Breaking News : પોલીસ સમક્ષ હાજર થશે ડેડિયાપાડાના ધારાસભ્ય Chaitar Vasava ! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-12-14 09:30:18

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા આજે ડેડિયાપાડા પોલીસ સમક્ષ હાજર થવાના છે. ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વિરૂદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી. જ્યારથી પોલીસ ફરિયાદ થઈ ત્યારથી ચૈતર વસાવા ફરાર હતા. ત્યારે આજે પોલીસ સમક્ષ આપના ધારાસભ્ય ચૈતર વસાવા હાજર થવાના છે તેવી માહિતી સામે આવી છે. પોલીસ સમક્ષ હાજર થતા જ ગમે ત્યારે ચૈતર વસાવાની ધરપકડ થઈ શકે છે. આમ આદમી પાર્ટીના નેતાઓ ડેડિયાપાડા આવી પહોંચ્યા છે. 10 વાગ્યે ચૈતર વસાવા પોલીસ સમક્ષ હાજર થવાના છે.  

ચૈતર વસાવા ગમે ત્યારે પોલીસ સમક્ષ થશે હાજર! 

ગઈકાલથી આમ આદમી પાર્ટી ચર્ચામાં છે. આપના વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ ધારાસભ્ય પદ ઉપરથી રાજીનામું આપી દીધું. એની ચર્ચાઓ હજી સુધી શાંત નથી થઈ ત્યારે તો આજે આપના બીજા ધારાસભ્ય ચૈતર વસાવા ચર્ચામાં આવ્યા છે. ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વિરૂદ્ધ પોલીસ સ્ટેશનમાં વનકર્મીને ધમકાવવા બદલ પોલીસ ફરિયાદ કરવામાં આવી. પોલીસ ફરિયાદ થયા બાદ ચૈતર વસાવા ફરાર છે. ચૈતર વસાવાના પત્નીની પોલીસે ધરપકડ કરી છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય આજે ગમે ત્યારે પોલીસ સમક્ષ હાજર થવાના છે તેવી માહિતી સામે આવી છે. ચૈતર વસાવાના સમર્થનમાં આપના નેતાઓએ અભિયાન શરૂ કર્યું હતું હું પણ ચૈતર વસાવા. 

લોકસભા ચૂંટણી લડશે ચૈતર વસાવા! 

ચૈતર વસાવાના સમર્થનમાં આમ આદમી પાર્ટીના નેતાઓએ જાહેરાત કરી છે કે ચૈતર વસાવા તે લોકસભા ચૂંટણી લડશે. ચૈતર વસાવાને સાંસદ બનાવવા માટે આપના નેતાઓ ઘર ઘર જઈ ચૈતર વસાવા વતી પ્રચાર કરશે. આ મામલે ગોપાલ ઈટાલિયાએ જાહેરાત કરી હતી. મહત્વનું છે કે આગોતરા જામીન માટે ચૈતર વસાવાએ હાઈકોર્ટમાં અરજી કરી હતી પરંતુ તે અરજીને ફગાવી દેવામાં આવી હતી. ત્યારે આજે ચૈતર વસાવા પોલીસ સમક્ષ હાજર થવાના છે.    



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.