સુરેન્દ્રનગરઃ- ભાજપના જીજ્ઞા પંડ્યાએ વઢવાણથી ઉમેદવારી પરત ખેંચી


  • Published By :
  • Published Date : 2022-11-13 17:56:45

ભારતીય જનતા પાર્ટીના વઢવાણના ઉમેદવાર જીજ્ઞા પંડ્યાએ પોતાની ઉમેદવારી પાછી ખેંચી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને તમામ લોકોનો આભાર વ્યક્ત કરતા તેમણે પોતાની ઉમેદવારી પાછી ખેંચવાની જાહેરાત કરી છે. 


મારા સિવાય અન્ય વ્યક્તિને ટિકિટ આપોઃ જીજ્ઞા પંડ્યા

તેમણે જણાવ્યું હતું કે મને મોકો આપવામાં આવ્યો તે બદલ ભાજપનો ખૂબ આભાર. જીજ્ઞા પંડ્યાએ જણાવ્યું હતું કે હું આગળ પણ ભાજપનું કામ કરતી રહીશ. તેમણે જેપી નડ્ડાને વિનંતી કરી છે કે વઢવાણ પર તેમના સિવાય અન્ય કોઈ વ્યક્તિને ટિકિટ આપે. જીજ્ઞા પંડ્યાએ કમલમ જઈને પ્રધાનમંત્રીના નામ પર પત્ર લખ્યો હતો. 


આ તો થઈ પડદાની આગળની વાતો, પરદા પાછળની વાર્તા કંઈક એમ છે કે ભાજપે સત્વારા સમાજના વ્યક્તિને આ વખતે ટિકિટ નહોતી આપી. આથી સત્વારા સમાજના લોકોએ વિરોધ નોંધાવ્યો હતો. આથી ભાજપે ડેમેજ કંટ્રોલ કરવા માટે ભાજપે સત્વારા સમાજના જગદીશ મકવાણાના નામની જાહેરાત કરી છે.  



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.