સુરેન્દ્રનગરમાં આયોજીત ભાજપની બે દિવસની પ્રદેશ કારોબારી બેઠકનું સમાપન, જાણો શું રણનીતિ ઘડાઇ


  • Published By :
  • Published Date : 2023-01-24 20:28:44

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે જંગી બહુમતીથી જીત મેળવ્યા બાદ હવે પાર્ટીની નજર 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણી પર છે. ભાજપે લોકસભાની ચૂંટણી માટે પાર્ટીની તૈયારીઓ અંગે ચર્ચા કરવા માટે સુરેન્દ્રનગરમાં ખાસ બેઠક યોજી હતી. સુરેન્દ્રનગરમાં યોજાયેલી ગુજરાત પ્રદેશ ભાજપની આ કારોબારી બેઠકમાં સંગઠનને મજબૂત બનાવવા અને સંગઠનમાં ફેરફારો કરવા સહિતના મુદ્દાઓ પર ખાસ ચર્ચાઓ કરવામાં આવી હતી.


બે દિવસની બેઠકમાં શું ચર્ચા થઈ?


સુરેન્દ્રનગરમાં યોજાયેલી ગુજરાત પ્રદેશ ભાજપની આ કારોબારી બેઠકનો આજે બીજો અને અંતિમ દિવસ હતો. કારોબારી બેઠકના આ સમાપન દિવસે પાર્ટીના નેતાઓએ વર્ષ 2024માં યોજાનારી આ લોકસભા ચૂંટણીમાં ભાજપને તમામ સીટો પર વિજયી બનાવવા અંગે વિચાર-વિમર્શ કર્યો હતો. ગુજરાત ભાજપની પ્રદેશ કારોબારી બેઠકમાં ભાજપના એક એક કાર્યકર્તાઓ જનતાની સેવામાં કઈ રીતે સહયોગી થઈ શકે તે બાબતની ચર્ચા કરવામાં આવી છે. તે ઉપરાંત લોકસભામાં ભાજપને ઐતિહાસીક જીત અપાવવા માટે સંગઠનને વધુ મજબૂત કરવા અને બુથ લેવલ પરની કામગીરીને વધુ સુદ્રઢ બનાવવાના ઉપાયો, સંગઠનમાં ફેરફારો કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.


600થી વધુ નેતાઓએ ભાગ લીધો  


ગુજરાત પ્રદેશ ભાજપની આ કારોબારી બેઠક પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની અધ્યક્ષતામાં યોજાઈ હતી. તેમાં  મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, કેબિનેટ મંત્રીઓ, ધારાસભ્યો, સાંસદો, સંગઠનના પદાધિકારીઓ સહિતના લગભગ 600થી વધારે રાજકીય આગેવાનો અને અગ્રણી કાર્યકરો હાજર રહ્યા હતા.



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.