ભાજપે વિડીયો શેર કરી કોંગ્રેસને ઢોંગ્રેસ કહી, તો કોંગ્રેસે પણ વિવિધ મુદ્દાઓને લઈ ભાજપ પર સાધ્યું નિશાન


  • Published By :
  • Published Date : 2022-11-12 13:52:09

ગુજરાતમાં ચૂંટણી પ્રચાર દરમિયાન સોશિયલ મીડિયાનો ભરપૂર ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પાર્ટીઓ દ્વારા એક બીજા પર આરોપ-પ્રતિઆરોપ લગાવવામાં આવતા હોય છે. ત્યારે ટ્વિટર પર એક વીડિયો શેર કર્યો છે જેમાં ભાજપે કોંગ્રેસને ઢોંગ્રેસ લખીને સંબોધી છે. ભાજપે લખ્યું કે આ એ જ ઢોંગ્રેસ જેમના સમયે છાસવારે તોફાનો થતાં હતા અને વારેવારે લાઈટો જતી રહેતી હતી.

 

કોંગ્રેસને ભાજપે સંબોધી ઢોંગ્રેસ તરીકે 

ગુજરાતમાં છેલ્લા 27 વર્ષોથી ભાજપની સરકાર છે. ચૂંટણીના પ્રચાર દરમિયાન ભાજપ અનેક વખત કોંગ્રેસ પર અનેક વખત પ્રહાર કરતી હોય છે. ચૂંટણી નજીક આવતા ભાજપનું આઈટી સેલ એકદમ એક્ટિવ થઈ જતું હોય છે. કોંગ્રેસ પર પ્રહાર કરતા ભાજપે એક વીડિયો શેર કર્યો છે જેમાં તેમણે લખ્યું કે આ એ જ ઢોંગ્રેસ જેમના સમયે રોજ છાપામાં કૌભાંડો છપાતા હતા, છાસવારે આતંકી હુમલા થતાં હતા. વારેવારે લાઈટો જતી રહેતી હતી.

  

ભાજપે જીવવું જ મુશ્કેલ બનાવી દીધું છે - કોંગ્રેસ 

એવું નથી કે માત્ર ભાજપ જ કોંગ્રેસ પર શાબ્દિક પ્રહાર કરતી હોય છે, કોંગ્રેસ પણ અનેક ભાજપ પર પ્રહાર કરે છે. કોંગ્રેસે પણ અનેક વખત વીડિયો શેર કરી ભાજપ પર પ્રહાર કર્યા છે. કોંગ્રેસ શિક્ષણ, મોંઘવારી, બેરોજગારીને લઈ ભાજપ પર પ્રહાર કરતી રહી છે. થોડા સમય પહેલા કોંગ્રેસે એક વીડિયો શેર કર્યો હતો. જેમાં કોંગ્રેસે લખ્યું હતું કે ભાજપે ગુજરાતની પ્રજાનું જીવવું જ મુશ્કેલ બનાવી દીધું છે.         



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.