લ્યો બોલો, રાજ્યમાં છેલ્લા 20 વર્ષથી BPL યાદી અંગે કોઈ સર્વે જ થયો નથી, સરકારે વિધાનસભામાં આપી માહિતી


  • Published By :
  • Published Date : 2023-03-21 21:12:22

ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર હાલ ચાલી રહ્યું છે, આ સત્રના પ્રશ્નોત્તરી કાળ દરમિયાન આંકલાવના કોંગ્રેસના ધારાસભ્ય અમીત ચાવડાએ રાજ્ય સરકારને બીપીએલ યાદી માટેના સર્વે બાબતે સવાલ કર્યા હતો. અમીત ચાવડાએ ગ્રામ, ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રીને ઉદ્દેશીને આ સવાલ કર્યો હતો.


BPL યાદી માટે છેલ્લે સર્વે ક્યારે કરાયો?


ધારાસભ્ય અમીત ચાવડાએ સવાલ કર્યો કે વર્તમાન સ્થિતીએ રાજ્યમાં છેલ્લે બીપીએલ યાદી માટે સર્વે ક્યારે કરવામાં આવ્યો હતો, તે ઉપરાંત બે પેટા સવાલો પણ પૂછ્યા હતા. જેમ કે હાલની સ્થિતીએ 0થી 20 સ્કોર ધરાવતા કેટલા બીપીએલ પરિવારો છે, તથા કઈ યોજનાનો લાભ મેળવવા માટે બીપીએલ યાદીનો સ્કોર 0થી 20માં હોવો જરૂરી છે? . તેમણે સરકારને તે સવાલ પણ કર્યો કે બીપીએલ યાદી માટે સરકાર નવો સર્વે ક્યારે શરૂ કરશે?    


સરકારે આપ્યા આ જવાબ


અમીત ચાવડાના સવાલનો જવાબ આપતા ગ્રામ, ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રીએ જણાવ્યું કે રાજ્યમાં છેલ્લે બીપીએલ યાદીનો સર્વે વર્ષ 2002-03માં કરવામાં આવ્યો હતો. વર્તમાનમાં રાજ્યમાં 0થી 20ની સંખ્યા ધરાવતા બીપીએલ પરિવારોની સંખ્યા કુલ 31,67,211 છે. બીપીએલ લાભાર્થીઓને સરકારના વિવિધ વિભાગો જેવા કે સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, મહિલા અને બાળ વિકાસ વિભાગ, આદિજાતી વિકાસ વિભાગ, કૃષિ અને સહકાર વિભાગ ચાલતી યોજનાઓના લાભો નિયમોનુસાર આપવામાં આવે છે. જો કે હવે નવી બીપીએલ યાદી ક્યારે શરૂ તે અંગે મંત્રીએ કોઈ સ્પષ્ટતા કરી નહોતી. 



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે