Breaking News : Rajkotના નવા મેયર તરીકે કરાઈ આમની નિમણૂંક, જાણો કોણ બન્યા રાજકોટ શહેરના પ્રથમ નાગરિક?


  • Published By :
  • Published Date : 2023-09-12 11:37:19

સુરત ઉપરાંત રાજકોટને પણ નવા પ્રથમ નાગરિક મળ્યા છે. રાજકોટમાં નવા મેયર તરીકે નયના પેઢડિયાની વરણી કરવામાં આવી છે. આ સાથે જ નરેન્દ્રસિંહ જાડેજાને ડેપ્યુટી મેયર તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે જયમિન ઠાકરનું નામ જાહેર કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે ગઈકાલે અમદાવાદ અને વડોદરાને નવા મેયર મળ્યા હતા ત્યારે આજે સુરત અને રાજકોટને નવા મેયર મળ્યા છે. મહત્વનું છે કે રાજકોટમાં નવા મેયરની વરણી થાય તે પહેલા પ્રદીપ ડવ તમામ કોર્પોરેટરને મળ્યા હતા. બધા સાથે તેમણે મુલાકાત કરી હતી. 

rajkot-news-nayanaben-pedhadiya-becomes-new-mayor-and-narendra-singh-jadeja-as-deputy-mayor-of-rajkot-city-193585

RMCની સુકાન મહિલા સંભાળશે 

ગઈકાલે અમદાવાદને તેમજ વડોદરા શહેરને નવા મેયર મળ્યા હતા. ત્યારે આજે સુરત અને રાજકોટમાં નવા મેયરની નિમણૂંક કરવામાં આવી છે. અમદાવાદ અને વડોદરામાં મેયર તરીકે મહિલાની પસંદગી કરવામાં આવી હતી ત્યારે રાજકોટમાં પણ મહિલા મેયરની નિયુક્તિ કરવામાં આવી છે. સુરતને પણ આજે નવા મેયર મળ્યા છે.

પૂર્વ મેયર ડો.પ્રદીપ ડવે નવા મેયરને શુભેચ્છા આપી.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.