સુરેન્દ્રનગરમાં આયોજીત ભાજપની બે દિવસની પ્રદેશ કારોબારી બેઠકનું સમાપન, જાણો શું રણનીતિ ઘડાઇ


  • Published By :
  • Published Date : 2023-01-24 20:28:44

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે જંગી બહુમતીથી જીત મેળવ્યા બાદ હવે પાર્ટીની નજર 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણી પર છે. ભાજપે લોકસભાની ચૂંટણી માટે પાર્ટીની તૈયારીઓ અંગે ચર્ચા કરવા માટે સુરેન્દ્રનગરમાં ખાસ બેઠક યોજી હતી. સુરેન્દ્રનગરમાં યોજાયેલી ગુજરાત પ્રદેશ ભાજપની આ કારોબારી બેઠકમાં સંગઠનને મજબૂત બનાવવા અને સંગઠનમાં ફેરફારો કરવા સહિતના મુદ્દાઓ પર ખાસ ચર્ચાઓ કરવામાં આવી હતી.


બે દિવસની બેઠકમાં શું ચર્ચા થઈ?


સુરેન્દ્રનગરમાં યોજાયેલી ગુજરાત પ્રદેશ ભાજપની આ કારોબારી બેઠકનો આજે બીજો અને અંતિમ દિવસ હતો. કારોબારી બેઠકના આ સમાપન દિવસે પાર્ટીના નેતાઓએ વર્ષ 2024માં યોજાનારી આ લોકસભા ચૂંટણીમાં ભાજપને તમામ સીટો પર વિજયી બનાવવા અંગે વિચાર-વિમર્શ કર્યો હતો. ગુજરાત ભાજપની પ્રદેશ કારોબારી બેઠકમાં ભાજપના એક એક કાર્યકર્તાઓ જનતાની સેવામાં કઈ રીતે સહયોગી થઈ શકે તે બાબતની ચર્ચા કરવામાં આવી છે. તે ઉપરાંત લોકસભામાં ભાજપને ઐતિહાસીક જીત અપાવવા માટે સંગઠનને વધુ મજબૂત કરવા અને બુથ લેવલ પરની કામગીરીને વધુ સુદ્રઢ બનાવવાના ઉપાયો, સંગઠનમાં ફેરફારો કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.


600થી વધુ નેતાઓએ ભાગ લીધો  


ગુજરાત પ્રદેશ ભાજપની આ કારોબારી બેઠક પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની અધ્યક્ષતામાં યોજાઈ હતી. તેમાં  મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, કેબિનેટ મંત્રીઓ, ધારાસભ્યો, સાંસદો, સંગઠનના પદાધિકારીઓ સહિતના લગભગ 600થી વધારે રાજકીય આગેવાનો અને અગ્રણી કાર્યકરો હાજર રહ્યા હતા.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.