Breaking News : પોલીસ સમક્ષ હાજર થશે ડેડિયાપાડાના ધારાસભ્ય Chaitar Vasava ! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-12-14 09:30:18

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા આજે ડેડિયાપાડા પોલીસ સમક્ષ હાજર થવાના છે. ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વિરૂદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી. જ્યારથી પોલીસ ફરિયાદ થઈ ત્યારથી ચૈતર વસાવા ફરાર હતા. ત્યારે આજે પોલીસ સમક્ષ આપના ધારાસભ્ય ચૈતર વસાવા હાજર થવાના છે તેવી માહિતી સામે આવી છે. પોલીસ સમક્ષ હાજર થતા જ ગમે ત્યારે ચૈતર વસાવાની ધરપકડ થઈ શકે છે. આમ આદમી પાર્ટીના નેતાઓ ડેડિયાપાડા આવી પહોંચ્યા છે. 10 વાગ્યે ચૈતર વસાવા પોલીસ સમક્ષ હાજર થવાના છે.  

ચૈતર વસાવા ગમે ત્યારે પોલીસ સમક્ષ થશે હાજર! 

ગઈકાલથી આમ આદમી પાર્ટી ચર્ચામાં છે. આપના વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ ધારાસભ્ય પદ ઉપરથી રાજીનામું આપી દીધું. એની ચર્ચાઓ હજી સુધી શાંત નથી થઈ ત્યારે તો આજે આપના બીજા ધારાસભ્ય ચૈતર વસાવા ચર્ચામાં આવ્યા છે. ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વિરૂદ્ધ પોલીસ સ્ટેશનમાં વનકર્મીને ધમકાવવા બદલ પોલીસ ફરિયાદ કરવામાં આવી. પોલીસ ફરિયાદ થયા બાદ ચૈતર વસાવા ફરાર છે. ચૈતર વસાવાના પત્નીની પોલીસે ધરપકડ કરી છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય આજે ગમે ત્યારે પોલીસ સમક્ષ હાજર થવાના છે તેવી માહિતી સામે આવી છે. ચૈતર વસાવાના સમર્થનમાં આપના નેતાઓએ અભિયાન શરૂ કર્યું હતું હું પણ ચૈતર વસાવા. 

લોકસભા ચૂંટણી લડશે ચૈતર વસાવા! 

ચૈતર વસાવાના સમર્થનમાં આમ આદમી પાર્ટીના નેતાઓએ જાહેરાત કરી છે કે ચૈતર વસાવા તે લોકસભા ચૂંટણી લડશે. ચૈતર વસાવાને સાંસદ બનાવવા માટે આપના નેતાઓ ઘર ઘર જઈ ચૈતર વસાવા વતી પ્રચાર કરશે. આ મામલે ગોપાલ ઈટાલિયાએ જાહેરાત કરી હતી. મહત્વનું છે કે આગોતરા જામીન માટે ચૈતર વસાવાએ હાઈકોર્ટમાં અરજી કરી હતી પરંતુ તે અરજીને ફગાવી દેવામાં આવી હતી. ત્યારે આજે ચૈતર વસાવા પોલીસ સમક્ષ હાજર થવાના છે.    



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.