હવે ભાજપની જ વિદ્યાર્થી પાંખ ABVPએ સરકાર સામે બાંયો ચડાવી છે. સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી જ્ઞાન સહાયકોની 11 મહિનાની કરાર આધારિત ભરતીનો TET-TAT પાસ ઉમેદવારો વિરોધ કરી રહ્યા છે, ત્યારે હવે આ વિરોધમાં ABVP પણ જોડાઈ છે. આજે ABVP એ મહેસાણા કલેકટર કચેરી સામે વિરોધ પ્રદર્શન કર્યુ અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યુ હતુ


ગુજરાત સરકાર TET અને TATના વિદ્યાર્થીઓની કરાર આધારિત શિક્ષકોની ભરતી કરે છે અને તેમાં ભારત નું ભાવિ એવા યુવાનોનું શોષણ થતું હોવાનો સુર ઉઠવા પામેલો છે..આ બાબત ને ધ્યાનમાં રાખી મહેસાણા ABVPએ આજે ન્યાય હુંકાર રેલી યોજી વિરોધ નોંધાવ્યો છે મહેસાણા ABVPએ છાત્ર શક્તિના ભવિષ્યને વાચા આપવા ગુજરાત સરકારની શિક્ષક ભરતી માટેની જ્ઞાન સહાયક યોજના રદ્દ કરવાની માંગણી પણ કરી છે.ભારત ના ભવિષ્ય અને વિદ્યાર્થીઓના ન્યાય માટે કરાર આધારિત શિક્ષકોની ભરતી બંધ કરવા અને જ્ઞાન સહાયક યોજના રદ્દ કરવાની માંગ સાથે આજે મહેસાણા ABVPએ મહેસાણા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કલેક્ટરને આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્યો છે



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી