Breaking News : Loksabha Election પહેલા AAPને મોટો ઝટકો, અલ્પેશ કથીરિયાએ અને ધાર્મિક માલવિયાએ પાર્ટીમાંથી આપ્યું રાજીનામું


  • Published By :
  • Published Date : 2024-04-18 15:37:01

લોકસભા ચૂંટણી પહેલા અનેક નેતાઓ પોતાની પાર્ટીને છોડી રહ્યા છે. ત્યારે લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત આમ આદમી પાર્ટીને મોટો ઝટકો પડ્યો છે. આમ આદમી પાર્ટીના બે નેતાએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. જે નેતાએ રાજીનામું આપ્યું છે તે અલ્પેશ કથિરીયા અને ધાર્મિક માલવિયા.. પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીને તેમણે રાજીનામું સોંપ્યું છે. મહત્વનું છે કે બંને નેતાઓ વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા...  

Article Content Image


આપના બે દિગ્ગજ નેતાઓએ આપ્યું રાજીનામું 

થોડા સમય પહેલા આમ આદમી પાર્ટીએ સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી હતી. જેમાં 40 લોકોના નામ હતા. એમાંનું એક નામ અલ્પેશ કથીરિયાનું પણ હતું.. અલ્પેશ કથીરિયા પ્રચારની શરૂઆત કરે તે પહેલા તેમણે આજે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે... આમ આદમી પાર્ટીમાંથી ના માત્ર અલ્પેશ કથીરિયાએ રાજીનામું આપ્યું છે પરંતુ ધાર્મિક માલવિયાએ પણ પાર્ટીને અલવિદા કહી દીધું છે. આ બંને યુવા નેતાઓ પાટીદાર આંદોલનથી ચર્ચામાં આવ્યા હતા. 

Article Content Image


આમ આદમી પાર્ટી માટે મોટો પકડાર ઉભો થયો!

અલ્પેશ કથીરીયા પોતાના ક્ષેત્રમાં ગબ્બર નામે ઓળખાતા અને પછી ભાવનગરમાં અરવિંદ કેજરીવાલની હાજરીમાં આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા, એમનાં આપમાં જતાની સાથે જ સુરતમાં આમ આદમી પાર્ટી માટે ખાસો સકારાત્મક માહોલ બન્યો હતો, જો કે બંનેના પાર્ટી છોડતાની સાથે જ હવે આમ આદમી પાર્ટી માટે સુરતમાં ખુબ મોટો પડકાર ઉભો થયો છે.


સુરતની હાઈપ્રોફાઈલ બેઠક પર ચૂંટણી લડ્યા હતા વિધાનસભા ઉમેદવાર 

મહત્વનું છે કે વર્ષ 2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ જબરદસ્ત માહોલ બનાવ્યો હતો, અલ્પેશ કથિરીયા અને ધાર્મીક માલવીયા સુરતની હાઈ પ્રોફાઈલ બેઠકો પર પોતાના સમાજના સહારે ચૂંટણી પણ લડ્યા હતા, વરાછા બેઠક પર કથિરીયાનો જંગ ગુજરાત સરકારમાં જે તે સમયના મંત્રી અને પાટીદાર નેતા કુમાર કાનાણી સામે થયો હતો જો કે વરાછા બેઠક કથીરીયા જીતી ના શક્યા અને હાર પછી અલ્પેશ કથિરીયાને સંગઠનમાં મોટી જવાબદારીની અપેક્ષા હતી પણ એ અપેક્ષા પુરી ના થઈ શકી. 


શું અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા જોડાશે ભાજપમાં?

મહત્વનું છે કે આમ આદમી પાર્ટીના અનેક નેતાઓ પાર્ટીને છોડીને જઈ રહ્યા છે... થોડા સમય પહેલા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભુપત ભાયાણીએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું અને ભાજપમાં જોડાઈ ગયા હતા. તે સિવાય નિખિલ સવાણી, એ વખતે પાર્ટીમાં મીડિયા મેનેજમેન્ટનું કામ કરતા એ પણ થોડા મહિના પહેલા ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા, અલ્પેશ કથીરીયા અને ધાર્મીક માલવિયા પણ એ જ દિશામાં આગળ વધે એવી સંભાવનાઓ છે, આ બે દમદાર ચહેરાઓના રાજીનામા પછી આમ આદમી પાર્ટીએ સૌથી વધારે માહોલ જે શહેરમાં બનાવ્યો હતો એ સુરતમાં સ્થિતિ બદથી બદતર બની છે. 




ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.