Breaking News : Loksabha Election પહેલા AAPને મોટો ઝટકો, અલ્પેશ કથીરિયાએ અને ધાર્મિક માલવિયાએ પાર્ટીમાંથી આપ્યું રાજીનામું


  • Published By :
  • Published Date : 2024-04-18 15:37:01

લોકસભા ચૂંટણી પહેલા અનેક નેતાઓ પોતાની પાર્ટીને છોડી રહ્યા છે. ત્યારે લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત આમ આદમી પાર્ટીને મોટો ઝટકો પડ્યો છે. આમ આદમી પાર્ટીના બે નેતાએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. જે નેતાએ રાજીનામું આપ્યું છે તે અલ્પેશ કથિરીયા અને ધાર્મિક માલવિયા.. પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીને તેમણે રાજીનામું સોંપ્યું છે. મહત્વનું છે કે બંને નેતાઓ વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા...  

Article Content Image


આપના બે દિગ્ગજ નેતાઓએ આપ્યું રાજીનામું 

થોડા સમય પહેલા આમ આદમી પાર્ટીએ સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી હતી. જેમાં 40 લોકોના નામ હતા. એમાંનું એક નામ અલ્પેશ કથીરિયાનું પણ હતું.. અલ્પેશ કથીરિયા પ્રચારની શરૂઆત કરે તે પહેલા તેમણે આજે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે... આમ આદમી પાર્ટીમાંથી ના માત્ર અલ્પેશ કથીરિયાએ રાજીનામું આપ્યું છે પરંતુ ધાર્મિક માલવિયાએ પણ પાર્ટીને અલવિદા કહી દીધું છે. આ બંને યુવા નેતાઓ પાટીદાર આંદોલનથી ચર્ચામાં આવ્યા હતા. 

Article Content Image


આમ આદમી પાર્ટી માટે મોટો પકડાર ઉભો થયો!

અલ્પેશ કથીરીયા પોતાના ક્ષેત્રમાં ગબ્બર નામે ઓળખાતા અને પછી ભાવનગરમાં અરવિંદ કેજરીવાલની હાજરીમાં આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા, એમનાં આપમાં જતાની સાથે જ સુરતમાં આમ આદમી પાર્ટી માટે ખાસો સકારાત્મક માહોલ બન્યો હતો, જો કે બંનેના પાર્ટી છોડતાની સાથે જ હવે આમ આદમી પાર્ટી માટે સુરતમાં ખુબ મોટો પડકાર ઉભો થયો છે.


સુરતની હાઈપ્રોફાઈલ બેઠક પર ચૂંટણી લડ્યા હતા વિધાનસભા ઉમેદવાર 

મહત્વનું છે કે વર્ષ 2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ જબરદસ્ત માહોલ બનાવ્યો હતો, અલ્પેશ કથિરીયા અને ધાર્મીક માલવીયા સુરતની હાઈ પ્રોફાઈલ બેઠકો પર પોતાના સમાજના સહારે ચૂંટણી પણ લડ્યા હતા, વરાછા બેઠક પર કથિરીયાનો જંગ ગુજરાત સરકારમાં જે તે સમયના મંત્રી અને પાટીદાર નેતા કુમાર કાનાણી સામે થયો હતો જો કે વરાછા બેઠક કથીરીયા જીતી ના શક્યા અને હાર પછી અલ્પેશ કથિરીયાને સંગઠનમાં મોટી જવાબદારીની અપેક્ષા હતી પણ એ અપેક્ષા પુરી ના થઈ શકી. 


શું અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા જોડાશે ભાજપમાં?

મહત્વનું છે કે આમ આદમી પાર્ટીના અનેક નેતાઓ પાર્ટીને છોડીને જઈ રહ્યા છે... થોડા સમય પહેલા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભુપત ભાયાણીએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું અને ભાજપમાં જોડાઈ ગયા હતા. તે સિવાય નિખિલ સવાણી, એ વખતે પાર્ટીમાં મીડિયા મેનેજમેન્ટનું કામ કરતા એ પણ થોડા મહિના પહેલા ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા, અલ્પેશ કથીરીયા અને ધાર્મીક માલવિયા પણ એ જ દિશામાં આગળ વધે એવી સંભાવનાઓ છે, આ બે દમદાર ચહેરાઓના રાજીનામા પછી આમ આદમી પાર્ટીએ સૌથી વધારે માહોલ જે શહેરમાં બનાવ્યો હતો એ સુરતમાં સ્થિતિ બદથી બદતર બની છે. 




ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે