ભાજપે 12 કેન્દ્રિય મંત્રીઓને ઉતાર્યા પ્રચાર મેદાનમાં, કેજરીવાલે સાધ્યું નિશાન


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-06 13:40:35

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે દરેક રાજકીય પક્ષના નેતાઓ રાજ્યનો પ્રવાસ કરી પ્રચાર અભિયાન ચલાવી રહ્યા છે. આ વખતે ત્રિપાંખિયો જંગ છે એટલે રાજનેતા વધુ સતર્ક બન્યા છે. આમ આદમી પાર્ટીએ ચૂંટણી મેદાનમાં ઝંપવાવ્યું હોવાથી ચૂંટણી રસપ્રદ બની છે. રાજ્યની જનતાની નાડ પારખી ગયેલી ભાજપે તો પ્રચાર અભિયાન માટે કેન્દ્રિય મંત્રીઓની મોટી ફોજ ઉતારી છે. જો કે રાજ્યમાં જે પ્રકારે ભાજપ વિરોધી જનાક્રોસ જોવા મળી રહ્યો છે તે જોતા લોકો આ કેન્દ્રિય મંત્રીઓને કઈ રીતે આવકારે છે તે જોવાનું છે. 


ગુજરાતમાં આમ આદમી પાર્ટી તરફથી મળી રહેલા પડકારનો સામનો કરવા ભાજપે 12 કેન્દ્રિય મંત્રીઓને પ્રચાર અભિયાનમાં ઉતાર્યા છે. આ મંત્રીઓ 10 ઓક્ટોબર સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભાજપ માટે પ્રચાર કરશે. આ મંત્રીઓમાં મીનાક્ષી લેખી,,બી.એલ વર્મા, વિરેન્દ્ર કુમાર,સ્મૃતિ ઈરાની, સાધ્વી નિરંજન જ્યોતિ,અજય ભટ્ટ,ભુપેન્દ્ર યાદવ,કિરણ રિજીજુ, પ્રતિમા ભૌમિકભાનુ ,પ્રતાપ સિંહ વર્મા,અર્જુન મુંડા,ગિરીરાજ સિંહનો સમાવેશ થાય છે.


કેજરીવાલે ટ્વીટ દ્વારા ભાજપ પર કર્યો કટાક્ષ


ભાજપે ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે એક સાથે 12 કેન્દ્રીય મંત્રીઓ કામે લગાડ્યા છે. ત્યારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને કહ્યું કે, ખબર છે કે ગુજરાતના દરેક જિલ્લામાં ભાજપ એક-એક કેન્દ્રિય મંત્રી અથવા કોઈ મુખ્યમંત્રીને ડ્યૂટી લગાવી રહી છે. ભાજપને આટલો બધો ડર શા માટે? આ ડર આમ આદમી પાર્ટીનો નથી. આ ડર ગુજરાતના લોકોનો છે જે ભાજપથી નારાજ છે અને એટલે જ હવે ઝડપથી ‘AAP’માં જોડાઈ રહ્યા છે.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.