Breaking News : Congressને વધુ એક મોટો ફટકો પડી શકે છે! ચર્ચાઓએ જોર પકડ્યું કે પોરબંદરના ધારાસભ્ય Arjun modhwadia ગમે ત્યારે આપી શકે છે રાજીનામું!


  • Published By :
  • Published Date : 2024-03-04 14:55:31

કોંગ્રેસના હાલના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા ગમે ત્યારે પોતાના પદ ઉપરથી રાજીનામું આપી શકે છે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. એક તરફ અંબરીશ ડેરે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે અને આવતી કાલે ભાજપમાં જોડાઈ શકે છે ત્યારે કોંગ્રેસને વધુ એક મોટો ફટકો પડી શકે છે. પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા ગમે ત્યારે રાજીનામું આપી શકે છે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર સાંજ સુધીમાં તેઓ વિધાનસભા અધ્યક્ષને રાજીનામું આપી શકે છે. તેઓ 2012 વિધાનસભા ચૂંટણી વખતે તેઓ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ રહી ચૂક્યા છે.    


અંબરીશ ડેર બાદ અર્જુન મોઢવાડિયા આપશે રાજીનામું!

લોકસભા ચૂંટણીને લઈ રાજકીય પાર્ટીઓએ તૈયારી કરી દીધી છે. લોકસભા ચૂંટણીની તારીખ ગમે ત્યારે જાહેર થઈ શકે છે. એક તરફ ભાજપનું સંગઠન મજબૂત થઈ રહ્યું છે તો બીજી તરફ કોંગ્રેસનું સંગઠન નબળું પડી રહ્યું છે. એક બાદ એક ધારાસભ્યો પોતાના પદ ઉપરથી રાજીનામું આપી રહ્યા છે. થોડા સમય પહેલા સી.જે.ચાવડાએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું હતું અને ભાજપમાં તેઓ જોડાઈ ગયા છે. ત્યારે આવનાર સમયમાં ફરીથી ભાજપમાં ભરતી મેળો શરૂ થઈ જશે. આજે અંબરીશ ડેરે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે તો બીજી તરફ એવી ચર્ચાઓએ જોર પકડ્યું છે કે કોંગ્રેસના પીઢ નેતા ગણાતા અને પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા પોતાના પદ ઉપરથી રાજીનામું આપી શકે છે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. મહત્વનું છે કે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં આવવાની છે. રાહુલ ગાંધીની યાત્રા ગુજરાત પહોંચે તે પહેલા કોંગ્રેસને મોટો ફટકો પડી શકે છે.         



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.