ભાજપે 12 કેન્દ્રિય મંત્રીઓને ઉતાર્યા પ્રચાર મેદાનમાં, કેજરીવાલે સાધ્યું નિશાન


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-06 13:40:35

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે દરેક રાજકીય પક્ષના નેતાઓ રાજ્યનો પ્રવાસ કરી પ્રચાર અભિયાન ચલાવી રહ્યા છે. આ વખતે ત્રિપાંખિયો જંગ છે એટલે રાજનેતા વધુ સતર્ક બન્યા છે. આમ આદમી પાર્ટીએ ચૂંટણી મેદાનમાં ઝંપવાવ્યું હોવાથી ચૂંટણી રસપ્રદ બની છે. રાજ્યની જનતાની નાડ પારખી ગયેલી ભાજપે તો પ્રચાર અભિયાન માટે કેન્દ્રિય મંત્રીઓની મોટી ફોજ ઉતારી છે. જો કે રાજ્યમાં જે પ્રકારે ભાજપ વિરોધી જનાક્રોસ જોવા મળી રહ્યો છે તે જોતા લોકો આ કેન્દ્રિય મંત્રીઓને કઈ રીતે આવકારે છે તે જોવાનું છે. 


ગુજરાતમાં આમ આદમી પાર્ટી તરફથી મળી રહેલા પડકારનો સામનો કરવા ભાજપે 12 કેન્દ્રિય મંત્રીઓને પ્રચાર અભિયાનમાં ઉતાર્યા છે. આ મંત્રીઓ 10 ઓક્ટોબર સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભાજપ માટે પ્રચાર કરશે. આ મંત્રીઓમાં મીનાક્ષી લેખી,,બી.એલ વર્મા, વિરેન્દ્ર કુમાર,સ્મૃતિ ઈરાની, સાધ્વી નિરંજન જ્યોતિ,અજય ભટ્ટ,ભુપેન્દ્ર યાદવ,કિરણ રિજીજુ, પ્રતિમા ભૌમિકભાનુ ,પ્રતાપ સિંહ વર્મા,અર્જુન મુંડા,ગિરીરાજ સિંહનો સમાવેશ થાય છે.


કેજરીવાલે ટ્વીટ દ્વારા ભાજપ પર કર્યો કટાક્ષ


ભાજપે ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે એક સાથે 12 કેન્દ્રીય મંત્રીઓ કામે લગાડ્યા છે. ત્યારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને કહ્યું કે, ખબર છે કે ગુજરાતના દરેક જિલ્લામાં ભાજપ એક-એક કેન્દ્રિય મંત્રી અથવા કોઈ મુખ્યમંત્રીને ડ્યૂટી લગાવી રહી છે. ભાજપને આટલો બધો ડર શા માટે? આ ડર આમ આદમી પાર્ટીનો નથી. આ ડર ગુજરાતના લોકોનો છે જે ભાજપથી નારાજ છે અને એટલે જ હવે ઝડપથી ‘AAP’માં જોડાઈ રહ્યા છે.



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .