ગાંધીનગર ખાતે કરાયું બ્રહ્મસંમેલનનું આયોજન, ભૂદેવો તથા બ્રાહ્મણ પરિવારને આવવા અપાયું આમંત્રણ..


  • Published By :
  • Published Date : 2024-04-13 13:16:28

લોકસભા ચૂંટણી પહેલા અનેક મુદ્દાઓ પર ચર્ચા થતી હોય છે. પરંતુ સૌથી વધારે ધ્યાન સમાજ પર, જ્ઞાતિ સહિતના મુદ્દાઓ પર વધારે ધ્યાન આપવામાં આવતું હોય છે.. ત્યારે લોકસભા ચૂંટણી પહેલા ગાંધીનગર ખાતે વિવિધ સમાજોની બેઠક થઈ રહી છે.. ત્યારે આજે ગાંધીનગર ખાતે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. ગાંધીનગરના સેક્ટર 16 ખાતે આવેલા સ્વામી સચ્ચિદાનંદ બ્રહ્મ ભવન ખાતે આ બેઠક મળવાની છે જેમાં સમાજને લગતા અનેક વિષયો પર ચર્ચા થવાની છે. શિક્ષણ, સંસ્કાર, સેવા તેમજ સંગઠન આગળ વધે તે હેતુથી આ બેઠક મળવાની છે. ઉચ્ચ શિક્ષણ, રોજગાર તથા સામાજિક સેવા સાથે સંગઠન વધુ મજબૂત બને તે માટે ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આ આશ્રય સાથે આજે બેઠક થવાની છે જેમાં બ્રહ્મ સમાજના લોકો આવે તે માટે આહ્વાન કરવામાં આવ્યું છે.  

બ્રહ્મ પરિવારને બેઠકમાં ઉપસ્થિત રહેવા આહ્વાન 

ગાંધીનગર ખાતે બ્રહ્મચોર્યાશી સ્નેહ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં શિક્ષણ, સંસ્કાર જેવા મુદ્દાઓ પર ચર્ચા થશે. આ બેઠકમાં બ્રહ્મ સમાજની બેઠકમાં સમગ્ર ગુજરાતના દરેક જિલ્લા, તાલુકા, માંથી બ્રહ્મ પરિવારો પધારે તે માટે આહ્વાન કરવામાં આવ્યું છે. મહત્વનું છે લોકસભા ચૂંટણી પહેલા અનેક સમાજોની બેઠકો થઈ રહી છે. અનેક સંમેલનોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.  




ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે