ભાજપે વિડીયો શેર કરી કોંગ્રેસને ઢોંગ્રેસ કહી, તો કોંગ્રેસે પણ વિવિધ મુદ્દાઓને લઈ ભાજપ પર સાધ્યું નિશાન


  • Published By :
  • Published Date : 2022-11-12 13:52:09

ગુજરાતમાં ચૂંટણી પ્રચાર દરમિયાન સોશિયલ મીડિયાનો ભરપૂર ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પાર્ટીઓ દ્વારા એક બીજા પર આરોપ-પ્રતિઆરોપ લગાવવામાં આવતા હોય છે. ત્યારે ટ્વિટર પર એક વીડિયો શેર કર્યો છે જેમાં ભાજપે કોંગ્રેસને ઢોંગ્રેસ લખીને સંબોધી છે. ભાજપે લખ્યું કે આ એ જ ઢોંગ્રેસ જેમના સમયે છાસવારે તોફાનો થતાં હતા અને વારેવારે લાઈટો જતી રહેતી હતી.

 

કોંગ્રેસને ભાજપે સંબોધી ઢોંગ્રેસ તરીકે 

ગુજરાતમાં છેલ્લા 27 વર્ષોથી ભાજપની સરકાર છે. ચૂંટણીના પ્રચાર દરમિયાન ભાજપ અનેક વખત કોંગ્રેસ પર અનેક વખત પ્રહાર કરતી હોય છે. ચૂંટણી નજીક આવતા ભાજપનું આઈટી સેલ એકદમ એક્ટિવ થઈ જતું હોય છે. કોંગ્રેસ પર પ્રહાર કરતા ભાજપે એક વીડિયો શેર કર્યો છે જેમાં તેમણે લખ્યું કે આ એ જ ઢોંગ્રેસ જેમના સમયે રોજ છાપામાં કૌભાંડો છપાતા હતા, છાસવારે આતંકી હુમલા થતાં હતા. વારેવારે લાઈટો જતી રહેતી હતી.

  

ભાજપે જીવવું જ મુશ્કેલ બનાવી દીધું છે - કોંગ્રેસ 

એવું નથી કે માત્ર ભાજપ જ કોંગ્રેસ પર શાબ્દિક પ્રહાર કરતી હોય છે, કોંગ્રેસ પણ અનેક ભાજપ પર પ્રહાર કરે છે. કોંગ્રેસે પણ અનેક વખત વીડિયો શેર કરી ભાજપ પર પ્રહાર કર્યા છે. કોંગ્રેસ શિક્ષણ, મોંઘવારી, બેરોજગારીને લઈ ભાજપ પર પ્રહાર કરતી રહી છે. થોડા સમય પહેલા કોંગ્રેસે એક વીડિયો શેર કર્યો હતો. જેમાં કોંગ્રેસે લખ્યું હતું કે ભાજપે ગુજરાતની પ્રજાનું જીવવું જ મુશ્કેલ બનાવી દીધું છે.         



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.