સુરેન્દ્રનગરમાં આયોજીત ભાજપની બે દિવસની પ્રદેશ કારોબારી બેઠકનું સમાપન, જાણો શું રણનીતિ ઘડાઇ


  • Published By :
  • Published Date : 2023-01-24 20:28:44

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે જંગી બહુમતીથી જીત મેળવ્યા બાદ હવે પાર્ટીની નજર 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણી પર છે. ભાજપે લોકસભાની ચૂંટણી માટે પાર્ટીની તૈયારીઓ અંગે ચર્ચા કરવા માટે સુરેન્દ્રનગરમાં ખાસ બેઠક યોજી હતી. સુરેન્દ્રનગરમાં યોજાયેલી ગુજરાત પ્રદેશ ભાજપની આ કારોબારી બેઠકમાં સંગઠનને મજબૂત બનાવવા અને સંગઠનમાં ફેરફારો કરવા સહિતના મુદ્દાઓ પર ખાસ ચર્ચાઓ કરવામાં આવી હતી.


બે દિવસની બેઠકમાં શું ચર્ચા થઈ?


સુરેન્દ્રનગરમાં યોજાયેલી ગુજરાત પ્રદેશ ભાજપની આ કારોબારી બેઠકનો આજે બીજો અને અંતિમ દિવસ હતો. કારોબારી બેઠકના આ સમાપન દિવસે પાર્ટીના નેતાઓએ વર્ષ 2024માં યોજાનારી આ લોકસભા ચૂંટણીમાં ભાજપને તમામ સીટો પર વિજયી બનાવવા અંગે વિચાર-વિમર્શ કર્યો હતો. ગુજરાત ભાજપની પ્રદેશ કારોબારી બેઠકમાં ભાજપના એક એક કાર્યકર્તાઓ જનતાની સેવામાં કઈ રીતે સહયોગી થઈ શકે તે બાબતની ચર્ચા કરવામાં આવી છે. તે ઉપરાંત લોકસભામાં ભાજપને ઐતિહાસીક જીત અપાવવા માટે સંગઠનને વધુ મજબૂત કરવા અને બુથ લેવલ પરની કામગીરીને વધુ સુદ્રઢ બનાવવાના ઉપાયો, સંગઠનમાં ફેરફારો કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.


600થી વધુ નેતાઓએ ભાગ લીધો  


ગુજરાત પ્રદેશ ભાજપની આ કારોબારી બેઠક પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની અધ્યક્ષતામાં યોજાઈ હતી. તેમાં  મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, કેબિનેટ મંત્રીઓ, ધારાસભ્યો, સાંસદો, સંગઠનના પદાધિકારીઓ સહિતના લગભગ 600થી વધારે રાજકીય આગેવાનો અને અગ્રણી કાર્યકરો હાજર રહ્યા હતા.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે