Breaking: ડેડિયાપાડાના AAPના ધારાસભ્ય ચૈતર વસાવાનો જામીન પર છુટકારો, પરિવારજનો અને કાર્યકરોમાં ખુશીનો માહોલ


  • Published By :
  • Published Date : 2024-01-22 20:19:20

આમ આદમી પાર્ટીના નેતા અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને આખરે જામીન મળી ગયા છે. વન્યકર્મીઓને ધમકી આપવાના મામલે ચૈતર વસાવા છેલ્લા ઘણા સમયથી જેલમાં બંધ હતા. રાજપીપળા કોર્ટે ચૈતર વસાવાને આર્મ્સ એક્ટ કેસમાં શરતી જામીન આપ્યા છે. કોર્ટે આપેલા શરતી જામીન પ્રમાણે ચૈતર વસાવા માટે ભરૂચ જિલ્લામાં પ્રવેશબંધી રહેશે. એટલે કે ચૈતર વસાવા  ભરૂચ જિલ્લામાં પ્રવેશી શકશે નહીં. આજે ચૈતર વસાવાનો જામીન પર છુટકારો થતા તેમના પરિવારજનો તથા આપના કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. 


શું છે સમગ્ર મામલો?


ચૈતર વસાવા સામે વન વિભાગના કર્મચારીઓને ધમકાવવા અને તેમને જાનથી મારી નાખવાની ધમકી આપવા સાથે હવામાં ફાયરિંગ કરવાના મામલે કલમ 386 હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો હતો. વન વિભાગ નર્મદા દ્વારા નર્મદા પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. ફરિયાદ નોંધાતા પોલીસે તેમની ધરપકડ કરવા માટે કાર્યવાહી શરૂ કરી રહી હતી, પરંતુ ચૈતર વસાવા ફરાર થઈ હતા. જો કે તેમનાં પત્ની સહિત ચૈતર વસાવાના પીએ અને એક ખેડૂતની ધરપકડ કરી લેવામાં આવી હતી, વસાવાના પીએ અને ખેડૂતને પોલીસ રિમાંડમાં મોકલી આપવામાં આવ્યા હતા. ઘણા સમય સુધી ફરાર રહ્યા બાદ ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ અંતે 14 ડિસેમ્બરે ડેડીયાપાડા પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું હતું. AAP ધારાસભ્ય ચૈતર વસાવા પોલીસ સમક્ષ હાજર થતાં ડેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં બહાર હજારોની સંખ્યામાં તેમના સમર્થકો પહોંચ્યા હતા. ચૈતર વસાવાએ ભાજપ અને સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા હતા. બાદમાં ચૈતર વસાવાને રાજપીપળા ખાતે પૂછપરછ માટે લઈ જવામાં આવ્યા હતા. 

 

કેજરીવાલે ભરૂચ સીટ માટે કરી હતી વસાવાના નામની જાહેરાત


ગુજરાતના બે દિવસના પ્રવાસે આવેલા અરવિંદ કેજરીવાલે જેલમાં બંધ AAP ધારાસભ્યને લોકસભામાં ઉમેદવાર બનાવવાની જાહેરાત કરી હતી. આમ આદમી પાર્ટીના કન્વિનર અને દિલ્હીના સીએમ કેજરીવાલે નેત્રંગમાં આદિવાસીઓની રેલીને સંબોધતા કહ્યું હતું કે ગુજરાતની ભરૂચ લોકસભા બેઠક પરથી ચૈતર વસાવા ચૂંટણી લડશે. કેજરીવાલે વધુમાં કહ્યું હતું કે આમ આદમી તરફથી ચૈતર વસાવા ભરૂચ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડશે, જ્યાર સુધી ચૂંટણી થશે ત્યાર સુધી ચૈતર વસાવા જેલમાંથી બહાર આવી જશે, અમે મોટા વકીલો સુપ્રીમ કોર્ટમાં રોક્યા છે. શકુંતલા બેનની જામીન અરજીની સુનાવણી થવાની છે. ચૈતર ભાઈ જો ષડયંત્રના ભાગરૂપે જેલમાં રહે તો ચૈતર ભાઈને જીતડવાના છે, ચૈતર ભાઈને દિલ્હી મોકલવાના છે. ચૈતર વસાવા બહાર આવશે અને ભાજપની ઉંધી ગણતરી શરૂ થશે. કેજરીવાલે  ચૈતર વસાવાના નામની જાહેરાત કરતા રાજકારણ ગરમાયું હતું. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.