બોલિવુડ અભિનેત્રી સ્વરા ભાસ્કર સોશિયલ મીડિયામાં થઈ રહી છે ટ્રોલ, કારણ જાણીને ચોંકી જશો


  • Published By :
  • Published Date : 2023-06-01 19:14:15

બોલિવુડ અભિનેત્રી સ્વરા ભાસ્કરને સોશિયલ મીડિયામાં કેટલાંક લોકો ટ્રોલ કરી રહ્યાં છે. લગ્ન પછી હવે યૂઝર્સ દાવો કરી રહ્યાં છે કે લગ્નના થોડાં જ મહિનામાં તે મા બની ગઈ છે. એક ન્યૂઝ ચેનલનો નકલી સ્ક્રીનશોટ શેર કરી દાવો કર્યો કે, એક્ટ્રેસ લગ્નના થોડાં જ મહિનામાં મા બનવા જઈ રહી છે. હવે એક્ટ્રેસને સોશિયલ મીડિયા પર યૂઝર્સ ટ્રોલ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર ઘણા લોકો અભિનેત્રી જલ્દી માતા બનવાના દાવા કરતા જોવા મળી રહ્યા છે. તો કેટલાક લોકો અભિનેત્રીને ટેગ કરીને અભિનંદન આપતા જોવા મળે છે, તો અનેક લોકો સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા અભિનેત્રીને ટોણા મારી રહ્યા છે.


કઈ રીતે ફેલાઈ આ અફવા?


વાસ્તવમાં, આ આખો મામલો એક ન્યૂઝ ચેનલના ફેક સ્ક્રીનશોટ વાયરલ થવાથી શરૂ થયો હતો, જેમાં બ્રેકિંગ કહેવામાં આવ્યું હતું કે સ્વરા ભાસ્કર લગ્નના સાડા ચાર મહિના પછી માતા બનવા જઈ રહી છે અને તેની ડિલિવરી જુલાઈમાં થઈ શકે છે. જો કે બાદમાં આ ન્યૂઝ ચેનલે સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે આ સ્ક્રીન શોટ સંપૂર્ણપણે નકલી છે, ચેનલ દ્વારા આવી કોઈ પોસ્ટ કરવામાં આવી નથી. એક વાયરલ સ્ક્રીનશોટના કારણે સ્વરાની પ્રેગનેન્સીના ખોટા સમાચાર ફેલાતા બબાલ મચી છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ ખોટા સમાચારને લઈ અવાજ ઉઠાવવાનું શરૂ કર્યું છે.


આ વર્ષે ફેબ્રુઆરીમાં થયા છે લગ્ન


સ્વરા ભાસ્કરે સમાજવાદી પાર્ટીના નેતા ફહદ અહમદ સાથે આ વર્ષના ફેબ્રુઆરી મહિનામાં લગ્ન કર્યા હતા. સ્વરા અને ફહદના લગ્નએ ભારે ચર્ચા જગાવી હતી. લગ્ન પછી સ્વરા ભાસ્કર ઘણી જ ટ્રોલ પણ થઈ હતી. હવે તે મા બની હોવાના સમાચાર પણ વાયરલ થઈ રહ્યાં છે. જો કે અમારી તપાસમાં આવી કોઈ જ જાણકારી નથી જેનાથી તેવું પુરવાર થાય છે કે સ્વરા ભાસ્કર માતા બનવાની પુષ્ટી કરે છે. 



સંતરામપુરથી એક વીડિયો સામે આવ્યો છે જે અનેક સવાલ ઉભા કરે છે. બુથ પર હાજર અધિકારી, ત્યાં હાજર પોલીસ અધિકારી.. જો વીડિયો વાયરલ ના થયો હોત તો ખબર જ ના પડત તે આવી ઘટના બની છે.

નાની નાની વાતોમાં સુખ રહેલું છે તે આપણે માનીએ તો પણ જીવનને જોવાનો આપણો અભિગમ બદલાઈ જાય છે.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ચંદ્રકાન્ત બક્ષીની રચના જેમાં આ વાતને સમજાવવામાં આવી છે.

વલસાડ લોકસભા બેઠક પણ ચર્ચામાં રહી પોતાના ઉમેદવારોને કારણે.. ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ટિકીટ આપવામાં આવી હતી જ્યારે ભારતીય જનતા પાર્ટીએ ધવલ પટેલને ટિકીટ આપી છે.. જમાવટની ટીમે ધવલ પટેલ સાથે ટેલિફોનિક વાત કરી હતી.

ચૂંટણી પૂર્ણ થયા બાદ પરષોત્તમ રૂપાલાએ એક નિવેદન આપ્યું જેમાં તેમણે ક્ષત્રિય સમાજની માફી માગી હતી. આ બાદ ક્ષત્રિય સમાજે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. ક્ષત્રિય સમાજે પરશોત્તમ રૂપાલાને જણાવ્યું છે કે,‘કદાચ તેમને આગળ કોઇ પદભાર મેળવવું હોય તેથી આજે તેમણે અમારી ફરીથી માફી માંગી છે તેવું અમારું માનવું છે.'