કોર્ટે EDની ઝાટકણી કાઢી, "પુરાવા હોવા છતાં તમે જેક્લિન ફર્નાન્ડિઝની ધરપકડ કેમ ન કરી?"


  • Published By :
  • Published Date : 2022-11-10 15:31:43

બોલિવુડ અભિનેત્રી જેક્લિન ફર્નાન્ડિઝની મુશ્કેલી વધી રહી છે. તેના રેગ્યુલર જામીન પર કાલે નિર્ણય થશે.  પટિયાલા કોર્ટે ઓર્ડર કાલ સુધી ઓર્ડર મુલતવી રાખ્યો છે. આજે જેક્લિન અને પિંકી ઈરાની કોર્ટમાં હાજર થઈ હતી. કોર્ટે પિંકીના વકીલને પુછ્યું કે તમને તમામ દસ્તાવેજોની કોપી મળી ગઈ છે. 




જેક્લિનના વકીલે કહ્યું કે તે  તપાસમાં સહયોગ આપી રહી છે, અને તેમ છતાં પણ તેના પર દેશ છોડીને ભાગી જવાનો આરોપ થઈ રહ્યો છે. જેક્લિનના વકીલે તેના અસીલને રેગ્યુલર જામીન મળવા જોઈએ તેવી દલીલ કરી હતી. જો કે ઈડીએ તેના જામીનનો વિરોધ કર્યો હતો. ઈડીએ પુરાવા સાથે છેડછાડની આશંકા વ્યક્ત કરી હતી. વળી જેક્લિને ઈડીના કોઈ સવાલનો જવાબ સ્પષ્ટ રીતે આપ્યો નથી. 


કોર્ટે ઈડીની ઝાટકણી કાઢી


કોર્ટે ઈડીને સવાલ કર્યો કે જો તમારી પાસે જેક્લિનની સામે સંપુર્ણ પુરાવા છે તો તમે તેની ધરપકડ કેમ નથી કરતા?  તમે એલઓસી તો જારી કરી છે પણ જેક્લિનની ધરપકડ કેમ નથી કરી? આ કેસના તમામ આરોપી જેલમાં છે તો કોર્ટે ઈડીને પુછ્યું  કે તમે પિક એન્ડ ચૂઝની નીતિ શા માટે અપનાવી રહ્યા છો? કોર્ટે પુછ્યું કે આ કેસમાં તપાસનું વર્તુળ કેટલું મોટું છે? 100 કરોડ રૂપિયા ક્યા ગયા? તપાસ ક્યા સુધી પહોંચી છે?



સાબરકાંઠામાં ભીખાજી ઠાકોરે ઉમેદવારી પાછી ખેંચી લીધી જેને લઈ વિરોધ કરવામાં આવી રહ્યો છે. અલગ અલગ જગ્યાઓ પર વિરોધ કરવામાં આવ્યો તેમના સમર્થકો દ્વારા. ત્યારે વિવાદને શાંત કરવા માટે ભાજપે કવાયત શરૂ કરી દીધી છે જેના ભાગરૂપે હર્ષ સંઘવી સાબરકાંઠાના પ્રવાસે ગયા છે.

બેરોજગારીનું દર ભારતમાં પ્રતિવર્ષ વધી રહ્યું છે. શિક્ષિત યુવકો બેરોજગારો વધારે નોંધાયા છે. બેરોજગારોમાં શિક્ષિત લોકોની ટકાવારી સૌથી વધારે છે. આવનાર સમયમાં આ બેરોજગારી દર વધારે વધી પણ શકે છે.

ગુજરાતના અનેક સાંસદોના પત્તા ભારતીય જનતા પાર્ટી દ્વારા કાપવામાં આવી છે. અમુક સાંસદોને જ રિપીટ કરવામાં આવ્યા છે. સાંસદોનું રિપોર્ટ કાર્ડ જોઈએ તો જે સાંસદોએ સંસદમાં ઓછા પ્રશ્ન પૂછ્યા છે તેમને ટિકીટ આપવામાં આવી છે.

ચૂંટણી લડવા માટે નિર્મલા સીતારમણે ના પાડી દીધી છે. પાર્ટી દ્વારા તેમણે ઓફર કરવામાં આવી હતી પરંતુ તેમણે પૈસા નથી તેમ કહી ચૂંટણી લડવાનો ઈન્કાર કર્યો છે.