ભાજપ ત્રણ દિવસની બેઠકમાં 182 ઉમેદવારો નક્કી કરશે !!!1


  • Published By :
  • Published Date : 2022-11-03 13:58:36


ગુજરાતવિધાન સભાની ચૂંટણીની તારીખો આજે જાહેર થઈ ગઈ છે ત્યારે ગુજરાત ભાજપની પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક આજથી શરૂ થવા જઇ રહી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ખાસ આ બેઠકમાં ભાગ લેવા બુધવારે સાંજે જ અમદાવાદ આવી ગયા હતા. શાહ ત્રણેય દિવસ અહીં જ રોકાઇને તમામ બેઠકો પરના સંભવિત ઉમેદવારોના નામોની ચર્ચા કરશે. આ અગાઉ તેમણે માત્ર 25 ટકા ચહેરા બદલાશે તેવું કહ્યું હતું, તો ભાજપ અધ્યક્ષ સી આર પાટીલે ઘણાં ચહેરાં બદલાઈ જશે તેવી વાત કરી છે.  


હવે આ બેઠક પછી કયા ચેહરા સામે આવશે એ જોવાનું રહ્યું અને કયા ચેહરા રિપીટ થશે કે નવા ચેહર સામે આવશે એ આજની બેઠક પછી ખ્યાલ આવશે. .આ બેઠકમાં પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સહપ્રભારી સુધીર ગુપ્તા હાજર રહેશે. સવારે દસ વાગ્યાથી પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ પર અલગ-અલગ લોકસભા મતક્ષેત્ર કે જિલ્લા હેઠળ આવતી વિધાનસભા બેઠકો માટેની ચર્ચા થશે. બેઠકમાં નિરીક્ષકોને પણ શાહ સહિતના નેતાઓ સાંભળશે અને તેમનો અભિપ્રાય પણ સામેલ કરશે.


એક બેઠક પર કેટલા નામની પસંદગી થશે ?
આ ત્રણ દિવસની બેઠક બાદ દરેક બેઠક માટે બે કે ત્રણ નામની પેનલ બનાવી શકે છે, જેમાં દરેક નામ સાથે જોડાયેલાં સમીકરણનો ઉલ્લેખ પણ કરાશે, જેથી સેન્ટ્રલ પાર્લામેન્ટરી બોર્ડ આખરી નિર્ણય કરી શકે.




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.