અભ્યાસમાં 'નાપાસ' પણ રાજનીતિમાં 'પાસ' ઉમેદવારો: ભાજપે જાહેર કરેલા 12 ઉમેદવારોનો અભ્યાસ SSC સુધી જ


  • Published By :
  • Published Date : 2022-11-12 13:34:09

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે થોડા દિવસ બાકી રહ્યા છે. ત્યારે તમામ રાજકીય પક્ષોએ તેમના મોટાભાગના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. ભાજપ દ્વારા 166 જેટલા ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. જેમાંથી કેટલાક નેતાઓની લાયકાત ખુબ ઓછી છે, પણ તે રાજકારણમાં ખુબ જ સફળ રહ્યા છે. રાજ્યના ગુહરાજ્યમંત્રી અને સુરત મજૂરાના ઉમેદવા હર્ષ સંઘવી માત્ર 9 ધોરણ સુધી અભ્યાસ કર્યો છે.  તે ઉપરાંત સુરત ભાજપનાં કાંતિ બલર ધોરણ-7, કિશોર કાનાણી ધોરણ-9 ભણ્યા છે. ભાજપના ઘણા એવા નેતાઓ છે જેમણે એસએસસી સુધી પણ અભ્યાસ કર્યો નથી.  સુરત, અમદાવાદ અને રાજકોટના ઉમેદવારો પૈકી 10 ઉમેદવાર માત્ર 10 સુધીનો અભ્યાસ કર્યો છે. 


અભ્યાસમાં 'નાપાસ' પણ  રાજનીતિમાં 'પાસ' ઉમેદવારો







ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.