ભાજપે વિડીયો શેર કરી કોંગ્રેસને ઢોંગ્રેસ કહી, તો કોંગ્રેસે પણ વિવિધ મુદ્દાઓને લઈ ભાજપ પર સાધ્યું નિશાન


  • Published By :
  • Published Date : 2022-11-12 13:52:09

ગુજરાતમાં ચૂંટણી પ્રચાર દરમિયાન સોશિયલ મીડિયાનો ભરપૂર ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પાર્ટીઓ દ્વારા એક બીજા પર આરોપ-પ્રતિઆરોપ લગાવવામાં આવતા હોય છે. ત્યારે ટ્વિટર પર એક વીડિયો શેર કર્યો છે જેમાં ભાજપે કોંગ્રેસને ઢોંગ્રેસ લખીને સંબોધી છે. ભાજપે લખ્યું કે આ એ જ ઢોંગ્રેસ જેમના સમયે છાસવારે તોફાનો થતાં હતા અને વારેવારે લાઈટો જતી રહેતી હતી.

 

કોંગ્રેસને ભાજપે સંબોધી ઢોંગ્રેસ તરીકે 

ગુજરાતમાં છેલ્લા 27 વર્ષોથી ભાજપની સરકાર છે. ચૂંટણીના પ્રચાર દરમિયાન ભાજપ અનેક વખત કોંગ્રેસ પર અનેક વખત પ્રહાર કરતી હોય છે. ચૂંટણી નજીક આવતા ભાજપનું આઈટી સેલ એકદમ એક્ટિવ થઈ જતું હોય છે. કોંગ્રેસ પર પ્રહાર કરતા ભાજપે એક વીડિયો શેર કર્યો છે જેમાં તેમણે લખ્યું કે આ એ જ ઢોંગ્રેસ જેમના સમયે રોજ છાપામાં કૌભાંડો છપાતા હતા, છાસવારે આતંકી હુમલા થતાં હતા. વારેવારે લાઈટો જતી રહેતી હતી.

  

ભાજપે જીવવું જ મુશ્કેલ બનાવી દીધું છે - કોંગ્રેસ 

એવું નથી કે માત્ર ભાજપ જ કોંગ્રેસ પર શાબ્દિક પ્રહાર કરતી હોય છે, કોંગ્રેસ પણ અનેક ભાજપ પર પ્રહાર કરે છે. કોંગ્રેસે પણ અનેક વખત વીડિયો શેર કરી ભાજપ પર પ્રહાર કર્યા છે. કોંગ્રેસ શિક્ષણ, મોંઘવારી, બેરોજગારીને લઈ ભાજપ પર પ્રહાર કરતી રહી છે. થોડા સમય પહેલા કોંગ્રેસે એક વીડિયો શેર કર્યો હતો. જેમાં કોંગ્રેસે લખ્યું હતું કે ભાજપે ગુજરાતની પ્રજાનું જીવવું જ મુશ્કેલ બનાવી દીધું છે.         



રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.