Breaking: ડેડિયાપાડાના AAPના ધારાસભ્ય ચૈતર વસાવાનો જામીન પર છુટકારો, પરિવારજનો અને કાર્યકરોમાં ખુશીનો માહોલ


  • Published By :
  • Published Date : 2024-01-22 20:19:20

આમ આદમી પાર્ટીના નેતા અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને આખરે જામીન મળી ગયા છે. વન્યકર્મીઓને ધમકી આપવાના મામલે ચૈતર વસાવા છેલ્લા ઘણા સમયથી જેલમાં બંધ હતા. રાજપીપળા કોર્ટે ચૈતર વસાવાને આર્મ્સ એક્ટ કેસમાં શરતી જામીન આપ્યા છે. કોર્ટે આપેલા શરતી જામીન પ્રમાણે ચૈતર વસાવા માટે ભરૂચ જિલ્લામાં પ્રવેશબંધી રહેશે. એટલે કે ચૈતર વસાવા  ભરૂચ જિલ્લામાં પ્રવેશી શકશે નહીં. આજે ચૈતર વસાવાનો જામીન પર છુટકારો થતા તેમના પરિવારજનો તથા આપના કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. 


શું છે સમગ્ર મામલો?


ચૈતર વસાવા સામે વન વિભાગના કર્મચારીઓને ધમકાવવા અને તેમને જાનથી મારી નાખવાની ધમકી આપવા સાથે હવામાં ફાયરિંગ કરવાના મામલે કલમ 386 હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો હતો. વન વિભાગ નર્મદા દ્વારા નર્મદા પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. ફરિયાદ નોંધાતા પોલીસે તેમની ધરપકડ કરવા માટે કાર્યવાહી શરૂ કરી રહી હતી, પરંતુ ચૈતર વસાવા ફરાર થઈ હતા. જો કે તેમનાં પત્ની સહિત ચૈતર વસાવાના પીએ અને એક ખેડૂતની ધરપકડ કરી લેવામાં આવી હતી, વસાવાના પીએ અને ખેડૂતને પોલીસ રિમાંડમાં મોકલી આપવામાં આવ્યા હતા. ઘણા સમય સુધી ફરાર રહ્યા બાદ ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ અંતે 14 ડિસેમ્બરે ડેડીયાપાડા પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું હતું. AAP ધારાસભ્ય ચૈતર વસાવા પોલીસ સમક્ષ હાજર થતાં ડેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં બહાર હજારોની સંખ્યામાં તેમના સમર્થકો પહોંચ્યા હતા. ચૈતર વસાવાએ ભાજપ અને સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા હતા. બાદમાં ચૈતર વસાવાને રાજપીપળા ખાતે પૂછપરછ માટે લઈ જવામાં આવ્યા હતા. 

 

કેજરીવાલે ભરૂચ સીટ માટે કરી હતી વસાવાના નામની જાહેરાત


ગુજરાતના બે દિવસના પ્રવાસે આવેલા અરવિંદ કેજરીવાલે જેલમાં બંધ AAP ધારાસભ્યને લોકસભામાં ઉમેદવાર બનાવવાની જાહેરાત કરી હતી. આમ આદમી પાર્ટીના કન્વિનર અને દિલ્હીના સીએમ કેજરીવાલે નેત્રંગમાં આદિવાસીઓની રેલીને સંબોધતા કહ્યું હતું કે ગુજરાતની ભરૂચ લોકસભા બેઠક પરથી ચૈતર વસાવા ચૂંટણી લડશે. કેજરીવાલે વધુમાં કહ્યું હતું કે આમ આદમી તરફથી ચૈતર વસાવા ભરૂચ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડશે, જ્યાર સુધી ચૂંટણી થશે ત્યાર સુધી ચૈતર વસાવા જેલમાંથી બહાર આવી જશે, અમે મોટા વકીલો સુપ્રીમ કોર્ટમાં રોક્યા છે. શકુંતલા બેનની જામીન અરજીની સુનાવણી થવાની છે. ચૈતર ભાઈ જો ષડયંત્રના ભાગરૂપે જેલમાં રહે તો ચૈતર ભાઈને જીતડવાના છે, ચૈતર ભાઈને દિલ્હી મોકલવાના છે. ચૈતર વસાવા બહાર આવશે અને ભાજપની ઉંધી ગણતરી શરૂ થશે. કેજરીવાલે  ચૈતર વસાવાના નામની જાહેરાત કરતા રાજકારણ ગરમાયું હતું. 



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે