સુરેન્દ્રનગરમાં આયોજીત ભાજપની બે દિવસની પ્રદેશ કારોબારી બેઠકનું સમાપન, જાણો શું રણનીતિ ઘડાઇ


  • Published By :
  • Published Date : 2023-01-24 20:28:44

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે જંગી બહુમતીથી જીત મેળવ્યા બાદ હવે પાર્ટીની નજર 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણી પર છે. ભાજપે લોકસભાની ચૂંટણી માટે પાર્ટીની તૈયારીઓ અંગે ચર્ચા કરવા માટે સુરેન્દ્રનગરમાં ખાસ બેઠક યોજી હતી. સુરેન્દ્રનગરમાં યોજાયેલી ગુજરાત પ્રદેશ ભાજપની આ કારોબારી બેઠકમાં સંગઠનને મજબૂત બનાવવા અને સંગઠનમાં ફેરફારો કરવા સહિતના મુદ્દાઓ પર ખાસ ચર્ચાઓ કરવામાં આવી હતી.


બે દિવસની બેઠકમાં શું ચર્ચા થઈ?


સુરેન્દ્રનગરમાં યોજાયેલી ગુજરાત પ્રદેશ ભાજપની આ કારોબારી બેઠકનો આજે બીજો અને અંતિમ દિવસ હતો. કારોબારી બેઠકના આ સમાપન દિવસે પાર્ટીના નેતાઓએ વર્ષ 2024માં યોજાનારી આ લોકસભા ચૂંટણીમાં ભાજપને તમામ સીટો પર વિજયી બનાવવા અંગે વિચાર-વિમર્શ કર્યો હતો. ગુજરાત ભાજપની પ્રદેશ કારોબારી બેઠકમાં ભાજપના એક એક કાર્યકર્તાઓ જનતાની સેવામાં કઈ રીતે સહયોગી થઈ શકે તે બાબતની ચર્ચા કરવામાં આવી છે. તે ઉપરાંત લોકસભામાં ભાજપને ઐતિહાસીક જીત અપાવવા માટે સંગઠનને વધુ મજબૂત કરવા અને બુથ લેવલ પરની કામગીરીને વધુ સુદ્રઢ બનાવવાના ઉપાયો, સંગઠનમાં ફેરફારો કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.


600થી વધુ નેતાઓએ ભાગ લીધો  


ગુજરાત પ્રદેશ ભાજપની આ કારોબારી બેઠક પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની અધ્યક્ષતામાં યોજાઈ હતી. તેમાં  મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, કેબિનેટ મંત્રીઓ, ધારાસભ્યો, સાંસદો, સંગઠનના પદાધિકારીઓ સહિતના લગભગ 600થી વધારે રાજકીય આગેવાનો અને અગ્રણી કાર્યકરો હાજર રહ્યા હતા.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.