Ahmedabadમાં બુટલેગરો બન્યા બેફામ! ક્યાંક પોલીસકર્મી અકસ્માત સર્જે છે તો ક્યાંક પોલીસકર્મીનું થાય છે મોત, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-01-24 13:49:22

જ્યારે કોઈ સામાન્ય વ્યક્તિ દારૂ પીને નીકળે અથવા દારૂ સાથે પકડાય તો તેની સાથે પોલીસ કેવું વર્તન કરતી હોય છે તમને બધાને ખબર છે કેસ થાય અથવા તો પછી કેશ આપવા પડે તેવા કિસ્સાઓ પણ ઘણા સામે આવ્યા છે. નિયમો બધા માટે સરખા હોય છે પંરતુ જયારે કોઈ પોલીસ નિયમ તોડે ત્યારે ત્યારે તેની ગંભીરતા વધી જતી હોય છે. તેવું જ કંઈક અમદાવાદમાં ફરીએકવાર થયું છે. પોલીસે નશાની હાલતમાં અકસ્માત સર્જ્યો હતો. બીજી એક ઘટના પણ બુટલેગરની સામે આવી છે જેમાં પોલીસકર્મીનું મોત બુટલેગરની ગાડીથી અથડાતા થયું છે. 

News18 Gujarati


પોલીસકર્મી જ જો અકસ્માત સર્જે તો?  

અમદાવાદ માલદાર નબીરાઓ દારૂ પીને અકસ્માત સર્જે તેવી અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે. આ અકસ્માતની ઘટનાઓ રોકવા પોલીસ વિભાગ સક્રિય થતું હોય છે, પરંતુ ક્યારેક પોલીસ કર્મી જ અકસ્માત સર્જે ત્યારે નાગરિકોમાં શેનો માહોલ બની જાય છે? અમદાવાદના નંવરગંપુરામાં એક પોલીસ કર્મીએ નશાની હાલતમાં અકસ્માત સર્જ્યો હોવાનું સામે આવ્યું છે. પોલીસ કર્મીએ અકસ્માત સર્જ્યા બાદ સ્થાનિકોએ ટ્રાફિક પોલીસને સોંપ્યો હતો. જ્યાં તપાસ કરતા પોલીસકર્મીની ગાડીમાંથી દારૂની બોટલ પણ મળી આવી હતી.

News18 Gujarati

આવી ઘટનાઓ પહેલી વખત ગુજરાતમાં નથી બની

હવે મારે એ વાત તો કરવી જ નથી કે આ ગુજરાત છે અને ગુજરાતમાં દારૂબંધી છે. આ વાતો બહુ થઇ કારણ કે આ બધી વાતોથી આંખે પાટા પહેરીને ફરતા પોલીસ કે નેતાઓને કંઈજ ફર્ક નથી પડતો. પોલીસ કર્મચારી દારૂ પીને નીકળ્યો હોય અને અકસ્માત કર્યો હોય આવી ઘટના અમદાવાદમાં કોઈ પહેલી વાર નથી બની.. પણ એ તો પોલીસ વાળા ભાઈ હતા. ગાડીમાં દારૂની બોટલ પડેલી હતી..ગાડીના ડેશબોર્ડ પર પોલીસ લખેલી પ્લેટ મુકેલી હતી કદાચ ગાડીમાં ડંડો પણ હશે. આ જોઈને કોઈ વ્યક્તિ સાહેબને થોડી કઈ બોલવાનું. પોલીસ પણ પોલીસ છે એમ કહીને ભલામણ રાખતી હોય છે. 

ચિક્કાર દારૂ ભરેલી ગાડીએ પોલીસની ગાડીને ટક્કર મારી!  ASIનું મોત, બુટલેગર ફરાર

એક વોટથી આખેઆખું સિંહાસન હલી જાય છે!

ત્યારે આવા લોકો બેફામ બની જતા હોય છે. જાણે કોઈનો ડર જ ના હોય એમ એ ભાઈ કહે છે કે થાય એ કરી લો..મને કોઈ વાંધો નથી..પણ બોસ આ પબ્લિક છે એ ધારે ને તો બહુ બધું કરી શકે છે. માત્ર એક વોટથી આખે આખા સિંહાસનો ઉખાડી ફેંકી દેવાની તાકાત રાખે છે. તમે એ ના ભૂલો કે અમે વાતે વાતે જે બધી વસ્તુઓમાં ટેક્ષ આપીયે છીએ ને એ ટેક્ષના રૂપિયામાંથી તમને પગાર મળે છે. તમે પોલીસ છો એટલા માટે તમારી જવાબદારી વધી જાય છે.  



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.