ઉત્તર પ્રદેશના બારાબંકીમાં 25 લોકો ભરેલી હોડકી ડૂબી, 3 લોકોના મોત


  • Published By :
  • Published Date : 2022-11-08 19:13:22

ઉત્તર પ્રદેશના બારાબંકી જિલ્લાના મોહમ્મદપુરા વિસ્તારમાં 25 લોકોને લઈ જતી હોડકી ડૂબવાનો બનાવ બન્યો હતો. આ દુર્ઘટનામાં સુમલી નદીમાં ડૂબી જતાં 3 લોકોના મોત થયા હતા. તમામ લોકો સુમલી નદી પરથી પસાર થઈ રહ્યા હતા. 25માંથી 6-7 લોકો નદીમાં ડૂબ ગયા હતા.


25 લોકો ભરેલી હોડકી ડૂબી, 3 લોકોના મોત

મોહમ્મદપુર ખાલા થાણા વિસ્તારમાં કારતક પૂનમના કારણે લોકો ઘઘરન મેળામાં જવાનું આયોજન કરી રહ્યા હતા. સોમવારે સાંજે સુમલી નદી પરથી 25 લોકો હોડકીમાં બેસીને નદી પસાર કરી રહ્યા હતા. તમામ લોકો ઘઘરનના મેળામાં જઈ રહ્યા હતા તે દરમિયાન જ હોડકી હલવા લાગી હતી. કોઈ કંઈ કરી શકે તેની પહેલા જ ઘડીવારમાં હોડકી પલટી ગઈ હતી.

 

યોગી આદિત્યનાથે દુઃખ વ્યક્ત કર્યું

હોડકી પલટી જતાં લોકો નદીમાં ડૂબી ગયા હતા, જેમને તરતા આવડતું હતું તે લોકો તરીને નદી બહાર આવી ગયા હતા. છ લોકો ડૂબતા સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી અને પોલીસ ઘટનાસ્થળે આવી ગઈ હતી. પોલીસે પહોંચીને મૃતકોના શરીરને બહાર કઢાવ્યા હતા. મૃતકો કોણ છે તે મામલે તપાસ કરવામાં આવી રહી છે.  

 



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે