નેપાળમાં દુર્ઘટનાગ્રસ્ત વિમાનનું બ્લેક બોક્સ મળ્યું, હવે અકસ્માતનું કારણ જાણી શકાશે


  • Published By :
  • Published Date : 2023-01-16 13:55:23

નેપાળમાં કાઠમંડુથી પોખરા જઈ રહેલું  યેતી એરલાઈન્સનું પેસેન્જર પ્લેન રવિવારે દુર્ઘટનાગ્રસ્ત થતા તમામ 72 લોકોના મોત થયા છે. આ ભયાનક દુર્ઘટના બાદ નેપાળી સેનાએ યુધ્ધના ધોરણે સર્ચ ઓપરેશન શરૂ કરી 68 મૃતદેહો બહાર કાઢ્યા છે. આ સર્ચ ઓપરેશન દરમિયાન સોમવારે સવારે ક્રેશ થયેલા પ્લેનનું બ્લેક બોક્સ પણ મળી આવ્યું છે. આજે સોમવારે (16 જાન્યુઆરી, 2023) નેપાળ આર્મીના પ્રવક્તા કૃષ્ણ પ્રસાદ ભંડારીએ કહ્યું કે તેઓ એક પણ મુસાફરને જીવતો બચાવી શક્યા નથી. વિમાનમાં 4 ક્રૂ મેમ્બર સહિત 72 લોકો સવાર હતા. મૃતકોમાં 5 ભારતીયોનો પણ સમાવેશ થાય છે.  


દુર્ઘટનાને લઈ તપાસ કમિટીની રચના


નેપાળમાં યેતી એરલાઈન્સનું પેસેન્જર પ્લેન પહાડ સાથે ટકરાયા બાદ  પ્લેન ખાઈમાં પડી જતા તમામ વિમાનમાં સવાર તમામ 72 લોકોના મોત થયા છે. હવે નેપાળ સરકારે આ ભયંકર દુર્ઘટનાના કારણો શોધવા માટે ખાસ તપાસ કમિટીની રચના કરી છે. વિમાન દુર્ઘટના બાદ નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલે મંત્રી પરિષદની ઈમરજન્સી બેઠક બોલાવી છે. તેમણે ગૃહ મંત્રાલય, સુરક્ષા કર્મચારીઓ અને તમામ સરકારી એજન્સીઓને તાત્કાલિક બચાવ અને રાહત કામગીરી હાથ ધરવા નિર્દેશ આપ્યો છે. નેપાળ પ્રશાસને અકસ્માતની તપાસ માટે એક વિશેષ સમિતિની રચના કરી છે, જે દુર્ઘટનાનું કારણ શોધી કાઢશે અને 45 દિવસ પછી તેનો રિપોર્ટ વહીવટીતંત્રને સોંપશે.



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .