સુરત કલેક્ટર કચેરી ખાતે મજૂરા વિધાનસભાના કાર્યકર્તાઓએ વિરોધ નોંધાવ્યો


  • Published By :
  • Published Date : 2022-11-14 15:58:35

સુરતની મજૂરા વિધાનસભા બેઠક પર ભાજપમાંથી હર્ષ સંઘવી ઉમેદવાર છે અને આમ આદમી પાર્ટીમાંથી પીવીએસ શર્મા ઉમેદવાર છે. બંને નેતાના ઉમેદવારોએ એકબીજા સામે વિરોધ નોંધાવ્યો હતો. બંને પક્ષના કાર્યકર્તાઓ જ્યારે રેલી કરી રહ્યા હતા ત્યારે સામસામે અથડાઈ ગયા હતા અને એકબીજા સામે વિરોધ નોંધાવ્યો હતો અને સૂત્રોચ્ચાર કર્યા હતા. કલેક્ટર કચેરી ખાતે બંને પક્ષના કાર્યકર્તાઓએ એકબીજા સામે સૂત્રોચ્ચાર કર્યા હતા. 

મજૂરાઃ હર્ષ સંઘવી Vs પીવીએસ શર્મા

હર્ષ સંઘવી મજૂરા વિધાનસભાથી ધારાસભ્ય છે અને ગુજરાત સરકારમાં ગૃહ રાજ્યમંત્રી પણ છે. તેમણે વર્ષ 2017માં INCના અશોક મોહનલાલ કોઠારી સામે ચૂંટણી લડી હતી. આ વિધાનસભા ચૂંટણીમાં હર્ષ સંઘવીએ કુલ 1 લાખ 16 હજાર મત મેળવ્યા હતા અને 85 હજારથી વધુ મતોથી ધારાસભ્ય બન્યા હતા. આમ આદમી પાર્ટીના આયાતી ઉમેદવાર પીવીએસ શર્મા અગાઉ ભાજપમાં હતા. ભાજપમાંથી ટિકિટની ટકટકના કારણે તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.   



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.