Breaking News : Congressના ધારાસભ્ય Chirag Patelએ Shankar Chaudharyને સોંપ્યું રાજીનામું, કોંગ્રેસમાં ગાબડું!


  • Published By :
  • Published Date : 2023-12-19 12:44:15

કોંગ્રેસમાં ગાબડું પડી શકે છે તેવી ચર્ચા સવારથી ચાલતી હતી. ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલ ધારાસભ્ય પદ ઉપરથી રાજીનામું આપશે તેવી અટકળો ચાલતી હતી આ અટકળો પર પૂર્ણવિરામ મૂકાઈ ગયો છે. ચિરાગ પટેલે ધારાસભ્ય પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને તેમણે પોતાનું રાજીનામું સોંપી દીધું છે. લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે.    


ધારાસભ્ય પદ ઉપરથી ચિરાગ પટેલે આપ્યું રાજીનામું 

એક તરફ લોકસભા ચૂંટણીને લઈ તૈયારીઓ કરવામાં આવી રહી છે તો બીજી તરફ ગુજરાતમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને કોંગ્રેસના ધારાસભ્યો રાજીનામા આપી રહ્યા છે. પોતાના પદ પરથી તેમજ પાર્ટીને તેઓ અલવિદા કહી રહ્યા છીએ. થોડા સમય પહેલા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે.  ગમે ત્યારે તે પણ ગંગાસ્નાન કરી શકે છે મતલબ ગમે ત્યારે તે ભાજપમાં જોડાઈ શકે છે તેવી વાતો ચાલી રહી છે. આ બધા વચ્ચે કોંગ્રેસમાં મોટું ગાબડું પડ્યું છે. ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલે પોતાના પદમાંથી રાજીનામું આપી દીધું છે. કોંગ્રેસ


રાજીનામું આપ્યા બાદ બદલાયા ચિરાગ પટેલના સૂર

ધારાસભ્ય પદ ઉપરથી રાજીનામું આપ્યા બાદ ચિરાગ પટેલે કોંગ્રેસ પર પ્રહાર કર્યા છે. ધારાસભ્યના રાજીનામા બાદ તેમણે કહ્યું કે ‘દેશના હિતની વાત આવે ત્યારે કોંગ્રેસ હંમેશા પાછળ રહે છે. મારા વિસ્તારના હિતની વાત આવે ત્યારે મારે આ પાર્ટીમાં વધારે રહેવું મને હિતાવહ નથી લાગ્યું. મારા અન્ય ધારાસભ્યો પણ કોંગ્રેસમાં ગૂંગણામળ અનુભવી રહ્યા છે. દિવસેને દિવસે કોંગ્રેસ પોતાની સત્તા ગુમાવી રહી છે. કોંગ્રેસની કામ કરવાની રીત બોલવાનું કાંઇ અને કરવાનું કાંઇ, આમાં વધારે સમય રહી ન શકાય. એટલે મારા વિસ્તારના લોકો માટે મેં રાજીનામું આપ્યું છે.


બે બેઠકો પર યોજાશે પેટા ચૂંટણી 

થોડા સમય પહેલા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ ધારાસભ્ય પદ ઉપરથી રાજીનામું આપ્યું હતું. 182 બેઠકોની વિધાનસભાઓ માટે ચૂંટણી યોજાઈ  હતી પરંતુ બે ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દેતા બે બેઠકો પર પેટાચૂંટણી યોજાશે.  



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી