Breaking News : Congressને વધુ એક મોટો ફટકો પડી શકે છે! ચર્ચાઓએ જોર પકડ્યું કે પોરબંદરના ધારાસભ્ય Arjun modhwadia ગમે ત્યારે આપી શકે છે રાજીનામું!


  • Published By :
  • Published Date : 2024-03-04 14:55:31

કોંગ્રેસના હાલના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા ગમે ત્યારે પોતાના પદ ઉપરથી રાજીનામું આપી શકે છે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. એક તરફ અંબરીશ ડેરે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે અને આવતી કાલે ભાજપમાં જોડાઈ શકે છે ત્યારે કોંગ્રેસને વધુ એક મોટો ફટકો પડી શકે છે. પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા ગમે ત્યારે રાજીનામું આપી શકે છે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર સાંજ સુધીમાં તેઓ વિધાનસભા અધ્યક્ષને રાજીનામું આપી શકે છે. તેઓ 2012 વિધાનસભા ચૂંટણી વખતે તેઓ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ રહી ચૂક્યા છે.    


અંબરીશ ડેર બાદ અર્જુન મોઢવાડિયા આપશે રાજીનામું!

લોકસભા ચૂંટણીને લઈ રાજકીય પાર્ટીઓએ તૈયારી કરી દીધી છે. લોકસભા ચૂંટણીની તારીખ ગમે ત્યારે જાહેર થઈ શકે છે. એક તરફ ભાજપનું સંગઠન મજબૂત થઈ રહ્યું છે તો બીજી તરફ કોંગ્રેસનું સંગઠન નબળું પડી રહ્યું છે. એક બાદ એક ધારાસભ્યો પોતાના પદ ઉપરથી રાજીનામું આપી રહ્યા છે. થોડા સમય પહેલા સી.જે.ચાવડાએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું હતું અને ભાજપમાં તેઓ જોડાઈ ગયા છે. ત્યારે આવનાર સમયમાં ફરીથી ભાજપમાં ભરતી મેળો શરૂ થઈ જશે. આજે અંબરીશ ડેરે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે તો બીજી તરફ એવી ચર્ચાઓએ જોર પકડ્યું છે કે કોંગ્રેસના પીઢ નેતા ગણાતા અને પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા પોતાના પદ ઉપરથી રાજીનામું આપી શકે છે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. મહત્વનું છે કે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં આવવાની છે. રાહુલ ગાંધીની યાત્રા ગુજરાત પહોંચે તે પહેલા કોંગ્રેસને મોટો ફટકો પડી શકે છે.         



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે