ભાજપ ત્રણ દિવસની બેઠકમાં 182 ઉમેદવારો નક્કી કરશે !!!1


  • Published By :
  • Published Date : 2022-11-03 13:58:36


ગુજરાતવિધાન સભાની ચૂંટણીની તારીખો આજે જાહેર થઈ ગઈ છે ત્યારે ગુજરાત ભાજપની પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક આજથી શરૂ થવા જઇ રહી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ખાસ આ બેઠકમાં ભાગ લેવા બુધવારે સાંજે જ અમદાવાદ આવી ગયા હતા. શાહ ત્રણેય દિવસ અહીં જ રોકાઇને તમામ બેઠકો પરના સંભવિત ઉમેદવારોના નામોની ચર્ચા કરશે. આ અગાઉ તેમણે માત્ર 25 ટકા ચહેરા બદલાશે તેવું કહ્યું હતું, તો ભાજપ અધ્યક્ષ સી આર પાટીલે ઘણાં ચહેરાં બદલાઈ જશે તેવી વાત કરી છે.  


હવે આ બેઠક પછી કયા ચેહરા સામે આવશે એ જોવાનું રહ્યું અને કયા ચેહરા રિપીટ થશે કે નવા ચેહર સામે આવશે એ આજની બેઠક પછી ખ્યાલ આવશે. .આ બેઠકમાં પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સહપ્રભારી સુધીર ગુપ્તા હાજર રહેશે. સવારે દસ વાગ્યાથી પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ પર અલગ-અલગ લોકસભા મતક્ષેત્ર કે જિલ્લા હેઠળ આવતી વિધાનસભા બેઠકો માટેની ચર્ચા થશે. બેઠકમાં નિરીક્ષકોને પણ શાહ સહિતના નેતાઓ સાંભળશે અને તેમનો અભિપ્રાય પણ સામેલ કરશે.


એક બેઠક પર કેટલા નામની પસંદગી થશે ?
આ ત્રણ દિવસની બેઠક બાદ દરેક બેઠક માટે બે કે ત્રણ નામની પેનલ બનાવી શકે છે, જેમાં દરેક નામ સાથે જોડાયેલાં સમીકરણનો ઉલ્લેખ પણ કરાશે, જેથી સેન્ટ્રલ પાર્લામેન્ટરી બોર્ડ આખરી નિર્ણય કરી શકે.




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.