ઉત્તર પ્રદેશના બારાબંકીમાં 25 લોકો ભરેલી હોડકી ડૂબી, 3 લોકોના મોત


  • Published By :
  • Published Date : 2022-11-08 19:13:22

ઉત્તર પ્રદેશના બારાબંકી જિલ્લાના મોહમ્મદપુરા વિસ્તારમાં 25 લોકોને લઈ જતી હોડકી ડૂબવાનો બનાવ બન્યો હતો. આ દુર્ઘટનામાં સુમલી નદીમાં ડૂબી જતાં 3 લોકોના મોત થયા હતા. તમામ લોકો સુમલી નદી પરથી પસાર થઈ રહ્યા હતા. 25માંથી 6-7 લોકો નદીમાં ડૂબ ગયા હતા.


25 લોકો ભરેલી હોડકી ડૂબી, 3 લોકોના મોત

મોહમ્મદપુર ખાલા થાણા વિસ્તારમાં કારતક પૂનમના કારણે લોકો ઘઘરન મેળામાં જવાનું આયોજન કરી રહ્યા હતા. સોમવારે સાંજે સુમલી નદી પરથી 25 લોકો હોડકીમાં બેસીને નદી પસાર કરી રહ્યા હતા. તમામ લોકો ઘઘરનના મેળામાં જઈ રહ્યા હતા તે દરમિયાન જ હોડકી હલવા લાગી હતી. કોઈ કંઈ કરી શકે તેની પહેલા જ ઘડીવારમાં હોડકી પલટી ગઈ હતી.

 

યોગી આદિત્યનાથે દુઃખ વ્યક્ત કર્યું

હોડકી પલટી જતાં લોકો નદીમાં ડૂબી ગયા હતા, જેમને તરતા આવડતું હતું તે લોકો તરીને નદી બહાર આવી ગયા હતા. છ લોકો ડૂબતા સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી અને પોલીસ ઘટનાસ્થળે આવી ગઈ હતી. પોલીસે પહોંચીને મૃતકોના શરીરને બહાર કઢાવ્યા હતા. મૃતકો કોણ છે તે મામલે તપાસ કરવામાં આવી રહી છે.  

 



આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.