અમદાવાદના મકરબામાં યુવકની હત્યાથી ચકચાર, ઘડ અને માથું અલગ મળી આવ્યા


  • Published By :
  • Published Date : 2023-11-05 12:18:09

રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થીતી દિનપ્રતિદિન કથળી રહી છે. તેમાં પણ સુરત અને અમદાવાદ જેવા શહેરોમાં ચોરી, લૂંટ, મારામારી, બળાત્કાર અને હત્યાની ઘટનાઓ ચિંતાજનજક રતી વધી રહી છે. અમદાવાદના મકરબા-કોર્પોરેટ રોડ પર એક યુવકની ઘડ વગરની લાશ મળી આલતા ચકચાર મચી ગઈ છે. હત્યાના સમાચાર મળતા આનંદ નગર પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. મૃતક યુવકનું માથું અને શરીર અલગ-અલગ મળી આવ્યા હતા. મકરબાના ગ્રીન એકર બિલ્ડિંગ પાસે હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો. પોલીસે અજાણ્યા શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


હત્યા માટે કરાયો તીક્ષ્ણ હથિયારનો ઉપયોગ


અમદાવાદના એસ.જી. હાઇવે પર મકરબા મકરબા-કોર્પોરેટ રોડ પર યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. મૃત યુવકના માથા તથા મોંઢા અને ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા જોઈ પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ મૃતર યુવક ક્યાનો હતો તે અંગે કોઈ જાણકારી મળી શકી નથી. પોલીસે હત્યારાઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યો છે. અંગત અદાવતમાં એક યુવકની હત્યા કરી દેવામાં આવી હોવાનું માનવામાં આવી રહ્યું છે, પોલીસે એફએસએલની મદદ લઈ વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસ બાદ જ મૃતક યુવક, તેના હત્યારાઓ અને શા માટે હત્યા કરવામાં આવી તેનો ભેદ ઉકેલી શકાશે.



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.