Breaking News : Loksabha Election પહેલા AAPને મોટો ઝટકો, અલ્પેશ કથીરિયાએ અને ધાર્મિક માલવિયાએ પાર્ટીમાંથી આપ્યું રાજીનામું


  • Published By :
  • Published Date : 2024-04-18 15:37:01

લોકસભા ચૂંટણી પહેલા અનેક નેતાઓ પોતાની પાર્ટીને છોડી રહ્યા છે. ત્યારે લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત આમ આદમી પાર્ટીને મોટો ઝટકો પડ્યો છે. આમ આદમી પાર્ટીના બે નેતાએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. જે નેતાએ રાજીનામું આપ્યું છે તે અલ્પેશ કથિરીયા અને ધાર્મિક માલવિયા.. પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીને તેમણે રાજીનામું સોંપ્યું છે. મહત્વનું છે કે બંને નેતાઓ વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા...  

Article Content Image


આપના બે દિગ્ગજ નેતાઓએ આપ્યું રાજીનામું 

થોડા સમય પહેલા આમ આદમી પાર્ટીએ સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી હતી. જેમાં 40 લોકોના નામ હતા. એમાંનું એક નામ અલ્પેશ કથીરિયાનું પણ હતું.. અલ્પેશ કથીરિયા પ્રચારની શરૂઆત કરે તે પહેલા તેમણે આજે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે... આમ આદમી પાર્ટીમાંથી ના માત્ર અલ્પેશ કથીરિયાએ રાજીનામું આપ્યું છે પરંતુ ધાર્મિક માલવિયાએ પણ પાર્ટીને અલવિદા કહી દીધું છે. આ બંને યુવા નેતાઓ પાટીદાર આંદોલનથી ચર્ચામાં આવ્યા હતા. 

Article Content Image


આમ આદમી પાર્ટી માટે મોટો પકડાર ઉભો થયો!

અલ્પેશ કથીરીયા પોતાના ક્ષેત્રમાં ગબ્બર નામે ઓળખાતા અને પછી ભાવનગરમાં અરવિંદ કેજરીવાલની હાજરીમાં આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા, એમનાં આપમાં જતાની સાથે જ સુરતમાં આમ આદમી પાર્ટી માટે ખાસો સકારાત્મક માહોલ બન્યો હતો, જો કે બંનેના પાર્ટી છોડતાની સાથે જ હવે આમ આદમી પાર્ટી માટે સુરતમાં ખુબ મોટો પડકાર ઉભો થયો છે.


સુરતની હાઈપ્રોફાઈલ બેઠક પર ચૂંટણી લડ્યા હતા વિધાનસભા ઉમેદવાર 

મહત્વનું છે કે વર્ષ 2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ જબરદસ્ત માહોલ બનાવ્યો હતો, અલ્પેશ કથિરીયા અને ધાર્મીક માલવીયા સુરતની હાઈ પ્રોફાઈલ બેઠકો પર પોતાના સમાજના સહારે ચૂંટણી પણ લડ્યા હતા, વરાછા બેઠક પર કથિરીયાનો જંગ ગુજરાત સરકારમાં જે તે સમયના મંત્રી અને પાટીદાર નેતા કુમાર કાનાણી સામે થયો હતો જો કે વરાછા બેઠક કથીરીયા જીતી ના શક્યા અને હાર પછી અલ્પેશ કથિરીયાને સંગઠનમાં મોટી જવાબદારીની અપેક્ષા હતી પણ એ અપેક્ષા પુરી ના થઈ શકી. 


શું અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા જોડાશે ભાજપમાં?

મહત્વનું છે કે આમ આદમી પાર્ટીના અનેક નેતાઓ પાર્ટીને છોડીને જઈ રહ્યા છે... થોડા સમય પહેલા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભુપત ભાયાણીએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું અને ભાજપમાં જોડાઈ ગયા હતા. તે સિવાય નિખિલ સવાણી, એ વખતે પાર્ટીમાં મીડિયા મેનેજમેન્ટનું કામ કરતા એ પણ થોડા મહિના પહેલા ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા, અલ્પેશ કથીરીયા અને ધાર્મીક માલવિયા પણ એ જ દિશામાં આગળ વધે એવી સંભાવનાઓ છે, આ બે દમદાર ચહેરાઓના રાજીનામા પછી આમ આદમી પાર્ટીએ સૌથી વધારે માહોલ જે શહેરમાં બનાવ્યો હતો એ સુરતમાં સ્થિતિ બદથી બદતર બની છે. 




જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે