ગૌરવ યાત્રા કરી ભાજપ કરશે ચૂંટણી પ્રચાર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-27 11:30:51

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ મતદારોને આકર્ષવા રાજકીય પાર્ટીઓ પ્રચાર કરી રહી છે. વિવિધ રીતે લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચવા રેલીઓ, સભાઓ કરવામાં આવી રહી છે. આમ આદમી પાર્ટી બાદ ભાજપ પણ ચૂંટણી પ્રચારમાં ઉતરી છે. વિવિધ રણનીતિ ઘડી મતદારોને પ્રભાવિત કરવા ભાજપે ગુજરાત ગૌરવ યાત્રાનું આયોજન કર્યું છે.  5 ઝોનમાં યાત્રા કરી ચૂંટણી પ્રચાર કરવાનો પ્લાન ભાજપ કરી રહ્યું છે. 7 ઓક્ટોબરથી આ યાત્રાનો પ્રારંભ થવાનો છે. જેમાં કેન્દ્રીય નેતાઓ હાજરી આપશે. 

ભાજપ કરશે ગૌરવ યાત્રા 

પોતાની પાર્ટીનો પ્રચાર કરવા પાછળ ભાજપ લાખો રૂપિયા ખર્ચી નાખે છે. પ્રચાર કરવાનો એક પણ મોકો ભાજપ છોડતું નથી. ચૂંટણી પ્રચારના ભાગરૂપે રાજ્યના 5 ઝોનમાં આ યાત્રાનું આયોજન કરવામાં આવશે. ગૌરવ યાત્રા ઝોન વાઈઝ 10 દિવસ સુધી આ યાત્રા ચાલશે. જેમાં ભૂપેન્દ્ર પટેલ તેમજ અનેક દિગ્ગજ નેતાઓ હાજરી આપી ભાજપનો પ્રચાર કરવાના છે. 

Bharatiya Janata Party | History, Ideology, & Beliefs | Britannica


ચૂંટણી પહેલા અનેક વખત કર્યું છે યાત્રાનું આયોજન

2017માં વિધાનસભા ચૂંટણી સમયે ભાજપ દ્વારા વનવાસી બંધુ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રચાર કરી ભાજપ પોતાના કામ બતાવી લોકોને પોતાની પાર્ટી તરફ આકર્ષવા પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. થોડા સમય પહેલા ભાજપ દ્વારા બંધારણ ગૌરવ યાત્રા યોજવામાં આવી હતી. 26 નવેમ્બરથી 6 ડિસેમ્બર સુધી બંધારણ ગૌરવ યાત્રા યોજાઈ હતી. લોકસંપર્ક કરી ભાજપે ગુજરાતમાં કરેલા કામ તેમજ કેન્દ્રમાં રહી સરકારે કરેલા કામો લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવશે. 7 ઓક્ટોબરથી ગુજરાત ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવશે. 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.