વોન્ટેડ બુટલેગર વિનોદ સિંધીની દુબઈમાં ધરપકડ, થોડા દિવસોમાં અમદાવાદ લાવવામાં આવશે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-17 13:01:42

ગુજરાતનો સૌથી મોટો બુટલેગર વિનોદ સિંધી આખરે દુબઈથી પકડાઈ ગયો છે. વિનોદ સિંધી છેલ્લા બે દાયકાથી દારૂનો દારૂનો ધંધો કરતો હતો અને તેનું દારૂનું નેટવર્ક સમગ્ર રાજ્યમાં ફેલાયેલું છે. ગુજરાતમાં હરિયાણા અને રાજસ્થાનથી દારૂ સપ્લાય કરનારો કુખ્યાત વિનોદ સિંધી સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા ધરપકડ કરાય તે પહેલાં વિદેશ ભાગી ગયો હતો, 138 ગુનામાં સંડોવાયેલા વિનોદ સિંધી વિરુદ્ધ પોલીસે લૂક આઉટ સર્ક્યુલર બહાર પાડ્યો હતો.


ઈતિહાસમાં પહેલી વખત બુટલેગર સામે રેડ કોર્નર નોટિસ 


ગુજરાતમાં કોર્પોરેટ કંપનીની જેમ દારૂનો ધંધો કરનાર બુટલેગર વિનોદ સિંધી સામે વિજિલન્સ વિભાગે તપાસ શરૂ કરી હતી. જો કે વિજિલન્સ વિનોદની તપાસ કરે તે પહેલા જ તે દુબઈ ભાગી ગયો હતો. વિનોદને પકડવા માટે વિજિલન્સની ટીમ આકાશ-પાતાળ એક કરી રહી હતી. પોલીસને એના પાસપોર્ટ નંબરની વિગત મળી જતા આખરે તે ધરપકડના ડરે ભારત જ છોડીને દુબઈ જતો રહ્યો હતો. જોકે તેની સામે રેડ કોર્નર નોટિસ જાહેર કરાઈ હતી. ઇતિહાસમાં પહેલી વખત કોઈ બુટલેગર સામે રેડ કોર્નર નોટિસ ઈસ્યૂ કરાવી હોય તેવું બન્યું હતું. 


સિક્રેટ ઇનપુટના આધારે ઝડપાયો


વિનોદ સિંધી દુબઇ હોવાની વિગતો સિક્રેટ ઇનપુટ આધારે મળી હતી. ત્યાર બાદ દુબઈ પોલીસ સાથે મળીને આરોપી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. વોન્ટેડ વિનોદ સિંધીને થોડા દિવસોમાં અમદાવાદ લઇ આવવામાં આવશે.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.