વોન્ટેડ બુટલેગર વિનોદ સિંધીની દુબઈમાં ધરપકડ, થોડા દિવસોમાં અમદાવાદ લાવવામાં આવશે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-17 13:01:42

ગુજરાતનો સૌથી મોટો બુટલેગર વિનોદ સિંધી આખરે દુબઈથી પકડાઈ ગયો છે. વિનોદ સિંધી છેલ્લા બે દાયકાથી દારૂનો દારૂનો ધંધો કરતો હતો અને તેનું દારૂનું નેટવર્ક સમગ્ર રાજ્યમાં ફેલાયેલું છે. ગુજરાતમાં હરિયાણા અને રાજસ્થાનથી દારૂ સપ્લાય કરનારો કુખ્યાત વિનોદ સિંધી સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા ધરપકડ કરાય તે પહેલાં વિદેશ ભાગી ગયો હતો, 138 ગુનામાં સંડોવાયેલા વિનોદ સિંધી વિરુદ્ધ પોલીસે લૂક આઉટ સર્ક્યુલર બહાર પાડ્યો હતો.


ઈતિહાસમાં પહેલી વખત બુટલેગર સામે રેડ કોર્નર નોટિસ 


ગુજરાતમાં કોર્પોરેટ કંપનીની જેમ દારૂનો ધંધો કરનાર બુટલેગર વિનોદ સિંધી સામે વિજિલન્સ વિભાગે તપાસ શરૂ કરી હતી. જો કે વિજિલન્સ વિનોદની તપાસ કરે તે પહેલા જ તે દુબઈ ભાગી ગયો હતો. વિનોદને પકડવા માટે વિજિલન્સની ટીમ આકાશ-પાતાળ એક કરી રહી હતી. પોલીસને એના પાસપોર્ટ નંબરની વિગત મળી જતા આખરે તે ધરપકડના ડરે ભારત જ છોડીને દુબઈ જતો રહ્યો હતો. જોકે તેની સામે રેડ કોર્નર નોટિસ જાહેર કરાઈ હતી. ઇતિહાસમાં પહેલી વખત કોઈ બુટલેગર સામે રેડ કોર્નર નોટિસ ઈસ્યૂ કરાવી હોય તેવું બન્યું હતું. 


સિક્રેટ ઇનપુટના આધારે ઝડપાયો


વિનોદ સિંધી દુબઇ હોવાની વિગતો સિક્રેટ ઇનપુટ આધારે મળી હતી. ત્યાર બાદ દુબઈ પોલીસ સાથે મળીને આરોપી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. વોન્ટેડ વિનોદ સિંધીને થોડા દિવસોમાં અમદાવાદ લઇ આવવામાં આવશે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે