આજથી બિન શૈક્ષણિક કામગીરીનો બહિષ્કાર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-23 12:27:26



ગુજરાતની સરકારી ઈજનેર કોલેજના અધ્યાપકોએ પડતર પ્રશ્નોના ઉકેલની માગણી મામલે બિન શૈક્ષણિક કામગીરીનો બહિષ્કાર કર્યો છે. અધ્યાપકોના જૂના પ્રશ્નોના નિરાકરણ ના આવતા 12 સપ્ટેમ્બરે આંદોલનની જાહેરાત કરી હતી. 


શા માટે આંદોલન થઈ રહ્યું છે?

ગુજરાતની સરકારી ઈજનેર કોલેજ અને પોલિટેક્નિકના અધ્યાપકો મહેકમ વિભાગ, એકાઉન્ટ અને હોસ્ટેલ સહિતના કામગીરીનો બહિષ્કાર કર્યો છે. અધ્યાપકોનું કહેવું છે કે તેમનું કામ અલગ છે છતાં તેમના બિન શૈક્ષણિક કામગીરી આપવામાં આવે છે. આથી અધ્યાપકોએ વિરોધ નોંધાવ્યો છે. 


અધ્યાપકો વિવિધ રીતે આંદોમન કરી રહ્યા છે

સરકારી ઈજનેરી અને પોલિટેક્નિકના અધ્યાપકો ઘણા દિવસોથી વિવિધ રીતે આંદોલન કરી રહ્યા છે. તેઓએ પહેલા કાળી પટ્ટી પહેરીને વિરોધ નોંધાવ્યો હતો જેનું કોઈ નિરાકરણ આવ્યું ન હતું. અગાઉ અધ્યાપકોએ તેઓએ કાળા કપડાં પહેરીને આંદોલન નોંધાવ્યું હતું પરંતુ સરકારના કાન સુધી તેમનો અવાજ નહોતો પહોંચ્યો. છેલ્લે તેમણે કંટાળીને વધારાની કામગીરી કરવાનો જ વિરોધ કરી દીધો છે. 


શું છે અધ્યાપકોની માગણી?

અધ્યાપકોની માગણી છે કે કેરિયર એડવાન્સમેન્ટ સ્કીમ હેઠળના પડતર લાભો, સહાયક અધ્યાપકમાંથી સહ અધ્યાપક તરીકે બઢતી, સ્વવિનંતીથી બદલી, એડહોક સેવાને સળંગ ગણવા સહિતના મુદ્દાઓ સાથે અધ્યાપકો વિરોધ નોંધાવી રહ્યા છે.   



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે