Breaking News : ડો. ચગ આત્મહત્યા મામલે કરવામાં આવેલી અરજીને હાઈકોર્ટે ફગાવી, સ્યુસાઈડ નોટમાં સાંસદના નામનો હતો ઉલ્લેખ!


  • Published By :
  • Published Date : 2023-05-01 16:28:34

વેરાવળના ડો. અતુલ ચગનો મામલો ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યો હતો. અતુલ ચગે પોતાની સ્યુસાઈડ નોટમાં સાંસદ રાજેશ ચૂડાસમા અને તેમના પિતાનું નામ લખ્યું હતું. આ મામલે વેરાવળ પોલીસે ફરિયાદ ન નોંધી હતી. જેને લઈ ગુજરાત હાઈકોર્ટમાં ચગના પૂત્રએ કેન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની અરજી કરી હતી. પરંતુ હાઈકોર્ટે આ અરજીને ફગાવી છે. હાઈકોર્ટના અધિકારી ક્ષેત્રમાં મામલો આવતો ન હોવાથી અરજીને ફગાવવામાં આવી છે તેમ જણાવવામાં આવ્યું હતું. 


અતુલ ચગના પુત્રએ કરી હતી હાઈકોર્ટમાં અરજી!

થોડા મહિનાઓ પહેલા વેરાવળના જાણીતા ડોક્ટર અતુલ ચગ દ્વારા આપઘાત કરવામાં આવ્યો હતો. સૌથી ચોંકાવનારી વાત એ હતી કે અતુલ ચગે પોતાની સ્યુસાઈડ નોટમાં જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા અને નારાયણ ચુડાસમાનું નામ લખ્યું હતું. આ મામલે પોલીસ દ્વારા કોઈ ફરિયાદ નોંધવામાં આવી ન હતી. જેને લઈ અતુલ ચગના પુત્રએ આ મામલે હાઈકોર્ટમાં અરજી કરી હતી અને જે બાદ હાઈકોર્ટના હુકમ બાદ 66 જેટલા દિવસો બાદ પોલીસ ફરિયાદ નોંધાશે.  

ડોક્ટરે લખેલી 2 લીટીની સુસાઈડ નોટ

અનેક મહિના વીત્યા બાદ પણ પોલીસે ન નોંધી હતી ફરિયાદ!

વેરાવળના જાણીતા ડોક્ટર અતુલ ચગે થોડા સમય પહેલા આપઘાત કરી લીધો હતો. મરતા પહેલા તેમણે એક સ્યુસાઈડ નોટ પણ લખી હતી જેમાં બે લોકોના નામ લખ્યા હતા. તેમણે પોતાની સ્યુસાઈડ નોટમાં  સાંસદ રાજેશ ચુડાસમા અને નારાયણ ચુડાસમાનું નામ લખ્યું હતું. આ કેસને લગભગ બે મહિનાથી વધુ સમય પસાર થયા હોવા છતાંય કોઈ કાર્યવાહી કરવામાં ન આવી હતી. પોલીસ દ્વારા કેસ દાખલ કરવામાં ન આવતા તેમના પુત્રએ હાઈકોર્ટમાં અરજી કરી હતી. હાઈકોર્ટમાં કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની અરજીને ફગાવી દીધી છે. હાઈકોર્ટના અધિકાર ક્ષેત્રમાં આવતી ન હોવાથી અરજીને ફગાવી દેવામાં આવી છે. ત્યારે ફરિયાદી વકીલે જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવશે. 



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે