ભાજપની બોરસદ નગરપાલિકા હાથમાંથી ગઈ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-28 16:16:10


ભારતીય જનતા પાર્ટીએ બોરસદ નગરપાલિકા પરથી પોતાનો તાજ ઉતારવો પડ્યો છે. ભાજપના જ 14 સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવતા ભાજપને સત્તા ગુમાવવાનો વારો આવ્યો છે. અપક્ષ અને કોંગ્રેસના કુલ 35માંથી 16 સભ્યોએ અવિશ્વાસની પ્રસ્તાવના દાખલ કરી હતી. ભાજપે તાત્કાલિક રીતે 14 સભ્યોને પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા હતા. 


વ્હીપનો અનાદર કરતા ભાજપે હાંક્યા 

બોરસદ નગરપાલિકા ભાજપ શાસિત હતી. આણંદ ભાજપ જિલ્લા સંગઠને બોરસદ નગરપાલિકાના ભાજપના 14 સભ્યોને વ્હીપ જાહેર કર્યું હતું. ભાજપના નગરપાલિકાના સભ્યોએ આણંદ જિલ્લા ભાજપના વ્હીપને નહીં માનતા ભાજપે 14 સભ્યોને સસ્પેન્ડ કરી દીધા હતા. જેના કારણે ભાજપની સંખ્યા ઘટી ગઈ હતી અને કોંગ્રેસની બહુમતિ થઈ ગઈ હતી. 


અવિશ્વાસનો મત ખોતા ભાજપ ઢળી પડી 

ગઈકાલે નગરપાલિકાના કોંગ્રેસ સમર્થિત સભ્યોએ બોરસદ નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત મૂકી હતી. પ્રમુખ આરતી પટેલ અને ઉપપ્રમુખ રણજિત પરમારે અવિશ્વાસનો મત ખોઈ બેઠા હતા. અવિશ્વાસનો મત ખોતા ભાજપને ઘર ભેગું થવું પડ્યું હતું. 




થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .