ગાંધીનગર ખાતે કરાયું બ્રહ્મસંમેલનનું આયોજન, ભૂદેવો તથા બ્રાહ્મણ પરિવારને આવવા અપાયું આમંત્રણ..


  • Published By :
  • Published Date : 2024-04-13 13:16:28

લોકસભા ચૂંટણી પહેલા અનેક મુદ્દાઓ પર ચર્ચા થતી હોય છે. પરંતુ સૌથી વધારે ધ્યાન સમાજ પર, જ્ઞાતિ સહિતના મુદ્દાઓ પર વધારે ધ્યાન આપવામાં આવતું હોય છે.. ત્યારે લોકસભા ચૂંટણી પહેલા ગાંધીનગર ખાતે વિવિધ સમાજોની બેઠક થઈ રહી છે.. ત્યારે આજે ગાંધીનગર ખાતે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. ગાંધીનગરના સેક્ટર 16 ખાતે આવેલા સ્વામી સચ્ચિદાનંદ બ્રહ્મ ભવન ખાતે આ બેઠક મળવાની છે જેમાં સમાજને લગતા અનેક વિષયો પર ચર્ચા થવાની છે. શિક્ષણ, સંસ્કાર, સેવા તેમજ સંગઠન આગળ વધે તે હેતુથી આ બેઠક મળવાની છે. ઉચ્ચ શિક્ષણ, રોજગાર તથા સામાજિક સેવા સાથે સંગઠન વધુ મજબૂત બને તે માટે ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આ આશ્રય સાથે આજે બેઠક થવાની છે જેમાં બ્રહ્મ સમાજના લોકો આવે તે માટે આહ્વાન કરવામાં આવ્યું છે.  

બ્રહ્મ પરિવારને બેઠકમાં ઉપસ્થિત રહેવા આહ્વાન 

ગાંધીનગર ખાતે બ્રહ્મચોર્યાશી સ્નેહ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં શિક્ષણ, સંસ્કાર જેવા મુદ્દાઓ પર ચર્ચા થશે. આ બેઠકમાં બ્રહ્મ સમાજની બેઠકમાં સમગ્ર ગુજરાતના દરેક જિલ્લા, તાલુકા, માંથી બ્રહ્મ પરિવારો પધારે તે માટે આહ્વાન કરવામાં આવ્યું છે. મહત્વનું છે લોકસભા ચૂંટણી પહેલા અનેક સમાજોની બેઠકો થઈ રહી છે. અનેક સંમેલનોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.  




ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.