ભાજપની બોરસદ નગરપાલિકા હાથમાંથી ગઈ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-28 16:16:10


ભારતીય જનતા પાર્ટીએ બોરસદ નગરપાલિકા પરથી પોતાનો તાજ ઉતારવો પડ્યો છે. ભાજપના જ 14 સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવતા ભાજપને સત્તા ગુમાવવાનો વારો આવ્યો છે. અપક્ષ અને કોંગ્રેસના કુલ 35માંથી 16 સભ્યોએ અવિશ્વાસની પ્રસ્તાવના દાખલ કરી હતી. ભાજપે તાત્કાલિક રીતે 14 સભ્યોને પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા હતા. 


વ્હીપનો અનાદર કરતા ભાજપે હાંક્યા 

બોરસદ નગરપાલિકા ભાજપ શાસિત હતી. આણંદ ભાજપ જિલ્લા સંગઠને બોરસદ નગરપાલિકાના ભાજપના 14 સભ્યોને વ્હીપ જાહેર કર્યું હતું. ભાજપના નગરપાલિકાના સભ્યોએ આણંદ જિલ્લા ભાજપના વ્હીપને નહીં માનતા ભાજપે 14 સભ્યોને સસ્પેન્ડ કરી દીધા હતા. જેના કારણે ભાજપની સંખ્યા ઘટી ગઈ હતી અને કોંગ્રેસની બહુમતિ થઈ ગઈ હતી. 


અવિશ્વાસનો મત ખોતા ભાજપ ઢળી પડી 

ગઈકાલે નગરપાલિકાના કોંગ્રેસ સમર્થિત સભ્યોએ બોરસદ નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત મૂકી હતી. પ્રમુખ આરતી પટેલ અને ઉપપ્રમુખ રણજિત પરમારે અવિશ્વાસનો મત ખોઈ બેઠા હતા. અવિશ્વાસનો મત ખોતા ભાજપને ઘર ભેગું થવું પડ્યું હતું. 




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.