Breaking News : Vadodara Loksabha Seatના BJP ઉમેદવાર રંજનબેન ભટ્ટે ચૂંટણી ના લડવાની દર્શાવી ઈચ્છા, સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી લખ્યું...


  • Published By :
  • Published Date : 2024-03-23 11:06:07

વડોદરા લોકસભા બેઠક પરથી ભાજપે સાંસદ રંજનબેન ભટ્ટને ઉમેદવાર તરીકે ઘોષિત કર્યા હતા. રંજનબેન ભટ્ટ ચૂંટણી લડશે તેવું લાગતું હતું પરંતુ રંજનબેન ભટ્ટે ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી છે, સોશિયલ મીડિયા પર તેમણે પોસ્ટ લખી અને જણાવ્યું છે હું રંજનબેન ધનંજય ભટ્ટ મારા અંગત કારણોસર લોકસભા ચૂંટણી 2024 ની ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવુ છું.


ઉમેદવાર તરીકે નામ જાહેર થયા બાદ પરત ખેંચી રહ્યા છે ઉમેદવારી    

ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક વિખવાદ છેલ્લા ઘણા સમયથી જોવા મળી રહ્યો છે. અનેક વખત એવા ઉદાહરણો આપણી સામે છે જેમાં આ વાત સાચી પણ સાબિત થાય છે. લોકસભા ચૂંટણીની તૈયારીઓ કરવા માટે રાજકીય પાર્ટીઓ દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી ગઈ છે. ઉમેદવારોના નામની પણ જાહેરાત કરવામાં આવી ગઈ છે પરંતુ એક બાદ એક ઉમેદવારો ચૂંટણી લડવાની ના પાડી રહ્યા છે. 


પહેલા કોંગ્રેસના ઉમેદવારે ના પાડી અને હવે ભાજપના ઉમેદવારે

થોડા સમય પહેલા કોંગ્રેસના અમદાવાદ પૂર્વના ઉમેદવાર રોહન ગુપ્તાએ ઉમેદાવારી પરત ખેંચી હતી અને તેમણે તો પક્ષમાંથી રાજીનામું પણ આપી દીધું હતું. ત્યારે હવે રંજનબેન ભટ્ટે ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી છે.. સોશિયલ મીડિયા પર તેમણે પોસ્ટ કરતા લખ્યું કે તેઓ અંગત કારણોસર લોકસભા ચૂંટણી નથી લડવા માગતા. તેમણે ચૂંટણી લડવાની અનિચ્છા વ્યક્ત કરી છે.


સાંસદ રંજનબેન વિરૂદ્ધ લાગ્યા હતા પોસ્ટર...    

મહત્વનું છે કે થોડા દિવસો પહેલા પોસ્ટર વોર શરૂ થઈ ગયો હતો વડોદરામાં. સાંસદ રંજનબેન ભટ્ટના વિરોધમાં પોસ્ટર લાગ્યા હતા અને તેમાં લખવામાં આવ્યું હતું કે મોદી તુજ સે વેર નહીં.. રંજન તેરી ખેર નહીં... આ પોસ્ટરો હટાવાઈ ગયા પોલીસે તપાસ પણ કરી કે પોસ્ટર કોણે લગાવ્યા. પોસ્ટર લગાવનાર કોંગ્રેસનો કાર્યકર નીકળ્યો. સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા બાદ સાંસદ રંજન ભટ્ટની પ્રતિક્રિયા પણ સામે આવી છે જેમાં તે કહી રહ્યા છે તેમણે જાતે નિર્ણય કર્યો છે કે ચૂંટણી નહીં લડે....              



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.