નેપાળમાં દુર્ઘટનાગ્રસ્ત વિમાનનું બ્લેક બોક્સ મળ્યું, હવે અકસ્માતનું કારણ જાણી શકાશે


  • Published By :
  • Published Date : 2023-01-16 13:55:23

નેપાળમાં કાઠમંડુથી પોખરા જઈ રહેલું  યેતી એરલાઈન્સનું પેસેન્જર પ્લેન રવિવારે દુર્ઘટનાગ્રસ્ત થતા તમામ 72 લોકોના મોત થયા છે. આ ભયાનક દુર્ઘટના બાદ નેપાળી સેનાએ યુધ્ધના ધોરણે સર્ચ ઓપરેશન શરૂ કરી 68 મૃતદેહો બહાર કાઢ્યા છે. આ સર્ચ ઓપરેશન દરમિયાન સોમવારે સવારે ક્રેશ થયેલા પ્લેનનું બ્લેક બોક્સ પણ મળી આવ્યું છે. આજે સોમવારે (16 જાન્યુઆરી, 2023) નેપાળ આર્મીના પ્રવક્તા કૃષ્ણ પ્રસાદ ભંડારીએ કહ્યું કે તેઓ એક પણ મુસાફરને જીવતો બચાવી શક્યા નથી. વિમાનમાં 4 ક્રૂ મેમ્બર સહિત 72 લોકો સવાર હતા. મૃતકોમાં 5 ભારતીયોનો પણ સમાવેશ થાય છે.  


દુર્ઘટનાને લઈ તપાસ કમિટીની રચના


નેપાળમાં યેતી એરલાઈન્સનું પેસેન્જર પ્લેન પહાડ સાથે ટકરાયા બાદ  પ્લેન ખાઈમાં પડી જતા તમામ વિમાનમાં સવાર તમામ 72 લોકોના મોત થયા છે. હવે નેપાળ સરકારે આ ભયંકર દુર્ઘટનાના કારણો શોધવા માટે ખાસ તપાસ કમિટીની રચના કરી છે. વિમાન દુર્ઘટના બાદ નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલે મંત્રી પરિષદની ઈમરજન્સી બેઠક બોલાવી છે. તેમણે ગૃહ મંત્રાલય, સુરક્ષા કર્મચારીઓ અને તમામ સરકારી એજન્સીઓને તાત્કાલિક બચાવ અને રાહત કામગીરી હાથ ધરવા નિર્દેશ આપ્યો છે. નેપાળ પ્રશાસને અકસ્માતની તપાસ માટે એક વિશેષ સમિતિની રચના કરી છે, જે દુર્ઘટનાનું કારણ શોધી કાઢશે અને 45 દિવસ પછી તેનો રિપોર્ટ વહીવટીતંત્રને સોંપશે.



ઇંગ્લેન્ડની રાજધાની લંડનમાં એક વિમાન અકસ્માત થયો છે. એક નાનું એરક્રાફ્ટ , લંડનના સાઉથએન્ડ એરપોર્ટ ખાતે ક્રેશ થઈ ગયું છે. રનવે પરથી ઉડાન ભર્યાના થોડીવારમાં જ આ વિમાન ક્રેશ થયું હતું . ક્રેશ થયા બાદ આ વિમાન આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું . ક્રેશ થયેલ વિમાન Beech B200 સુપરકિંગ એર હતું, જે લંડનના સાઉથએન્ડ એરપોર્ટથી નેધરલેન્ડ્સના લેલિસ્ટેડ ખાતે જવાનું હતું.

ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખના પદ માટે જોરદાર ઘમાસાણ શરુ થઇ ચૂક્યું છે. એક તરફ , પાટીદાર સમાજે આ પદ માટે દાવો ઠોકી દીધો છે તો , બીજી તરફ કોળી સમાજે પણ પ્રદેશ પ્રમુખના પદ માટે દાવો કર્યો છે. હાલમાં તો , ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ શૈલેષ પરમાર છે. તો હવે ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હી હાઇકમાન્ડે તેડું મોકલાવ્યું છે. આ બેઠકમાં રાહુલ ગાંધીની સાથે મલ્લિકાર્જુન ખરગે પણ હાજર રહેશે .આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસ માટે મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે.

યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના બ્યુરો ઓફ સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયન અફેર્સના (SCA)ના ડેપ્યુટી સેક્રેટરી બેથની મોરિસન ૩ જુલાઈથી ૯ જુલાઈ વચ્ચે ભારતની મુલાકાતે હતા . આ મુલાકાત દરમ્યાન DAS મોરિસને નવી દિલ્હી , ધર્મશાળા અને મુંબઈમાં ભારત - યુએસ વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે મુખ્ય હિસ્સેદારો સાથે વાતચીત કરી હતી . તો આજે આપણે આ આર્ટિકલમાં DAS મોરિસનની મુલાકાત વિશે વિસ્તારથી જાણીશું.

થોડાક સમય અગાઉ ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાને અરેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસે તેમની પાસા હેઠળ ધરપકડ કરીને , તેમને સાબરમતી જેલમાં ધકેલી દીધા છે. અમરનાથ મંદિરમાં આરતી ના કરવા મુદ્દે પીટી જાડેજાએ ધમકી આપી હતી. આ બાબતે , રાજકોટ તાલુકા પોલીસે કાર્યવાહી કરી છે. તો આ મામલે ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિની બા વાળાએ ચીમકી ઉચ્ચારી છે કે , જો ૨૪ કલાકમાં ન્યાય નઈ થાય તો ફરી એકવાર આંદોલન કરીશું . તો હવે પદ્મિની બા વાળાના આ નિવેદનને લઇને ગોંડલથી તેમને ફોન આવ્યો હતો . જેની ઓડીઓ કલીપ ખુબ જ વાઇરલ થઇ રહી છે .