Breaking News : Vadodara Loksabha Seatના BJP ઉમેદવાર રંજનબેન ભટ્ટે ચૂંટણી ના લડવાની દર્શાવી ઈચ્છા, સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી લખ્યું...


  • Published By :
  • Published Date : 2024-03-23 11:06:07

વડોદરા લોકસભા બેઠક પરથી ભાજપે સાંસદ રંજનબેન ભટ્ટને ઉમેદવાર તરીકે ઘોષિત કર્યા હતા. રંજનબેન ભટ્ટ ચૂંટણી લડશે તેવું લાગતું હતું પરંતુ રંજનબેન ભટ્ટે ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી છે, સોશિયલ મીડિયા પર તેમણે પોસ્ટ લખી અને જણાવ્યું છે હું રંજનબેન ધનંજય ભટ્ટ મારા અંગત કારણોસર લોકસભા ચૂંટણી 2024 ની ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવુ છું.


ઉમેદવાર તરીકે નામ જાહેર થયા બાદ પરત ખેંચી રહ્યા છે ઉમેદવારી    

ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક વિખવાદ છેલ્લા ઘણા સમયથી જોવા મળી રહ્યો છે. અનેક વખત એવા ઉદાહરણો આપણી સામે છે જેમાં આ વાત સાચી પણ સાબિત થાય છે. લોકસભા ચૂંટણીની તૈયારીઓ કરવા માટે રાજકીય પાર્ટીઓ દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી ગઈ છે. ઉમેદવારોના નામની પણ જાહેરાત કરવામાં આવી ગઈ છે પરંતુ એક બાદ એક ઉમેદવારો ચૂંટણી લડવાની ના પાડી રહ્યા છે. 


પહેલા કોંગ્રેસના ઉમેદવારે ના પાડી અને હવે ભાજપના ઉમેદવારે

થોડા સમય પહેલા કોંગ્રેસના અમદાવાદ પૂર્વના ઉમેદવાર રોહન ગુપ્તાએ ઉમેદાવારી પરત ખેંચી હતી અને તેમણે તો પક્ષમાંથી રાજીનામું પણ આપી દીધું હતું. ત્યારે હવે રંજનબેન ભટ્ટે ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી છે.. સોશિયલ મીડિયા પર તેમણે પોસ્ટ કરતા લખ્યું કે તેઓ અંગત કારણોસર લોકસભા ચૂંટણી નથી લડવા માગતા. તેમણે ચૂંટણી લડવાની અનિચ્છા વ્યક્ત કરી છે.


સાંસદ રંજનબેન વિરૂદ્ધ લાગ્યા હતા પોસ્ટર...    

મહત્વનું છે કે થોડા દિવસો પહેલા પોસ્ટર વોર શરૂ થઈ ગયો હતો વડોદરામાં. સાંસદ રંજનબેન ભટ્ટના વિરોધમાં પોસ્ટર લાગ્યા હતા અને તેમાં લખવામાં આવ્યું હતું કે મોદી તુજ સે વેર નહીં.. રંજન તેરી ખેર નહીં... આ પોસ્ટરો હટાવાઈ ગયા પોલીસે તપાસ પણ કરી કે પોસ્ટર કોણે લગાવ્યા. પોસ્ટર લગાવનાર કોંગ્રેસનો કાર્યકર નીકળ્યો. સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા બાદ સાંસદ રંજન ભટ્ટની પ્રતિક્રિયા પણ સામે આવી છે જેમાં તે કહી રહ્યા છે તેમણે જાતે નિર્ણય કર્યો છે કે ચૂંટણી નહીં લડે....              



ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.