આ અભિનેત્રીને કેનેડામાં નડ્યો અકસ્માત:સ્કૂલથી તેના બાળકો લઇ પરત ફરતા સમયે પૂરઝડપે આવતી કારે ટક્કર મારી


  • Published By :
  • Published Date : 2022-11-03 10:45:32

બોલિવૂડ અભિનેત્રી રંભાને લઇ મોટા સમાચાર સામે આવ્યાં છે. અભિનેત્રી રંભાનું કેનેડામાં 1 તારીખે કાર અકસ્માત થયો છે. આ દરમિયાન કારમાં રંભા સહિત તેના બાળકો અને તેના નાની સાથે હતા. જોકે સારી વાત એ છે કે, અકસ્માતમાં કોઇને ગંભીર ઇજા થઇ નથી.પરંતુ રંભાની દીકરી સાશા હજુ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.


Rambha and her children injured in car accident in Canada, actor asks fans  to pray for daughter Sasha: 'Bad days bad time' | Entertainment News,The  Indian Express


સમગ્ર ઘટના અંગે અભિનેત્રીએ ખુદ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર અકસ્માતની તસવીરો શેર કરી જણાવ્યું છે. અભિનેત્રીએ તસવીર શેર કરી લોકોને તેની દીકરી સાશા માટે પ્રાર્થના કરવા માટે અનુરોધ કર્યો છે.


રંભાએ અકસ્માત કંઇ રીતે થયો તે વિશે જણાવ્યું છે કે, સ્કૂલથી તેના બાળકો લઇ પરત ફરતા સમયે પૂરઝડપે આવતી કારે અમારી કારને ટક્કર મારી હતી. જેને પગલે અમેન સામાન્ય ઇજાઓ પહોંચી છે. જોકે અમે સલામત છીએ, પણ મારી દીકરી સાશા હજુ હોસ્પિટલમાં દાખલ છે. પ્લીઝ અમારા માટે પ્રાર્થના કરો. તમારી દુઆ અમારા માટે અત્યંત મૂલ્યવાન છે.

एक्ट्रेस रंभा की कार का हुआ एक्सीडेंट, सामने आईं दिल दहलाने वालीं  Photos/salman khan film judwaa actress rambha car accident daughter  admitted in hospital actress shares damage car photos - India TV

રંભાએ કરેલા અકસ્માતના ખુલાસા બાદ તુરંતજ એક્ટર શ્રીદેવી વિજયકુમારે તેની પોસ્ટ પર પ્રતિક્રિયા આપી છે. અભિનેત્રીએ લખ્યું છે કે, તમે સલામત છો એ સાંભળીને ખુબ આનંદ થયો, ધ્યાન રાખજો…જ્યારે એક્ટર વિકાસ કલંત્રીએ લખ્યું હતું કે, ઓહ માય ગોડ, ટેક કેર, પ્રેમ એન્ડ પ્રાર્થના.


અભિનેત્રી રભા હિંદી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો ચમકતો ચહેરો રહી ચૂકી છે

Who is Rambha And What is She Doing Now After Quitting Bollywood All About  Bandhan Fame Actress

આ સાથે તે તેલુગુ, તમિલ કન્નડ, મલયાલમ, બંગાળી, ઇંગ્લિશ સહિતની ફિલ્મોમાં પોતાનો જલવો દેખાડી ચૂકી છે. અભિનેત્રી રંભાએ બે દાયકામાં લગભગ 100 ફિલ્મોમાં કામ કર્યું છે. રંભાનું અસલી નામ વિજયલક્ષ્મી છે. ઉલ્લેખનીય છે કે, અભિનેત્રી રંભાને સલમાન ખાન સાથે કરેલી ફિલ્મ ‘જુડવા’થી સાચી ઓળખ મળી હતી.



રાજકોટમાં આવેલી આજી નદી પર રિવરફ્રન્ટ બનાવવાનો રસ્તો હવે સાફ થઇ ચુક્યો છે. કેમ કે , જંગલેશ્વર વિસ્તારમાં અંદાજે ૪૦૦ કરોડ રૂપિયાની કિંમતની સરકારી જમીન પર ખડકાયેલા ૧૩૫૮ જેટલા મકાનોને દૂર કરવામાં આવશે. આ માટે ગુજરાતના મહેસુલી પંચ દ્વારા સ્થાનિક દબાણકારોની અપીલને રદ કરતો ચુકાદો આપી દેવામાં આવ્યો છે. આ ચુકાદા પછી , ટૂંક સમયમાં જ જંગલેશ્વરમાં ફરી એકવાર ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

" આજે ઈરાન માટે ખુબ મોટો દિવસ છે કેમ કે , ઈરાન પર ખુબ ઘાતક હુમલો કરવામાં આવ્યો છે. " આ શબ્દો છે , અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ. આ એજ રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ છે કે જેઓ , અમેરિકામાં રાષ્ટ્રપતિપદની ચૂંટણીઓના પ્રચાર દરમ્યાન , અમેરિકાને કોઈ પણ નવા યુદ્ધમાં ના ઝોંકવાની કસમ ખાતા હતા અને આજે તેઓ , તેમના બીજા કાર્યકાળના શરુ થયે માત્ર ૧૩ મહિનાની અંદર , ઈરાન પર ખુબ ભારે બોમ્બમારો કરાવી રહ્યા છે. આવનારા , સમયમાં અમેરિકા જમીની સ્તરે ઈરાન પર આક્રમણ કરી શકે છે. તો બીજી તરફ , કુવૈતથી ખબર આવી છે કે , ઈરાનના હુમલામાં એક ભારતીયએ જીવ ગુમાવ્યો છે. વાત કરીએ , ભારતની તો , પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે જે ઉર્જા સંકટ ભારત સામે ઉભું થયું છે તેની સામે કેરોસીનના વેચાણને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

ગુજરાતમાં છેલ્લા ૬ મહિનામાં પોલીસ પર હુમલાની ઘટનામાં વધારો થયો છે. ઓક્ટોબર ૨૦૨૫માં બોટાદના હડદડ ગામે થયેલી હિંસા અને ત્યારબાદ અંબાજીના પાડલીયા ગામે ડિસેમ્બર ૨૦૨૫માં પોલીસ સાથે ઘર્ષણની ઘટના સામે આવી હતી. આ ઉપરાંત થોડાક સમય અગાઉ , પાટણના ઝીલીયા ગામે , અસામાજિક તત્વો દ્વારા પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો. હવે , અમદાવાદના નળ સરોવર ખાતે પણ પોલીસ પર હુમલાની ઘટના સામે આવી છે. જેમાં બે પોલીસકર્મી ઘાયલ થયા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.

રાજકોટ રેન્જ IG તરીકે નિર્લિપ્ત રાયની નિમણુંક થતા અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. કેમ કે , હવે નિર્લિપ્ત રાય દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે , આગામી સમયમાં ૧ લી અને ૨જી એપ્રિલે એક લોકસંપર્ક સભા યોજાશે જેમાં તેઓ પોતે વ્યાજખોરોના ત્રાસથી પીડિતોની રજુઆત સાંભળશે. આ ઉપરાંત , જામનગરમાં રેન્જ IG નિર્લિપ્ત રાયની મુલાકાતના બે જ કલાકની અંદર ૭૨ જેટલા ગેરકાયદેસર બાંધકામો તંત્ર દ્વારા ધ્વસ્ત કરી નાખવામાં આવ્યા છે.