મહીસાગરના સંતરામપુરમાં આપના કાર્યકરો પર ભાજપના કાર્યકર્તાનો હુમલો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-14 21:47:56

ગુજરાત વિધાનસભા ચૂંટણીનો સમય નજીક છે ત્યારે અનેક પાર્ટી વિવાદના કેન્દ્રમાં હોય છે. ગુજરાતમાં અત્યાર સુધી ભાજપ અને કોંગ્રેસ વચ્ચે યુદ્ધ ચાલતું હતું ત્યારે આ વિધાનસભા ચૂંટણીમાં ત્રીજો આમ આદમી પાર્ટી નામનો પક્ષ પણ મેદાને છે. ચૂંટણી પહેલાના સમયમાં વચનોની બાણવર્ષા સહીત તીખી નિવેદનબાજી પણ થતી નજરે પડતી હોય છે પરંતુ આજકાલ ગુજરાતની રાજનીતિના ઈતિહાસમાં હિંસક બનાવો પણ નોંધાઈ રહ્યા છે.


કેવી રીતે બન્યો મારામારીનો સમગ્ર બનાવ?

આજે આપના કાર્યકરો પર કડુચી ગામના હરેશભાઈ વડવાઈ નામના બીજેપીનાં કાર્યકર્તાએ હુમલો કર્યો હોય તેવા સમાચાર સામે આવી રહ્યા છે. આમ આદમી પાર્ટીનાં કાર્યકર્તા જ્યારે પ્રચાર માટે સંતરામપુરના નાની ભુગેડી ગામ ગયા ત્યારે ભાજપનાં કાર્યકર્તાઓએ લાઠી ચાર્જ કર્યો હતો. જેમાં ડૉ. કલ્પેશ સંઘાડા, મોતીભાઈ ડીંડોર અને અભેસિંહ બામણિયા નામના આપના કાર્યકર્તા ઘાયલ થયા હતા. હવે આ આખી ઘટનામાં આપનાં કાર્યકર્તાના આક્ષેપ છે કે ભાજપનાં કાર્યકર્તાએ તેમના ગાડીનાં કાચ તોડી દીધા ઉપરાંત તેમનો સામાન પણ લઈ લીધો છે. આપના કાર્યકરોને ગંભીર ઈજા થતાં કાર્યકર્તાને હાલ સંતરામપુર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સમગ્ર મામલે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ સંતરામપુર પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધાવી છે.  


ગઈકાલે પણ બની હતી હિંસક ઘટના 

ગઈકાલે અમદાવાદના ગોતમીપુરમાં ભાજપ અને આપના કાર્યકરો વચ્ચે અથડામણ થઈ હતી. અથડામણ દરમિયાન આપના કાર્યકરે ગોમતીપુર વોર્ડના ભાજપના યુવા મોરચાના પ્રમુખ પવન તોમર પર છરી વડે હુમલો કર્યો હતો. ભાજપનો કાર્યકર ઘાયલ થતા શારદાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. 


અહિંસા પ્રેમી બાપુના ગુજરાતનું રાજકારણ સમય મુજબ બદલાઈ રહ્યું છે. રાજકારણ વધુ હિંસક થતું જોવા મળી રહ્યું છે. આવી રીતે ગાંધીના ગુજરાતમાં હુમલાઓ થતાં રહે છે તે ચિંતાનો વિષય છે. ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચેની હિંસક લગાઈ રાજનીતિમાં પણ અલગ પગદંડી બનાવી રહી છે. 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.