Breaking News : ગુજરાત એટીએસની મોટી સફળતા, ISIS સાથે સંકળાયેલા ચાર લોકોને એટીએસે એરપોર્ટ પરથી ઝડપી પાડ્યા


  • Published By :
  • Published Date : 2024-05-20 17:22:25

ગુજરાત એટીએસને એક મોટી સફળતા મળી છે... ગુજરાત એટીએસ દ્વારા ચાર શંકાસ્પદ વ્યક્તિઓને પકડી પાડવામાં આવ્યા છે.. અમદાવાદ એટીએસે અમદાવાદ એરપોર્ટ પરથી મૂળ શ્રીલંકન અને આઈએસઆઈએસ સાથે જોડાયેલા આતંકીઓને ઝડપી પાડ્યા છે તેવી માહિતી સામે આવી છે.. ઝડપાયેલા આતંકવાદીઓ અંગે વધુ તપાસ શરૂ કરી દેવામાં આવી છે.. મળતી માહિતી અનુસાર સેન્ટ્રલ એજન્સી તરફથી આ અંગેની બાતમી મળી હતી જે બાદ અમદાવાદ એરપોર્ટ પર સઘન તપાસ કરવામાં આવી હતી અને ચાર લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે...   

ચાર શંકાસ્પદ વ્યક્તિઓને ઝડપી પાડવામાં આવ્યા 

કોઈ વખત સ્કૂલોને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવતી તો કોઈ વખત એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવતી...ધમકી મળ્યા બાદ સઘન તપાસ કરવામાં આવી રહી છે... આ બધા વચ્ચે અમદાવાદ એટીએસને મોટી સફળતા મળી છે.. અમદાવાદ એરપોર્ટ પરથી ચાર શંકાસ્પદ વ્યક્તિઓને પકડી પાડવામાં આવ્યા છે... મૂળ શ્રીલંકન નાગરિક અને આતંકી સંગઠન આઈએસઆઈએસ સાથે સંકળાયેલા લોકોને પકડી પાડવામાં આવ્યા છે. 


સઘન પૂછપરછ કરવામાં આવશે.!

ગુજરાત એટીએસને બાતમી મળી હતી અને જે અંતર્ગત સઘન તપાસ કરવામાં આવી હતી અને અમદાવાદ એરપોર્ટ પરથી ચાર લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે. આ અંગેની તપાસ શરૂ કરવામાં આવી ગઈ છે ગુજરાત એટીએસ દ્વારા.. પકડાયેલા લોકોને પૂછપરછ કરવા માટે કોઈ અજાણી જગ્યા પર ખસેડવામાં આવ્યા છે.. મહત્વનું છે કે અમદાવાદમાં આઈપીએલની મેચ રમાવા જઈ રહી છે..ચેન્નઈ થઈને અમદાવાદ આવ્યા હોવાનું સામે આવ્યું છે.   



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.