બોયકોટ ટ્રેન્ડ વચ્ચે બ્રહ્માસ્ત્રે કરી ધૂમ કમાણી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-18 13:11:04

બોલિવુડમાં જ્યાં એક તરફ બોયકોટનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે તો બીજી બાજુ આલિયા-રણવીરની બ્રહ્માસ્ત્ર બોક્સઓફિસ પર ધૂમ મચાવી દીધી છે. બીજા વિકેન્ડ પર પણ બ્રહ્માસ્ત્ર સારી કમાણી કરી  કરી રહ્યું છે. આલિયા રણવીરની જોડીએ ભૂલ ભૂલૈયા 2નો રેકોર્ડ તોડી દીધો છે. 2 અઠવાડીયાનો સમય વિત્યા બાદ પણ દર્શકો બ્રહ્માસ્ત્રને જોવાનું પસંદ કરી રહ્યા છે.


બ્રહ્માસ્ત્રનું બોક્સ ઓફિસ પર સારૂ પ્રદર્શન

2022 શરૂ થતાં જ બોલિવુડમાં બોયકોટ ટ્રેન્ડ ચાલી રહ્યો છે. ત્યારે આ બધા વચ્ચે બ્રહ્માસ્ત્ર સારી કમાણી કરી બોક્સ ઓફિસમાં પોતાનું સ્થાન બનાવી રહ્યું છે. આ ફિલ્મને લઈને પણ અનેક વિવાદ સર્જાયા હતા પરંતુ તે છતાં પણ લોકોએ આલિયા અને રણવીરની જોડીને બોક્સ ઓફિસ પર પસંદ કરી છે. પહેલા દિવસ થીજ બોક્સ ઓફિસ પર આ ફિલ્મ સારી કમાણી કરી રહ્યું છે. ભારતમાં આ ફિલ્મે 200 કરોડનું કલેક્શન કરી દીધું છે જ્યારે વિશ્વભરમાં આ આંક 300 કરોડને પાર પહોંચી ગયો છે. 

Ranbir Kapoor-Alia Bhatt make fans go 'OMG' as new 'Brahmastra' still  surfaces online | Bollywood News


ભૂલ ભૂલૈયા 2નો તોડ્યો રેકોર્ડ

200 કરોડના કમાણી કરી લેતા આ ફિલ્મે ભૂલ ભૂલૈયા 2 ના રેકોર્ડને પણ બ્રેક કર્યો છે. ભૂલ ભુલૈયા 2 ફિલ્મે 198 કરોડ રૂપિયાની કમાણી કરી હતા જ્યારે બ્રહ્માસ્ત્રની કમાણી 200 કરોડને પાર થવા જઈ રહી છે ઉપરાંત હજુ પણ દર્શકો આ ફિલ્મને જોવાનું પસંદ કરી રહ્યા છે. અનેેક એક્સપર્ટની આશા કરતા બ્રહ્માસ્ત્રે બોક્સઓફિસમાં સારી કમાણી કરી છે.  

Bhool Bhulaiyaa 2 Highlights: Kartik Aaryan, Kiara Advani's film releases,  see review, BO prediction & more | PINKVILLA

અનેક ફિલ્મોએ કર્યો છે બોયકોટ ટ્રેન્ડનો સામનો 

2022માં દિગ્ગજ અભિનેતાઓની ફિલ્મો દર્શકો બોયકોટ કરી રહ્યા છે. આમિર ખાનની લાલ સિંહ ચડ્ડા, અક્ષય કુમારની રક્ષાબંધન સહિત અનેક ફિલ્મોએ બોયકોટનો સામનો કરવો પડ્યો છે. ત્યારે બ્રહ્માસ્ત્રને લઈને પણ અનેક વિવાદ સર્જાયા હતા જેને લઈ લાગતું હતું કે આ ફિલ્મને પણ લોકો જોવાનું પસંદ નહીં કરે પરંતુ લોકોએ આલિયા અને રણવીરની જોડીને પસંદ કરી છે.



રાજકોટમાં આવેલી આજી નદી પર રિવરફ્રન્ટ બનાવવાનો રસ્તો હવે સાફ થઇ ચુક્યો છે. કેમ કે , જંગલેશ્વર વિસ્તારમાં અંદાજે ૪૦૦ કરોડ રૂપિયાની કિંમતની સરકારી જમીન પર ખડકાયેલા ૧૩૫૮ જેટલા મકાનોને દૂર કરવામાં આવશે. આ માટે ગુજરાતના મહેસુલી પંચ દ્વારા સ્થાનિક દબાણકારોની અપીલને રદ કરતો ચુકાદો આપી દેવામાં આવ્યો છે. આ ચુકાદા પછી , ટૂંક સમયમાં જ જંગલેશ્વરમાં ફરી એકવાર ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

" આજે ઈરાન માટે ખુબ મોટો દિવસ છે કેમ કે , ઈરાન પર ખુબ ઘાતક હુમલો કરવામાં આવ્યો છે. " આ શબ્દો છે , અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ. આ એજ રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ છે કે જેઓ , અમેરિકામાં રાષ્ટ્રપતિપદની ચૂંટણીઓના પ્રચાર દરમ્યાન , અમેરિકાને કોઈ પણ નવા યુદ્ધમાં ના ઝોંકવાની કસમ ખાતા હતા અને આજે તેઓ , તેમના બીજા કાર્યકાળના શરુ થયે માત્ર ૧૩ મહિનાની અંદર , ઈરાન પર ખુબ ભારે બોમ્બમારો કરાવી રહ્યા છે. આવનારા , સમયમાં અમેરિકા જમીની સ્તરે ઈરાન પર આક્રમણ કરી શકે છે. તો બીજી તરફ , કુવૈતથી ખબર આવી છે કે , ઈરાનના હુમલામાં એક ભારતીયએ જીવ ગુમાવ્યો છે. વાત કરીએ , ભારતની તો , પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે જે ઉર્જા સંકટ ભારત સામે ઉભું થયું છે તેની સામે કેરોસીનના વેચાણને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

ગુજરાતમાં છેલ્લા ૬ મહિનામાં પોલીસ પર હુમલાની ઘટનામાં વધારો થયો છે. ઓક્ટોબર ૨૦૨૫માં બોટાદના હડદડ ગામે થયેલી હિંસા અને ત્યારબાદ અંબાજીના પાડલીયા ગામે ડિસેમ્બર ૨૦૨૫માં પોલીસ સાથે ઘર્ષણની ઘટના સામે આવી હતી. આ ઉપરાંત થોડાક સમય અગાઉ , પાટણના ઝીલીયા ગામે , અસામાજિક તત્વો દ્વારા પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો. હવે , અમદાવાદના નળ સરોવર ખાતે પણ પોલીસ પર હુમલાની ઘટના સામે આવી છે. જેમાં બે પોલીસકર્મી ઘાયલ થયા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.

રાજકોટ રેન્જ IG તરીકે નિર્લિપ્ત રાયની નિમણુંક થતા અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. કેમ કે , હવે નિર્લિપ્ત રાય દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે , આગામી સમયમાં ૧ લી અને ૨જી એપ્રિલે એક લોકસંપર્ક સભા યોજાશે જેમાં તેઓ પોતે વ્યાજખોરોના ત્રાસથી પીડિતોની રજુઆત સાંભળશે. આ ઉપરાંત , જામનગરમાં રેન્જ IG નિર્લિપ્ત રાયની મુલાકાતના બે જ કલાકની અંદર ૭૨ જેટલા ગેરકાયદેસર બાંધકામો તંત્ર દ્વારા ધ્વસ્ત કરી નાખવામાં આવ્યા છે.