વોન્ટેડ બુટલેગર વિનોદ સિંધીની દુબઈમાં ધરપકડ, થોડા દિવસોમાં અમદાવાદ લાવવામાં આવશે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-17 13:01:42

ગુજરાતનો સૌથી મોટો બુટલેગર વિનોદ સિંધી આખરે દુબઈથી પકડાઈ ગયો છે. વિનોદ સિંધી છેલ્લા બે દાયકાથી દારૂનો દારૂનો ધંધો કરતો હતો અને તેનું દારૂનું નેટવર્ક સમગ્ર રાજ્યમાં ફેલાયેલું છે. ગુજરાતમાં હરિયાણા અને રાજસ્થાનથી દારૂ સપ્લાય કરનારો કુખ્યાત વિનોદ સિંધી સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા ધરપકડ કરાય તે પહેલાં વિદેશ ભાગી ગયો હતો, 138 ગુનામાં સંડોવાયેલા વિનોદ સિંધી વિરુદ્ધ પોલીસે લૂક આઉટ સર્ક્યુલર બહાર પાડ્યો હતો.


ઈતિહાસમાં પહેલી વખત બુટલેગર સામે રેડ કોર્નર નોટિસ 


ગુજરાતમાં કોર્પોરેટ કંપનીની જેમ દારૂનો ધંધો કરનાર બુટલેગર વિનોદ સિંધી સામે વિજિલન્સ વિભાગે તપાસ શરૂ કરી હતી. જો કે વિજિલન્સ વિનોદની તપાસ કરે તે પહેલા જ તે દુબઈ ભાગી ગયો હતો. વિનોદને પકડવા માટે વિજિલન્સની ટીમ આકાશ-પાતાળ એક કરી રહી હતી. પોલીસને એના પાસપોર્ટ નંબરની વિગત મળી જતા આખરે તે ધરપકડના ડરે ભારત જ છોડીને દુબઈ જતો રહ્યો હતો. જોકે તેની સામે રેડ કોર્નર નોટિસ જાહેર કરાઈ હતી. ઇતિહાસમાં પહેલી વખત કોઈ બુટલેગર સામે રેડ કોર્નર નોટિસ ઈસ્યૂ કરાવી હોય તેવું બન્યું હતું. 


સિક્રેટ ઇનપુટના આધારે ઝડપાયો


વિનોદ સિંધી દુબઇ હોવાની વિગતો સિક્રેટ ઇનપુટ આધારે મળી હતી. ત્યાર બાદ દુબઈ પોલીસ સાથે મળીને આરોપી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. વોન્ટેડ વિનોદ સિંધીને થોડા દિવસોમાં અમદાવાદ લઇ આવવામાં આવશે.



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"