Loksabha Election પહેલા Gandhinagarમાં BJPના દિગ્ગજ નેતાઓની બેઠક,26 બેઠકો જીતવા માટેનો પ્લાન કરાશે તૈયાર! આ નેતાઓ રહેશે હાજર


  • Published By :
  • Published Date : 2024-01-06 18:40:55

2024માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. ચૂંટણીને ધ્યાનમાં લઈ પાર્ટી દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી ગઈ છે.  આ બધા વચ્ચે ગુજરાતમાં પણ ચૂંટણીને લઈ તૈયારીઓ શરૂ કરવામાં આવી ગઈ છે. ચૂંટણીને ધ્યાનમાં રાખી ગુજરાત ભાજપ એક્શન મોડમાં આવી ગઈ છે. આગામી લોકસભામાં ભાજપના ફાળે 26માંથી 26 બેઠકો જાય તે માટે રણનીતિ તૈયાર કરવામાં આવી રહી છે.આ બધા વચ્ચે સમાચાર મળી રહ્યા છે કે ગાંધીનગર ખાતે ભાજપની એક બેઠક યોજાવાની છે.આ બેઠકમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સહિતના દિગ્ગજ નેતાઓ હાજર રહેવાના છે. આ બેઠકમાં સામેલ થવા માટે માત્ર 52 નેતાઓને જ આમંત્રણ આપવામાં આવ્યું છે.  

Gujarat conquered, all roads lead to Delhi: What's next for CR Patil, PM's  man behind landslide win

ચૂંટણીને લઈ ગુજરાત ભાજપ આવ્યું એક્ટિવ મોડમાં 

ભાજપ પોતાના પ્લાનિંગને લઈ ચર્ચામાં રહેતી હોય છે. રાજકીય નિષ્ણાંતોનું માનવું છે કે ભાજપ રણનીતિ સાથે આગળ વધે છે. નાનામાં નાની ચૂંટણી કેમ ન હોય પરંતુ તે ચૂંટણીને જીતવા માટે પણ ભાજપ પ્લાનિંગ કરે છે. ત્યારે આ વર્ષે લોકસભા ચૂંટણી યોજાવાની છે. ભાજપની સરકાર ફરી એક વખત કેન્દ્રમાં બને તે માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. લોકસભા ચૂંટણીને જીતવા રાજકીય પાર્ટી એડીચોટીનું જોર લગાવી રહી છે. ઈલેક્શનને ધ્યાનમાં રાખી પીએમ મોદી સાઉથના પ્રવાસે અનેક વખત જઈ રહ્યા છે. સાઉથને કવર કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ બધા વચ્ચે ચૂંટણીને લઈ ગુજરાત ભાજપ પણ એક્ટિવ મોડમાં દેખાઈ રહ્યું છે. ગુજરાતમાં પણ બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે. આજે પણ ગાંધીનગર ખાતે ચૂંટણીને ધ્યાનમાં રાખી બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં માત્ર ગણતરીના અને આમંત્રિત નેતાઓ હાજર રહેશે.



ગાંધીનગર ખાતે યોજાશે પાર્ટીના દિગ્ગજ નેતાઓની મિટીંગ 

ગુજરાતમાં લોકસભાની 26 સીટો છે. 26એ 26 સીટો પર ભાજપની જીત થાય તેવી આશા અનેક વખત સી.આર.પાટીલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ભાજપે લોકસભા ચૂંટણીને લઈ તૈયારીઓ શરૂ કરી દીધી છે. તમામ બેઠકો જીતવા માટે ભાજપે પ્લાન શરૂ કરી લીધો છે જે અંતર્ગત બેઠકો પણ શરૂ થઈ ગઈ છે. આજે ગાંધીનગર ખાતે મહત્વની બેઠક યોજાવાની છે. આ બેઠકમાં 52 જેટલા નેતાઓ જ હાજર છે. આ બેઠકમાં ચૂંટણીને લઈ વિસ્તૃત ચર્ચા થશે. મળતી માહિતી અનુસાર આ બેઠકમાં રાજ્ય સરકારના 10 મંત્રીએ અને પ્રદેશના સીનિયર આગેવાનો સહિત 50 જેટલા મંત્રીએ હાજર રહેશે.   

Next Gujarat CM: Nitin Patel, Mansukh Mandaviya in the race after Vijay  Rupani's resignation

આ નેતાઓ બેઠકમાં રહેશે હાજર 

મળતી માહિતી અનુસાર ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ બેઠકમાં હાજર હશે. તે ઉપરાંત મંત્રી કુબેર ડિંડોર અને કુંવરજી બાવળીયા પણ સામેલ થશે. મંત્રી જગદીશ વિશ્વકર્મા અને પૂર્વ મંત્રી આર સી ફળદુ રહેશે હાજર. પૂર્વ મંત્રી વસુબેન ત્રિવેદી પણ આ બેઠકમાં ઉપસ્થિત રહેવાના છે.મહત્વનું છે કે આ બેઠકમાં ભૂપેન્દ્ર પટેલ તેમજ સી.આર.પાટીલ ઉપસ્થિત રહેવાના છે. કમલમમાં યોજાવાની જગ્યાએ આ બેઠક પથિકાશ્રમમાં યોજાવાની છે. ઉલ્લેખનિય છે કે ચૂંટણીને લઈ અલગ અલગ નેતાઓને જવાબદારી સોંપવામાં આવી ગઈ છે.  



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે