સુરત કલેક્ટર કચેરી ખાતે મજૂરા વિધાનસભાના કાર્યકર્તાઓએ વિરોધ નોંધાવ્યો


  • Published By :
  • Published Date : 2022-11-14 15:58:35

સુરતની મજૂરા વિધાનસભા બેઠક પર ભાજપમાંથી હર્ષ સંઘવી ઉમેદવાર છે અને આમ આદમી પાર્ટીમાંથી પીવીએસ શર્મા ઉમેદવાર છે. બંને નેતાના ઉમેદવારોએ એકબીજા સામે વિરોધ નોંધાવ્યો હતો. બંને પક્ષના કાર્યકર્તાઓ જ્યારે રેલી કરી રહ્યા હતા ત્યારે સામસામે અથડાઈ ગયા હતા અને એકબીજા સામે વિરોધ નોંધાવ્યો હતો અને સૂત્રોચ્ચાર કર્યા હતા. કલેક્ટર કચેરી ખાતે બંને પક્ષના કાર્યકર્તાઓએ એકબીજા સામે સૂત્રોચ્ચાર કર્યા હતા. 

મજૂરાઃ હર્ષ સંઘવી Vs પીવીએસ શર્મા

હર્ષ સંઘવી મજૂરા વિધાનસભાથી ધારાસભ્ય છે અને ગુજરાત સરકારમાં ગૃહ રાજ્યમંત્રી પણ છે. તેમણે વર્ષ 2017માં INCના અશોક મોહનલાલ કોઠારી સામે ચૂંટણી લડી હતી. આ વિધાનસભા ચૂંટણીમાં હર્ષ સંઘવીએ કુલ 1 લાખ 16 હજાર મત મેળવ્યા હતા અને 85 હજારથી વધુ મતોથી ધારાસભ્ય બન્યા હતા. આમ આદમી પાર્ટીના આયાતી ઉમેદવાર પીવીએસ શર્મા અગાઉ ભાજપમાં હતા. ભાજપમાંથી ટિકિટની ટકટકના કારણે તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.   



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"