Ahmedabadમાં બુટલેગરો બન્યા બેફામ! ક્યાંક પોલીસકર્મી અકસ્માત સર્જે છે તો ક્યાંક પોલીસકર્મીનું થાય છે મોત, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-01-24 13:49:22

જ્યારે કોઈ સામાન્ય વ્યક્તિ દારૂ પીને નીકળે અથવા દારૂ સાથે પકડાય તો તેની સાથે પોલીસ કેવું વર્તન કરતી હોય છે તમને બધાને ખબર છે કેસ થાય અથવા તો પછી કેશ આપવા પડે તેવા કિસ્સાઓ પણ ઘણા સામે આવ્યા છે. નિયમો બધા માટે સરખા હોય છે પંરતુ જયારે કોઈ પોલીસ નિયમ તોડે ત્યારે ત્યારે તેની ગંભીરતા વધી જતી હોય છે. તેવું જ કંઈક અમદાવાદમાં ફરીએકવાર થયું છે. પોલીસે નશાની હાલતમાં અકસ્માત સર્જ્યો હતો. બીજી એક ઘટના પણ બુટલેગરની સામે આવી છે જેમાં પોલીસકર્મીનું મોત બુટલેગરની ગાડીથી અથડાતા થયું છે. 

News18 Gujarati


પોલીસકર્મી જ જો અકસ્માત સર્જે તો?  

અમદાવાદ માલદાર નબીરાઓ દારૂ પીને અકસ્માત સર્જે તેવી અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે. આ અકસ્માતની ઘટનાઓ રોકવા પોલીસ વિભાગ સક્રિય થતું હોય છે, પરંતુ ક્યારેક પોલીસ કર્મી જ અકસ્માત સર્જે ત્યારે નાગરિકોમાં શેનો માહોલ બની જાય છે? અમદાવાદના નંવરગંપુરામાં એક પોલીસ કર્મીએ નશાની હાલતમાં અકસ્માત સર્જ્યો હોવાનું સામે આવ્યું છે. પોલીસ કર્મીએ અકસ્માત સર્જ્યા બાદ સ્થાનિકોએ ટ્રાફિક પોલીસને સોંપ્યો હતો. જ્યાં તપાસ કરતા પોલીસકર્મીની ગાડીમાંથી દારૂની બોટલ પણ મળી આવી હતી.

News18 Gujarati

આવી ઘટનાઓ પહેલી વખત ગુજરાતમાં નથી બની

હવે મારે એ વાત તો કરવી જ નથી કે આ ગુજરાત છે અને ગુજરાતમાં દારૂબંધી છે. આ વાતો બહુ થઇ કારણ કે આ બધી વાતોથી આંખે પાટા પહેરીને ફરતા પોલીસ કે નેતાઓને કંઈજ ફર્ક નથી પડતો. પોલીસ કર્મચારી દારૂ પીને નીકળ્યો હોય અને અકસ્માત કર્યો હોય આવી ઘટના અમદાવાદમાં કોઈ પહેલી વાર નથી બની.. પણ એ તો પોલીસ વાળા ભાઈ હતા. ગાડીમાં દારૂની બોટલ પડેલી હતી..ગાડીના ડેશબોર્ડ પર પોલીસ લખેલી પ્લેટ મુકેલી હતી કદાચ ગાડીમાં ડંડો પણ હશે. આ જોઈને કોઈ વ્યક્તિ સાહેબને થોડી કઈ બોલવાનું. પોલીસ પણ પોલીસ છે એમ કહીને ભલામણ રાખતી હોય છે. 

ચિક્કાર દારૂ ભરેલી ગાડીએ પોલીસની ગાડીને ટક્કર મારી!  ASIનું મોત, બુટલેગર ફરાર

એક વોટથી આખેઆખું સિંહાસન હલી જાય છે!

ત્યારે આવા લોકો બેફામ બની જતા હોય છે. જાણે કોઈનો ડર જ ના હોય એમ એ ભાઈ કહે છે કે થાય એ કરી લો..મને કોઈ વાંધો નથી..પણ બોસ આ પબ્લિક છે એ ધારે ને તો બહુ બધું કરી શકે છે. માત્ર એક વોટથી આખે આખા સિંહાસનો ઉખાડી ફેંકી દેવાની તાકાત રાખે છે. તમે એ ના ભૂલો કે અમે વાતે વાતે જે બધી વસ્તુઓમાં ટેક્ષ આપીયે છીએ ને એ ટેક્ષના રૂપિયામાંથી તમને પગાર મળે છે. તમે પોલીસ છો એટલા માટે તમારી જવાબદારી વધી જાય છે.  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.