Breaking News : તોડ કાંડ અંગે આવ્યા મોટા સમાચાર, યુવરાજસિંહના બે દિવસના રિમાન્ડ થયા મંજૂર!


  • Published By :
  • Published Date : 2023-04-29 17:52:15

ડમી કાંડ મામલે રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. ડમી ઉમેદવારો બેસવાની વાતનો ઘટસ્ફોટ યુવરાજસિંહે કર્યો હતો. ત્યારે ડમી કાંડમાં તોડ કાંડનો એન્ગલ આવ્યો હતો. બિપીન ત્રિવેદી નામના વ્યક્તિનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં યુવરાજસિંહ પર પૈસા લેવાનો આરોપ લગાવ્યો હતો. જે બાદ પોલીસે યુવરાજસિંહને હાજર થવા સમન્સ આપ્યા હતા. જે બાદ પોલીસ સમક્ષ હાજર થયા હતા અને તે બાદ તેમની વિરૂદ્ધ કેસ દાખલ થયો હતો. મોડી રાત્રે તેમની ધરપકડ પણ થઈ હતી. પોલીસે તોડ કાંડ મામલે 6 લોકો વિરૂદ્ધ કેસ દાખલ કર્યો હતો.

  

વધુ બે દિવસના રિમાન્ડ થયા મંજૂર!  

આ મામલે કડક તપાસ અને વાયુ વેગે કાર્યવાહી કરવામાં આવી હતી. ઓછા સમયની અંદર યુવરાજસિંહના એક સાળાને ઝડપી પાડ્યો હતો.જ્યારે બીજા સાળાએ સામે ચાલીને પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું હતું. તે ઉપરાંત બિપીન ત્રિવેદી, ઘનશ્યામ લાંધવા સહિત 6 લોકો વિરૂદ્ધ કાર્યવાહી કરાઈ હતી. ત્યારે આજે યુવરાજસિંહના સાત દિવસના રિમાન્ડ પૂર્ણ થયા હતા. રિમાન્ડ પૂર્ણ થયા બાદ ફરીથી કોર્ટ સમક્ષ યુવરાજસિંહને રજૂ કરવામાં આવ્યા હતા અને કોર્ટે યુવરાજસિંહના વધુ બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. તે ઉપરાંત તોડ કાંડ મામલે ઘનશ્યામ લાંધવા અને બિપીન ત્રિવેદીને જેલ હવાલે કરવાનો હુકમ આપ્યો છે. 


યુવરાજસિંહે આપી પ્રતિક્રિયા!

આ બધા વચ્ચે ઘનશ્યામ લાંધવાએ મોટું નિવેદન આપ્યું હતું. તે ઉપરાંત યુવરાજસિંહને જ્યારે પૂછવામાં આવ્યું હતું કે તમે મૌન કેમ છો તે અંગે યુવરાજસિંહે પ્રતિક્રિયા આપી છે.     




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.