સુરત કલેક્ટર કચેરી ખાતે મજૂરા વિધાનસભાના કાર્યકર્તાઓએ વિરોધ નોંધાવ્યો


  • Published By :
  • Published Date : 2022-11-14 15:58:35

સુરતની મજૂરા વિધાનસભા બેઠક પર ભાજપમાંથી હર્ષ સંઘવી ઉમેદવાર છે અને આમ આદમી પાર્ટીમાંથી પીવીએસ શર્મા ઉમેદવાર છે. બંને નેતાના ઉમેદવારોએ એકબીજા સામે વિરોધ નોંધાવ્યો હતો. બંને પક્ષના કાર્યકર્તાઓ જ્યારે રેલી કરી રહ્યા હતા ત્યારે સામસામે અથડાઈ ગયા હતા અને એકબીજા સામે વિરોધ નોંધાવ્યો હતો અને સૂત્રોચ્ચાર કર્યા હતા. કલેક્ટર કચેરી ખાતે બંને પક્ષના કાર્યકર્તાઓએ એકબીજા સામે સૂત્રોચ્ચાર કર્યા હતા. 

મજૂરાઃ હર્ષ સંઘવી Vs પીવીએસ શર્મા

હર્ષ સંઘવી મજૂરા વિધાનસભાથી ધારાસભ્ય છે અને ગુજરાત સરકારમાં ગૃહ રાજ્યમંત્રી પણ છે. તેમણે વર્ષ 2017માં INCના અશોક મોહનલાલ કોઠારી સામે ચૂંટણી લડી હતી. આ વિધાનસભા ચૂંટણીમાં હર્ષ સંઘવીએ કુલ 1 લાખ 16 હજાર મત મેળવ્યા હતા અને 85 હજારથી વધુ મતોથી ધારાસભ્ય બન્યા હતા. આમ આદમી પાર્ટીના આયાતી ઉમેદવાર પીવીએસ શર્મા અગાઉ ભાજપમાં હતા. ભાજપમાંથી ટિકિટની ટકટકના કારણે તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.   



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.