Breaking News : Congressને વધુ એક મોટો ફટકો પડી શકે છે! ચર્ચાઓએ જોર પકડ્યું કે પોરબંદરના ધારાસભ્ય Arjun modhwadia ગમે ત્યારે આપી શકે છે રાજીનામું!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-03-04 14:55:31

કોંગ્રેસના હાલના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા ગમે ત્યારે પોતાના પદ ઉપરથી રાજીનામું આપી શકે છે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. એક તરફ અંબરીશ ડેરે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે અને આવતી કાલે ભાજપમાં જોડાઈ શકે છે ત્યારે કોંગ્રેસને વધુ એક મોટો ફટકો પડી શકે છે. પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા ગમે ત્યારે રાજીનામું આપી શકે છે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર સાંજ સુધીમાં તેઓ વિધાનસભા અધ્યક્ષને રાજીનામું આપી શકે છે. તેઓ 2012 વિધાનસભા ચૂંટણી વખતે તેઓ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ રહી ચૂક્યા છે.    


અંબરીશ ડેર બાદ અર્જુન મોઢવાડિયા આપશે રાજીનામું!

લોકસભા ચૂંટણીને લઈ રાજકીય પાર્ટીઓએ તૈયારી કરી દીધી છે. લોકસભા ચૂંટણીની તારીખ ગમે ત્યારે જાહેર થઈ શકે છે. એક તરફ ભાજપનું સંગઠન મજબૂત થઈ રહ્યું છે તો બીજી તરફ કોંગ્રેસનું સંગઠન નબળું પડી રહ્યું છે. એક બાદ એક ધારાસભ્યો પોતાના પદ ઉપરથી રાજીનામું આપી રહ્યા છે. થોડા સમય પહેલા સી.જે.ચાવડાએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું હતું અને ભાજપમાં તેઓ જોડાઈ ગયા છે. ત્યારે આવનાર સમયમાં ફરીથી ભાજપમાં ભરતી મેળો શરૂ થઈ જશે. આજે અંબરીશ ડેરે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે તો બીજી તરફ એવી ચર્ચાઓએ જોર પકડ્યું છે કે કોંગ્રેસના પીઢ નેતા ગણાતા અને પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા પોતાના પદ ઉપરથી રાજીનામું આપી શકે છે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. મહત્વનું છે કે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં આવવાની છે. રાહુલ ગાંધીની યાત્રા ગુજરાત પહોંચે તે પહેલા કોંગ્રેસને મોટો ફટકો પડી શકે છે.         



ગુજરાતની સુરત લોકસભા સીટ પર કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ઉમેદવારી ફોર્મ રદ્દ થયું. તે બાદ સુરતમાં ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર થયા. ત્યારે મધ્યપ્રદેશના ઈન્દોરમાં કોંગ્રેસના ઉમેદવાર અક્ષય કાંતિએ પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યું છે.. તેઓ ભાજપમાં જોડાવાના છે તેવી માહિતી સામે આવી છે..

જમાવટની ઈલેક્શન યાત્રા દ્વારકા પહોંચી હતી જે જામનગર લોકસભા સીટ અંતર્ગત આવે છે. દ્વારકાના મતદાતાઓ કયા મુદ્દાઓને જોઈને વોટ આપે છે, પીએમ તરીકે કોણ છે તેમની પસંદ તે જાણવાની કોશિશ જમાવટની ટીમે કરી હતી.

પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. ક્ષત્રિય સમાજ પરષોત્તમ રૂપાલાનો વિરોધ કરી રહ્યો છે અને આ બધા વચ્ચે જામનગર પહોંચ્યા હતા જીજ્ઞેશ મેવાણી. ઉપવાસ કરી રહેલી મહિલાઓને તેમણે પારણા કરાવ્યા હતા.

ગુજરાતમાં થોડા વર્ષો પહેલા પાટીદાર અનામત આંદોલન થયું હતું. સરકાર સામે આંદોલન શરૂ કરવા વાળા અનેક નેતાઓ રાજકીય પાર્ટીમાં જોડાઈ ગયા છે.. કોઈ ભાજપમાં તો કોઈ બીજી અન્ય પાર્ટીમાં જોડાઈ ગયા છે...