Breaking News : ગુજરાત એટીએસની મોટી સફળતા, ISIS સાથે સંકળાયેલા ચાર લોકોને એટીએસે એરપોર્ટ પરથી ઝડપી પાડ્યા


  • Published By :
  • Published Date : 2024-05-20 17:22:25

ગુજરાત એટીએસને એક મોટી સફળતા મળી છે... ગુજરાત એટીએસ દ્વારા ચાર શંકાસ્પદ વ્યક્તિઓને પકડી પાડવામાં આવ્યા છે.. અમદાવાદ એટીએસે અમદાવાદ એરપોર્ટ પરથી મૂળ શ્રીલંકન અને આઈએસઆઈએસ સાથે જોડાયેલા આતંકીઓને ઝડપી પાડ્યા છે તેવી માહિતી સામે આવી છે.. ઝડપાયેલા આતંકવાદીઓ અંગે વધુ તપાસ શરૂ કરી દેવામાં આવી છે.. મળતી માહિતી અનુસાર સેન્ટ્રલ એજન્સી તરફથી આ અંગેની બાતમી મળી હતી જે બાદ અમદાવાદ એરપોર્ટ પર સઘન તપાસ કરવામાં આવી હતી અને ચાર લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે...   

ચાર શંકાસ્પદ વ્યક્તિઓને ઝડપી પાડવામાં આવ્યા 

કોઈ વખત સ્કૂલોને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવતી તો કોઈ વખત એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવતી...ધમકી મળ્યા બાદ સઘન તપાસ કરવામાં આવી રહી છે... આ બધા વચ્ચે અમદાવાદ એટીએસને મોટી સફળતા મળી છે.. અમદાવાદ એરપોર્ટ પરથી ચાર શંકાસ્પદ વ્યક્તિઓને પકડી પાડવામાં આવ્યા છે... મૂળ શ્રીલંકન નાગરિક અને આતંકી સંગઠન આઈએસઆઈએસ સાથે સંકળાયેલા લોકોને પકડી પાડવામાં આવ્યા છે. 


સઘન પૂછપરછ કરવામાં આવશે.!

ગુજરાત એટીએસને બાતમી મળી હતી અને જે અંતર્ગત સઘન તપાસ કરવામાં આવી હતી અને અમદાવાદ એરપોર્ટ પરથી ચાર લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે. આ અંગેની તપાસ શરૂ કરવામાં આવી ગઈ છે ગુજરાત એટીએસ દ્વારા.. પકડાયેલા લોકોને પૂછપરછ કરવા માટે કોઈ અજાણી જગ્યા પર ખસેડવામાં આવ્યા છે.. મહત્વનું છે કે અમદાવાદમાં આઈપીએલની મેચ રમાવા જઈ રહી છે..ચેન્નઈ થઈને અમદાવાદ આવ્યા હોવાનું સામે આવ્યું છે.   



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"