Ahmedabadમાં બુટલેગરો બન્યા બેફામ! ક્યાંક પોલીસકર્મી અકસ્માત સર્જે છે તો ક્યાંક પોલીસકર્મીનું થાય છે મોત, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-01-24 13:49:22

જ્યારે કોઈ સામાન્ય વ્યક્તિ દારૂ પીને નીકળે અથવા દારૂ સાથે પકડાય તો તેની સાથે પોલીસ કેવું વર્તન કરતી હોય છે તમને બધાને ખબર છે કેસ થાય અથવા તો પછી કેશ આપવા પડે તેવા કિસ્સાઓ પણ ઘણા સામે આવ્યા છે. નિયમો બધા માટે સરખા હોય છે પંરતુ જયારે કોઈ પોલીસ નિયમ તોડે ત્યારે ત્યારે તેની ગંભીરતા વધી જતી હોય છે. તેવું જ કંઈક અમદાવાદમાં ફરીએકવાર થયું છે. પોલીસે નશાની હાલતમાં અકસ્માત સર્જ્યો હતો. બીજી એક ઘટના પણ બુટલેગરની સામે આવી છે જેમાં પોલીસકર્મીનું મોત બુટલેગરની ગાડીથી અથડાતા થયું છે. 

News18 Gujarati


પોલીસકર્મી જ જો અકસ્માત સર્જે તો?  

અમદાવાદ માલદાર નબીરાઓ દારૂ પીને અકસ્માત સર્જે તેવી અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે. આ અકસ્માતની ઘટનાઓ રોકવા પોલીસ વિભાગ સક્રિય થતું હોય છે, પરંતુ ક્યારેક પોલીસ કર્મી જ અકસ્માત સર્જે ત્યારે નાગરિકોમાં શેનો માહોલ બની જાય છે? અમદાવાદના નંવરગંપુરામાં એક પોલીસ કર્મીએ નશાની હાલતમાં અકસ્માત સર્જ્યો હોવાનું સામે આવ્યું છે. પોલીસ કર્મીએ અકસ્માત સર્જ્યા બાદ સ્થાનિકોએ ટ્રાફિક પોલીસને સોંપ્યો હતો. જ્યાં તપાસ કરતા પોલીસકર્મીની ગાડીમાંથી દારૂની બોટલ પણ મળી આવી હતી.

News18 Gujarati

આવી ઘટનાઓ પહેલી વખત ગુજરાતમાં નથી બની

હવે મારે એ વાત તો કરવી જ નથી કે આ ગુજરાત છે અને ગુજરાતમાં દારૂબંધી છે. આ વાતો બહુ થઇ કારણ કે આ બધી વાતોથી આંખે પાટા પહેરીને ફરતા પોલીસ કે નેતાઓને કંઈજ ફર્ક નથી પડતો. પોલીસ કર્મચારી દારૂ પીને નીકળ્યો હોય અને અકસ્માત કર્યો હોય આવી ઘટના અમદાવાદમાં કોઈ પહેલી વાર નથી બની.. પણ એ તો પોલીસ વાળા ભાઈ હતા. ગાડીમાં દારૂની બોટલ પડેલી હતી..ગાડીના ડેશબોર્ડ પર પોલીસ લખેલી પ્લેટ મુકેલી હતી કદાચ ગાડીમાં ડંડો પણ હશે. આ જોઈને કોઈ વ્યક્તિ સાહેબને થોડી કઈ બોલવાનું. પોલીસ પણ પોલીસ છે એમ કહીને ભલામણ રાખતી હોય છે. 

ચિક્કાર દારૂ ભરેલી ગાડીએ પોલીસની ગાડીને ટક્કર મારી!  ASIનું મોત, બુટલેગર ફરાર

એક વોટથી આખેઆખું સિંહાસન હલી જાય છે!

ત્યારે આવા લોકો બેફામ બની જતા હોય છે. જાણે કોઈનો ડર જ ના હોય એમ એ ભાઈ કહે છે કે થાય એ કરી લો..મને કોઈ વાંધો નથી..પણ બોસ આ પબ્લિક છે એ ધારે ને તો બહુ બધું કરી શકે છે. માત્ર એક વોટથી આખે આખા સિંહાસનો ઉખાડી ફેંકી દેવાની તાકાત રાખે છે. તમે એ ના ભૂલો કે અમે વાતે વાતે જે બધી વસ્તુઓમાં ટેક્ષ આપીયે છીએ ને એ ટેક્ષના રૂપિયામાંથી તમને પગાર મળે છે. તમે પોલીસ છો એટલા માટે તમારી જવાબદારી વધી જાય છે.  



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.