નેપાળમાં દુર્ઘટનાગ્રસ્ત વિમાનનું બ્લેક બોક્સ મળ્યું, હવે અકસ્માતનું કારણ જાણી શકાશે


  • Published By :
  • Published Date : 2023-01-16 13:55:23

નેપાળમાં કાઠમંડુથી પોખરા જઈ રહેલું  યેતી એરલાઈન્સનું પેસેન્જર પ્લેન રવિવારે દુર્ઘટનાગ્રસ્ત થતા તમામ 72 લોકોના મોત થયા છે. આ ભયાનક દુર્ઘટના બાદ નેપાળી સેનાએ યુધ્ધના ધોરણે સર્ચ ઓપરેશન શરૂ કરી 68 મૃતદેહો બહાર કાઢ્યા છે. આ સર્ચ ઓપરેશન દરમિયાન સોમવારે સવારે ક્રેશ થયેલા પ્લેનનું બ્લેક બોક્સ પણ મળી આવ્યું છે. આજે સોમવારે (16 જાન્યુઆરી, 2023) નેપાળ આર્મીના પ્રવક્તા કૃષ્ણ પ્રસાદ ભંડારીએ કહ્યું કે તેઓ એક પણ મુસાફરને જીવતો બચાવી શક્યા નથી. વિમાનમાં 4 ક્રૂ મેમ્બર સહિત 72 લોકો સવાર હતા. મૃતકોમાં 5 ભારતીયોનો પણ સમાવેશ થાય છે.  


દુર્ઘટનાને લઈ તપાસ કમિટીની રચના


નેપાળમાં યેતી એરલાઈન્સનું પેસેન્જર પ્લેન પહાડ સાથે ટકરાયા બાદ  પ્લેન ખાઈમાં પડી જતા તમામ વિમાનમાં સવાર તમામ 72 લોકોના મોત થયા છે. હવે નેપાળ સરકારે આ ભયંકર દુર્ઘટનાના કારણો શોધવા માટે ખાસ તપાસ કમિટીની રચના કરી છે. વિમાન દુર્ઘટના બાદ નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલે મંત્રી પરિષદની ઈમરજન્સી બેઠક બોલાવી છે. તેમણે ગૃહ મંત્રાલય, સુરક્ષા કર્મચારીઓ અને તમામ સરકારી એજન્સીઓને તાત્કાલિક બચાવ અને રાહત કામગીરી હાથ ધરવા નિર્દેશ આપ્યો છે. નેપાળ પ્રશાસને અકસ્માતની તપાસ માટે એક વિશેષ સમિતિની રચના કરી છે, જે દુર્ઘટનાનું કારણ શોધી કાઢશે અને 45 દિવસ પછી તેનો રિપોર્ટ વહીવટીતંત્રને સોંપશે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.