Breaking News : વડોદરા બાદ સાબરકાંઠાના BJP ઉમેદવાર ભીખાજી ઠાકોરે ચૂંટણી લડવાની ના પાડી....


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-03-23 12:04:37

લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં ચાલી રહેલો આંતરિક વિવાદ ખુલીને સામો આવી રહ્યો છે. હજી રંજનબેન ભટ્ટની ચર્ચાઓ શાંત નથી થઈ ત્યારે તો વધુ એક બ્રેકિંગ ન્યુઝ સામે આવ્યા.  સાબરકાંઠાના લોકસભાના ઉમેવાદર ભીખાજી ઠાકોરે પણ ચૂંટણી લડવાની ના પાડી છે. 

ભીખાજી ઠાકોરે ચૂંટણી લડવાનો કર્યો ઈન્કાર

એક જ દિવસમાં ભારતીય જનતા પાર્ટીને બે મોટા ઝટકા મળ્યા છે. ઉમેદવાર તરીકે વડોદરા બેઠક પરથી ભાજપે રંજનબેન ભટ્ટને ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા તો સાબરકાંઠાથી ભીખાજી ઠાકોરને ઉમેદવાર બનાવ્યા હતા. ગુજરાત માટે બીજેપીએ 22 ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે પરંતુ બે ઉમેદવારોએ ચૂંટણી લડવાની ના પાડી દીધી છે. આજે સવારે સોશિયલ મીડિયા પર રંજનબેન ભટ્ટ દ્વારા ટ્વિટ કરવામાં આવે છે અને તેમણે ચૂંટણી લડવાની અનિચ્છા વ્યક્ત કરી. આની ચર્ચાઓ તો હજી પૂર્ણ નથી થઈ ત્યારે તો સાબરકાંઠાના ઉમેદવાર તરીકે જાહેર કરાયેલા ભીખાજી ઠાકોરે પણ ઉમેદવારી પાછી ખેંચવાની જાહેરાત કરી લીધી છે. 

Image



નિલેશ કુંભાણી અચાનક જ ગાયબ થઇ ગયા હતા. જો કે ગુજરાતમાં ચૂંટણી પુરી થઇ ગઇ છે અને રાજકીય માહોલ થોડો શાંત થઇ ગયો છે પણ છેલ્લા 22 દિવસથી હજું પણ નિલેશ કુંભાણી લાપતા છે. ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના નેતાએ સોશિયલ મીડિયામાં આડકતરી રીતે કુંભાણીનું નામ લીધા વગર પોસ્ટ કરી છે.

વીજળીના કડાકા ભડાકા સાથે અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ થશે તેવું અનુમાન હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે.. મહત્વનું છે કે આકરી ગરમી પડવાને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગરમીથી ક્યારે રાહત મળશે તેવા પ્રશ્નો લોકોને થઈ રહ્યા છે..

ગુજરાતમાં લોકસભા ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે.. ચૂંટણી દરમિયાન અનેક બેઠકો એવી હતી જેની ચર્ચા થતી રહેતી હતી અવાર નવાર.. તેમાંની એક બેઠક છે ભરૂચ લોકસભા બેઠક.. ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ચૈતર વસાવાને ટિકીટ આપવામાં આવી હતી અને ભાજપે મનસુખ વસાવાને રિપીટ કર્યા છે..

ભાજપમાં જાણે કોંગ્રેસીકરણ થઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે... ભાજપમાં થઈ રહેલા કોંગ્રેસીકરણને કારણે ભાજપમાં અંદરોઅંદર ડખા શરૂ થઈ ગયા હોય તેવું લાગે છે.. ભાજપના નેતમાં નારાજગી જોવા મળી રહી છે...નારણ કાછડિયા જાણે પક્ષથી નારાજ હોય તેવું લાગી રહ્યું છે