બોલિવુડ અભિનેત્રી સ્વરા ભાસ્કર સોશિયલ મીડિયામાં થઈ રહી છે ટ્રોલ, કારણ જાણીને ચોંકી જશો


  • Published By :
  • Published Date : 2023-06-01 19:14:15

બોલિવુડ અભિનેત્રી સ્વરા ભાસ્કરને સોશિયલ મીડિયામાં કેટલાંક લોકો ટ્રોલ કરી રહ્યાં છે. લગ્ન પછી હવે યૂઝર્સ દાવો કરી રહ્યાં છે કે લગ્નના થોડાં જ મહિનામાં તે મા બની ગઈ છે. એક ન્યૂઝ ચેનલનો નકલી સ્ક્રીનશોટ શેર કરી દાવો કર્યો કે, એક્ટ્રેસ લગ્નના થોડાં જ મહિનામાં મા બનવા જઈ રહી છે. હવે એક્ટ્રેસને સોશિયલ મીડિયા પર યૂઝર્સ ટ્રોલ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર ઘણા લોકો અભિનેત્રી જલ્દી માતા બનવાના દાવા કરતા જોવા મળી રહ્યા છે. તો કેટલાક લોકો અભિનેત્રીને ટેગ કરીને અભિનંદન આપતા જોવા મળે છે, તો અનેક લોકો સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા અભિનેત્રીને ટોણા મારી રહ્યા છે.


કઈ રીતે ફેલાઈ આ અફવા?


વાસ્તવમાં, આ આખો મામલો એક ન્યૂઝ ચેનલના ફેક સ્ક્રીનશોટ વાયરલ થવાથી શરૂ થયો હતો, જેમાં બ્રેકિંગ કહેવામાં આવ્યું હતું કે સ્વરા ભાસ્કર લગ્નના સાડા ચાર મહિના પછી માતા બનવા જઈ રહી છે અને તેની ડિલિવરી જુલાઈમાં થઈ શકે છે. જો કે બાદમાં આ ન્યૂઝ ચેનલે સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે આ સ્ક્રીન શોટ સંપૂર્ણપણે નકલી છે, ચેનલ દ્વારા આવી કોઈ પોસ્ટ કરવામાં આવી નથી. એક વાયરલ સ્ક્રીનશોટના કારણે સ્વરાની પ્રેગનેન્સીના ખોટા સમાચાર ફેલાતા બબાલ મચી છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ ખોટા સમાચારને લઈ અવાજ ઉઠાવવાનું શરૂ કર્યું છે.


આ વર્ષે ફેબ્રુઆરીમાં થયા છે લગ્ન


સ્વરા ભાસ્કરે સમાજવાદી પાર્ટીના નેતા ફહદ અહમદ સાથે આ વર્ષના ફેબ્રુઆરી મહિનામાં લગ્ન કર્યા હતા. સ્વરા અને ફહદના લગ્નએ ભારે ચર્ચા જગાવી હતી. લગ્ન પછી સ્વરા ભાસ્કર ઘણી જ ટ્રોલ પણ થઈ હતી. હવે તે મા બની હોવાના સમાચાર પણ વાયરલ થઈ રહ્યાં છે. જો કે અમારી તપાસમાં આવી કોઈ જ જાણકારી નથી જેનાથી તેવું પુરવાર થાય છે કે સ્વરા ભાસ્કર માતા બનવાની પુષ્ટી કરે છે. 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.