મહીસાગરના સંતરામપુરમાં આપના કાર્યકરો પર ભાજપના કાર્યકર્તાનો હુમલો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-14 21:47:56

ગુજરાત વિધાનસભા ચૂંટણીનો સમય નજીક છે ત્યારે અનેક પાર્ટી વિવાદના કેન્દ્રમાં હોય છે. ગુજરાતમાં અત્યાર સુધી ભાજપ અને કોંગ્રેસ વચ્ચે યુદ્ધ ચાલતું હતું ત્યારે આ વિધાનસભા ચૂંટણીમાં ત્રીજો આમ આદમી પાર્ટી નામનો પક્ષ પણ મેદાને છે. ચૂંટણી પહેલાના સમયમાં વચનોની બાણવર્ષા સહીત તીખી નિવેદનબાજી પણ થતી નજરે પડતી હોય છે પરંતુ આજકાલ ગુજરાતની રાજનીતિના ઈતિહાસમાં હિંસક બનાવો પણ નોંધાઈ રહ્યા છે.


કેવી રીતે બન્યો મારામારીનો સમગ્ર બનાવ?

આજે આપના કાર્યકરો પર કડુચી ગામના હરેશભાઈ વડવાઈ નામના બીજેપીનાં કાર્યકર્તાએ હુમલો કર્યો હોય તેવા સમાચાર સામે આવી રહ્યા છે. આમ આદમી પાર્ટીનાં કાર્યકર્તા જ્યારે પ્રચાર માટે સંતરામપુરના નાની ભુગેડી ગામ ગયા ત્યારે ભાજપનાં કાર્યકર્તાઓએ લાઠી ચાર્જ કર્યો હતો. જેમાં ડૉ. કલ્પેશ સંઘાડા, મોતીભાઈ ડીંડોર અને અભેસિંહ બામણિયા નામના આપના કાર્યકર્તા ઘાયલ થયા હતા. હવે આ આખી ઘટનામાં આપનાં કાર્યકર્તાના આક્ષેપ છે કે ભાજપનાં કાર્યકર્તાએ તેમના ગાડીનાં કાચ તોડી દીધા ઉપરાંત તેમનો સામાન પણ લઈ લીધો છે. આપના કાર્યકરોને ગંભીર ઈજા થતાં કાર્યકર્તાને હાલ સંતરામપુર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સમગ્ર મામલે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ સંતરામપુર પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધાવી છે.  


ગઈકાલે પણ બની હતી હિંસક ઘટના 

ગઈકાલે અમદાવાદના ગોતમીપુરમાં ભાજપ અને આપના કાર્યકરો વચ્ચે અથડામણ થઈ હતી. અથડામણ દરમિયાન આપના કાર્યકરે ગોમતીપુર વોર્ડના ભાજપના યુવા મોરચાના પ્રમુખ પવન તોમર પર છરી વડે હુમલો કર્યો હતો. ભાજપનો કાર્યકર ઘાયલ થતા શારદાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. 


અહિંસા પ્રેમી બાપુના ગુજરાતનું રાજકારણ સમય મુજબ બદલાઈ રહ્યું છે. રાજકારણ વધુ હિંસક થતું જોવા મળી રહ્યું છે. આવી રીતે ગાંધીના ગુજરાતમાં હુમલાઓ થતાં રહે છે તે ચિંતાનો વિષય છે. ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચેની હિંસક લગાઈ રાજનીતિમાં પણ અલગ પગદંડી બનાવી રહી છે. 



22-23 ઓક્ટોબરે રશિયામાં યોજાનાાર 16માં બ્રિક્સ સંમેલનમાં સંભવતઃ પ્રધાનમંત્રી મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જીનપિંગ સાથે મુલાકાત થઈ શકે છે.. પણ એ પહેલા ભારત-ચીન સરહદ વિવાદને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે..

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. આગામી દિવસોમાં વરસાદ વરસશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.. અનેક વિસ્તારો માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે...

સાવરકુંડલા તાલુકામાં વરસાદને કારણે પાકને નુકસાન થયું છે.. ત્યારે સરકાર દ્વારા નુકસાનીનો જલ્દી સર્વે કરવામાં આવે અને સહાય ચૂકવવામાં આવે તેવી માગ કરી છે...

બાળપણ... જીવનનો એક એવો phase જે આપણને યાદ રહી જાય છે.. બાળપણનું નામ સાંભળતા જ આપણા ચહેરા પર એક અલગ સ્માઈલ આવી જાય.. જૂની યાદો તાજા થઈ જાય.. બાળપણ આખું યાદ આવી જાય.