ભાજપે 12 કેન્દ્રિય મંત્રીઓને ઉતાર્યા પ્રચાર મેદાનમાં, કેજરીવાલે સાધ્યું નિશાન


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-06 13:40:35

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે દરેક રાજકીય પક્ષના નેતાઓ રાજ્યનો પ્રવાસ કરી પ્રચાર અભિયાન ચલાવી રહ્યા છે. આ વખતે ત્રિપાંખિયો જંગ છે એટલે રાજનેતા વધુ સતર્ક બન્યા છે. આમ આદમી પાર્ટીએ ચૂંટણી મેદાનમાં ઝંપવાવ્યું હોવાથી ચૂંટણી રસપ્રદ બની છે. રાજ્યની જનતાની નાડ પારખી ગયેલી ભાજપે તો પ્રચાર અભિયાન માટે કેન્દ્રિય મંત્રીઓની મોટી ફોજ ઉતારી છે. જો કે રાજ્યમાં જે પ્રકારે ભાજપ વિરોધી જનાક્રોસ જોવા મળી રહ્યો છે તે જોતા લોકો આ કેન્દ્રિય મંત્રીઓને કઈ રીતે આવકારે છે તે જોવાનું છે. 


ગુજરાતમાં આમ આદમી પાર્ટી તરફથી મળી રહેલા પડકારનો સામનો કરવા ભાજપે 12 કેન્દ્રિય મંત્રીઓને પ્રચાર અભિયાનમાં ઉતાર્યા છે. આ મંત્રીઓ 10 ઓક્ટોબર સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભાજપ માટે પ્રચાર કરશે. આ મંત્રીઓમાં મીનાક્ષી લેખી,,બી.એલ વર્મા, વિરેન્દ્ર કુમાર,સ્મૃતિ ઈરાની, સાધ્વી નિરંજન જ્યોતિ,અજય ભટ્ટ,ભુપેન્દ્ર યાદવ,કિરણ રિજીજુ, પ્રતિમા ભૌમિકભાનુ ,પ્રતાપ સિંહ વર્મા,અર્જુન મુંડા,ગિરીરાજ સિંહનો સમાવેશ થાય છે.


કેજરીવાલે ટ્વીટ દ્વારા ભાજપ પર કર્યો કટાક્ષ


ભાજપે ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે એક સાથે 12 કેન્દ્રીય મંત્રીઓ કામે લગાડ્યા છે. ત્યારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને કહ્યું કે, ખબર છે કે ગુજરાતના દરેક જિલ્લામાં ભાજપ એક-એક કેન્દ્રિય મંત્રી અથવા કોઈ મુખ્યમંત્રીને ડ્યૂટી લગાવી રહી છે. ભાજપને આટલો બધો ડર શા માટે? આ ડર આમ આદમી પાર્ટીનો નથી. આ ડર ગુજરાતના લોકોનો છે જે ભાજપથી નારાજ છે અને એટલે જ હવે ઝડપથી ‘AAP’માં જોડાઈ રહ્યા છે.



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે