ભાજપની બોરસદ નગરપાલિકા હાથમાંથી ગઈ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-28 16:16:10


ભારતીય જનતા પાર્ટીએ બોરસદ નગરપાલિકા પરથી પોતાનો તાજ ઉતારવો પડ્યો છે. ભાજપના જ 14 સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવતા ભાજપને સત્તા ગુમાવવાનો વારો આવ્યો છે. અપક્ષ અને કોંગ્રેસના કુલ 35માંથી 16 સભ્યોએ અવિશ્વાસની પ્રસ્તાવના દાખલ કરી હતી. ભાજપે તાત્કાલિક રીતે 14 સભ્યોને પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા હતા. 


વ્હીપનો અનાદર કરતા ભાજપે હાંક્યા 

બોરસદ નગરપાલિકા ભાજપ શાસિત હતી. આણંદ ભાજપ જિલ્લા સંગઠને બોરસદ નગરપાલિકાના ભાજપના 14 સભ્યોને વ્હીપ જાહેર કર્યું હતું. ભાજપના નગરપાલિકાના સભ્યોએ આણંદ જિલ્લા ભાજપના વ્હીપને નહીં માનતા ભાજપે 14 સભ્યોને સસ્પેન્ડ કરી દીધા હતા. જેના કારણે ભાજપની સંખ્યા ઘટી ગઈ હતી અને કોંગ્રેસની બહુમતિ થઈ ગઈ હતી. 


અવિશ્વાસનો મત ખોતા ભાજપ ઢળી પડી 

ગઈકાલે નગરપાલિકાના કોંગ્રેસ સમર્થિત સભ્યોએ બોરસદ નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત મૂકી હતી. પ્રમુખ આરતી પટેલ અને ઉપપ્રમુખ રણજિત પરમારે અવિશ્વાસનો મત ખોઈ બેઠા હતા. અવિશ્વાસનો મત ખોતા ભાજપને ઘર ભેગું થવું પડ્યું હતું. 




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.