Breaking News : ગુજરાત એટીએસની મોટી સફળતા, ISIS સાથે સંકળાયેલા ચાર લોકોને એટીએસે એરપોર્ટ પરથી ઝડપી પાડ્યા


  • Published By :
  • Published Date : 2024-05-20 17:22:25

ગુજરાત એટીએસને એક મોટી સફળતા મળી છે... ગુજરાત એટીએસ દ્વારા ચાર શંકાસ્પદ વ્યક્તિઓને પકડી પાડવામાં આવ્યા છે.. અમદાવાદ એટીએસે અમદાવાદ એરપોર્ટ પરથી મૂળ શ્રીલંકન અને આઈએસઆઈએસ સાથે જોડાયેલા આતંકીઓને ઝડપી પાડ્યા છે તેવી માહિતી સામે આવી છે.. ઝડપાયેલા આતંકવાદીઓ અંગે વધુ તપાસ શરૂ કરી દેવામાં આવી છે.. મળતી માહિતી અનુસાર સેન્ટ્રલ એજન્સી તરફથી આ અંગેની બાતમી મળી હતી જે બાદ અમદાવાદ એરપોર્ટ પર સઘન તપાસ કરવામાં આવી હતી અને ચાર લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે...   

ચાર શંકાસ્પદ વ્યક્તિઓને ઝડપી પાડવામાં આવ્યા 

કોઈ વખત સ્કૂલોને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવતી તો કોઈ વખત એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવતી...ધમકી મળ્યા બાદ સઘન તપાસ કરવામાં આવી રહી છે... આ બધા વચ્ચે અમદાવાદ એટીએસને મોટી સફળતા મળી છે.. અમદાવાદ એરપોર્ટ પરથી ચાર શંકાસ્પદ વ્યક્તિઓને પકડી પાડવામાં આવ્યા છે... મૂળ શ્રીલંકન નાગરિક અને આતંકી સંગઠન આઈએસઆઈએસ સાથે સંકળાયેલા લોકોને પકડી પાડવામાં આવ્યા છે. 


સઘન પૂછપરછ કરવામાં આવશે.!

ગુજરાત એટીએસને બાતમી મળી હતી અને જે અંતર્ગત સઘન તપાસ કરવામાં આવી હતી અને અમદાવાદ એરપોર્ટ પરથી ચાર લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે. આ અંગેની તપાસ શરૂ કરવામાં આવી ગઈ છે ગુજરાત એટીએસ દ્વારા.. પકડાયેલા લોકોને પૂછપરછ કરવા માટે કોઈ અજાણી જગ્યા પર ખસેડવામાં આવ્યા છે.. મહત્વનું છે કે અમદાવાદમાં આઈપીએલની મેચ રમાવા જઈ રહી છે..ચેન્નઈ થઈને અમદાવાદ આવ્યા હોવાનું સામે આવ્યું છે.   



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે