Breaking News : તોડ કાંડ અંગે આવ્યા મોટા સમાચાર, યુવરાજસિંહના બે દિવસના રિમાન્ડ થયા મંજૂર!


  • Published By :
  • Published Date : 2023-04-29 17:52:15

ડમી કાંડ મામલે રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. ડમી ઉમેદવારો બેસવાની વાતનો ઘટસ્ફોટ યુવરાજસિંહે કર્યો હતો. ત્યારે ડમી કાંડમાં તોડ કાંડનો એન્ગલ આવ્યો હતો. બિપીન ત્રિવેદી નામના વ્યક્તિનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં યુવરાજસિંહ પર પૈસા લેવાનો આરોપ લગાવ્યો હતો. જે બાદ પોલીસે યુવરાજસિંહને હાજર થવા સમન્સ આપ્યા હતા. જે બાદ પોલીસ સમક્ષ હાજર થયા હતા અને તે બાદ તેમની વિરૂદ્ધ કેસ દાખલ થયો હતો. મોડી રાત્રે તેમની ધરપકડ પણ થઈ હતી. પોલીસે તોડ કાંડ મામલે 6 લોકો વિરૂદ્ધ કેસ દાખલ કર્યો હતો.

  

વધુ બે દિવસના રિમાન્ડ થયા મંજૂર!  

આ મામલે કડક તપાસ અને વાયુ વેગે કાર્યવાહી કરવામાં આવી હતી. ઓછા સમયની અંદર યુવરાજસિંહના એક સાળાને ઝડપી પાડ્યો હતો.જ્યારે બીજા સાળાએ સામે ચાલીને પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું હતું. તે ઉપરાંત બિપીન ત્રિવેદી, ઘનશ્યામ લાંધવા સહિત 6 લોકો વિરૂદ્ધ કાર્યવાહી કરાઈ હતી. ત્યારે આજે યુવરાજસિંહના સાત દિવસના રિમાન્ડ પૂર્ણ થયા હતા. રિમાન્ડ પૂર્ણ થયા બાદ ફરીથી કોર્ટ સમક્ષ યુવરાજસિંહને રજૂ કરવામાં આવ્યા હતા અને કોર્ટે યુવરાજસિંહના વધુ બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. તે ઉપરાંત તોડ કાંડ મામલે ઘનશ્યામ લાંધવા અને બિપીન ત્રિવેદીને જેલ હવાલે કરવાનો હુકમ આપ્યો છે. 


યુવરાજસિંહે આપી પ્રતિક્રિયા!

આ બધા વચ્ચે ઘનશ્યામ લાંધવાએ મોટું નિવેદન આપ્યું હતું. તે ઉપરાંત યુવરાજસિંહને જ્યારે પૂછવામાં આવ્યું હતું કે તમે મૌન કેમ છો તે અંગે યુવરાજસિંહે પ્રતિક્રિયા આપી છે.     




ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે