આ અભિનેત્રીને કેનેડામાં નડ્યો અકસ્માત:સ્કૂલથી તેના બાળકો લઇ પરત ફરતા સમયે પૂરઝડપે આવતી કારે ટક્કર મારી


  • Published By :
  • Published Date : 2022-11-03 10:45:32

બોલિવૂડ અભિનેત્રી રંભાને લઇ મોટા સમાચાર સામે આવ્યાં છે. અભિનેત્રી રંભાનું કેનેડામાં 1 તારીખે કાર અકસ્માત થયો છે. આ દરમિયાન કારમાં રંભા સહિત તેના બાળકો અને તેના નાની સાથે હતા. જોકે સારી વાત એ છે કે, અકસ્માતમાં કોઇને ગંભીર ઇજા થઇ નથી.પરંતુ રંભાની દીકરી સાશા હજુ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.


Rambha and her children injured in car accident in Canada, actor asks fans  to pray for daughter Sasha: 'Bad days bad time' | Entertainment News,The  Indian Express


સમગ્ર ઘટના અંગે અભિનેત્રીએ ખુદ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર અકસ્માતની તસવીરો શેર કરી જણાવ્યું છે. અભિનેત્રીએ તસવીર શેર કરી લોકોને તેની દીકરી સાશા માટે પ્રાર્થના કરવા માટે અનુરોધ કર્યો છે.


રંભાએ અકસ્માત કંઇ રીતે થયો તે વિશે જણાવ્યું છે કે, સ્કૂલથી તેના બાળકો લઇ પરત ફરતા સમયે પૂરઝડપે આવતી કારે અમારી કારને ટક્કર મારી હતી. જેને પગલે અમેન સામાન્ય ઇજાઓ પહોંચી છે. જોકે અમે સલામત છીએ, પણ મારી દીકરી સાશા હજુ હોસ્પિટલમાં દાખલ છે. પ્લીઝ અમારા માટે પ્રાર્થના કરો. તમારી દુઆ અમારા માટે અત્યંત મૂલ્યવાન છે.

एक्ट्रेस रंभा की कार का हुआ एक्सीडेंट, सामने आईं दिल दहलाने वालीं  Photos/salman khan film judwaa actress rambha car accident daughter  admitted in hospital actress shares damage car photos - India TV

રંભાએ કરેલા અકસ્માતના ખુલાસા બાદ તુરંતજ એક્ટર શ્રીદેવી વિજયકુમારે તેની પોસ્ટ પર પ્રતિક્રિયા આપી છે. અભિનેત્રીએ લખ્યું છે કે, તમે સલામત છો એ સાંભળીને ખુબ આનંદ થયો, ધ્યાન રાખજો…જ્યારે એક્ટર વિકાસ કલંત્રીએ લખ્યું હતું કે, ઓહ માય ગોડ, ટેક કેર, પ્રેમ એન્ડ પ્રાર્થના.


અભિનેત્રી રભા હિંદી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો ચમકતો ચહેરો રહી ચૂકી છે

Who is Rambha And What is She Doing Now After Quitting Bollywood All About  Bandhan Fame Actress

આ સાથે તે તેલુગુ, તમિલ કન્નડ, મલયાલમ, બંગાળી, ઇંગ્લિશ સહિતની ફિલ્મોમાં પોતાનો જલવો દેખાડી ચૂકી છે. અભિનેત્રી રંભાએ બે દાયકામાં લગભગ 100 ફિલ્મોમાં કામ કર્યું છે. રંભાનું અસલી નામ વિજયલક્ષ્મી છે. ઉલ્લેખનીય છે કે, અભિનેત્રી રંભાને સલમાન ખાન સાથે કરેલી ફિલ્મ ‘જુડવા’થી સાચી ઓળખ મળી હતી.



સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તબીબો હડતાલ પર ઉતરી ગયા છે. તબીબોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો કેમ કે , ન્યુરો વિભાગના તબીબ પર જે હુમલો થયો તે હજુ પકડાયો નથી. તો હવે જુનિયર તબીબો ચાર મુખ્ય માંગણીઓ સાથે હડતાલ પર ઉતરી ચુક્યા છે. જેના કારણે , રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઇમર્જન્સી સિવાય તમામ સેવાઓ ઠપ થઇ ગઈ છે. આમ , ફરી એકવાર રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય સેવાઓ પર સંકટના વાદળો છવાયા છે.

સુપ્રીમ કોર્ટમાં આજે અરવલ્લી પર્વતમાળાને લઇને સુનાવણી હાથ ધરાઈ છે . જેમાં , સુપ્રીમ કોર્ટે અરવલ્લી પર્વતમાળાની પરિભાષાને લઇને આજે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. આજે સુપ્રીમ કોર્ટની વેકેશન બેન્ચ જેમાં , CJI સૂર્યકાન્ત , જસ્ટિસ જે કે મહેશ્વરી અને જસ્ટિસ એજી મસીહ છે તેમના દ્વારા સુનાવણી હાથ ધરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે આ મુદ્દે , સુઓમોટો સંજ્ઞાન લીધું હતું.

લોકસાહિત્યકાર દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ ચૌહાણ વચ્ચે સમાધાન થઇ ગયું છે. બંનેએ એકબીજાને મીઠાઈ ખવડાવી વિવાદનો અંત લાવવામાં આવ્યો છે. ધ્રુવરાજસિંહ ચૌહાણ પર ૧૨મી ઓગસ્ટના રોજ હુમલો થયો હતો. ડાયરાના કાર્યક્રમમાં દેવાયત ખવડ હાજર ન રહેતા બંને વચ્ચે તકરાર થઈ હતી. હવે સોશ્યિલ મીડિયા પર દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ ચૌહાણની આ તસ્વીર ખુબ જ વાઇરલ થઇ રહી છે.

Who does not know the famous Indian industrialist Dhirajlal Hira Chand Ambani alias Dhirubhai Ambani. Many people have heard his story from working at a petrol pump to establishing a company like Reliance Industries. But very few people know how much struggle he has had to reach here and what thoughts and principles he lives by. 28th December is Dhirubhai Ambani's birthday. Before that, Parimalbhai Nathwani has written an article on Dhirubhai's life and his principles. In the article, Parimal Nathwani has described Dhirubhai's life by linking it with the principles of Geeta.