ગાંધીનગર ખાતે કરાયું બ્રહ્મસંમેલનનું આયોજન, ભૂદેવો તથા બ્રાહ્મણ પરિવારને આવવા અપાયું આમંત્રણ..


  • Published By :
  • Published Date : 2024-04-13 13:16:28

લોકસભા ચૂંટણી પહેલા અનેક મુદ્દાઓ પર ચર્ચા થતી હોય છે. પરંતુ સૌથી વધારે ધ્યાન સમાજ પર, જ્ઞાતિ સહિતના મુદ્દાઓ પર વધારે ધ્યાન આપવામાં આવતું હોય છે.. ત્યારે લોકસભા ચૂંટણી પહેલા ગાંધીનગર ખાતે વિવિધ સમાજોની બેઠક થઈ રહી છે.. ત્યારે આજે ગાંધીનગર ખાતે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. ગાંધીનગરના સેક્ટર 16 ખાતે આવેલા સ્વામી સચ્ચિદાનંદ બ્રહ્મ ભવન ખાતે આ બેઠક મળવાની છે જેમાં સમાજને લગતા અનેક વિષયો પર ચર્ચા થવાની છે. શિક્ષણ, સંસ્કાર, સેવા તેમજ સંગઠન આગળ વધે તે હેતુથી આ બેઠક મળવાની છે. ઉચ્ચ શિક્ષણ, રોજગાર તથા સામાજિક સેવા સાથે સંગઠન વધુ મજબૂત બને તે માટે ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આ આશ્રય સાથે આજે બેઠક થવાની છે જેમાં બ્રહ્મ સમાજના લોકો આવે તે માટે આહ્વાન કરવામાં આવ્યું છે.  

બ્રહ્મ પરિવારને બેઠકમાં ઉપસ્થિત રહેવા આહ્વાન 

ગાંધીનગર ખાતે બ્રહ્મચોર્યાશી સ્નેહ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં શિક્ષણ, સંસ્કાર જેવા મુદ્દાઓ પર ચર્ચા થશે. આ બેઠકમાં બ્રહ્મ સમાજની બેઠકમાં સમગ્ર ગુજરાતના દરેક જિલ્લા, તાલુકા, માંથી બ્રહ્મ પરિવારો પધારે તે માટે આહ્વાન કરવામાં આવ્યું છે. મહત્વનું છે લોકસભા ચૂંટણી પહેલા અનેક સમાજોની બેઠકો થઈ રહી છે. અનેક સંમેલનોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.  




જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે