ગૌરવ યાત્રા કરી ભાજપ કરશે ચૂંટણી પ્રચાર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-27 11:30:51

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ મતદારોને આકર્ષવા રાજકીય પાર્ટીઓ પ્રચાર કરી રહી છે. વિવિધ રીતે લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચવા રેલીઓ, સભાઓ કરવામાં આવી રહી છે. આમ આદમી પાર્ટી બાદ ભાજપ પણ ચૂંટણી પ્રચારમાં ઉતરી છે. વિવિધ રણનીતિ ઘડી મતદારોને પ્રભાવિત કરવા ભાજપે ગુજરાત ગૌરવ યાત્રાનું આયોજન કર્યું છે.  5 ઝોનમાં યાત્રા કરી ચૂંટણી પ્રચાર કરવાનો પ્લાન ભાજપ કરી રહ્યું છે. 7 ઓક્ટોબરથી આ યાત્રાનો પ્રારંભ થવાનો છે. જેમાં કેન્દ્રીય નેતાઓ હાજરી આપશે. 

ભાજપ કરશે ગૌરવ યાત્રા 

પોતાની પાર્ટીનો પ્રચાર કરવા પાછળ ભાજપ લાખો રૂપિયા ખર્ચી નાખે છે. પ્રચાર કરવાનો એક પણ મોકો ભાજપ છોડતું નથી. ચૂંટણી પ્રચારના ભાગરૂપે રાજ્યના 5 ઝોનમાં આ યાત્રાનું આયોજન કરવામાં આવશે. ગૌરવ યાત્રા ઝોન વાઈઝ 10 દિવસ સુધી આ યાત્રા ચાલશે. જેમાં ભૂપેન્દ્ર પટેલ તેમજ અનેક દિગ્ગજ નેતાઓ હાજરી આપી ભાજપનો પ્રચાર કરવાના છે. 

Bharatiya Janata Party | History, Ideology, & Beliefs | Britannica


ચૂંટણી પહેલા અનેક વખત કર્યું છે યાત્રાનું આયોજન

2017માં વિધાનસભા ચૂંટણી સમયે ભાજપ દ્વારા વનવાસી બંધુ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રચાર કરી ભાજપ પોતાના કામ બતાવી લોકોને પોતાની પાર્ટી તરફ આકર્ષવા પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. થોડા સમય પહેલા ભાજપ દ્વારા બંધારણ ગૌરવ યાત્રા યોજવામાં આવી હતી. 26 નવેમ્બરથી 6 ડિસેમ્બર સુધી બંધારણ ગૌરવ યાત્રા યોજાઈ હતી. લોકસંપર્ક કરી ભાજપે ગુજરાતમાં કરેલા કામ તેમજ કેન્દ્રમાં રહી સરકારે કરેલા કામો લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવશે. 7 ઓક્ટોબરથી ગુજરાત ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવશે. 



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .