આ અભિનેત્રીને કેનેડામાં નડ્યો અકસ્માત:સ્કૂલથી તેના બાળકો લઇ પરત ફરતા સમયે પૂરઝડપે આવતી કારે ટક્કર મારી


  • Published By :
  • Published Date : 2022-11-03 10:45:32

બોલિવૂડ અભિનેત્રી રંભાને લઇ મોટા સમાચાર સામે આવ્યાં છે. અભિનેત્રી રંભાનું કેનેડામાં 1 તારીખે કાર અકસ્માત થયો છે. આ દરમિયાન કારમાં રંભા સહિત તેના બાળકો અને તેના નાની સાથે હતા. જોકે સારી વાત એ છે કે, અકસ્માતમાં કોઇને ગંભીર ઇજા થઇ નથી.પરંતુ રંભાની દીકરી સાશા હજુ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.


Rambha and her children injured in car accident in Canada, actor asks fans  to pray for daughter Sasha: 'Bad days bad time' | Entertainment News,The  Indian Express


સમગ્ર ઘટના અંગે અભિનેત્રીએ ખુદ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર અકસ્માતની તસવીરો શેર કરી જણાવ્યું છે. અભિનેત્રીએ તસવીર શેર કરી લોકોને તેની દીકરી સાશા માટે પ્રાર્થના કરવા માટે અનુરોધ કર્યો છે.


રંભાએ અકસ્માત કંઇ રીતે થયો તે વિશે જણાવ્યું છે કે, સ્કૂલથી તેના બાળકો લઇ પરત ફરતા સમયે પૂરઝડપે આવતી કારે અમારી કારને ટક્કર મારી હતી. જેને પગલે અમેન સામાન્ય ઇજાઓ પહોંચી છે. જોકે અમે સલામત છીએ, પણ મારી દીકરી સાશા હજુ હોસ્પિટલમાં દાખલ છે. પ્લીઝ અમારા માટે પ્રાર્થના કરો. તમારી દુઆ અમારા માટે અત્યંત મૂલ્યવાન છે.

एक्ट्रेस रंभा की कार का हुआ एक्सीडेंट, सामने आईं दिल दहलाने वालीं  Photos/salman khan film judwaa actress rambha car accident daughter  admitted in hospital actress shares damage car photos - India TV

રંભાએ કરેલા અકસ્માતના ખુલાસા બાદ તુરંતજ એક્ટર શ્રીદેવી વિજયકુમારે તેની પોસ્ટ પર પ્રતિક્રિયા આપી છે. અભિનેત્રીએ લખ્યું છે કે, તમે સલામત છો એ સાંભળીને ખુબ આનંદ થયો, ધ્યાન રાખજો…જ્યારે એક્ટર વિકાસ કલંત્રીએ લખ્યું હતું કે, ઓહ માય ગોડ, ટેક કેર, પ્રેમ એન્ડ પ્રાર્થના.


અભિનેત્રી રભા હિંદી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો ચમકતો ચહેરો રહી ચૂકી છે

Who is Rambha And What is She Doing Now After Quitting Bollywood All About  Bandhan Fame Actress

આ સાથે તે તેલુગુ, તમિલ કન્નડ, મલયાલમ, બંગાળી, ઇંગ્લિશ સહિતની ફિલ્મોમાં પોતાનો જલવો દેખાડી ચૂકી છે. અભિનેત્રી રંભાએ બે દાયકામાં લગભગ 100 ફિલ્મોમાં કામ કર્યું છે. રંભાનું અસલી નામ વિજયલક્ષ્મી છે. ઉલ્લેખનીય છે કે, અભિનેત્રી રંભાને સલમાન ખાન સાથે કરેલી ફિલ્મ ‘જુડવા’થી સાચી ઓળખ મળી હતી.



વલસાડ બેઠક પર ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ઉતારવામાં આવ્યા છે. અનંત પટેલને જમાવટની ટીમે જ્યારે પૂછ્યું કે સાંસદ બન્યા પછી તે શું કરશે તો તેમણે અનેક મુદ્દાઓને લઈ વાત કરી હતી.

ભગવાન શ્રીકૃષ્ણના અનેક ભક્તો આપણી આસપાસ હશે.. કૃષ્ણ શબ્દમાં જ આકર્ષણ છે.. ત્યારે આજે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે શ્રી કૃષ્ણને સમર્પિત રચના...

પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનનો સામનો ભાજપના નેતાઓને કરવો પડી રહ્યો છે.. જામનગરમાં સૌથી વધારે આ વિવાદને લઈ વિરોધ થઈ રહ્યો છે.. પૂનમબેન માડમને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.

જમાવટની ઈલેક્શન યાત્રા મહેસાણા પહોંચી હતી. ત્યાંના મતદાતાઓનો મિજાજ જાણવાનો પ્રયત્ન કર્યો હતો. લોકો કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખી મતદાન કરે છે તે જાણાનો પ્રયત્ન કર્યો છે.