આજથી બિન શૈક્ષણિક કામગીરીનો બહિષ્કાર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-23 12:27:26



ગુજરાતની સરકારી ઈજનેર કોલેજના અધ્યાપકોએ પડતર પ્રશ્નોના ઉકેલની માગણી મામલે બિન શૈક્ષણિક કામગીરીનો બહિષ્કાર કર્યો છે. અધ્યાપકોના જૂના પ્રશ્નોના નિરાકરણ ના આવતા 12 સપ્ટેમ્બરે આંદોલનની જાહેરાત કરી હતી. 


શા માટે આંદોલન થઈ રહ્યું છે?

ગુજરાતની સરકારી ઈજનેર કોલેજ અને પોલિટેક્નિકના અધ્યાપકો મહેકમ વિભાગ, એકાઉન્ટ અને હોસ્ટેલ સહિતના કામગીરીનો બહિષ્કાર કર્યો છે. અધ્યાપકોનું કહેવું છે કે તેમનું કામ અલગ છે છતાં તેમના બિન શૈક્ષણિક કામગીરી આપવામાં આવે છે. આથી અધ્યાપકોએ વિરોધ નોંધાવ્યો છે. 


અધ્યાપકો વિવિધ રીતે આંદોમન કરી રહ્યા છે

સરકારી ઈજનેરી અને પોલિટેક્નિકના અધ્યાપકો ઘણા દિવસોથી વિવિધ રીતે આંદોલન કરી રહ્યા છે. તેઓએ પહેલા કાળી પટ્ટી પહેરીને વિરોધ નોંધાવ્યો હતો જેનું કોઈ નિરાકરણ આવ્યું ન હતું. અગાઉ અધ્યાપકોએ તેઓએ કાળા કપડાં પહેરીને આંદોલન નોંધાવ્યું હતું પરંતુ સરકારના કાન સુધી તેમનો અવાજ નહોતો પહોંચ્યો. છેલ્લે તેમણે કંટાળીને વધારાની કામગીરી કરવાનો જ વિરોધ કરી દીધો છે. 


શું છે અધ્યાપકોની માગણી?

અધ્યાપકોની માગણી છે કે કેરિયર એડવાન્સમેન્ટ સ્કીમ હેઠળના પડતર લાભો, સહાયક અધ્યાપકમાંથી સહ અધ્યાપક તરીકે બઢતી, સ્વવિનંતીથી બદલી, એડહોક સેવાને સળંગ ગણવા સહિતના મુદ્દાઓ સાથે અધ્યાપકો વિરોધ નોંધાવી રહ્યા છે.   



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.