Breaking News : ગુજરાત એટીએસની મોટી સફળતા, ISIS સાથે સંકળાયેલા ચાર લોકોને એટીએસે એરપોર્ટ પરથી ઝડપી પાડ્યા


  • Published By :
  • Published Date : 2024-05-20 17:22:25

ગુજરાત એટીએસને એક મોટી સફળતા મળી છે... ગુજરાત એટીએસ દ્વારા ચાર શંકાસ્પદ વ્યક્તિઓને પકડી પાડવામાં આવ્યા છે.. અમદાવાદ એટીએસે અમદાવાદ એરપોર્ટ પરથી મૂળ શ્રીલંકન અને આઈએસઆઈએસ સાથે જોડાયેલા આતંકીઓને ઝડપી પાડ્યા છે તેવી માહિતી સામે આવી છે.. ઝડપાયેલા આતંકવાદીઓ અંગે વધુ તપાસ શરૂ કરી દેવામાં આવી છે.. મળતી માહિતી અનુસાર સેન્ટ્રલ એજન્સી તરફથી આ અંગેની બાતમી મળી હતી જે બાદ અમદાવાદ એરપોર્ટ પર સઘન તપાસ કરવામાં આવી હતી અને ચાર લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે...   

ચાર શંકાસ્પદ વ્યક્તિઓને ઝડપી પાડવામાં આવ્યા 

કોઈ વખત સ્કૂલોને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવતી તો કોઈ વખત એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવતી...ધમકી મળ્યા બાદ સઘન તપાસ કરવામાં આવી રહી છે... આ બધા વચ્ચે અમદાવાદ એટીએસને મોટી સફળતા મળી છે.. અમદાવાદ એરપોર્ટ પરથી ચાર શંકાસ્પદ વ્યક્તિઓને પકડી પાડવામાં આવ્યા છે... મૂળ શ્રીલંકન નાગરિક અને આતંકી સંગઠન આઈએસઆઈએસ સાથે સંકળાયેલા લોકોને પકડી પાડવામાં આવ્યા છે. 


સઘન પૂછપરછ કરવામાં આવશે.!

ગુજરાત એટીએસને બાતમી મળી હતી અને જે અંતર્ગત સઘન તપાસ કરવામાં આવી હતી અને અમદાવાદ એરપોર્ટ પરથી ચાર લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે. આ અંગેની તપાસ શરૂ કરવામાં આવી ગઈ છે ગુજરાત એટીએસ દ્વારા.. પકડાયેલા લોકોને પૂછપરછ કરવા માટે કોઈ અજાણી જગ્યા પર ખસેડવામાં આવ્યા છે.. મહત્વનું છે કે અમદાવાદમાં આઈપીએલની મેચ રમાવા જઈ રહી છે..ચેન્નઈ થઈને અમદાવાદ આવ્યા હોવાનું સામે આવ્યું છે.   



દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.