Breaking News : Congressના ધારાસભ્ય Chirag Patelએ Shankar Chaudharyને સોંપ્યું રાજીનામું, કોંગ્રેસમાં ગાબડું!


  • Published By :
  • Published Date : 2023-12-19 12:44:15

કોંગ્રેસમાં ગાબડું પડી શકે છે તેવી ચર્ચા સવારથી ચાલતી હતી. ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલ ધારાસભ્ય પદ ઉપરથી રાજીનામું આપશે તેવી અટકળો ચાલતી હતી આ અટકળો પર પૂર્ણવિરામ મૂકાઈ ગયો છે. ચિરાગ પટેલે ધારાસભ્ય પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને તેમણે પોતાનું રાજીનામું સોંપી દીધું છે. લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે.    


ધારાસભ્ય પદ ઉપરથી ચિરાગ પટેલે આપ્યું રાજીનામું 

એક તરફ લોકસભા ચૂંટણીને લઈ તૈયારીઓ કરવામાં આવી રહી છે તો બીજી તરફ ગુજરાતમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને કોંગ્રેસના ધારાસભ્યો રાજીનામા આપી રહ્યા છે. પોતાના પદ પરથી તેમજ પાર્ટીને તેઓ અલવિદા કહી રહ્યા છીએ. થોડા સમય પહેલા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે.  ગમે ત્યારે તે પણ ગંગાસ્નાન કરી શકે છે મતલબ ગમે ત્યારે તે ભાજપમાં જોડાઈ શકે છે તેવી વાતો ચાલી રહી છે. આ બધા વચ્ચે કોંગ્રેસમાં મોટું ગાબડું પડ્યું છે. ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલે પોતાના પદમાંથી રાજીનામું આપી દીધું છે. કોંગ્રેસ


રાજીનામું આપ્યા બાદ બદલાયા ચિરાગ પટેલના સૂર

ધારાસભ્ય પદ ઉપરથી રાજીનામું આપ્યા બાદ ચિરાગ પટેલે કોંગ્રેસ પર પ્રહાર કર્યા છે. ધારાસભ્યના રાજીનામા બાદ તેમણે કહ્યું કે ‘દેશના હિતની વાત આવે ત્યારે કોંગ્રેસ હંમેશા પાછળ રહે છે. મારા વિસ્તારના હિતની વાત આવે ત્યારે મારે આ પાર્ટીમાં વધારે રહેવું મને હિતાવહ નથી લાગ્યું. મારા અન્ય ધારાસભ્યો પણ કોંગ્રેસમાં ગૂંગણામળ અનુભવી રહ્યા છે. દિવસેને દિવસે કોંગ્રેસ પોતાની સત્તા ગુમાવી રહી છે. કોંગ્રેસની કામ કરવાની રીત બોલવાનું કાંઇ અને કરવાનું કાંઇ, આમાં વધારે સમય રહી ન શકાય. એટલે મારા વિસ્તારના લોકો માટે મેં રાજીનામું આપ્યું છે.


બે બેઠકો પર યોજાશે પેટા ચૂંટણી 

થોડા સમય પહેલા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ ધારાસભ્ય પદ ઉપરથી રાજીનામું આપ્યું હતું. 182 બેઠકોની વિધાનસભાઓ માટે ચૂંટણી યોજાઈ  હતી પરંતુ બે ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દેતા બે બેઠકો પર પેટાચૂંટણી યોજાશે.  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.