Breaking News : વડોદરા બાદ સાબરકાંઠાના BJP ઉમેદવાર ભીખાજી ઠાકોરે ચૂંટણી લડવાની ના પાડી....


  • Published By :
  • Published Date : 2024-03-23 12:04:37

લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં ચાલી રહેલો આંતરિક વિવાદ ખુલીને સામો આવી રહ્યો છે. હજી રંજનબેન ભટ્ટની ચર્ચાઓ શાંત નથી થઈ ત્યારે તો વધુ એક બ્રેકિંગ ન્યુઝ સામે આવ્યા.  સાબરકાંઠાના લોકસભાના ઉમેવાદર ભીખાજી ઠાકોરે પણ ચૂંટણી લડવાની ના પાડી છે. 

ભીખાજી ઠાકોરે ચૂંટણી લડવાનો કર્યો ઈન્કાર

એક જ દિવસમાં ભારતીય જનતા પાર્ટીને બે મોટા ઝટકા મળ્યા છે. ઉમેદવાર તરીકે વડોદરા બેઠક પરથી ભાજપે રંજનબેન ભટ્ટને ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા તો સાબરકાંઠાથી ભીખાજી ઠાકોરને ઉમેદવાર બનાવ્યા હતા. ગુજરાત માટે બીજેપીએ 22 ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે પરંતુ બે ઉમેદવારોએ ચૂંટણી લડવાની ના પાડી દીધી છે. આજે સવારે સોશિયલ મીડિયા પર રંજનબેન ભટ્ટ દ્વારા ટ્વિટ કરવામાં આવે છે અને તેમણે ચૂંટણી લડવાની અનિચ્છા વ્યક્ત કરી. આની ચર્ચાઓ તો હજી પૂર્ણ નથી થઈ ત્યારે તો સાબરકાંઠાના ઉમેદવાર તરીકે જાહેર કરાયેલા ભીખાજી ઠાકોરે પણ ઉમેદવારી પાછી ખેંચવાની જાહેરાત કરી લીધી છે. 

Image



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી