બોલિવુડ અભિનેત્રી સ્વરા ભાસ્કર સોશિયલ મીડિયામાં થઈ રહી છે ટ્રોલ, કારણ જાણીને ચોંકી જશો


  • Published By :
  • Published Date : 2023-06-01 19:14:15

બોલિવુડ અભિનેત્રી સ્વરા ભાસ્કરને સોશિયલ મીડિયામાં કેટલાંક લોકો ટ્રોલ કરી રહ્યાં છે. લગ્ન પછી હવે યૂઝર્સ દાવો કરી રહ્યાં છે કે લગ્નના થોડાં જ મહિનામાં તે મા બની ગઈ છે. એક ન્યૂઝ ચેનલનો નકલી સ્ક્રીનશોટ શેર કરી દાવો કર્યો કે, એક્ટ્રેસ લગ્નના થોડાં જ મહિનામાં મા બનવા જઈ રહી છે. હવે એક્ટ્રેસને સોશિયલ મીડિયા પર યૂઝર્સ ટ્રોલ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર ઘણા લોકો અભિનેત્રી જલ્દી માતા બનવાના દાવા કરતા જોવા મળી રહ્યા છે. તો કેટલાક લોકો અભિનેત્રીને ટેગ કરીને અભિનંદન આપતા જોવા મળે છે, તો અનેક લોકો સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા અભિનેત્રીને ટોણા મારી રહ્યા છે.


કઈ રીતે ફેલાઈ આ અફવા?


વાસ્તવમાં, આ આખો મામલો એક ન્યૂઝ ચેનલના ફેક સ્ક્રીનશોટ વાયરલ થવાથી શરૂ થયો હતો, જેમાં બ્રેકિંગ કહેવામાં આવ્યું હતું કે સ્વરા ભાસ્કર લગ્નના સાડા ચાર મહિના પછી માતા બનવા જઈ રહી છે અને તેની ડિલિવરી જુલાઈમાં થઈ શકે છે. જો કે બાદમાં આ ન્યૂઝ ચેનલે સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે આ સ્ક્રીન શોટ સંપૂર્ણપણે નકલી છે, ચેનલ દ્વારા આવી કોઈ પોસ્ટ કરવામાં આવી નથી. એક વાયરલ સ્ક્રીનશોટના કારણે સ્વરાની પ્રેગનેન્સીના ખોટા સમાચાર ફેલાતા બબાલ મચી છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ ખોટા સમાચારને લઈ અવાજ ઉઠાવવાનું શરૂ કર્યું છે.


આ વર્ષે ફેબ્રુઆરીમાં થયા છે લગ્ન


સ્વરા ભાસ્કરે સમાજવાદી પાર્ટીના નેતા ફહદ અહમદ સાથે આ વર્ષના ફેબ્રુઆરી મહિનામાં લગ્ન કર્યા હતા. સ્વરા અને ફહદના લગ્નએ ભારે ચર્ચા જગાવી હતી. લગ્ન પછી સ્વરા ભાસ્કર ઘણી જ ટ્રોલ પણ થઈ હતી. હવે તે મા બની હોવાના સમાચાર પણ વાયરલ થઈ રહ્યાં છે. જો કે અમારી તપાસમાં આવી કોઈ જ જાણકારી નથી જેનાથી તેવું પુરવાર થાય છે કે સ્વરા ભાસ્કર માતા બનવાની પુષ્ટી કરે છે. 



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી