મહીસાગરના સંતરામપુરમાં આપના કાર્યકરો પર ભાજપના કાર્યકર્તાનો હુમલો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-14 21:47:56

ગુજરાત વિધાનસભા ચૂંટણીનો સમય નજીક છે ત્યારે અનેક પાર્ટી વિવાદના કેન્દ્રમાં હોય છે. ગુજરાતમાં અત્યાર સુધી ભાજપ અને કોંગ્રેસ વચ્ચે યુદ્ધ ચાલતું હતું ત્યારે આ વિધાનસભા ચૂંટણીમાં ત્રીજો આમ આદમી પાર્ટી નામનો પક્ષ પણ મેદાને છે. ચૂંટણી પહેલાના સમયમાં વચનોની બાણવર્ષા સહીત તીખી નિવેદનબાજી પણ થતી નજરે પડતી હોય છે પરંતુ આજકાલ ગુજરાતની રાજનીતિના ઈતિહાસમાં હિંસક બનાવો પણ નોંધાઈ રહ્યા છે.


કેવી રીતે બન્યો મારામારીનો સમગ્ર બનાવ?

આજે આપના કાર્યકરો પર કડુચી ગામના હરેશભાઈ વડવાઈ નામના બીજેપીનાં કાર્યકર્તાએ હુમલો કર્યો હોય તેવા સમાચાર સામે આવી રહ્યા છે. આમ આદમી પાર્ટીનાં કાર્યકર્તા જ્યારે પ્રચાર માટે સંતરામપુરના નાની ભુગેડી ગામ ગયા ત્યારે ભાજપનાં કાર્યકર્તાઓએ લાઠી ચાર્જ કર્યો હતો. જેમાં ડૉ. કલ્પેશ સંઘાડા, મોતીભાઈ ડીંડોર અને અભેસિંહ બામણિયા નામના આપના કાર્યકર્તા ઘાયલ થયા હતા. હવે આ આખી ઘટનામાં આપનાં કાર્યકર્તાના આક્ષેપ છે કે ભાજપનાં કાર્યકર્તાએ તેમના ગાડીનાં કાચ તોડી દીધા ઉપરાંત તેમનો સામાન પણ લઈ લીધો છે. આપના કાર્યકરોને ગંભીર ઈજા થતાં કાર્યકર્તાને હાલ સંતરામપુર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સમગ્ર મામલે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ સંતરામપુર પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધાવી છે.  


ગઈકાલે પણ બની હતી હિંસક ઘટના 

ગઈકાલે અમદાવાદના ગોતમીપુરમાં ભાજપ અને આપના કાર્યકરો વચ્ચે અથડામણ થઈ હતી. અથડામણ દરમિયાન આપના કાર્યકરે ગોમતીપુર વોર્ડના ભાજપના યુવા મોરચાના પ્રમુખ પવન તોમર પર છરી વડે હુમલો કર્યો હતો. ભાજપનો કાર્યકર ઘાયલ થતા શારદાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. 


અહિંસા પ્રેમી બાપુના ગુજરાતનું રાજકારણ સમય મુજબ બદલાઈ રહ્યું છે. રાજકારણ વધુ હિંસક થતું જોવા મળી રહ્યું છે. આવી રીતે ગાંધીના ગુજરાતમાં હુમલાઓ થતાં રહે છે તે ચિંતાનો વિષય છે. ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચેની હિંસક લગાઈ રાજનીતિમાં પણ અલગ પગદંડી બનાવી રહી છે. 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.