કોર્ટે EDની ઝાટકણી કાઢી, "પુરાવા હોવા છતાં તમે જેક્લિન ફર્નાન્ડિઝની ધરપકડ કેમ ન કરી?"


  • Published By :
  • Published Date : 2022-11-10 15:31:43

બોલિવુડ અભિનેત્રી જેક્લિન ફર્નાન્ડિઝની મુશ્કેલી વધી રહી છે. તેના રેગ્યુલર જામીન પર કાલે નિર્ણય થશે.  પટિયાલા કોર્ટે ઓર્ડર કાલ સુધી ઓર્ડર મુલતવી રાખ્યો છે. આજે જેક્લિન અને પિંકી ઈરાની કોર્ટમાં હાજર થઈ હતી. કોર્ટે પિંકીના વકીલને પુછ્યું કે તમને તમામ દસ્તાવેજોની કોપી મળી ગઈ છે. 




જેક્લિનના વકીલે કહ્યું કે તે  તપાસમાં સહયોગ આપી રહી છે, અને તેમ છતાં પણ તેના પર દેશ છોડીને ભાગી જવાનો આરોપ થઈ રહ્યો છે. જેક્લિનના વકીલે તેના અસીલને રેગ્યુલર જામીન મળવા જોઈએ તેવી દલીલ કરી હતી. જો કે ઈડીએ તેના જામીનનો વિરોધ કર્યો હતો. ઈડીએ પુરાવા સાથે છેડછાડની આશંકા વ્યક્ત કરી હતી. વળી જેક્લિને ઈડીના કોઈ સવાલનો જવાબ સ્પષ્ટ રીતે આપ્યો નથી. 


કોર્ટે ઈડીની ઝાટકણી કાઢી


કોર્ટે ઈડીને સવાલ કર્યો કે જો તમારી પાસે જેક્લિનની સામે સંપુર્ણ પુરાવા છે તો તમે તેની ધરપકડ કેમ નથી કરતા?  તમે એલઓસી તો જારી કરી છે પણ જેક્લિનની ધરપકડ કેમ નથી કરી? આ કેસના તમામ આરોપી જેલમાં છે તો કોર્ટે ઈડીને પુછ્યું  કે તમે પિક એન્ડ ચૂઝની નીતિ શા માટે અપનાવી રહ્યા છો? કોર્ટે પુછ્યું કે આ કેસમાં તપાસનું વર્તુળ કેટલું મોટું છે? 100 કરોડ રૂપિયા ક્યા ગયા? તપાસ ક્યા સુધી પહોંચી છે?



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.