સુરેન્દ્રનગરઃ- ભાજપના જીજ્ઞા પંડ્યાએ વઢવાણથી ઉમેદવારી પરત ખેંચી


  • Published By :
  • Published Date : 2022-11-13 17:56:45

ભારતીય જનતા પાર્ટીના વઢવાણના ઉમેદવાર જીજ્ઞા પંડ્યાએ પોતાની ઉમેદવારી પાછી ખેંચી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને તમામ લોકોનો આભાર વ્યક્ત કરતા તેમણે પોતાની ઉમેદવારી પાછી ખેંચવાની જાહેરાત કરી છે. 


મારા સિવાય અન્ય વ્યક્તિને ટિકિટ આપોઃ જીજ્ઞા પંડ્યા

તેમણે જણાવ્યું હતું કે મને મોકો આપવામાં આવ્યો તે બદલ ભાજપનો ખૂબ આભાર. જીજ્ઞા પંડ્યાએ જણાવ્યું હતું કે હું આગળ પણ ભાજપનું કામ કરતી રહીશ. તેમણે જેપી નડ્ડાને વિનંતી કરી છે કે વઢવાણ પર તેમના સિવાય અન્ય કોઈ વ્યક્તિને ટિકિટ આપે. જીજ્ઞા પંડ્યાએ કમલમ જઈને પ્રધાનમંત્રીના નામ પર પત્ર લખ્યો હતો. 


આ તો થઈ પડદાની આગળની વાતો, પરદા પાછળની વાર્તા કંઈક એમ છે કે ભાજપે સત્વારા સમાજના વ્યક્તિને આ વખતે ટિકિટ નહોતી આપી. આથી સત્વારા સમાજના લોકોએ વિરોધ નોંધાવ્યો હતો. આથી ભાજપે ડેમેજ કંટ્રોલ કરવા માટે ભાજપે સત્વારા સમાજના જગદીશ મકવાણાના નામની જાહેરાત કરી છે.  



ઇંગ્લેન્ડની રાજધાની લંડનમાં એક વિમાન અકસ્માત થયો છે. એક નાનું એરક્રાફ્ટ , લંડનના સાઉથએન્ડ એરપોર્ટ ખાતે ક્રેશ થઈ ગયું છે. રનવે પરથી ઉડાન ભર્યાના થોડીવારમાં જ આ વિમાન ક્રેશ થયું હતું . ક્રેશ થયા બાદ આ વિમાન આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું . ક્રેશ થયેલ વિમાન Beech B200 સુપરકિંગ એર હતું, જે લંડનના સાઉથએન્ડ એરપોર્ટથી નેધરલેન્ડ્સના લેલિસ્ટેડ ખાતે જવાનું હતું.

ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખના પદ માટે જોરદાર ઘમાસાણ શરુ થઇ ચૂક્યું છે. એક તરફ , પાટીદાર સમાજે આ પદ માટે દાવો ઠોકી દીધો છે તો , બીજી તરફ કોળી સમાજે પણ પ્રદેશ પ્રમુખના પદ માટે દાવો કર્યો છે. હાલમાં તો , ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ શૈલેષ પરમાર છે. તો હવે ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હી હાઇકમાન્ડે તેડું મોકલાવ્યું છે. આ બેઠકમાં રાહુલ ગાંધીની સાથે મલ્લિકાર્જુન ખરગે પણ હાજર રહેશે .આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસ માટે મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે.

યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના બ્યુરો ઓફ સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયન અફેર્સના (SCA)ના ડેપ્યુટી સેક્રેટરી બેથની મોરિસન ૩ જુલાઈથી ૯ જુલાઈ વચ્ચે ભારતની મુલાકાતે હતા . આ મુલાકાત દરમ્યાન DAS મોરિસને નવી દિલ્હી , ધર્મશાળા અને મુંબઈમાં ભારત - યુએસ વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે મુખ્ય હિસ્સેદારો સાથે વાતચીત કરી હતી . તો આજે આપણે આ આર્ટિકલમાં DAS મોરિસનની મુલાકાત વિશે વિસ્તારથી જાણીશું.

થોડાક સમય અગાઉ ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાને અરેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસે તેમની પાસા હેઠળ ધરપકડ કરીને , તેમને સાબરમતી જેલમાં ધકેલી દીધા છે. અમરનાથ મંદિરમાં આરતી ના કરવા મુદ્દે પીટી જાડેજાએ ધમકી આપી હતી. આ બાબતે , રાજકોટ તાલુકા પોલીસે કાર્યવાહી કરી છે. તો આ મામલે ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિની બા વાળાએ ચીમકી ઉચ્ચારી છે કે , જો ૨૪ કલાકમાં ન્યાય નઈ થાય તો ફરી એકવાર આંદોલન કરીશું . તો હવે પદ્મિની બા વાળાના આ નિવેદનને લઇને ગોંડલથી તેમને ફોન આવ્યો હતો . જેની ઓડીઓ કલીપ ખુબ જ વાઇરલ થઇ રહી છે .