સુરેન્દ્રનગરઃ- ભાજપના જીજ્ઞા પંડ્યાએ વઢવાણથી ઉમેદવારી પરત ખેંચી


  • Published By :
  • Published Date : 2022-11-13 17:56:45

ભારતીય જનતા પાર્ટીના વઢવાણના ઉમેદવાર જીજ્ઞા પંડ્યાએ પોતાની ઉમેદવારી પાછી ખેંચી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને તમામ લોકોનો આભાર વ્યક્ત કરતા તેમણે પોતાની ઉમેદવારી પાછી ખેંચવાની જાહેરાત કરી છે. 


મારા સિવાય અન્ય વ્યક્તિને ટિકિટ આપોઃ જીજ્ઞા પંડ્યા

તેમણે જણાવ્યું હતું કે મને મોકો આપવામાં આવ્યો તે બદલ ભાજપનો ખૂબ આભાર. જીજ્ઞા પંડ્યાએ જણાવ્યું હતું કે હું આગળ પણ ભાજપનું કામ કરતી રહીશ. તેમણે જેપી નડ્ડાને વિનંતી કરી છે કે વઢવાણ પર તેમના સિવાય અન્ય કોઈ વ્યક્તિને ટિકિટ આપે. જીજ્ઞા પંડ્યાએ કમલમ જઈને પ્રધાનમંત્રીના નામ પર પત્ર લખ્યો હતો. 


આ તો થઈ પડદાની આગળની વાતો, પરદા પાછળની વાર્તા કંઈક એમ છે કે ભાજપે સત્વારા સમાજના વ્યક્તિને આ વખતે ટિકિટ નહોતી આપી. આથી સત્વારા સમાજના લોકોએ વિરોધ નોંધાવ્યો હતો. આથી ભાજપે ડેમેજ કંટ્રોલ કરવા માટે ભાજપે સત્વારા સમાજના જગદીશ મકવાણાના નામની જાહેરાત કરી છે.  



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.