Breaking News : પોલીસ સમક્ષ હાજર થશે ડેડિયાપાડાના ધારાસભ્ય Chaitar Vasava ! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-12-14 09:30:18

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા આજે ડેડિયાપાડા પોલીસ સમક્ષ હાજર થવાના છે. ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વિરૂદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી. જ્યારથી પોલીસ ફરિયાદ થઈ ત્યારથી ચૈતર વસાવા ફરાર હતા. ત્યારે આજે પોલીસ સમક્ષ આપના ધારાસભ્ય ચૈતર વસાવા હાજર થવાના છે તેવી માહિતી સામે આવી છે. પોલીસ સમક્ષ હાજર થતા જ ગમે ત્યારે ચૈતર વસાવાની ધરપકડ થઈ શકે છે. આમ આદમી પાર્ટીના નેતાઓ ડેડિયાપાડા આવી પહોંચ્યા છે. 10 વાગ્યે ચૈતર વસાવા પોલીસ સમક્ષ હાજર થવાના છે.  

ચૈતર વસાવા ગમે ત્યારે પોલીસ સમક્ષ થશે હાજર! 

ગઈકાલથી આમ આદમી પાર્ટી ચર્ચામાં છે. આપના વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ ધારાસભ્ય પદ ઉપરથી રાજીનામું આપી દીધું. એની ચર્ચાઓ હજી સુધી શાંત નથી થઈ ત્યારે તો આજે આપના બીજા ધારાસભ્ય ચૈતર વસાવા ચર્ચામાં આવ્યા છે. ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વિરૂદ્ધ પોલીસ સ્ટેશનમાં વનકર્મીને ધમકાવવા બદલ પોલીસ ફરિયાદ કરવામાં આવી. પોલીસ ફરિયાદ થયા બાદ ચૈતર વસાવા ફરાર છે. ચૈતર વસાવાના પત્નીની પોલીસે ધરપકડ કરી છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય આજે ગમે ત્યારે પોલીસ સમક્ષ હાજર થવાના છે તેવી માહિતી સામે આવી છે. ચૈતર વસાવાના સમર્થનમાં આપના નેતાઓએ અભિયાન શરૂ કર્યું હતું હું પણ ચૈતર વસાવા. 

લોકસભા ચૂંટણી લડશે ચૈતર વસાવા! 

ચૈતર વસાવાના સમર્થનમાં આમ આદમી પાર્ટીના નેતાઓએ જાહેરાત કરી છે કે ચૈતર વસાવા તે લોકસભા ચૂંટણી લડશે. ચૈતર વસાવાને સાંસદ બનાવવા માટે આપના નેતાઓ ઘર ઘર જઈ ચૈતર વસાવા વતી પ્રચાર કરશે. આ મામલે ગોપાલ ઈટાલિયાએ જાહેરાત કરી હતી. મહત્વનું છે કે આગોતરા જામીન માટે ચૈતર વસાવાએ હાઈકોર્ટમાં અરજી કરી હતી પરંતુ તે અરજીને ફગાવી દેવામાં આવી હતી. ત્યારે આજે ચૈતર વસાવા પોલીસ સમક્ષ હાજર થવાના છે.    



IMF એટલેકે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ કે જેણે પાકિસ્તાનને $ 1 બિલિયન ડોલરની સહાયની જાહેરાત કરી છે. આ માટે થોડાક સમય અગાઉ IMFની બોર્ડની મિટિંગ મળી હતી . ભારતે IMFની બોર્ડ મિટિંગમાં આ સહાયની સામે ખુબ મજબૂત રીતે વિરોધ નોંધાવ્યો છે સાથે જ નિર્ણયની સામે મજબૂત રીતે ડિસેન્ટ એટલેકે , અસંતોષ નોંધાવ્યો છે. આ ઉપરાંત આપણે જાણીશું કે , દુનિયાના આતંકવાદ તેમાં પણ ખાસ કરીને પશ્ચિમી દેશો એટલે કે યુરોપ અને અમેરિકાના શું ડબલ સ્ટાન્ડર્ડ્સ છે?

થોડાક સમય પેહલા પાકિસ્તાને ભારતના ઘણાબધા શહેરો પર ડ્રોન અને મિસાઈલથી હુમલો કર્યો હતો . જોકે ભારતે પણ તેનો જવાબ ખુબ મજબૂતાઈથી આપ્યો છે. તો આ બાજુ નવી દિલ્હીમાં કેન્દ્ર સરકારમાં બેઠકોનો ધમધમાટ ચાલુ છે. કેન્દ્ર સરકાર સતત સેનાની તૈયારીઓ પર નજર રાખી રહી છે. તો આવો જાણીએ ક્યા મંત્રીઓએ બેઠક યોજી છે?

સમાચાર સામે આવી રહ્યા છે કે , પાકિસ્તાને ઓપરેશન સિંદૂર પછી ભારતના ૧૫ શહેરો પર હુમલાનો પ્રયાસ કર્યો છે . આ હુમલો ગયી કાલે મોડી રાત્રે ભારતના ૧૫ શહેરો પર ડ્રોન અને મિસાઈલ દ્વારા કરવામાં આવ્યો હતો . પાકિસ્તાનના આ નાપાક હુમલાને આપણી એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ દ્વારા નાકામ કરી નાખવામાં આવ્યો છે. તો આવો જાણીએ એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ શું છે જેને સુદર્શન ચક્ર પણ કહેવામાં આવે છે.

ભારતે ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાનમાં ૯ આતંકી ઠેકાણાઓ પર હુમલો કરીને સમગ્ર વિશ્વને એક સંદેશ ખુબ સ્પષ્ટ રીતે આપી દીધો છે કે , આતંકવાદ માટે ઝીરો ટોલરન્સ . આતંકવાદની વિચારધારા સાથે કોઈ જ સમાધાન નઈ થાય. ભારતના ઓપરેશન સિંદૂર પર વૈશ્વિક નેતાઓની પણ પ્રતિક્રિયા આવી ગઈ છે. તો આપણે જાણીશું કે વિશ્વના નેતાઓએ શું પ્રતિક્રિયા આપી છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો યુરોપ પ્રવાસ કેન્સલ થયો છે .