અભ્યાસમાં 'નાપાસ' પણ રાજનીતિમાં 'પાસ' ઉમેદવારો: ભાજપે જાહેર કરેલા 12 ઉમેદવારોનો અભ્યાસ SSC સુધી જ


  • Published By :
  • Published Date : 2022-11-12 13:34:09

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે થોડા દિવસ બાકી રહ્યા છે. ત્યારે તમામ રાજકીય પક્ષોએ તેમના મોટાભાગના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. ભાજપ દ્વારા 166 જેટલા ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. જેમાંથી કેટલાક નેતાઓની લાયકાત ખુબ ઓછી છે, પણ તે રાજકારણમાં ખુબ જ સફળ રહ્યા છે. રાજ્યના ગુહરાજ્યમંત્રી અને સુરત મજૂરાના ઉમેદવા હર્ષ સંઘવી માત્ર 9 ધોરણ સુધી અભ્યાસ કર્યો છે.  તે ઉપરાંત સુરત ભાજપનાં કાંતિ બલર ધોરણ-7, કિશોર કાનાણી ધોરણ-9 ભણ્યા છે. ભાજપના ઘણા એવા નેતાઓ છે જેમણે એસએસસી સુધી પણ અભ્યાસ કર્યો નથી.  સુરત, અમદાવાદ અને રાજકોટના ઉમેદવારો પૈકી 10 ઉમેદવાર માત્ર 10 સુધીનો અભ્યાસ કર્યો છે. 


અભ્યાસમાં 'નાપાસ' પણ  રાજનીતિમાં 'પાસ' ઉમેદવારો







સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"