ઉત્તર પ્રદેશના બારાબંકીમાં 25 લોકો ભરેલી હોડકી ડૂબી, 3 લોકોના મોત


  • Published By :
  • Published Date : 2022-11-08 19:13:22

ઉત્તર પ્રદેશના બારાબંકી જિલ્લાના મોહમ્મદપુરા વિસ્તારમાં 25 લોકોને લઈ જતી હોડકી ડૂબવાનો બનાવ બન્યો હતો. આ દુર્ઘટનામાં સુમલી નદીમાં ડૂબી જતાં 3 લોકોના મોત થયા હતા. તમામ લોકો સુમલી નદી પરથી પસાર થઈ રહ્યા હતા. 25માંથી 6-7 લોકો નદીમાં ડૂબ ગયા હતા.


25 લોકો ભરેલી હોડકી ડૂબી, 3 લોકોના મોત

મોહમ્મદપુર ખાલા થાણા વિસ્તારમાં કારતક પૂનમના કારણે લોકો ઘઘરન મેળામાં જવાનું આયોજન કરી રહ્યા હતા. સોમવારે સાંજે સુમલી નદી પરથી 25 લોકો હોડકીમાં બેસીને નદી પસાર કરી રહ્યા હતા. તમામ લોકો ઘઘરનના મેળામાં જઈ રહ્યા હતા તે દરમિયાન જ હોડકી હલવા લાગી હતી. કોઈ કંઈ કરી શકે તેની પહેલા જ ઘડીવારમાં હોડકી પલટી ગઈ હતી.

 

યોગી આદિત્યનાથે દુઃખ વ્યક્ત કર્યું

હોડકી પલટી જતાં લોકો નદીમાં ડૂબી ગયા હતા, જેમને તરતા આવડતું હતું તે લોકો તરીને નદી બહાર આવી ગયા હતા. છ લોકો ડૂબતા સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી અને પોલીસ ઘટનાસ્થળે આવી ગઈ હતી. પોલીસે પહોંચીને મૃતકોના શરીરને બહાર કઢાવ્યા હતા. મૃતકો કોણ છે તે મામલે તપાસ કરવામાં આવી રહી છે.  

 



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.