Breaking News : ડમી કાંડ મામલે પોલીસની મોટી કાર્યવાહી, યુવરાજસિંહની ધરપકડ બાદ પોલીસે કરી યુવરાજસિંહના સાળાની ધરપકડ


  • Published By :
  • Published Date : 2023-04-22 12:37:51

ડમી કાંડ મામલે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. હવે આ એન્ગલમાં તોડકાંડનો મામલો પણ સામે આવ્યો છે. ત્યારે ગઈકાલે યુવરાજસિંહ પોતાનું સ્ટેટમેન્ટ આપવા ભાવનગર એસઓજી સમક્ષ હાજર થયા હતા. અનેક કલાકો સુધી યુવરાજસિંહની પૂછપરછ કરવામાં આવી હતી. જે બાદ યુવરાજસિંહ વિરૂદ્ધ ખંડણીનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. યુવરાજસિંહ ઉપરાંત તોડકાંડમાં યુવરાજસિંહના સાળાની સંડોવણી અંગેની માહિતી પોલીસ દ્વારા આપવામાં આવી હતી. યુવરાજસિંહના સાળા વિરૂદ્ધ પણ કેસ દાખલ કરવામાં આવ્યો હતો અને આજે કાર્યવાહી કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર યુવરાજસિંહના સાળાની પોલીસે સુરતથી ધરપકડ કરી લીધી છે. રિમાન્ડ માટે કોર્ટ સમક્ષ યુવરાજસિંહને હાજર કરવામાં આવશે.  


ભાવનગર એસઓજી સમક્ષ હાજર રહ્યા હતા યુવરાજસિંહ 

ડમી કાંડ મામલે દિવસેને દિવસે નવા નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. ગઈકાલે ભાવનગર એસઓજી સમક્ષ યુવરાજસિંહ હાજર રહ્યા હતા. લાંબા સમય સુધી યુવરાજસિંહની પૂછપરછ કરવામાં આવી હતી જે બાદ યુવરાજસિંહ પૈસા લેવાના આરોપોને લઈ તેમના વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. તોડકાંડ મામલે પોલીસે યુવરાજસિંહ સહિત 6 લોકો વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. 


યુવરાજસિંહના સાળાની થઈ ધરપકડ!

આ મામલે યુવરાજ સિંહ, અનિરૂધ્ધ સિંહ જાડેજા, શિવુભા,કાનભા, ઘનશ્યામ મહાશંકર ભાઈ લાધવા જોષી, બીપીન પોપટભાઈ ત્રિવેદી રમણા, રાજુભાઈ (જેનું પુરૂ નામ સરનામુ જાણવા મળી નથી) વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં  આવ્યો હતો. ત્યારે મોડી રાત્રે યુવરાજસિંહની ધરપકડ કરી લેવામાં આવી હતી અને મળતી માહિતી અનુસાર યુવરાજસિંહના સાળા કાનભા વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. સુરતથી તેમની ધરપકડ કરવામાં આવી છે તેવી માહિતી પ્રાપ્ત થઈ રહી છે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.