અમદાવાદના મકરબામાં યુવકની હત્યાથી ચકચાર, ઘડ અને માથું અલગ મળી આવ્યા


  • Published By :
  • Published Date : 2023-11-05 12:18:09

રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થીતી દિનપ્રતિદિન કથળી રહી છે. તેમાં પણ સુરત અને અમદાવાદ જેવા શહેરોમાં ચોરી, લૂંટ, મારામારી, બળાત્કાર અને હત્યાની ઘટનાઓ ચિંતાજનજક રતી વધી રહી છે. અમદાવાદના મકરબા-કોર્પોરેટ રોડ પર એક યુવકની ઘડ વગરની લાશ મળી આલતા ચકચાર મચી ગઈ છે. હત્યાના સમાચાર મળતા આનંદ નગર પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. મૃતક યુવકનું માથું અને શરીર અલગ-અલગ મળી આવ્યા હતા. મકરબાના ગ્રીન એકર બિલ્ડિંગ પાસે હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો. પોલીસે અજાણ્યા શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


હત્યા માટે કરાયો તીક્ષ્ણ હથિયારનો ઉપયોગ


અમદાવાદના એસ.જી. હાઇવે પર મકરબા મકરબા-કોર્પોરેટ રોડ પર યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. મૃત યુવકના માથા તથા મોંઢા અને ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા જોઈ પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ મૃતર યુવક ક્યાનો હતો તે અંગે કોઈ જાણકારી મળી શકી નથી. પોલીસે હત્યારાઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યો છે. અંગત અદાવતમાં એક યુવકની હત્યા કરી દેવામાં આવી હોવાનું માનવામાં આવી રહ્યું છે, પોલીસે એફએસએલની મદદ લઈ વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસ બાદ જ મૃતક યુવક, તેના હત્યારાઓ અને શા માટે હત્યા કરવામાં આવી તેનો ભેદ ઉકેલી શકાશે.



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી