ઉત્તર પ્રદેશના બારાબંકીમાં 25 લોકો ભરેલી હોડકી ડૂબી, 3 લોકોના મોત


  • Published By :
  • Published Date : 2022-11-08 19:13:22

ઉત્તર પ્રદેશના બારાબંકી જિલ્લાના મોહમ્મદપુરા વિસ્તારમાં 25 લોકોને લઈ જતી હોડકી ડૂબવાનો બનાવ બન્યો હતો. આ દુર્ઘટનામાં સુમલી નદીમાં ડૂબી જતાં 3 લોકોના મોત થયા હતા. તમામ લોકો સુમલી નદી પરથી પસાર થઈ રહ્યા હતા. 25માંથી 6-7 લોકો નદીમાં ડૂબ ગયા હતા.


25 લોકો ભરેલી હોડકી ડૂબી, 3 લોકોના મોત

મોહમ્મદપુર ખાલા થાણા વિસ્તારમાં કારતક પૂનમના કારણે લોકો ઘઘરન મેળામાં જવાનું આયોજન કરી રહ્યા હતા. સોમવારે સાંજે સુમલી નદી પરથી 25 લોકો હોડકીમાં બેસીને નદી પસાર કરી રહ્યા હતા. તમામ લોકો ઘઘરનના મેળામાં જઈ રહ્યા હતા તે દરમિયાન જ હોડકી હલવા લાગી હતી. કોઈ કંઈ કરી શકે તેની પહેલા જ ઘડીવારમાં હોડકી પલટી ગઈ હતી.

 

યોગી આદિત્યનાથે દુઃખ વ્યક્ત કર્યું

હોડકી પલટી જતાં લોકો નદીમાં ડૂબી ગયા હતા, જેમને તરતા આવડતું હતું તે લોકો તરીને નદી બહાર આવી ગયા હતા. છ લોકો ડૂબતા સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી અને પોલીસ ઘટનાસ્થળે આવી ગઈ હતી. પોલીસે પહોંચીને મૃતકોના શરીરને બહાર કઢાવ્યા હતા. મૃતકો કોણ છે તે મામલે તપાસ કરવામાં આવી રહી છે.  

 



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.