ભાજપની બોરસદ નગરપાલિકા હાથમાંથી ગઈ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-28 16:16:10


ભારતીય જનતા પાર્ટીએ બોરસદ નગરપાલિકા પરથી પોતાનો તાજ ઉતારવો પડ્યો છે. ભાજપના જ 14 સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવતા ભાજપને સત્તા ગુમાવવાનો વારો આવ્યો છે. અપક્ષ અને કોંગ્રેસના કુલ 35માંથી 16 સભ્યોએ અવિશ્વાસની પ્રસ્તાવના દાખલ કરી હતી. ભાજપે તાત્કાલિક રીતે 14 સભ્યોને પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા હતા. 


વ્હીપનો અનાદર કરતા ભાજપે હાંક્યા 

બોરસદ નગરપાલિકા ભાજપ શાસિત હતી. આણંદ ભાજપ જિલ્લા સંગઠને બોરસદ નગરપાલિકાના ભાજપના 14 સભ્યોને વ્હીપ જાહેર કર્યું હતું. ભાજપના નગરપાલિકાના સભ્યોએ આણંદ જિલ્લા ભાજપના વ્હીપને નહીં માનતા ભાજપે 14 સભ્યોને સસ્પેન્ડ કરી દીધા હતા. જેના કારણે ભાજપની સંખ્યા ઘટી ગઈ હતી અને કોંગ્રેસની બહુમતિ થઈ ગઈ હતી. 


અવિશ્વાસનો મત ખોતા ભાજપ ઢળી પડી 

ગઈકાલે નગરપાલિકાના કોંગ્રેસ સમર્થિત સભ્યોએ બોરસદ નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત મૂકી હતી. પ્રમુખ આરતી પટેલ અને ઉપપ્રમુખ રણજિત પરમારે અવિશ્વાસનો મત ખોઈ બેઠા હતા. અવિશ્વાસનો મત ખોતા ભાજપને ઘર ભેગું થવું પડ્યું હતું. 




સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"