વોન્ટેડ બુટલેગર વિનોદ સિંધીની દુબઈમાં ધરપકડ, થોડા દિવસોમાં અમદાવાદ લાવવામાં આવશે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-17 13:01:42

ગુજરાતનો સૌથી મોટો બુટલેગર વિનોદ સિંધી આખરે દુબઈથી પકડાઈ ગયો છે. વિનોદ સિંધી છેલ્લા બે દાયકાથી દારૂનો દારૂનો ધંધો કરતો હતો અને તેનું દારૂનું નેટવર્ક સમગ્ર રાજ્યમાં ફેલાયેલું છે. ગુજરાતમાં હરિયાણા અને રાજસ્થાનથી દારૂ સપ્લાય કરનારો કુખ્યાત વિનોદ સિંધી સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા ધરપકડ કરાય તે પહેલાં વિદેશ ભાગી ગયો હતો, 138 ગુનામાં સંડોવાયેલા વિનોદ સિંધી વિરુદ્ધ પોલીસે લૂક આઉટ સર્ક્યુલર બહાર પાડ્યો હતો.


ઈતિહાસમાં પહેલી વખત બુટલેગર સામે રેડ કોર્નર નોટિસ 


ગુજરાતમાં કોર્પોરેટ કંપનીની જેમ દારૂનો ધંધો કરનાર બુટલેગર વિનોદ સિંધી સામે વિજિલન્સ વિભાગે તપાસ શરૂ કરી હતી. જો કે વિજિલન્સ વિનોદની તપાસ કરે તે પહેલા જ તે દુબઈ ભાગી ગયો હતો. વિનોદને પકડવા માટે વિજિલન્સની ટીમ આકાશ-પાતાળ એક કરી રહી હતી. પોલીસને એના પાસપોર્ટ નંબરની વિગત મળી જતા આખરે તે ધરપકડના ડરે ભારત જ છોડીને દુબઈ જતો રહ્યો હતો. જોકે તેની સામે રેડ કોર્નર નોટિસ જાહેર કરાઈ હતી. ઇતિહાસમાં પહેલી વખત કોઈ બુટલેગર સામે રેડ કોર્નર નોટિસ ઈસ્યૂ કરાવી હોય તેવું બન્યું હતું. 


સિક્રેટ ઇનપુટના આધારે ઝડપાયો


વિનોદ સિંધી દુબઇ હોવાની વિગતો સિક્રેટ ઇનપુટ આધારે મળી હતી. ત્યાર બાદ દુબઈ પોલીસ સાથે મળીને આરોપી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. વોન્ટેડ વિનોદ સિંધીને થોડા દિવસોમાં અમદાવાદ લઇ આવવામાં આવશે.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.