લ્યો બોલો, રાજ્યમાં છેલ્લા 20 વર્ષથી BPL યાદી અંગે કોઈ સર્વે જ થયો નથી, સરકારે વિધાનસભામાં આપી માહિતી


  • Published By :
  • Published Date : 2023-03-21 21:12:22

ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર હાલ ચાલી રહ્યું છે, આ સત્રના પ્રશ્નોત્તરી કાળ દરમિયાન આંકલાવના કોંગ્રેસના ધારાસભ્ય અમીત ચાવડાએ રાજ્ય સરકારને બીપીએલ યાદી માટેના સર્વે બાબતે સવાલ કર્યા હતો. અમીત ચાવડાએ ગ્રામ, ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રીને ઉદ્દેશીને આ સવાલ કર્યો હતો.


BPL યાદી માટે છેલ્લે સર્વે ક્યારે કરાયો?


ધારાસભ્ય અમીત ચાવડાએ સવાલ કર્યો કે વર્તમાન સ્થિતીએ રાજ્યમાં છેલ્લે બીપીએલ યાદી માટે સર્વે ક્યારે કરવામાં આવ્યો હતો, તે ઉપરાંત બે પેટા સવાલો પણ પૂછ્યા હતા. જેમ કે હાલની સ્થિતીએ 0થી 20 સ્કોર ધરાવતા કેટલા બીપીએલ પરિવારો છે, તથા કઈ યોજનાનો લાભ મેળવવા માટે બીપીએલ યાદીનો સ્કોર 0થી 20માં હોવો જરૂરી છે? . તેમણે સરકારને તે સવાલ પણ કર્યો કે બીપીએલ યાદી માટે સરકાર નવો સર્વે ક્યારે શરૂ કરશે?    


સરકારે આપ્યા આ જવાબ


અમીત ચાવડાના સવાલનો જવાબ આપતા ગ્રામ, ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રીએ જણાવ્યું કે રાજ્યમાં છેલ્લે બીપીએલ યાદીનો સર્વે વર્ષ 2002-03માં કરવામાં આવ્યો હતો. વર્તમાનમાં રાજ્યમાં 0થી 20ની સંખ્યા ધરાવતા બીપીએલ પરિવારોની સંખ્યા કુલ 31,67,211 છે. બીપીએલ લાભાર્થીઓને સરકારના વિવિધ વિભાગો જેવા કે સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, મહિલા અને બાળ વિકાસ વિભાગ, આદિજાતી વિકાસ વિભાગ, કૃષિ અને સહકાર વિભાગ ચાલતી યોજનાઓના લાભો નિયમોનુસાર આપવામાં આવે છે. જો કે હવે નવી બીપીએલ યાદી ક્યારે શરૂ તે અંગે મંત્રીએ કોઈ સ્પષ્ટતા કરી નહોતી. 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.