Breaking News : પોલીસ સમક્ષ હાજર થશે ડેડિયાપાડાના ધારાસભ્ય Chaitar Vasava ! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-12-14 09:30:18

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા આજે ડેડિયાપાડા પોલીસ સમક્ષ હાજર થવાના છે. ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વિરૂદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી. જ્યારથી પોલીસ ફરિયાદ થઈ ત્યારથી ચૈતર વસાવા ફરાર હતા. ત્યારે આજે પોલીસ સમક્ષ આપના ધારાસભ્ય ચૈતર વસાવા હાજર થવાના છે તેવી માહિતી સામે આવી છે. પોલીસ સમક્ષ હાજર થતા જ ગમે ત્યારે ચૈતર વસાવાની ધરપકડ થઈ શકે છે. આમ આદમી પાર્ટીના નેતાઓ ડેડિયાપાડા આવી પહોંચ્યા છે. 10 વાગ્યે ચૈતર વસાવા પોલીસ સમક્ષ હાજર થવાના છે.  

ચૈતર વસાવા ગમે ત્યારે પોલીસ સમક્ષ થશે હાજર! 

ગઈકાલથી આમ આદમી પાર્ટી ચર્ચામાં છે. આપના વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ ધારાસભ્ય પદ ઉપરથી રાજીનામું આપી દીધું. એની ચર્ચાઓ હજી સુધી શાંત નથી થઈ ત્યારે તો આજે આપના બીજા ધારાસભ્ય ચૈતર વસાવા ચર્ચામાં આવ્યા છે. ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વિરૂદ્ધ પોલીસ સ્ટેશનમાં વનકર્મીને ધમકાવવા બદલ પોલીસ ફરિયાદ કરવામાં આવી. પોલીસ ફરિયાદ થયા બાદ ચૈતર વસાવા ફરાર છે. ચૈતર વસાવાના પત્નીની પોલીસે ધરપકડ કરી છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય આજે ગમે ત્યારે પોલીસ સમક્ષ હાજર થવાના છે તેવી માહિતી સામે આવી છે. ચૈતર વસાવાના સમર્થનમાં આપના નેતાઓએ અભિયાન શરૂ કર્યું હતું હું પણ ચૈતર વસાવા. 

લોકસભા ચૂંટણી લડશે ચૈતર વસાવા! 

ચૈતર વસાવાના સમર્થનમાં આમ આદમી પાર્ટીના નેતાઓએ જાહેરાત કરી છે કે ચૈતર વસાવા તે લોકસભા ચૂંટણી લડશે. ચૈતર વસાવાને સાંસદ બનાવવા માટે આપના નેતાઓ ઘર ઘર જઈ ચૈતર વસાવા વતી પ્રચાર કરશે. આ મામલે ગોપાલ ઈટાલિયાએ જાહેરાત કરી હતી. મહત્વનું છે કે આગોતરા જામીન માટે ચૈતર વસાવાએ હાઈકોર્ટમાં અરજી કરી હતી પરંતુ તે અરજીને ફગાવી દેવામાં આવી હતી. ત્યારે આજે ચૈતર વસાવા પોલીસ સમક્ષ હાજર થવાના છે.    



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.