બોયકોટ ટ્રેન્ડ વચ્ચે બ્રહ્માસ્ત્રે કરી ધૂમ કમાણી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-18 13:11:04

બોલિવુડમાં જ્યાં એક તરફ બોયકોટનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે તો બીજી બાજુ આલિયા-રણવીરની બ્રહ્માસ્ત્ર બોક્સઓફિસ પર ધૂમ મચાવી દીધી છે. બીજા વિકેન્ડ પર પણ બ્રહ્માસ્ત્ર સારી કમાણી કરી  કરી રહ્યું છે. આલિયા રણવીરની જોડીએ ભૂલ ભૂલૈયા 2નો રેકોર્ડ તોડી દીધો છે. 2 અઠવાડીયાનો સમય વિત્યા બાદ પણ દર્શકો બ્રહ્માસ્ત્રને જોવાનું પસંદ કરી રહ્યા છે.


બ્રહ્માસ્ત્રનું બોક્સ ઓફિસ પર સારૂ પ્રદર્શન

2022 શરૂ થતાં જ બોલિવુડમાં બોયકોટ ટ્રેન્ડ ચાલી રહ્યો છે. ત્યારે આ બધા વચ્ચે બ્રહ્માસ્ત્ર સારી કમાણી કરી બોક્સ ઓફિસમાં પોતાનું સ્થાન બનાવી રહ્યું છે. આ ફિલ્મને લઈને પણ અનેક વિવાદ સર્જાયા હતા પરંતુ તે છતાં પણ લોકોએ આલિયા અને રણવીરની જોડીને બોક્સ ઓફિસ પર પસંદ કરી છે. પહેલા દિવસ થીજ બોક્સ ઓફિસ પર આ ફિલ્મ સારી કમાણી કરી રહ્યું છે. ભારતમાં આ ફિલ્મે 200 કરોડનું કલેક્શન કરી દીધું છે જ્યારે વિશ્વભરમાં આ આંક 300 કરોડને પાર પહોંચી ગયો છે. 

Ranbir Kapoor-Alia Bhatt make fans go 'OMG' as new 'Brahmastra' still  surfaces online | Bollywood News


ભૂલ ભૂલૈયા 2નો તોડ્યો રેકોર્ડ

200 કરોડના કમાણી કરી લેતા આ ફિલ્મે ભૂલ ભૂલૈયા 2 ના રેકોર્ડને પણ બ્રેક કર્યો છે. ભૂલ ભુલૈયા 2 ફિલ્મે 198 કરોડ રૂપિયાની કમાણી કરી હતા જ્યારે બ્રહ્માસ્ત્રની કમાણી 200 કરોડને પાર થવા જઈ રહી છે ઉપરાંત હજુ પણ દર્શકો આ ફિલ્મને જોવાનું પસંદ કરી રહ્યા છે. અનેેક એક્સપર્ટની આશા કરતા બ્રહ્માસ્ત્રે બોક્સઓફિસમાં સારી કમાણી કરી છે.  

Bhool Bhulaiyaa 2 Highlights: Kartik Aaryan, Kiara Advani's film releases,  see review, BO prediction & more | PINKVILLA

અનેક ફિલ્મોએ કર્યો છે બોયકોટ ટ્રેન્ડનો સામનો 

2022માં દિગ્ગજ અભિનેતાઓની ફિલ્મો દર્શકો બોયકોટ કરી રહ્યા છે. આમિર ખાનની લાલ સિંહ ચડ્ડા, અક્ષય કુમારની રક્ષાબંધન સહિત અનેક ફિલ્મોએ બોયકોટનો સામનો કરવો પડ્યો છે. ત્યારે બ્રહ્માસ્ત્રને લઈને પણ અનેક વિવાદ સર્જાયા હતા જેને લઈ લાગતું હતું કે આ ફિલ્મને પણ લોકો જોવાનું પસંદ નહીં કરે પરંતુ લોકોએ આલિયા અને રણવીરની જોડીને પસંદ કરી છે.



સંતરામપુરથી એક વીડિયો સામે આવ્યો છે જે અનેક સવાલ ઉભા કરે છે. બુથ પર હાજર અધિકારી, ત્યાં હાજર પોલીસ અધિકારી.. જો વીડિયો વાયરલ ના થયો હોત તો ખબર જ ના પડત તે આવી ઘટના બની છે.

નાની નાની વાતોમાં સુખ રહેલું છે તે આપણે માનીએ તો પણ જીવનને જોવાનો આપણો અભિગમ બદલાઈ જાય છે.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ચંદ્રકાન્ત બક્ષીની રચના જેમાં આ વાતને સમજાવવામાં આવી છે.

વલસાડ લોકસભા બેઠક પણ ચર્ચામાં રહી પોતાના ઉમેદવારોને કારણે.. ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ટિકીટ આપવામાં આવી હતી જ્યારે ભારતીય જનતા પાર્ટીએ ધવલ પટેલને ટિકીટ આપી છે.. જમાવટની ટીમે ધવલ પટેલ સાથે ટેલિફોનિક વાત કરી હતી.

ચૂંટણી પૂર્ણ થયા બાદ પરષોત્તમ રૂપાલાએ એક નિવેદન આપ્યું જેમાં તેમણે ક્ષત્રિય સમાજની માફી માગી હતી. આ બાદ ક્ષત્રિય સમાજે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. ક્ષત્રિય સમાજે પરશોત્તમ રૂપાલાને જણાવ્યું છે કે,‘કદાચ તેમને આગળ કોઇ પદભાર મેળવવું હોય તેથી આજે તેમણે અમારી ફરીથી માફી માંગી છે તેવું અમારું માનવું છે.'