Breaking News : તોડ કાંડ અંગે આવ્યા મોટા સમાચાર, યુવરાજસિંહના બે દિવસના રિમાન્ડ થયા મંજૂર!


  • Published By :
  • Published Date : 2023-04-29 17:52:15

ડમી કાંડ મામલે રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. ડમી ઉમેદવારો બેસવાની વાતનો ઘટસ્ફોટ યુવરાજસિંહે કર્યો હતો. ત્યારે ડમી કાંડમાં તોડ કાંડનો એન્ગલ આવ્યો હતો. બિપીન ત્રિવેદી નામના વ્યક્તિનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં યુવરાજસિંહ પર પૈસા લેવાનો આરોપ લગાવ્યો હતો. જે બાદ પોલીસે યુવરાજસિંહને હાજર થવા સમન્સ આપ્યા હતા. જે બાદ પોલીસ સમક્ષ હાજર થયા હતા અને તે બાદ તેમની વિરૂદ્ધ કેસ દાખલ થયો હતો. મોડી રાત્રે તેમની ધરપકડ પણ થઈ હતી. પોલીસે તોડ કાંડ મામલે 6 લોકો વિરૂદ્ધ કેસ દાખલ કર્યો હતો.

  

વધુ બે દિવસના રિમાન્ડ થયા મંજૂર!  

આ મામલે કડક તપાસ અને વાયુ વેગે કાર્યવાહી કરવામાં આવી હતી. ઓછા સમયની અંદર યુવરાજસિંહના એક સાળાને ઝડપી પાડ્યો હતો.જ્યારે બીજા સાળાએ સામે ચાલીને પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું હતું. તે ઉપરાંત બિપીન ત્રિવેદી, ઘનશ્યામ લાંધવા સહિત 6 લોકો વિરૂદ્ધ કાર્યવાહી કરાઈ હતી. ત્યારે આજે યુવરાજસિંહના સાત દિવસના રિમાન્ડ પૂર્ણ થયા હતા. રિમાન્ડ પૂર્ણ થયા બાદ ફરીથી કોર્ટ સમક્ષ યુવરાજસિંહને રજૂ કરવામાં આવ્યા હતા અને કોર્ટે યુવરાજસિંહના વધુ બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. તે ઉપરાંત તોડ કાંડ મામલે ઘનશ્યામ લાંધવા અને બિપીન ત્રિવેદીને જેલ હવાલે કરવાનો હુકમ આપ્યો છે. 


યુવરાજસિંહે આપી પ્રતિક્રિયા!

આ બધા વચ્ચે ઘનશ્યામ લાંધવાએ મોટું નિવેદન આપ્યું હતું. તે ઉપરાંત યુવરાજસિંહને જ્યારે પૂછવામાં આવ્યું હતું કે તમે મૌન કેમ છો તે અંગે યુવરાજસિંહે પ્રતિક્રિયા આપી છે.     




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.