અમદાવાદના મકરબામાં યુવકની હત્યાથી ચકચાર, ઘડ અને માથું અલગ મળી આવ્યા


  • Published By :
  • Published Date : 2023-11-05 12:18:09

રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થીતી દિનપ્રતિદિન કથળી રહી છે. તેમાં પણ સુરત અને અમદાવાદ જેવા શહેરોમાં ચોરી, લૂંટ, મારામારી, બળાત્કાર અને હત્યાની ઘટનાઓ ચિંતાજનજક રતી વધી રહી છે. અમદાવાદના મકરબા-કોર્પોરેટ રોડ પર એક યુવકની ઘડ વગરની લાશ મળી આલતા ચકચાર મચી ગઈ છે. હત્યાના સમાચાર મળતા આનંદ નગર પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. મૃતક યુવકનું માથું અને શરીર અલગ-અલગ મળી આવ્યા હતા. મકરબાના ગ્રીન એકર બિલ્ડિંગ પાસે હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો. પોલીસે અજાણ્યા શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


હત્યા માટે કરાયો તીક્ષ્ણ હથિયારનો ઉપયોગ


અમદાવાદના એસ.જી. હાઇવે પર મકરબા મકરબા-કોર્પોરેટ રોડ પર યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. મૃત યુવકના માથા તથા મોંઢા અને ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા જોઈ પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ મૃતર યુવક ક્યાનો હતો તે અંગે કોઈ જાણકારી મળી શકી નથી. પોલીસે હત્યારાઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યો છે. અંગત અદાવતમાં એક યુવકની હત્યા કરી દેવામાં આવી હોવાનું માનવામાં આવી રહ્યું છે, પોલીસે એફએસએલની મદદ લઈ વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસ બાદ જ મૃતક યુવક, તેના હત્યારાઓ અને શા માટે હત્યા કરવામાં આવી તેનો ભેદ ઉકેલી શકાશે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.