લ્યો બોલો, રાજ્યમાં છેલ્લા 20 વર્ષથી BPL યાદી અંગે કોઈ સર્વે જ થયો નથી, સરકારે વિધાનસભામાં આપી માહિતી


  • Published By :
  • Published Date : 2023-03-21 21:12:22

ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર હાલ ચાલી રહ્યું છે, આ સત્રના પ્રશ્નોત્તરી કાળ દરમિયાન આંકલાવના કોંગ્રેસના ધારાસભ્ય અમીત ચાવડાએ રાજ્ય સરકારને બીપીએલ યાદી માટેના સર્વે બાબતે સવાલ કર્યા હતો. અમીત ચાવડાએ ગ્રામ, ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રીને ઉદ્દેશીને આ સવાલ કર્યો હતો.


BPL યાદી માટે છેલ્લે સર્વે ક્યારે કરાયો?


ધારાસભ્ય અમીત ચાવડાએ સવાલ કર્યો કે વર્તમાન સ્થિતીએ રાજ્યમાં છેલ્લે બીપીએલ યાદી માટે સર્વે ક્યારે કરવામાં આવ્યો હતો, તે ઉપરાંત બે પેટા સવાલો પણ પૂછ્યા હતા. જેમ કે હાલની સ્થિતીએ 0થી 20 સ્કોર ધરાવતા કેટલા બીપીએલ પરિવારો છે, તથા કઈ યોજનાનો લાભ મેળવવા માટે બીપીએલ યાદીનો સ્કોર 0થી 20માં હોવો જરૂરી છે? . તેમણે સરકારને તે સવાલ પણ કર્યો કે બીપીએલ યાદી માટે સરકાર નવો સર્વે ક્યારે શરૂ કરશે?    


સરકારે આપ્યા આ જવાબ


અમીત ચાવડાના સવાલનો જવાબ આપતા ગ્રામ, ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રીએ જણાવ્યું કે રાજ્યમાં છેલ્લે બીપીએલ યાદીનો સર્વે વર્ષ 2002-03માં કરવામાં આવ્યો હતો. વર્તમાનમાં રાજ્યમાં 0થી 20ની સંખ્યા ધરાવતા બીપીએલ પરિવારોની સંખ્યા કુલ 31,67,211 છે. બીપીએલ લાભાર્થીઓને સરકારના વિવિધ વિભાગો જેવા કે સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, મહિલા અને બાળ વિકાસ વિભાગ, આદિજાતી વિકાસ વિભાગ, કૃષિ અને સહકાર વિભાગ ચાલતી યોજનાઓના લાભો નિયમોનુસાર આપવામાં આવે છે. જો કે હવે નવી બીપીએલ યાદી ક્યારે શરૂ તે અંગે મંત્રીએ કોઈ સ્પષ્ટતા કરી નહોતી. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.