સુરત કલેક્ટર કચેરી ખાતે મજૂરા વિધાનસભાના કાર્યકર્તાઓએ વિરોધ નોંધાવ્યો


  • Published By :
  • Published Date : 2022-11-14 15:58:35

સુરતની મજૂરા વિધાનસભા બેઠક પર ભાજપમાંથી હર્ષ સંઘવી ઉમેદવાર છે અને આમ આદમી પાર્ટીમાંથી પીવીએસ શર્મા ઉમેદવાર છે. બંને નેતાના ઉમેદવારોએ એકબીજા સામે વિરોધ નોંધાવ્યો હતો. બંને પક્ષના કાર્યકર્તાઓ જ્યારે રેલી કરી રહ્યા હતા ત્યારે સામસામે અથડાઈ ગયા હતા અને એકબીજા સામે વિરોધ નોંધાવ્યો હતો અને સૂત્રોચ્ચાર કર્યા હતા. કલેક્ટર કચેરી ખાતે બંને પક્ષના કાર્યકર્તાઓએ એકબીજા સામે સૂત્રોચ્ચાર કર્યા હતા. 

મજૂરાઃ હર્ષ સંઘવી Vs પીવીએસ શર્મા

હર્ષ સંઘવી મજૂરા વિધાનસભાથી ધારાસભ્ય છે અને ગુજરાત સરકારમાં ગૃહ રાજ્યમંત્રી પણ છે. તેમણે વર્ષ 2017માં INCના અશોક મોહનલાલ કોઠારી સામે ચૂંટણી લડી હતી. આ વિધાનસભા ચૂંટણીમાં હર્ષ સંઘવીએ કુલ 1 લાખ 16 હજાર મત મેળવ્યા હતા અને 85 હજારથી વધુ મતોથી ધારાસભ્ય બન્યા હતા. આમ આદમી પાર્ટીના આયાતી ઉમેદવાર પીવીએસ શર્મા અગાઉ ભાજપમાં હતા. ભાજપમાંથી ટિકિટની ટકટકના કારણે તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.   



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે